Healthy Body Healthy Life

  • Home
  • Healthy Body Healthy Life

Healthy Body Healthy Life Healthy Body Healthy Life

Healthy Body..BETTER Life…!!!

17/12/2023

મન નો અંગત ખૂણો કોઈને અંગત સમજીને ખોલતા પહેલા વિચારજો
કારણકે
આપણા અંગત ના પણ બીજા ઘણા અંગત હોય છે

08/05/2023

ચાર રસાયણ અને આપણું જીવન

૧. ડોપામાઇન
૨. એન્ડોરફીન
૩. સરટોનિન
૪. ઓક્સીટોસીન

શરીર ને દરરોજ શારીરિક ક્રિયાઓથી ઘસારો લાગે છે. શરીરને સ્વસ્થ રાખવા આપણે રોજબરોજ કસરત કરીયે છીએ. કસરત એ શ્રમ છે આથી શરીર ને થાક લાગે છે દુખાવો થાય છે, આને દૂર કરવા આપણું શરીર એન્ડોરફીન નામનું રસાયણ મગજમાંથી ઝારે છે જેથી શરીરને થાક કે દુખાવાને બદલે આનંદની અનુભૂતિ થાય છે.. એટલે જ નિયમિત કસરત કરતા લોકો એન્ડોરફીનની મજા લેવા નિયમિત કસરત કરવાનું ચૂકતા નથી અને આંનદ ગુમાવવા માગતા નથી. આ આનંદ ક્ષણીક હોય છે કે થોડા કલાકો સુધી જ રહે છે. પણ મનને એ ગમે છે.

જીવનમાં સુખી સંપન્ન થવા માટેની દોડમાં આપણે ઈચ્છીત વસ્તુ મેળવીએ એટલે પણ મનને ટાઢક થાય છે આનંદ આવે છે. જીવન જરૂરિયાત ની કે ભૌતિક આંનદ માટે ની વસ્તુ મળતા માનવી ખૂબ ખુશ થાય છે એને મજા આવે છે. ખરેખર આ સમયે ડોપમાઇન મગજમાં ઝરવાની શરૂઆત થાય છે.. વર્ષોથી કોઈ વસ્તુ મેળવવાની ઈચ્છા હોય કે ટૂંક સમયમાં કોઈ ભૌતિક આનંદ મળે તો એ બીજું કાંઈ નહીં પણ ડોપામાઇન જ જવાબદાર છે... હા પણ આ અવસ્થા પણ ક્ષણિક જ રહે છે કે થોડા દિવસો સુધી. સારા કપડાં, સુંદર મકાન, નવી કાર, ફોન અને ઘણું આ બધું મળતા જે આનંદ મળે છે એટલે ખરેખર ડોપામાઇન નું પ્રમાણ વધવુ.

તો બીજા બે રસાયણો કયા છે..? માનવ જીવનમાં આ ચાર રસાયણો જ સંપૂર્ણ સુખ શાંતિ કે આનંદમય જીવન નક્કી કરે છે. સરટોનિન અને ઓક્સીટોસીન ને કેવી રીતે પેદા કરવા...જો આ બે રસાયણ કૈક જુદા પ્રકારના છે એના પેદા કરવા થોડી મહેનત અને સ્વભાવ મહત્વનો ફાળો ભજવે છે...

સરટોનિન ત્યારે જ પેદા થાય છે જ્યારે આપણે બીજાને લાભ થાય એવું કોઈ કાર્ય કરીયે.. આપણો ખુદનો સ્વાર્થ છોડી બીજાને મદદરૂપ થવાની ક્રિયા કરીયે ત્યારે આપોઆપ મગજમાં સરટોનિન નું પ્રમાણ વધવાની શરૂઆત થાય છે... કોઈ ગરીબને મદદ કરવી, રસ્તામાં કોઈ અજાણ્યાને મદદ કરવી, સગાંવહાલાં ને કામ આવવું. પોતાનો વિચાર કર્યા વગર, સ્વાર્થમુક્ત બની અન્યને ફાયદો થાય એવું કામ કરીએ એટલે આપોઆપ એક આનંદ થાય છે જે બીજું કાંઈ નહીં પણ સરટોનિનની અસર છે, આ આદત કેળવવી પડે છે..

