Aarogyatirth

Aarogyatirth Arogyatirth is an established Ayurveda clinic since 1980. We also provide detoxification through panchakarma.

We provide holistic treatment to all age group people and healing all the health issues/problems/disease with ayurvedic approach.

28/01/2026

We’re truly grateful to our patient Raginiben, for sharing such heartfelt feedback on the hair oil, shampoo, and overall health journey with Aarogyatirth.

Hearing about improvements not just in hair health but also in overall wellbeing reaffirms our belief that Ayurveda works best when it heals from the root — holistically and naturally.

Your trust and words motivate us to continue serving with authenticity, care, and compassion. 🌱
Wishing you continued health, balance, and wellness always.

26/01/2026

ખરતા વાળ ભાગ- ૩

વાળને ખરતા અટકાવશો કઈ રીતે?
ખરતા વાળ નો ઉપાય શું પગના તળિયામાં કરી શકાય?
હા. આચાર્ય વાગ્ભટ્ટ કહે છે કે પગના તળિયામાં ગાયના ઘી નું અથવા દિવેલ નું માલિશ રોજ કરવું, માથામાંથી નીકળેલી બે શીરાઓ ઠેઠ પગના તળિયા સુધી ગયેલી હોય છે. પગના તળિયા ઉપર માલિશ કરવાથી આ નસો પર વ્યાપક અસર થાય છે અને તેનાથી આંખોને પણ ફાયદો થાય છે.
*બીજો ઉપાય છે બંને નાકમાં ગાયના ઘીના છ - છ ટીપા પાડવા આયુર્વેદ કહે છે नासा हि शिरसो द्वारम् |
મસ્તિષ્ક સંબંધી તમામ સમસ્યાઓની નાસિકા માર્ગેથી સારવાર કરી શકાય છે.

*રોજ ગાય નું દૂધ પીવું. આચાર્ય કાશ્યપે દૂધ ને કેશ્ય કહ્યું છે એટલે કે વાળ ને માટે બહુ ગુણકારી છે.

વધુ જોઈએ રીલમાં ...

વૈદ્ય પ્રવીણ હીરપરા



[Aarogyatirth,vaidyasushmahirpara,aayurved,hairfall,hairfalltips,haircaretips]

24/01/2026

ખરતા વાળ ભાગ ૨

વાળમાં તેલ શું કામ નાખવું??

આયુર્વેદની દિનચર્યાના ભાગરૂપે રોજ માથા માં તેલનું માલિશ કરવાનો ઉલ્લેખ છે.
नित्यं स्नेहार्द्रशिरस: शिर:शूलं न जाय ते |
न रवालित्यं न पालित्यं न केशा:
प्रपंति च ||
આચાર્ય ચરક કહે છે માથામાં રોજ તેલનું મસાજ કરવાથી માથાનો દુખાવો થતો નથી. માથામાં ટાલ પડવાની કે અકાળે વાળ સફેદ થવાની સંભાવના ઘટે છે અને વાળ ખરતા નથી. આ ઉપરાંત તેઓ કહે છે માથામાં તેલનું માલિશ કરવાથી ઊંઘ સારી આવે છે. આંખ, કાન ,નાક વગેરે ઇન્દ્રિયોને પોષણ આપતી વાહિનીઓને બરડ થતી કે સુકાતી અટકાવીને કોમળ રાખે છે એ ઉપરાંત માથામાં મસાજ કરવાથી
कृष्णा: केशा: भवंति च ||
ટૂંકમાં વાળ કોરા રાખવાની ફેશન છોડો ,ભલે કોઈ મણીબેન કે ટપુભાઇ કહે પણ વાળમાં તેલનું મસાજ કરો.
....વૈદ્ય પ્રવીણ હીરપરા

