08/05/2021
મ્યુકરમાઇકોસિસ વિશે થોડું જાણીએ
મ્યુકરમાઇકોસિસ એ એક જાતનો ફૂગ થી થતો રોગ છે .. આ કોઈ નવો રોગ નથી ...પરંતુ ખૂબ ઓછા પ્રમાણ માં રેરલી થતો રોગ છે ... મોટાભાગે આ રોગ રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા લોકો માં જ થાય છે ...કોરોના કાળ પહેલા આ રોગ જે લોકો ની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય એમને જ થતો , જેમ કે HIV ના દર્દી , ખૂબ વધુ ડાયાબિટીસ હોય એમને , અંગ પ્રત્યારોપણ કરાવ્યું હોય અને રોગ્રતિકારક શક્તિ નું શમન કરવાની દવા પર હોય ..
પણ કોરોના વાયરસ આપને સહુ જાણીએ છીએ એમ રોગપ્રિકારકશક્તિ ઓછી કરી નાખે છે ... અને એટલા માટે આ ફંગસ કે જે તક નો લાભ લેનાર એટલે કે જેને opportunistic infection કેહવામાં આવે છે તે ખૂબ જલ્દી માણસ ના નાક અને મોઢા વાટે પ્રવેશ કરી ને નુકશાન કરે છે
કોરોના માંથી હાલમાં જ સાજા થયેલા લોકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તે સ્વાભાવિક છે જેથી આ fungus એનો લાભ લઇ અને નાક વાટે અથવા તો મોં વાટે શરીરમાં પ્રવેશી સૌપ્રથમ સાઇનસ પર તથા ઉપલા દાંત અને પેઢા અને તેના જડબાનું હાડકું ને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે... આ fungus જડબાની તથા હાડકાની blood supply ને પણ નુકસાન પહોંચાડે છે જેથી ત્યાં હાડકું સડી જાય છે.. સાઈનસ તથા તેની આજુબાજુ ફૂગ ને વધવા માટે ideal વાતાવરણ હોય છે તેથી આ ફૂગ ખૂબ જ ઝડપથી આગળ વધે છે અને થોડા જ દિવસમાં જડબા થી ઉપર વધી આંખને પણ અને પછી મગજને પણ અસર કરે છે...
જો સમયસર સારવાર ના મળે તો આંખ ગુમાવવાનો પણ વારો આવે છે અને અમુક કેસમાં મૃત્યુ પણ થાય છે..
*દર્દીને કેવો અનુભવ થાય છે*
આ રોગમાં દર્દીને શરૂઆતમાં દાંતમાં દુખાવો ,જડબામાં દુખાવો તથા ઉપરના જડબામાં સોજો, નાક ની બાજુ માં સોજો ની શરૂઆત થાય છે... ત્યારબાદ આંખમાં ભારે લાગવું, પેઢામાંથી લોહી નીકળવા અને રસી નીકળવા.., દાંત હલવા લાગવા.. ઘણીવાર આંખમાં ઓછું દેખાવું.. માથામાં દુખાવો થવો.. આ બધાં લક્ષણો હોય છે..
*દર્દીએ શું કરવું જોઈએ*
જો ઉપર મુજબના લક્ષણો દેખાતા હોય તો તાત્કાલિક આપના ડેન્ટલ સર્જન ની મુલાકાત લઇ અથવા તો ઇએનટી સર્જન ની મુલાકાત લઇ ચેક અપ કરાવવું જોઇએ... જરૂર લાગશે તો ડોક્ટર સીટી સ્કેન પણ કરાવશે... અને જો આ રોગ નું નિદાન થાય તો તાત્કાલિક તેની સારવાર કરવી જોઈએ..
મોટાભાગના કેસમાં સર્જરી આવે છે.. સાથે સાથે એન્ટી ફંગલ દવાના ઇન્જેક્શન પણ લેવા પડતા હોય છે..
Oral and maxillofacial surgeon , ENT સર્જન , અને ઘણીવાર આંખના સર્જન તથા ન્યુરોસર્જન ની પણ જરૂર સર્જરી દરમિયાન પડતી હોય છે...
આ રોગ ખૂબ જ ઝડપથી ફેલાતો હોવાથી મહેરબાની કરી કોઈપણ જાતના ઘરગથ્થુ ઉપચાર અથવા તો આડોશી પાડોશી ની સલાહ પર કે જેવો એક્સપોર્ટ નથી ટ્રીટમેન્ટ ન કરવી જોઈએ.. તાત્કાલિક ધોરણે એક્સપર્ટ ને મળી અને સારવાર શરૂ કરવી જોઇએ...
ઓક્સિજન સિલિન્ડર ઘર પર કોરોના પેશન્ટ ને આપતા હો તો તેના રેગ્યુલેટર માં જે પાણીની બોટલ એટલે કે humidifier માં sterile water અથવા તો distilled water જ વાપરવું જોઈએ..
Mucormycosis આપણી આજુબાજુ માટીમાં ધૂળમાં ઝાડના સડેલા પાંદડાઓમાં , સડી ગયેલા ફળોમાં તથા ઘણી બધી જગ્યાએ હોય છે... રોગ પ્રતિકારક શક્તિ આપણી સારી હોવાના કારણે તે આપણે કંઈ નુકસાન પહોંચાડતો નથી... પણ જ્યારે રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે ત્યારે જ હુમલો કરે છે...
એટલે આપણે ઘરમાં ચોખ્ખાઈ રાખીએ, વાસી ખોરાક ન રાખીએ અને ન ખાઈએ.. શાકભાજી અથવા તો ફ્રુટ અથવા તો રોટલી-બ્રેડ ને નાક પાસે લઇ જઇ સૂંઘી અને ચેક ન કરીએ.. રોગપ્રતિકારક શક્તિ વધારવાનો દરેક પ્રકારનો પ્રયાસ કરીએ... આનંદિત રહીએ, ચિંતા ન કરીએ, ગમતી વસ્તુ અથવા કાર્ય પર ધ્યાન આપવું અને કરવું જેમકે મ્યુઝિક સાંભળવું, ચાલવા જવું, યોગા અથવા પ્રાણાયામ અથવા ધ્યાન ધરવું, મિત્રો સાથે વાતો કરવી , સારો હેલ્ધી ખોરાક ખાવો... પોઝીટીવ થીંકીંગ રાખવું .. અને ભવિષ્યનું પોઝિટિવ વિઝન કરવું (જેમ કે આમ વિચારવું કે મેં 2022માં હું મારા આખા ફેમિલી સાથે વેકેશનમાં ગોવા અથવા તો દુબઈ ફરવા જઈ રહ્યા છીએ, તમામ મેમ્બર્સ ની હેલ્થ ખૂબ સારી છે અને ફરી હળી મળીને આનંદ કરીએ છીએ)
તો આપણે સૌ થોડું ધ્યાન રાખીએ અને પ્રભુને પ્રાર્થના કે આ કઠિન ટાઈમ જલદી વીતી જાય 🙏🙏
*ડો. મેહુલ ખાખરીયા*
*જામનગર*