Shree Atman Ayurved

Shree Atman Ayurved Follow the facts about Ayurveda and health

07/01/2025

સર્વ સંસ્કારો ભેગા મળીને ભારતીય જનને ઘોડિયાથી સ્મશાન સુધી જ નહીં પરંતુ ગર્ભધાન પહેલાથી મોક્ષ સુધી પવિત્રતા, ગુણ સંપન્નતા અને રક્ષણ આપે છે.

સંસ્કાર શું કામ કરવા ?

આ માટે આપણે પ્રથમ પરિચિત બે પૌરાણિક વાતનું અનુસંધાન લઇશું. મહર્ષિ વેદવ્યાસે અભિમન્યૂની કથામાં એને ચક્રવ્યૂહના ૬ કોઠાની વિદ્યા ગર્ભમાં જ શીખતો વર્ણવ્યો છે. ૭મા કોઠાની વિદ્યા શીખવાની રહી ગઇ તે રહી જ ગઇ અને પરિણામે કૌરવોએ ગોઠવેલા કોઠા યુદ્ધના વ્યૂહમાં અભિમન્યૂએ પ્રાણ ખોવાનો વારો આવ્યો.

બીજી વાતમાં અષ્ટાવક્રની કથામાં પિતાના વેદ પઠનમાં અષ્ટાવક્રને ક્ષતિ બતાવતો વર્ણવ્યો. પરિણામે એને આઠેય અંગ વાંકાથવાનો શ્રાપ મળ્યો. આવા કુરૂપ અલ્પકાર્યવાહી અંગો હોવા છતાં એણે મહારાજા જનકના દરબારમાં બ્રહ્મ વિદ્યાના નિરૂપણમાં ભલભલાને છક્કડ ખવડાવીને પિતા સહિત અનેકની મુક્તિ મેળવી. આ બંને કથા આપણને એ સ્પષ્ટ બતાવે છે કે, જીવના આગમન (ગર્ભધાન) ની પળથી માનવ બાળનું શિક્ષણ આરંભાય છે અને મૃત્યુ પર્યંત ચાલુ જ રહે છે.

આધુનિક નિરંતર શિક્ષણ, માનસ શાસ્ત્ર અને મેડિકલ સાયન્સ અનુસરીને અનુમોદિત કરે છે. માટે પ્રતિપાદિત થાય છે કે, સજીવ કે નિર્જીવ સંસ્કાર વિહીન અર્થ વિહીન છે અને તેનું કોઇ પણ સ્થાન કે મૂલ્ય નથી. માટે સંસ્કાર એ નફા-નુકસાન, વ્યય – ઉપયોગિતાથી પર છે અને જીવનનો ઊર્ધ્વગામી માર્ગ છે.

ગર્ભાનુભવ _ વૈદિક ગર્ભ વિજ્ઞાન
07/01/2025

ગર્ભાનુભવ _ વૈદિક ગર્ભ વિજ્ઞાન

વૈદિક ગર્ભ વિજ્ઞાન _
06/01/2025

વૈદિક ગર્ભ વિજ્ઞાન _

વૈદિક ગર્ભ વિજ્ઞાન.
06/01/2025

વૈદિક ગર્ભ વિજ્ઞાન.

હા જ્યારે કોઈ દર્દી રોગ થતાં જ આયુર્વેદ ના શરણે જઈ ને યોગ્ય દવા કરાવે છે તો એને એ રોગ ઓછા સમય માં સારું પરીણામ આપે જ છે.
01/04/2024

હા જ્યારે કોઈ દર્દી રોગ થતાં જ આયુર્વેદ ના શરણે જઈ ને યોગ્ય દવા કરાવે છે તો એને એ રોગ ઓછા સમય માં સારું પરીણામ આપે જ છે.

રાગી ના ફાયદા આયુર્વેદ અનુસાર
11/03/2024

રાગી ના ફાયદા આયુર્વેદ અનુસાર



હળદર વાળુ દૂધ કોના માટે અયોગ્ય? એમ પણ દૂધ એ કફ કારક છે અને એમાં પણ ચાલી રહેલી વસંત ઋતુ કે જેમાં શરીર માં કફ નું પ્રમાણ વ...
05/03/2024

હળદર વાળુ દૂધ કોના માટે અયોગ્ય?

એમ પણ દૂધ એ કફ કારક છે અને એમાં પણ ચાલી રહેલી વસંત ઋતુ કે જેમાં શરીર માં કફ નું પ્રમાણ વધેલું હોય તથા જેમને કફ નો કોઠો હોય , ચામડી ના રોગ હોય એવા લોકો એ દૂધ નું સેવન કરવું મતલબ કે રોગ ને વધારવો 🙏





नवं धान्‍यमभिष्‍यन्‍द़ि लघु संवत्‍सरोषितम् ’ અર્થાત્ ‘નવું અનાજ શરીરમાં રહેલો સ્રાવ (કફ) વધારનારું અને પચવામાં ભારે હોય ...
28/02/2024

नवं धान्‍यमभिष्‍यन्‍द़ि लघु संवत्‍सरोषितम् ’ અર્થાત્ ‘નવું અનાજ શરીરમાં રહેલો સ્રાવ (કફ) વધારનારું અને પચવામાં ભારે હોય છે, જ્‍યારે એક વર્ષ જૂનું અનાજ તેના વિરોધના ગુણધર્મો ધરાવનારું અર્થાત્ પચવામાં હલકું હોય છે’, એવું આયુર્વેદમાં કહ્યું છે.