22/01/2026

ખરતા વાળ ભાગ -૧

વાળ ખરવાના કેટલાક સામાન્ય કારણો
* જિનેટિક : ફાધરને માથામાં ટાલ હોય તો દીકરાને વારસામાં ટાલ થવાની સંભાવના વધી જાય છે પરંતુ ફાધર નો વારસો દીકરીઓને નથી મળતો.
* સ્ટ્રેસ : ઓફિસ - ઘર કે સામાજિક સમસ્યાઓને કારણે પેદા થતા તણાવના સાતત્ય ને કારણે વાળ પર અસર થઈ શકે છે.
* મેડિસિન્સ : કેટલીક દવાઓની સાઈડ ઈફેક્ટને કારણે વાળ ખરી શકે છે જેમ કે કેન્સરની દવાઓથી.
* હોર્મોનલ અસંતુલન : મેનોપોઝ , PCOD, થાઈરોઈડ, પ્રેગનેન્સી દરમિયાન હોર્મોનલ અસંતુલનને કારણે વાળ ખરી શકે છે.
* પોષક તત્વની ઉણપ : આયર્ન,ઝિંક, વિટામિન D, વિટામીન B- 12 , પ્રોટીન વગેરે તત્વની ઉણપથી વાળ ખરે છે.
* કેમિકલ રિએક્શન : વાળના કલર માટે વપરાતી ડાય, કેમિકલ યુક્ત મહેંદી ,હેર સ્ટાઇલ માટે વપરાતા કેમિકલ્સ થી વાળ નબળા પડે છે .
* અન હેલ્ધી ફુડ : ફાસ્ટ ફૂડ, સ્ટેલફૂડ, સ્ટ્રીટ ફુડ, પેક ફુડ, સ્પાઈસી ફુડ... થી શરીરમાં પિત્ત ની ઉષ્મા વધે છે જે વાળ ના મૂળ માં જઈને તેની જીવન વિનિમય પ્રક્રિયા ને ખોરવી નાખે છે.

* વધુ જુઓ રીલમાં....

.....વૈદ્ય પ્રવીણ હીરપરા.

Online consultation available.

For appointment Call 8320519146

21/01/2026

પ્રસન્નતા

એટલે ખુશ રહેવું... હસતા રહેવું... મોજમાં રહેવું.

ત્રણ વાકયો બહુ મહત્વના છે.
હસતા રહેવું.
હસાવતા રહેવું.
અને હસી કાઢવું.
સ્વસ્થ રહેવા માટે ત્રીજા વાકય નું મહત્વ ખૂબ છે. દરેક બાબતમાં એવું નથી બનતું કે આપણું જ ધાર્યું થાય. આપણને ન ગમે તેવું પણ થાય. આપણને અકળાવી મૂકે, ચીડ ચડે તેવું કોઇ બોલે કે વર્તન કરે ત્યારે આપણી પ્રતિક્રિયા ગુસ્સો કે ચીડની ન હોવી જોઈએ.
આખીય ઘટના ની ઉપેક્ષા કરવી. ટૂંકમાં... હસી કાઢવુ.
જો આપણે પણ એ ન ગમતી ભાવનાના પ્રવાહ મા તણાય જઈએ અને આપણી પ્રતિક્રિયા પણ એવી જ હોય તો આપણી પ્રસન્નતા પણ હણાય જાય અને તેની અસર અંતસત્રાવી ગ્રંથિ ઓ પર પડે. જેથી તેના સત્રાવ મા વધ - ઘટ થાય અને આપણુ સ્વાસ્થ્ય પણ ખળભળે.
એટલે સાજા રહેવા માટે સ્વસ્થ રહેવા માટે હસી કાઢતા શીખીએ..
વધુ જોઈએ રીલ મા....
......વૈદ્ય પ્રવીણ હીરપરા.

Online consultation available.

For appointment Call 8320519146

17/01/2026

પેટ હળવું તો
મન હળવું ફૂલ .

કબજિયાત પાર્ટ - ૨

આજકાલની ફૂડ અને લાઈફ સ્ટાઈલ આરોગ્ય શાસ્ત્ર ને અનુરૂપ નથી.

