Aarogyatirth

Aarogyatirth Arogyatirth is an established Ayurveda clinic since 1980. We also provide detoxification through panchakarma.

We provide holistic treatment to all age group people and healing all the health issues/problems/disease with ayurvedic approach.

26/03/2026

ચરબી ઘટાડવાનો એક મજબૂત ઉપાય...
"સાતત્ય"

વજન ઘટાડો
અભિયાન ભાગ 14
આપણે બધાએ નાનપણમાં પંચતંત્રની એક વાર્તા સાંભળી છે. સસલું અને કાચબાની. સસલા અને કાચબા ની દોડ સ્પર્ધામાં કાચબા ની ધીમી ગતિ છતાં કાચબો વિજયી થાય છે, સફળ થાય છે. કારણ કોઈ બ્રેક લીધા વગર તેની ગતિ અવિરત હતી, સાતત્ય પૂર્ણ હતી.
જ્યારે પણ આપણે કોઈ ધ્યેય નક્કી કરીએ.. ચરબી - વજન ઘટાડવાનો નિર્ણય કરીએ એ બુદ્ધિનું કામ છે. બુદ્ધિએ લીધેલા નિર્ણયને ગમે તે સંજોગો આવે, મન લલચાય,આળસ આવે તો પણ મજબૂતીથી એ નિર્ણયને વળગી રહેવું એ ધૃતિ - ધીરજ નું કામ છે અને બુદ્ધિ એ કરેલા ચરબી ઘટાડવાના નિર્ણયમાંથી વિખુટા ન પડી જવાય, અલગ ન થઈ જવાય એની સતત ચોકીદારી કરવી ,સજાગ રહેવું, સતર્ક રહેવું એ સ્મૃતિનું કામ છે.
આપણા શરીરમાં આટલી બધી ચરબી વધી જવાનું મુખ્ય કારણ છે આપણે આપણા સ્વાસ્થ્ય પ્રતિ સતર્ક નથી ,એલર્ટ નથી, સતર્કતાનો અભાવ, સાવધાની નો અભાવ એ બેહોશી છે. મોટાભાગના લોકો બેહોશીમાં જીવે છે એટલે જ એ મેદસ્વી છે ,સ્થૂળ છે.અસ્વસ્થ છે.
સતર્કતા નો અભાવ એ અંધકાર છે. સતર્ક થવું...જાગી જવું એ સવાર છે.
તો ચાલો
આજથી જ આપણે આપણા મનના અને તનના ચોકીદાર બનીએ. .....વૈદ્ય પ્રવીણ હીરપરા.

Online consultation available
For appointment call 8320519146

23/03/2026

DIET PLAN
રોજ સવારે ગાયનું દૂધ (150 ml) સાકર + કેસર વાળું પીવું.
1. પહેલો દિવસ : મગનું પાણી 3-4 વાર
2. બીજો દિવસ : મગનું પાણી + મગ -4 વાર
3. ત્રીજો દિવસ : મગ નું પાણી + મગ + વેજીટેબલ સૂપ 3 વાર
4. ચોથો દિવસ : મગ નું પાણી + મગ + શાક 3 વાર
5. પાંચ મો દિવસ : મગ નું પાણી + મગ + ભાત + શાક - 2 વાર
6. છઠ્ઠો દિવસ : મગ નું પાણી + મગ + ભાત + શાક + 1 રોટલી (જુવાર ની) - 2 વાર
7. સાતમો દિવસ : મગ નું પાણી + મગ + ભાત + શાક + 2 રોટલી (જુવાર ની) + સલાડ
8. આઠમો દિવસ : વેજીટેબલ સૂપ + શાક + મગ અથવા મગની દાળ + સલાડ + 1 રોટલી (જવની) +ચોખાનો શેકેલો પાપડ..-2 વાર
9. નવમો દિવસ : વેજીટેબલ સૂપ + શાક + પાતળી તુવેરની દાળ + સલાડ + 2 રોટલી (જવની) - 2 વાર
10. દસમો દિવસ : તુવેરની પાતળી દાળ + ભાત + શાક + અડદનો પાપડ (1) + 1 રોટલી (ઘઉં + જવ) - 2 વાર
11. અગિયારમો દિવસ : દાળ + ભાત + શાક + સલાડ + અડદનો પાપડ + (ઘઉં જવની) 2 રોટલી અથવા બટાકા પૌવા-- 2વાર
12. બારમો દિવસ : કઢી + ભાત + મગની દાળ + શાક + સલાડ + 1 બાજરીનો રોટલો / રોટલી --- 2 વાર
13. તેરમો દિવસ : ઈડલી + સંભાર અથવા ઢોકળા અને ગ્રીન ચટણી --- 2 વાર
14. ચૌદ મો દિવસ : ખીચડી કે ભાત + કઢી+શાક+ સલાડ ચોખા કે અડદ નો પાપડ + એક રોટલી (ઘઉં +બાજરી) -- 2 ટાઇમ
15. પંદરમો દિવસ : મગની દાળ કે ચણાના લોટના શાકભાજી નાખેલા ચિલ્લા કે પુડલા અથવા મેથીની ભાજીના થેપલા -- 2 ટાઈમ
* આ સાથે તમે સીઝનના બધા fruits ખાઈ શકો