કફ વધે નહીં અને વધેલો કફ ઓછો થાય, તે માટે આવું અનાજ ખાવું. જૂનું અનાજ જો ન મળે તો નવું અનાજ શેકીને ખાવાથી પણ તે જ લાભ થાય છે.

બની શકે તો જવ,જુવાર,બાજરી,મકાઈ જેવા ધાન્ય લેવા.





વસંત ઋતુ માં પાણી કેવું પીવું?કફનો ‘નિર્માતા’ પાણી !કફ શબ્‍દની વ્‍યાખ્‍યા જ ‘केन फलति इति कफ : ।’ આ રીતે છે. ‘ક’ એટલે ‘પ...
27/02/2024

વસંત ઋતુ માં પાણી કેવું પીવું?

કફનો ‘નિર્માતા’ પાણી !
કફ શબ્‍દની વ્‍યાખ્‍યા જ ‘केन फलति इति कफ : ।’ આ રીતે છે. ‘ક’ એટલે ‘પાણી’. પાણીથી ફલિત થાય છે, એટલે કે નિર્માણ થાય છે, તે કફ છે. એ માટે આ દિવસોમાં પીવાના પાણીમાં પ્રતિલિટર પા ચમચી સૂંઠ અથવા નાગરમોથ (મુસ્તા)નું ચૂર્ણ ભેળવીને પીવાથી કફ વૃદ્ધિંગત થતો નથી.

ઉષ્‍ણતાનો ત્રાસ ધરાવનારાઓ માટે સૂંઠ કરતાં નાગરમોથ (મુસ્તા)નું ચૂર્ણ ઉપયોગમાં લેવું.





सिन्धुत्थ शर्कराशुण्ढी कणामघुगुडैं क्रमात् ।वर्षादिषु अभया प्राश्या रसायन गुणेषिता ।।ભાવપ્રકાશના આ શ્લોક અનુસાર વર્ષાઋતુ...
26/02/2024

सिन्धुत्थ शर्कराशुण्ढी कणामघुगुडैं क्रमात् ।

वर्षादिषु अभया प्राश्या रसायन गुणेषिता ।।

ભાવપ્રકાશના આ શ્લોક અનુસાર વર્ષાઋતુમાં સૈંધવ નમક, શરદ ઋતુમાં સાકર, હેમંત ઋતુમાં शुण्ढी એટલે કે અદરક, શિશિર ઋતુમાં પિપ્પલી એટલે કે સ્થાનિક ભાષામાં લિંડી પીપર, વસંત ઋતુમાં મધ તથા ગ્રીષ્મ ઋતુમાં ગોળ સાથે અભયા એટલે કે હરડેનો ઉપયોગ કરવાથી તે રસાયણ તરીકે વર્તે છે. આ ઉપરાંત ચામડીના રોગો, પેટના રોગો, મુત્ર રોગો, શ્વસનતંત્રના રોગો વગેરેમાં ઉપયોગી છે.

કફ પરનો રામબાણ ઇલાજ – મધ !
મધ એ કફ માટે સર્વશ્રેષ્‍ઠ ઔષધ છે. આ ઋતુમાં થનારી શરદી-ઉધરસ માટે થોડી થોડી વારે મધ ચાટવું. સમગ્ર દિવસમાં ૫ – ૬ ચમચી જેટલું જ મધ ચાટવું.

(નોંધ: મધ ને ક્યારેય ગરમ કરવું નહિ અને ગરમ વસ્તુ સાથે ના લેવું જોઈએ અન્યથા એ ઝેર બની ને શરીર ને નુકસાન કરે છે)





આયુર્વેદ પ્રમાણે .. ઠંડીને લીધે ચોતરફ હેમંતઋતુમાં એટલે કે ઠંડીની ઋતુમાં સંચિત થયેલો કફ વસંતઋતુની ગરમી(ઉષ્ણતા) ના લીધે કુ...
23/02/2024

આયુર્વેદ પ્રમાણે .. ઠંડીને લીધે ચોતરફ હેમંતઋતુમાં એટલે કે ઠંડીની ઋતુમાં સંચિત થયેલો કફ વસંતઋતુની ગરમી(ઉષ્ણતા) ના લીધે કુપિત થઈને અનેક જાતના કફના રોગો ઉત્ત્પન કરે છે.

 જેમ કે એક બરફના ટુકડાને અગ્નિ (ગરમી ) મળવાથી પીગળી જાય છે. એવી જ રીતે વસંત ઋતુમાં કફ પણ ગરમીના (ઉષ્ણતાના) લીધે કુપિત થઇને કફ રોગો કરે છે. જેમકે શરદી, ખાંસી, ખંજવાળ, શ્વાસરોગ, અપચો, અને ચામડીના રોગો હોઈ તેને રોગ વધે છે અને ના હોઈ તેને થવાની શક્યતા રહે છે. માટે કફને ઉત્પન્ન કરનાર તમામ ખાદ્ય પદાર્થો- અમ્લ(ખાટો), મધુર(મિષ્ટાન્ન) અને લવણ(ખારો) રસ તેમજ સ્નિગ્ધ અને ગુરુ(ભારે) ખાદ્ય પદાર્થો સેવન ન કરવા જોઈએ.





Address

Vadodara

Opening Hours

Monday 9am - 1pm
4pm - 8pm
Tuesday 9am - 1pm
4pm - 8pm
Wednesday 9am - 1pm
4pm - 8pm
Thursday 9am - 1pm
4pm - 8pm
Friday 9am - 1pm
4pm - 8pm
Saturday 9am - 1pm
4pm - 8pm

Telephone

+916354984458

Alerts

Be the first to know and let us send you an email when Shree Atman Ayurved posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Shree Atman Ayurved:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category