ઉત્તમ પાચન માટે ત્રણ બાબતો મહત્વની છે.
- કેવું ખાવું?
- કેટલું ખાવું ?
- ક્યારે ખાવું?

કેવું ખાવું એટલે ખોરાકની ગુણવત્તા.... અન હેલ્થી સ્ટ્રીટ ફૂડ, સ્પાઈસી ફૂડ અને સ્ટેઇલ એટલે કે વાસી ખોરાક ન ખાવો.
કેટલું ખાવું એટલે કે ભૂખ હોય તેના કરતાં ઓછું ખાવું..... . ભૂખ હોય તેના કરતાં 25% પેટ ખાલી રાખવું.દિવસમાં ફક્ત બે વાર જમવું.નાસ્તા નહીં.

ક્યારે ખાવું?
પહેલાનું ખાધેલું હોય અને તેના ઓડકાર આવતા હોય ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં ન ખાવું. અને સૂર્યાસ્ત પછી પાચક સ્ત્રાવ ઘટી જાય છે એટલે વહેલા જમવું.

ઉપરની ત્રણ બાબતોનું અનુસરણ કરીએ તો ખોરાક સારી રીતે પચે છે.
સવારે ઉઠીએ અને તરત પેટ સાફ થઈ જાય, મળ બંધાયને આવે અને એકવારમાં પેટ ખાલી થઈ જાય એ પરમ સ્વાસ્થ્યની નિશાની છે.
આવા સ્વાસ્થ્ય માટેના ઉપાયો જોઈએ પ્રસ્તુત રીલ માં....

વૈદ્ય પ્રવીણ હીરપરા

For appointment Call 8320519146

Online consultation available

12/01/2026

સવાર ખુશ તો તબિયત ખુશ ખુશ.

કબજીયાત પાર્ટ - ૧

ખોરાક પચી ગયા પછી આખરે મોટા આંતરડામાં પહોંચે છે. મલ ભાગને આગળ વધારવાની આંતરડાની એક ચોક્કસ ગતિ હોય છે,લય હોય છે .જો આ લય અને ગતિમાં વિક્ષેપ પહોંચે તો મલભાગ આંતરડામાં વધારે સમય પડ્યો રહે અને તેમાંથી જલીય અંશ( પ્રવાહી) નું અવશોષણ વધારે થાય અને સ્ટુલ વધારે કડક થાય ,કઠણ થાય ,મળ ગંઠાય. આવા મલ ને નિષ્કાસિત કરવા જોર કરવું પડે.એકવારમાં સંતોષ કારક મળ નિષ્કાસિત ન થતા બે - ચાર વાર જવું પડે, મળ ટુકડે ટુકડે થાય પેટમાં ભાર ભાર લાગે કે ક્યારેક. ચૂંક આવે અને કંઈક ન ગમતી ફીલિંગ થાય. સવારમાં ફ્રેશનેસ ન લાગે અને આખો દિવસ બગડે. ....આ છે કબજિયાત.

તેનો તત્કાળ ઉપાય કરવામાં ન આવે તો અનેક રોગોના બીજ રોપાય છે.
વધુ જુઓ આ રીલમાં...
વૈદ્ય પ્રવીણ હીરપરા