વૈષ્ણવ જન તો તેનેરે કહીયે જે પીડ પરાઈ જાણે રે એવો ભાવ જો મનમાં હોય તો સરટોનિનની કમી વર્તાય નહીં. બસમાંથી ઉતરતી વખતે કોઈને સામાન ઊંચકવામાં મદદ કરી, ઝાડને પાણી પાયું, લિફ્ટમાં જતી વખતે કોઈની રાહ જોઇને એમને પણ સાથે લીધા, બાળકોને હસાવ્યા- વાર્તા કરી-રમ્યા, પ્રાણીને ખવડાવ્યું, પરિચિત વ્યક્તિઓ કરતા પણ અપરિચિત વ્યક્તિને મદદરૂપ થવું એ પણ નિસ્વાર્થભાવે એ જ ખરો આંનદ છે, દાન પુણ્ય કરવું પણ પુણ્ય કમાવા માટે નહીં, બીજાને ઉપકારીત કરવા નહીં, દેખાડો કરવા નહીં ફક્ત નિજાનંદ માટે એ મહત્વનું છે.

સરટોનિન જો સડસડાટ વહે તો ઝિંદગી ના ખળખળતા ઝરણાં ગુંજી ઉઠે અને એની ભીનાશ આજુબાજુના સૌ કોઈને આંનદ આપે. કોઈની ખબર પૂછવી, અમસ્તો જ ફોન કરવો, એકાદ પત્ર કે લેખ લખવો, અગણિત એવા કામ છે જે બીજાના માટે કરી શકાય અને આંનદ આપણને મળે. આ નાનો લેખ લખતી વખતે મને ખરેખર આંનદ થાય છે કે બીજાને ગમશે ફાયદો થશે જીવન ઉપયોગી થશે એ જરૂર મારા અંદર મગજમાં રસાયણો પ્રભાવી ચોક્કસ બનાવશે..

હું મારો સમય બીજાના માટે આ લેખ લખી આપી રહ્યો છું એ પણ નિસ્વાર્થ ભાવે એનો આનંદ તો વ્યક્તિ પોતે જ સમજી શકે. હવે સમજાય છે ને કે બિલ ગેટ્સ, વોરેન બફેટ, નારાયણમૂર્તિ, રતન ટાટા, ઝુકરબર્ગ , ડાયમન્ડ કિંગ ધોળકિયા, અન્ય ઘણા નામી બેનામી લોકો અઢળક સંપત્તિ મેળવ્યા પછી કેમ ચેરિટી તરફ વળી ગયા. ફક્ત ને ફક્ત જીવનની ખુશી આંનદ અને મનની શાંતિ અને પોતાની જાતને સંતોષ આપવા.. જરૂરી નથી કે સંપત્તિ હોય તો જ દાન કરવાથી શાંતિ મળે, ફક્ત બીજાના માટે સારા વિચાર કરીને, સારું ઇચ્છી ને પણ મનને આંનદ મળે છે એ ક્યારેય ભૂલવું જોઈએ નહીં...