* 15 દિવસ પછી 16 માં દિવસની ફરી ઊંધા ક્રમે ડાયટ શરૂ કરી શકાય જેમ કે 16 માં દિવસે 15માં દિવસનું, 17 માં દિવસે 14 માં દિવસનું ,અથવા ફરીથી પહેલા દિવસનું ગણીને પણ Continue કરી શકો.
સૂચના :
* તેલ સંપૂર્ણ બંધ.
* મગનું પાણી પાતળું બનાવવું.
* ગાયના ઘીનો જીરું હિંગ વઘાર કરવો તમને ભાવે તે મુજબ સ્વાદ રાખી શકાય.
* મગ ઢીલા રાખવા ઉપર મુજબ ગાયના ઘી નો વઘાર કરી શકાય. લીંબુ ,ગોળ, કોથમીર ,નમક વગેરે તમારા સ્વાદ પ્રમાણે મસાલા કરવા.
* શાક પણ ગાયના ઘી માં જ બનાવવું, મસાલા તમારા સ્વાદાનુસાર.
* બધા વઘારમાં ઘી ઓછું રાખવું.
* આ ઉપરાંત ગરમ પાણીમાં લીંબુ ,સંચળ, મરી નાખીને પી શકાય.
* છઠ્ઠા દિવસથી 2 ખજૂરની પેશી લઈ શકાય.
* સીઝન ના બધા ફ્રુટ્સ ખાઈ શકો

Online consultation available
For appointment call 8320519146

19/03/2026

ચૈત્ર મહિના માં લીમડા નો મહોર
કોણે ન લેવો..?

થોડી ગરમી પડે એટલે આપણે ઠંડુપાણી, ઠંડા પીણા, આઈસ્ક્રીમ વગેરે ચાલુ કરી દઈએ છીએ.જે શરીરમાં કફ ને વધારે છે.
હજુ આ વસંત ઋતુ નો ઉત્તરાર્ધ ચાલી રહ્યો છે, હજુએ શરીર માં કફની ઉગ્રતા હોય છે.
કફ ને કારણે શરદી, ઉધરસ ,
ભૂખ ન લાગવી, અપચો,માથુ ભારે લાગવું, ઊંઘ વધારે આવવી, શરીરમાં ભાર ભાર લાગે,આળસ, કામ કર્યા વગર થાક લાગે વગેરે સમસ્યાઓ થાય છે .
એ ઉપરાંત
ઓરી, અછબડા, ઝાડા, ઉલટી, તાવ વગેરે સંક્રામક રોગો પણ વધે છે.

આપણે ભલે પ્રકૃતિ નો આદર ન કરીએ, સંરક્ષણ ન કરીએ પણ પ્રકૃતિ હંમેશા આપણા સ્વાસ્થ્ય ની સંભાળ રાખે છે.
ઉપર્યુક્ત તમામ સમસ્યાઓ ને નિયંત્રિત કરવા આ સમય ગાળામાં કુદરત લીમડા પર ડાળે ડાળે મહોરી ઉઠે છે.