For appointment Call 8320519146
Online consultation available

07/01/2026

અજમાવી જુઓ
અજમો

અજમાનું નામ સાંભળી કોરોના ના દિવસો યાદ આવી જાય . અજમો અને કપૂર ની
પોટલીઓ કોરોના વિષાણુઓનો પ્રતિકાર કરવામાં મોખરે રહી.
અજમાનો મુખવાસ થી માંડીને વિવિધ દર્દોમાં ઉપયોગ થતો રહ્યો છે અને થતો રહે છે.આમાં કોઈને પેટમાં દુખે કે ગેસને કારણે પેટ ઢમઢોલ થઈ જાય ત્યારે દાદી કે નાની અજમો ફાંકી જવાનું કહે અને તરત રાહત મળે. અજમો આટલો ઉપયોગી છે છતાં પણ વધારે પડતા અજમાના ઉપયોગથી કિડની પર સોજો આવી શકે છે કે ગર્ભવતી સ્ત્રીઓ ને છેલ્લા દિવસોમાં ગર્ભાશય પર વિપરીત અસર થઈ શકે છે.
અજમો વાયુ અને કફને કારણે થનારી વિષમતા સંતુલિત કરવાની ક્ષમતા ધરાવે છે પરંતુ પિત દોષને કારણે થતી સમસ્યાઓ કે પિત્ત પ્રકૃતિની વ્યક્તિઓએ અજમાના વધારે પડતા ઉપયોગથી સાવધાન રહેવું .
અજમા વિશે વધુ જોઈએ આ રીલમા...........વૈદ્ય પ્રવીણ હીરપરા.

For appointment Call 8320519146
Online consultation available

03/01/2026

પેઇન કિલર ટીકડીઓ

એ માથા ના દુખાવાનો કાયમી ઉપાય નથી.
માથાના દુખાવામાં દોષોનું અસંતુલન જવાબદાર હોય છે. જ્યારે દોષોનું પ્રમાણ અલ્પ એટલે કે થોડું હોય ત્યારે ઘરેલૂ ઉપાયો ચોક્કસ કામ કરે છે પરંતુ જ્યારે દોષોનું પ્રમાણ વધારે હોય કે લાંબા સમયથી માથાના દુખાવાની સમસ્યા હોય ત્યારે દોષોને સંતુલિત કરવા માટે શરીરને ડીટોકસ કરવાની જરૂર પડે છે. શરીરને ડીટોકસ કરવું એ લાંબા સમયથી થયેલા દર્દને મટાડવા માટેનો ટૂંકામાં ટૂંકો રસ્તો છે - શોર્ટકટ.
માથું વાયુનું દુ:ખે, પિત્તનું દુ:ખે કફનું પણ દુ:ખે આમ અગ્યાર પ્રકાર ના માથાના દુખાવા હોય છે... આયુર્વેદ ની દ્રષ્ટિએ.

જુઓ વિડિયો અને નિયંત્રિત કરો માથાનો દુખાવો.
...... વૈદ્ય પ્રવીણ હીરપરા

For appointment Call 8320519146

Online consultation available

31/12/2025

કોણે અથાણા ન ખાવા?

અથાણા થી ખોરાક વધુ સ્વાદિષ્ટ લાગે છે. ડો. પાવલોવ ના પ્રયોગો એ સાબિત કર્યું છે કે સ્વાદિષ્ટ ખોરાકથી સલાઈવા (લાલા સ્ત્રાવ), જઠર રસ, પેન્ક્રિયાટિક જ્યુસના સ્ત્રાવમાં ધરખમ વધારો થાય છે. અથાણાના મસાલામાં રહેલા સ્વાદ અને સોડમથી જ્ઞાનતંતુઓ ઉત્તેજિત થાય છે. મન પ્રસન્ન થાય છે. हर्ष प्रीणानानाम् श्रेष्ठ: l પ્રસન્નતા શારીરિક તંત્રને પર્યાપ્ત માત્રામાં પોષણ આપે છે.
અથાણામાં કુદરતી આથો ( Natural fermentation) આવેલો હોય છે. જે પ્રોબાયોટિક છે- સારા પ્રકારના બેક્ટેરિયાને વધારવામાં મદદ કરે છે. જે gut health માં સુધારો લાવે છે.
સ્વાદિષ્ટ હોવાને કારણે ઘણા લોકો વધારે પડતા અથાણા ખાય લે છે. अति सर्वत्र वर्जयेत् l પ્રમાણ કરતા વધારે લેવાય તો અમૃત પણ ઝેર બની જાય છે.

વિશેષ રીલ માં....

વૈદ્ય પ્રવીણ હીરપરા

For appointment Call 8320519146

Online consultation available

27/12/2025

અથાણું શું કામ ખાવું ?