છેલ્લું રસાયણ છે ઓક્સીટોસીન.. આને પણ આપણે આપણી વિવિધ પ્રવૃત્તિથી જ પેદા કરીયે છીએ..જ્યારે આપણે કોઈ વ્યક્તિની ખૂબ જ નજીક આવીએ છીએ, સહવાસ કેળવીએ છીએ, મિત્રતા વિકસાવીએ છીએ, સાંમાજિક બનીએ છીએ, સમાજના તમામ લોકોને મહત્વ આપીએ છીયે ત્યારે એક સારો ભાવ પેદા થાય છે, કોઈને ભેટવાથી, હસ્તધૂંનન કરવાથી, વ્હાલ કરવાથી, માથે હાથ ફેરવવાથી, પીઠ થાબડવાથી કે સહાનુભૂતિ નો સ્પર્શ આપવાથી અઢળક માત્રામાં આપણા મગજમાં ઓક્સીટોસીન પેદા થાય છે અને આપણને ખૂબ સારું અનુભવાય છે. મગજમાં કેમિકલ ઇમબેલેન્સ એવો શબ્દ ડોકટરો વાપરતા હોય છે, કેમિકલ લોચા વગેરે જેવી વસ્તુ ઓ દૂર કરવા ફક્ત આ ઉપર જણાવેલી ક્રિયાઓ કરવાથી જીવનમાં કોઈ મુશ્કેલી આવતી નથી ખરેખર તો મુશ્કેલી આવે તો આપણે એને સહજતાથી સમજી અને ઉપાય શોધી શકીએ છીએ.

જીવનનો હેતુ ખુશ રેહવું અને બીજાને ખુશ રાખવાનો હોય છે, આજે પરિસ્થિતિ વિપરીત છે, એકબીજા માટે દ્વેષભાવ, ઈર્ષ્યા, કડવા વેણ, મદદરૂપ ન થવું, પીઠ પાછળ બોલવું, કંજુસાઈ કરવી, કોઈના માટે સમય ન આપવો, સહાનુભુતિ ન દર્શાવવી, વગેરે મોટા ભાગની શાંતિ છીનવી જાય છે.

ખોરાક પણ આવા કેમિકલ્સ ને માટે ઉદીપકનું કામ કરે છે એટલે જ તો કહેવાય છે જેવું અન્ન તેવું મન. જાતે બનાવેલો ખોરાક તેમાં એક ભાવ રેડે છે સ્વાદ વધારે છે વિચારો સારા કરે છે...માણસ ખુશ રહે છે...

30/11/2021

Eating healthy nutritious Raw food is the simple and right solution to get rid of excess body weight effortlessly and become slim and healthy forever

30/11/2021

Take care of your body. It’s the only place you have to live

30/11/2021

The best and most efficient pharmacy is within your own system

30/11/2021

Take care of your mind, your body will thank you. Take care of your body, your mind will thank you

30/11/2021

ANCIENT INDIAN HEALTH TIPS

1. अजीर्णे भोजनं विषम् ।
If previously taken Lunch is not digested..taking Dinner will be equivalent to taking Poison. Hunger is one signal that the previous food is digested

2. अर्धरोगहारी निद्रा ।
Proper sleep cures half of the diseases..

3. मूढ़गढ़ाल्ली गढ़व्याली।
Of all the Pulses, Green grams are the best. It boosts Immunity. Other Pulses all have one or the other side effects.

4. बागनास्थी संधानकारो रसोनहा।
Garlic even joins broken Bones..

5. अति सर्वत्र वर्जयेत।
Anything consumed in Excess, just because it tastes good, is not good for Health. Be moderate.

6. नास्थिमूलम अनौषधाम।
There is No Vegetable that has no medicinal benefit to the body..

7. नां वैध्यः प्रभुरायुशाह ।
No Doctor is Lord of our Longevity. Doctors have limitations.

8. चिंता व्याधि प्रकाश्य।
Worry aggravates ill health..

9. व्यायामच्छ सनैही सनैही।
Do any Exercise slowly. Speedy exercise is not good.

10. अजावथ चर्वनाम कुर्यात।
Chew your Food like a Goat..Never Swallow food in a hurry..
Saliva aids first in digestion.

11. स्नानम नामा मानहप्रसाधनकरम धुस्वप्न विध्वसनम।
Bath removes Depression. It drives away Bad Dreams..

12. ना स्नानम आचारेठ भुक्थवा।
Never take Bath immediately after taking Food Digestion is affected

13. नास्थि मेघासमाम थोयम।
No water matches Rainwater in purity..

14. अजीर्णे भेषजम वारी।
Indigestion can be addressed by taking plain water.

15. सर्वत्र नूथनाम सस्थाम सेवकाने पुर्रथनम।
Always prefer things that are Fresh..
Old Rice and Old Servant need to be replaced with new. (Here what it actually means in respect of Servant is: Change his Duties and not terminate.)

16. नित्यम् सर्वा रास्सभ्याश।
Take complete Food that has all tastes viz: Salt, Sweet, Bitter, Sour, Astringent and Pungent).

17. जटाराम पूरायेधरधाम अन्नाहि।
Fill your Stomach half with Solids, a quarter with Water and rest leave it empty.

18. भुक्थवोपा विसथास्थंद्र।
Never sit idle after taking Food. Walk for at least half an hour.

19. क्षुथ साधुथाम जनयथि।
Hunger increases the taste of food..
In other words, eat only when hungry..

20. चिंता जर्रानाम मनुष्याणम।
Worrying speeds up ageing..

21. साथम विहाया भोक्ताव्यम।
When it is time for food, keep even 100 jobs aside.

22. सर्व धर्मेशु मध्यमाम।
Choose always the middle path. Avoid going for extremes in anything.

30/11/2021

ઘઉંની રોટલી હવે ગાયબ થશે, તમારા ભાણામાંથી
એક ખૂબ જાણીતા હાર્ટ સ્પેશિયલિસ્ટ સમજાવે છે કે તમારે તમારી તંદુરસ્તીને સુધારવા માટે તમારા ભોજનમાં ઘઉંનો ત્યાગ કરો .
વિલિયમ ડેવિસ (MD- Cardiologist) પોતાની કારકિર્દી ની શરૂઆતમાં એનજીઓપ્લાસ્ટી, અને બાયપાસ સર્જરી કરતા હતા.
કારણ કે મને એજ કરવા માટેનું શિક્ષણ (ટ્રેનિંગ) મળી હતી, પણ ૧૯૯૫માં જ્યારે મારી મમ્મીને સારામાં સારી treatment મળ્યા પછી પણ એનું મૃત્યુ થયું, ત્યારે મને મારા શિક્ષણમાં શું શું ખામી છે, એ શોધવા માટે મે પ્રયત્ન શરૂ કર્યા.
હું કોઈ પણ દર્દીના હૃદયનું ઓપરેશન કરી તેને સાજો કરતો, એજ દર્દી થોડા સમય પછી મારી પાસે એજ હૃદયની બિમારી લઇને પાછો મારી પાસે આવતો, ત્યારે મને સમજાયું કે હું ફક્ત પાટા પિંડી જેવી સારવાર કરું છું, એ બિમારીનું ખરેખર કારણ શું છે, એ જાણવાનો પ્રયત્ન કરતો નથી એટલે એ ડોક્ટરે એના પછી સતત ૧૫ વર્ષ સુધી આ બાબત( હૃદયને આ બિમારી) માટે ખૂબ સંશોધન કર્યું.
અને આ સંશોધન પછી "Wheat Belly" ( New York Times Best selling Book)
બહાર પાડી જેમાં એને ખૂબ જ વિસ્તારથી લખ્યું છે કે હૃદય વિકાર, ડાયાબિટીસ
વાળા, અને જાડા (વધારે વજન) વાળા લોકો તેમની ઘઉં ખાવાની આદતથી આ બિમારીનો ભોગ બને છે
ભોજન માંથી જો ઘઉંની વાનગીઓ ને બાકાત કરશો તો તમે તમારી તંદુરસ્તી સુધારવામાં ખૂબ મદદગાર સાબિત થશે
આ પુસ્તક " Wheat Belly" માં શું જણાવ્યું છે? ઘઉંથી તમારા શરીરના લોહીમાં સાકરનો ઝડપથી વધારો કરે છે, માત્ર બે રોટલી, એક મીઠાઈના ટુકડાથી પણ વધારે સાકરનું પ્રમાણ લોહીમાં વધારે છે.
જ્યારે મારી સલાહથી મારા દર્દીઓએ ઘઉંની બનાવટની ભોજન ખાવાંનું છોડી દીધું, ત્યારે એમનું વજન ખૂબ ઝડપથી ઓછું થયું, અને એમના પહેલા મહિનામાં પેટ અને કમરની સાઈઝમાં સારો એવો ઘટાડો થયો. અને હવે મે વધારે વજન, મેદસ્વીપણું, એની સાથે ઘઉંનો શું સંબંધ છે, એની સરખામણી કરવાનું શરુ કર્યું.
મારા ૮૦ ટકા દર્દીઓ ડાયાબિટીસમાં શરૂઆત કે બીજા સ્ટેજમાં હતા,
મારી સલાહથી જ્યારે તેમને તેમના ભોજનમાંથી ઘઉંનો ત્યાગ કર્યો, ત્યારે માત્ર ૩ થી ૪ મહિનામાં એમના બ્લડ સુગરનો ખાસ્સો ઘટાડો નોંધાયો, પણ એની સાથે બીજુ ઘણુ બદલાયું
એક દર્દીએ જ્યારે ઘઉં બંધ કર્યા, ત્યારે તેના વજનમાં ૪ મહિના માં ૧૫-૧૬ કિલોનો ઘટાડો થયો, એને શ્વાસની તકલીફ (અસ્થમા) એટલે હદે દૂર થઈ કે એને ઇન્હેલર (Inhaler) લેવાનું છોડી દીધું, એને છેલ્લા ૨૦ વર્ષથી માઇગ્રેન ( સખત માથાનો દુખાવો) ની બીમારી હતી, એ દૂર થઈ ગઈ, એની મરડાની, તેમજ અલ્સર, ઘૂંટણનો દુખાવો, નિંદર નહિ આવે, વગેરે ઘણી બધી બીમારીઓ દૂર થઈ ગઈ.
હવે તમે ઘઉંનું રાસાયણિક વિશ્લેષણ કરશો, તો એમાં "એમાયલોપેકટીન" નામનું તત્વ હોય છે, જેનાથી આપના લોહીમાં " LDL " નામનું કોલેસ્ટ્રોલનો વધારો થાય છે, જેના લીધે હૃદય ના રોગ થાય છે.
જ્યારે તમે તમારા ભોજનમાંથી ઘઉંનો ત્યાગ કરો છો, ત્યારે આ કોલેસ્ટ્રોલનું પ્રમાણ એકદમ (૮૦-૯૦%) ઘટી જાય છે
બીજુ ઘઉંમાં (Gliadin) ગલાયદીન નામનું તત્ત્વ હોય છે, જે થી તમને ભૂખ વધારે લાગે છે, તેથી તમારું રોજનો ૪૦૦ કેલેરી જેટલો વધારે ખોરાક ખવાઈ જાય છે, આ તત્વ તમને વધારે ખાવાની આદત પાડે છે.
શું ઘઉંના ત્યાગથી આપને ગ્લુટેન ફ્રી ભોજન ખાઈ એ છીએ ??
"ગ્લુટેન" એતો ઘઉંનું માત્ર એક તત્ત્વ છે, જો તમે ઘઉંમાંથી ગ્લુટેન બાદ કરો, પછી પણ ઘઉં આપણા માટે નુકશાનકારક છે, કારણ કે
હજુ એમને ગલાયદીન & અમયલોપેક ટીન જેવા તત્ત્વ જેનાથી લોહીમાં સુગર ખૂબ વધી જાય છે
હું લોકોને સલાહ આપીશ કે તેઓ તેમના ભોજનમાં ફળ, શાકભાજી, ડ્રાય ફ્રૂટ (બદામ કાજુ, અખરોટ) કઠોળ (મગ, ચણા) દાળ ભાત અને જુવાર, બાજરી જેવા પદાર્થો વધારે ખાવાની ટેવ પાડે
ઘઉંમાં ૧૯૭૦-૮૦થી વધારે પાક લેવાની તેમજ હાઈબ્રીડ જાત લેવાની ટેકનિકથી એમાં ગ્લુટેન અને ગલાયડીનનું પ્રમાણ ખૂબ વધી ગયું છે

જો આપને ઘઉંની રોટલી, બ્રેડ પાસ્તા રોજ ખાવાનું બંધ કરીને બાજરી, જુવારના રોટલા અને દાળ ભાત, શાક શરૂ કરશું તો આપનું વજન ઘટશે અને તમારું બ્લડ સુગર ઓછું થશે, તમારા ભોજનનું પ્રમાણ ઓછું થશે. તમારું હૃદય, શરીર વધારે તંદુરસ્ત બનશે

30/11/2021

A healthy outside starts from the inside

25/05/2021

No time for your health today, no health for your time tomorrow

25/05/2021

Great health starts with a Right Food

25/05/2021

Health is the greatest gift

25/05/2021

મનુષ્ય એટલે પંચ કોષનું સંયોજન

૧ , અન્નમય કોષ,
( Physical)
૨ , પ્રાણમય કોષ,
(Vital)
૩ , મનોમય કોષ,
(Emotional)
૪ , વિજ્ઞાનમય કોષ,
( Intellectual)
૫ , આનંદમય કોષ,
(Spiritual)

આ બધા જ કોષો નું સંચાલન જીવની શક્તિ (Vital Power) દ્વારા થાય છે,

આપણું વિજ્ઞાન શરીરશાસ્ત્ર પુરતું મર્યાદિત છે, તેથી ૧૦૦ ટકા પરિણામ ની અપેક્ષા રાખી શકાય નહીં,

25/05/2021

Eat to live, not live to eat

25/05/2021

Prevention is better than cure

25/05/2021

ઉંમર પચાસ વર્ષની ઉપર હોય, શરીરમાં ચરબી હોય, વજન વધારે હોય, ભૂખ્યા રહી શકાતું હોય તો , ખોરાક 25 % ઓછો કરો, જો શરીરની જરૂરિયાત હશે તો ચરબીમાંથી ઘટ પુરી કરશે, એકાદ મહિનો પ્રયોગ કરવો, હજુ પણ ચરબી ન ઘટે તો ખોરાક 50 % કરવો, ચરબી એ ઈમરજન્સી માટેનો સ્ટોર તો છે,

25/05/2021

રાંધેલું ભોજન આખો દિવસ ખા ખા કરવા ની ઈચ્છા થાય છે,

એક કિલો ભોજનમાંથી ૨૦૦ ગ્રામ સત્વ મળે છે,

કાચું ખાવાનું ચાલુ કરીએ તો ૫૦૦ ગ્રામ ખાતાં જ પેટ ભરાઈ જાય છે,

૫૦૦ ગ્રામ કાચું ખાવામાં ૪૦૦ ગ્રામ સત્વ મળે છે,

25/05/2021

આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંના પચાસ ટકા થી આપણૂં શરીર ચાલે છે, બાકીના પચાસ ટકા થી ડૉકટર નું શરીર ચાલે છે,

25/05/2021

જ્યારે આપણે રાંધેલા ભોજનથી કાચા ભોજન તરફ જઈએ છીએ ત્યારે આપણે વધુ પડતું કાચું ભોજન ખાવાની માનસિકતા ધરાવીએ છીએ, આપણને સતત ડર રહે છે કે આ કાચું ભોજન મારા શરીર ની જરુરીયાત પુરી કરવા સમર્થ છે કે કેમ, વાસ્તવમાં બહું જ ઓછા કાચા ભોજનથી આપણને જરુરી સત્વ તત્વ મળી રહે છે, એટલે કાચા ભોજન ઉપર તૂટી પડવાની જરૂર નથી,

25/05/2021

ભોજન દવાની માફક લેવું,

નહીંતર

દવા ભોજનની માફક લેવી પડશે

17/03/2021

રૉગ માટૅ મનમાં ચાલતું ધમાસાણ યુદ્ધ પણ એટલું જ જવાબદાર

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Healthy Body Healthy Life posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your practice to be the top-listed Clinic?

Share