ખરી જવુ, કુંપળવું, નવપલ્લવિત થવું,મહોરવું, ફળિત થવું... આ બધુ પ્રકૃતિ ના સમય પત્રક અનુસાર થયા કરે છે. આ સમય પત્રક અનુસાર આપણા શરીર ની ઘડિયાળ નો તાલ મિલાવતા રહીએ તો સ્વાસ્થ્ય સંગીત ના મધુર સૂર અને તાલ
અવિરત ગૂંજતા રહે છે.
તો ચાલો ,
એ વિસરાયેલા તાલને, એ વિસરાયેલા સૂરને, એ વિસરાયેલા લીમડા ના મ્હોર ને ચૈત્રમહિના મા નિમ્બ પાનક ના રુપે પુનર્સ્થાપિત કરીએ.

કેવી રીતે બનાવશો નિમ્બ પાનક..?
લીમડા ને સંસ્કૃત માં નિમ્બ કહે છે.પાનક એટલે પીણુ... શરબત.

લીમડા નો મહોર ૫ ગ્રામ,૫૦ml પાણી, બે ચપટી (pinch) નમક, ચાર ચપટી કાળામરી.
આ બધાને ક્રશ કરી ગાળીને રોજ સવારે ખાલી પેટ પીવું.
* આનાથી એસિડિટી, અપચો દૂર થાય છે.
* આમ એટલે કે અનડાયજેસ્ટેડ ફુડ પાર્ટિકલ્સ નુ પાચન થાય છે,
* મધુપ્રમેહ નિયંત્રિત થાય છે.
* હરસ મસાને કારણે મળમાર્ગે થી પડતુ લોહી બંધ થાય છે.
* આળસ, પ્રમાદ ઓછા થઈ સ્ફૂર્તિ વધે છે.

વિશેષ નોંધ:
લીમડો આટલો ઉપયોગી છે આમછતાં જેમની ગરદન લાંબા સમય થી સ્ટીફ થઈ ગઈ હોય, ફેસિયલ પેરાલિસિસ હોય, ચક્કર આવતા હોય, માથાનો તીવ્ર દુખાવો હોય, આંચકી આવતી હોય, શુક્રાણુઓ ની અલ્પતા હોય તો તેમણે નિમ્બ પાનક લેતાં પહેલાં તમારા આયુર્વેદિક કન્સલ્ટન્ટ નું માર્ગદર્શન લેવું.કારણ કે તેમાં રહેલા કડવા રસ ના અતિ ઉપયોગ થી ઉપર્યુક્ત સમસ્યાઓ વધવાની સંભાવના રહે છે.

વૈદ્ય પ્રવીણ હીરપરા.

Online consultation available
For appointment Call 8320519146

17/03/2026

કેટલું ખાઈએ તો વજન ઘટે?

વજન ઘટાડો અભિયાન
ભાગ - ૧૨

પેટ ન ભરીએ ચારે ખૂણ.
આ કહેવત આપણે અવાર - નવાર સાંભળી છે. આ કહેવત એક સંસ્કૃત શ્લોક પરથી આવી છે.
कुक्षेर् भागद्वयं भौज्येस्तृतीये वारि पूरयेत् ।
वायो:संचरणार्थाय चतुर्थमवशेषयेत् ।।
આપણી હોજરી ની ચાર ભાગમાં કલ્પના કરવામાં આવી છે. જેમાં હોજરી ના બે ભાગ સોલિડ ફૂડ એટલે કે રોટલી ,કઠોળ, શાક- ભાત થી ભરવા.ત્રીજો ભાગ પ્રવાહી ખોરાક એટલે કે સૂપ , છાશ , દાળ વગેરે પ્રવાહી ખોરાક થી ભરવો પરંતુ ચોથો ભાગ વાયુના સંચરણ માટે ખાલી રાખવો .
ખોરાક ખાધા પછી હોજરીમાં મંથન એટલે કે ખોરાક વલોવાય છે. (Churning) પરંતુ જો આ ભાગ ખાલી ન રાખીએ તો વાયુ દ્વારા થતી મંથન પ્રક્રિયા ખોરવાય. જેને કારણે ખોરાક માં પાચક સ્ત્રાવનું મિશ્રણ થતું નથી પરિણામે ખોરાકનું સંપૂર્ણ પાચન થતું નથી.
અડધા કાચા પાકા રહેલા ખોરાકમાંથી આમ એટલે Undigested food particles પેદા થાય છે, જે પોષક રસના અવશોષણમાં બાધા પહોંચાડે છે .પરિણામે મેટાબોલિઝમ ધીમું પડે છે સાથે ફેટ મેટાબોલિઝમ પણ. આખરે ચરબી વધી જાય છે
એટલે કે ભૂખ કરતાં ૨૫ ટકા ખોરાક ઓછો લો. જૈનોમાં એક વ્રત છે _ ઉણોદરા વ્રત. આ વ્રત પણ સ્વાસ્થ્ય માટે હિતકારી છે