ખોરાક સામે પડ્યો હોય,ભૂખ પણ લાગી હોય છતાં ખાવાની ઈચ્છા ન થાય, અરુચિ થાય, આવું મોટાભાગની વ્યક્તિઓએ ક્યારેક ને ક્યારેક અનુભવ્યું હોય છે.
આવું કેમ થાય ?

જ્યારે શરીરમાં અપક્વ આહાર ના અંશો એટલે કે આમ વધી જાય દોષોનું સંતુલન ખોરવાતા તાવ જેવી બીમારી પેદા થાય કે સ્ટ્રેસ ,ચીડ, ગુસ્સો, ડર, અસલામતી, લોભ- લાલચ, ડિપ્રેશન જેવા મન અને શરીર સંબંધિત કારણોથી ખોરાક પ્રત્યે અરુચિ પેદા થાય છે.

रुच्यम् भोजनम् l
ખોરાક મોળો કે ફિક્કો નહીં પરંતુ રુચિકર હોવો જોઈએ. અથાણું આપણા ખોરાકનો જ એક ભાગ છે.
અથાણામાં ખારો,ખાટો ,તીખો , તૂરો અને ગળ્યા રસનો સમન્વય હોય છે. જે રુચિ ને વધારે છે. રુચિકર એટલે ટેસ્ટી, મનને પ્રિય, મનને આનંદ આપે તેવું.
જમતી વખતે અથાણાની નાની નાની કટકી પણ અરુચિ ને દૂર કરે છે, મોઢામાં પાણી લાવી દે છે.

અથાણા સાથેનું આવુ રુચિકર ભોજન सप्तधातु वर्धनम् भृत l શરીરની સાતેય ધાતુને પોષણ આપે છે.
અથાણાની વિશેષ માહિતી માટે જૂઓ આ રિલમાં..
......વૈદ્ય પ્રવીણ હિરપરા

For appointment Call 8320519146

Online consultation available

24/12/2025

મેથી કોણ ન લઈ શકે?

ખભો

શરીરનું એક એવું અંગ છે જેના પર માથું મૂકીને ઘણી વ્યક્તિઓ હતાશા - નિરાશા ખંખેરીને હળવી થઈ જાય છે.
પણ આ ખભો સ્વયં દર્દથી પીડિત હોય ત્યારે...?

ખભા માં ઘણાં દર્દો થાય છે એમાંનું એક છે.. ફ્રોઝન શોલ્ડર.. જેમાં ખભા ની માંસપેશીઓમાં સ્ટીફનેસ આવી જાય છે. આયુર્વેદની દ્રષ્ટિએ આ વાયુ અને કફના અસંતુલનના કારણે થનારી સમસ્યા છે. ઔષધ એવું જોઈએ કે જે વાયુ અને કફને શાંત કરે એને માટેનું શ્રેષ્ઠ ઔષધ આપણા રસોડામાં છે ...-મેથી.

मेथीका कटुरूष्णा च रक्तपित्तप्रकोपनी l अरोचकहरा दीप्तिकरी वात प्रणाशिनी ll

મેથી આટલી ગુણકારી હોવા છતાં જેમને શરીર માં કોઈ પણ જગ્યાએથી રક્તસ્ત્રાવ થતો હોય જેમકે પાઇલ્સ, વધારે પડતો માસિકસ્ત્રાવ, મૂત્રમાર્ગે રક્ત સ્ત્રાવ, નસકોરી ફૂટવી જેવી સમસ્યાઓ માં....મેથી લેતા પહેલા નજીકના વૈદ્યરાજ નું માર્ગદર્શન લેવું.
...... વૈદ્ય પ્રવીણ હીરપરા

For consultation appointment call 8320519146

Online consultation available!!

expert ayurvedic clinic

Address

Ashram Road, Nr. Nehru Bridge
Ahmedabad
380009

Telephone

+918320519146

Website

Alerts

Be the first to know and let us send you an email when Aarogyatirth posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Aarogyatirth:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram