02/06/2020
ફ્રન્ટલાઈન વોરિયરની મનોવ્યથા 😞
સૌ પ્રથમ તો આ બધા જ ફ્રન્ટલાઇન વોરિયરો ને સલામ.
આ વોરિયરોમાં ડોક્ટર,નર્સ,વોર્ડબોય, લેબોરેટરીમાં કામ કરનારા, રસોઈ બનાવનાર, રસોઈ પહોંચાડનાર, પોલીસના માણસો, મ્યુનિસિપાલિટીના માણસો, મ્યુનિસિપાલટી સફાઇ કામદારો, પોલીસી બનાવનારા અમલદારો અને તેમના સ્ટાફ આ બધા નો ફાળો કંઇક તો છે જ. તે લોકો કદાચ આ લોકડાઉન સમયમાં પણ ઘરની બહાર નીકળીને જ કામ કરી રહ્યા છે લોકડાઉન પછી પણ તેમણે તોઆ રીતે જ તેમનું કામ તો ચાલુ જ રાખવાનું છે.
આ બધા જ લોકોની મનોવ્યથા એક કાંઈ જુદા જ પ્રકારની હશે જે તેમના મોઢેથી સાંભળીએ તો જ આપણે તેને વધારે સારી રીતે સમજી શકીએ. કેટલાક લોકો આ તેમની નોકરી ના ભાગરૂપે કરી રહ્યા છે કેટલાક લોકો તેમની જવાબદારી કે એક શપથ લીધા છે તેના ભાગરૂપે કરી રહ્યા છે
જે લોકો હોસ્પિટલમાં કોરોના વાયરસ શિકાર બનેલા દર્દીઓની સામે સાથે કામ કર્યા છે તે દરેક વખતે શપથ લીધી છે તેના ભાગરૂપે જ કામ નથી કરી રહ્યા પરંતુ પોતાની એક સમાજ માટેની જવાબદારી છે તેના ભાગરૂપે કરી રહ્યા છે અને આપણા બધાની સલામતી રહે તે માટે પોતાના જીવના જોખમે આ કામ કરી રહ્યા છે
આ બધી વ્યક્તિઓ પોતાના પરિવારને છોડીને આખો દિવસ આ દર્દીઓ સાથે કામ કરે છે તેમના મગજમાં હંમેશા એક ભય,ચિંતા અને જવાબદારીને લાગણીઓ પસાર થઈ રહી હશે તે લોકો મોતને ખૂબ નજીકથી જોઈ રહ્યા છે પણ તેનો બધો જ આઘાત સહન કરી રહ્યા છે તેમના માટે આ કરવું ખરેખર ખૂબ મુશ્કેલ હશે કારણ કે મોતનો ભય જ માણસને પાગલ બનાવી શકે છે. તેમના મનમાં પણ ચિંતા રહેતી હશે, ઉદ્વેગ રહેતો હશે. જ્યારે આખો દિવસ તને પીપીઈ પહેરીને વોર્ડ માં કામ કરો અને તમારા બધા જ પ્રયત્નો છતાં પણ દર્દી સાજો ન થાય ત્યારે મનમાં ખૂબ જ દુઃખની લાગણી ફરી વળી.
આટ-આટલું કરવા છતાં દર્દીઓ તરફથી જોઈએ એવો સહકાર ન મળે, દર્દીઓના સગાઓ સારી રીતે ન વર્તે, ઉપરી અમલદારો બધી જરૂરીયાતો અને ન સમજે ત્યારે પોતાના ઉપર , સમાજ વ્યવસ્થા ઉપર કે કે પછી ભગવાન ઉપર પણ ગુસ્સો આવે, કે ક્યારે આ બધાને સદબુદ્ધિ આવશે.
આ બધી જ વ્યક્તિઓ પોતાના નજીકના અંગત માણસોને મૂકીને અઠવાડિયા બે અઠવાડિયા થી વધારે સમયથી દર્દીઓની સારવાર કરી રહ્યા છે તેઓ ઇચ્છે તો પણ પોતાની અંગત માણસોને મળી શકતા નથી કદાચ ફોન પર કે વિડીયો ફોન પર વાત કરતા હશે પણ તેમાં પણ પરિવારની ચિંતાઓ પણ એમના મનમાં રહેતી હશે. આ જોખમી લોકસેવા નું કામ કરતી વખતે ,હોસ્પિટલ માં કામ કરતી વખતે પણ પોતાને કોરોનાનો ચેપ તો નહિ લાગી જાય ને અને જો લાગી જશે તો શું થશે એ વખતે પોતાની સારવાર કોણ કરશે, કેવી રીતે કરશે, એના માટેની જરૂરી પૈસા કેવી રીતે મેળવશે આવી ચિંતા પણ મનમાં રહેતી હશે.
આપણે હોસ્પિટલ માં કામ કરતી વ્યક્તિઓ ના વિડિયો જોઈએ છીએ જેમાં ઘણી વ્યક્તિઓ ખૂબ ઢીલી પડીને, રડતા રડતા તેમની મુશ્કેલીઓ વિષે આપણે વાત કરતી હોય છે જેમાં તે આપણને સાવચેત રહેવાની શિખામણ આપતી હોય છે કારણ કે તેણે ઘણા બધા લોકોને રોજ મરતા જોયા છે પોતાના સાથીદારોને પણ મરતાં જોયાં છે તેનો ભય તેના મનમાં ચોખ્ખો દેખાય છે આ વાયરસ મને તો નહીં ભરખી જાય ને તે વિચાર ઘણીવાર રાતની ઊંઘ લઈ લે છે મને બેચેન બનાવી દે છે આ બધાથી પણ રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય તેવું પણ બને છે જે ખરેખર આપણા બધા માટે ચિંતાનો વિષય છે.
જ્યારે આ કામ એકાદ બે અઠવાડિયા સુધી કર્યા પછી પૂરું થાય અને પછી quarantine- કોરેન્ટાઈન માં રહેવાનો વારો આવે ત્યારે પણ વ્યક્તિ પોતાના પરિવારને મળી શકતો નથી અને આ સમય પસાર કરવો પણ તેના માટે ખૂબ મુશ્કેલ બની જાય એવું બને છે તે વખતે પણ પોતાને આ રોગની થઈ નહી જાય ને તેની પણ મનમાં ચિંતા હંમેશાં રહ્યા કરે છે
આ સિવાયના લોકો જે લોકો સીધા આઈસીયુમાં કામ નથી કરતા પરંતુ આપણા લોકોની સલામતી માટે આપણે આપણા લિમિટમાં રહીએ તે માટે ખૂબ પ્રયત્નો કર્યા છે પોલીસો અને બીજા કર્મચારીઓ જ્યારે આપણે એમની શીખામણ ન સાંભળીએ ત્યારે તેમને ગુસ્સો આવે તે બહુ જ સ્વભાવિક છે. કારણ અહીં બળનો પ્રયોગ સમાજને બચાવવા માટેનો છે જે પણ તેમને પીડા આપે છે. ઘણી બધી વાર એમને આ બીમારીથી કેવી રીતે બચવું તે વિશેની પૂરી માહિતી ન પણ હોય જેને કારણે તે લોકો પોતાની જાતને પણ ખૂબ મૂકીને પણ જોખમમાં મૂકીને પણ આપણને બચાવવા માટે પોતે તડકામાં પણ આખો દિવસ ડયૂટી બજાવે છે.
આપણે સાથે મળીને આ બધા જ ફ્રન્ટલાઈન વોરિયર ને તેમના કામમાં મદદ કરીએ ,સહકાર આપીએ અને શક્ય હોય તો આપણે પણ ફ્રન્ટલાઈન વોરિયર બનીએ. આ મહામારીમાં ખૂબ માણસોની જરૂર પડશે આપણે બધા સાથે મળીને આ રોગને મહાત આપી શકીશું
આભાર
ડો. હિમાંશુ દેસાઈ🥰