વધુ રીલમાં .....
.....વૈદ્ય પ્રવીણ હીરપરા.

Online consultation available
For appointment call 8320519146

14/03/2026

શું ઠંડો..વાસી ખોરાક ખાવાથી ચરબી વધે ?

વજન ઘટાડો
અભિયાન ભાગ 11

यातायामं गतरसं पूति पर्युषितं च यत् ।
उच्छिष्टमपि चामेध्यं भोजनं तामस प्रियम् ।।
ત્રણ કલાક પહેલા બનાવેલો ખોરાક ઠંડો થઈ જાય છે કંઈક અંશે બગડી પણ જાય છે... यातयामं.
ખોરાકમાંથી તેનો અસલ સ્વાદ જતો રહે છે... गतरस: , જે ખોરાકમાં ગંધ આવવી શરૂ થઈ જાય છે..पूति.સવારનો રાંધેલો ખોરાક સાંજે કે સાંજનો બનાવેલો ખોરાક સવારે કે બીજે દિવસે ખાવો એ વાસી છે....पर्युषित. બીજી વ્યક્તિએ ખાધેલો ખોરાક... उच्छिष्टं(એંઠો) અને અપવિત્ર એટલે કે अमेध्य .
આવો ખોરાક જે વ્યક્તિ સતત ખાધા કરે તો તેની અસર તેના મન પર પડે છે. એ જડ બની જાય છે આળસુ , પ્રમાદી થઈ જાય છે, તેને કોઈ કામ કરવું ગમતું નથી , નિષ્ક્રિય થઈ જાય છે, નકારાત્મક થઈ જાય છે ,વધારે ઊંઘે છે ,તંદ્રામાં રહે છે. તેનામાં ચીડ..ક્રોધ વધી જાય છે , ભ્રમિત થઈ જાય છે. તેની પ્રાણ શક્તિ ધીમી પડે છે.
આ બધાનું આવરણ તેના બુદ્ધિ પ્રકાશને ઝાંખો પાડી દે છે. એ અજ્ઞાની બની જાય છે. તામસી બની જાય છે. અને તામસ પ્રકૃતિની વ્યક્તિને ઉપર્યુક્ત ખોરાક અતિપ્રિય બની જાય છે.
તામસ પ્રકૃતિની વ્યક્તિનું શરીર સ્થૂળ થવા માંડે છે, મેદસ્વી થવા માંડે છે.
એટલે સ્થૂળતા ઘટાડવા માટે તામસી ખોરાક છોડીને સાત્વિક ખોરાક ખાવાની ટેવ પાડવી જોઈએ ..
વધુ રીલમાં...

વૈદ્ય પ્રવીણ હીરપરા.

Online consultation available
For appointment call 8320519146

12/03/2026

પિત્ઝા ,જલેબી ,લાડુ ,ખાવ
ને ચરબી ઘટાડો....પણ એક શરત સાથે ...

વજન ઘટાડો અભિયાન
ભાગ - 10

જો તમને વારે વારે ભૂખ લાગ્યા કરતી હોય તો માનવું કે તમારો Hunger Hormone કે જેને Ghrelin hormone કહે છે .એ અસંતુલિત છે. આ હોર્મોન મસ્તિકષ્કને સિગ્નલ આપે છે કે તમને ખોરાકની જરૂર છે. આ Ghrelin hormone નું પ્રમાણ વધે છે ત્યારે વારે વારે ભૂખ લગાડે છે,ખોરાક વધારે લેવાય છે પરિણામે Fat storage વધી જાય છે.
Ghrelin hormone ને કેવી રીતે સંતુલિત કરી શકાય?
જ્યારે ભૂખ લાગે ત્યારે પ્રવાહી ખોરાક, છાશ ,ફ્રેશ જ્યુસ ,શરબત ,પાણી લઈને ભૂખને નિયંત્રિત કરી શકાય પણ સોલિડ ફૂડ નાસ્તો વગેરે ન કરાય. ભોજન લો તો બે વાર જ લેવું.
सायं प्रात मनुष्याणामशनं श्रुति चोदितम् ।
नान्तरा भोजनं कुर्यादग्निहोत्र समो विधि :।।
યોગ રત્નાકર નામના ગ્રંથમાં કહ્યું છે કે જેમ અગ્નિહોત્ર સવાર સાંજ કરવામાં આવે છે તેમ ભોજન બે વાર કરવું.
नान्तरा એટલે કે વચ્ચે વચ્ચે ન ખાવું.
જેમનું શરીર સપ્રમાણ હોય તો બે વાર ફુલ ડિશ પૂર્ણ ... ભોજન કરી શકે.પરંતુ જેમની ચરબી વધારે હોય તેમણે લાડુ, જલેબી ,ગોટા, ભજીયા , રોટલી ,શાક ,કઠોળ બધું ખાવું પણ ભૂખ કરતાં અડધું ખાવું એટલે કે 50%.

વધુ રીલમાં ...

વૈદ્ય પ્રવીણ હીરપરા.

Online consultation available
For appointment call 8320519146

09/03/2026

માયકાંગલુ મન
લથબથ ચરબી નું મુખ્ય કારણ,

વજન ઘટાડો અભિયાન
ભાગ -૯

માઈન્ડ પાવર...
મનની શક્તિ.
વજન ઘટાડવા માટે મનની ભૂમિકા બહુ મહત્વની છે. મન સ્થિર રહી શકતું નથી. તેનું ચાંચલ્ય સાતત્યને વેર- વિખેર કરી નાખે છે .આજે તમે સવારે ઊઠીને કસરત કરવાનું નક્કી કર્યું ,બે ચાર દિવસ કે બે ચાર અઠવાડિયા કસરત કરી પરંતુ અનિયંત્રિત મન કંઈક ને કંઈક બહાનું શોધી કસરત કરવાના નિયમને નેવે મુકાવી દે છે . એવું જ ડાયટિંગમાં થાય, એવું જ યોગ પ્રાણાયામમાં થાય. આવું ન થાય એ માટે વજન ઉતારવા માટે જે કાંઈ કરો તેને આદત બનાવી દો, નિયમ બનાવી દો. આ આદત આ નિયમ માં લગાવ વધારી દો, પ્રેમ વધારી દો. જ્યાં લગાવ છે ત્યાં મનને આવવું જ પડે છે .મનને સ્થિર થવું જ પડે છે જ્યારે મન સ્થિર થાય છે ત્યારે મનની શક્તિ ગજબની બને છે આ મનની શક્તિને કારણે તમારા વજન ઘટાડવાના અભિયાનને દુનિયાની કોઈ તાકાત અટકાવી નહીં શકે.
વધુ રિલમાં ....
......વૈદ્ય પ્રવીણ હીરપરા.

Online consultation available
For appointment call 8320519146

06/03/2026

કોણે મસાજ ન કરાવવું..?

વજન ઘટાડો અભિયાન
ભાગ- ૯
રોજ તલના તેલનું મસાજ કરવાથી રકત નું સંવહન એટલે કે બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. વાયુની ગતિ પ્રાકૃત થાય છે. થોડી ચરબી વધે એટલે એના અવરોધ થી, આવરણથી વાયુની ગતિ રોકાય.આ રોકાયેલો વાયુ જઠરાગ્નિ ને વધારે દીપ્ત કરે છે એટલે વધારે ભૂખ લાગે,વધારે ભૂખ લાગે એટલે વધારે ખોરાક લેવાય અને વધુ ખોરાક થી ફરી પાછી ચરબી વધે. આમ આ વિષચક્ર બની જાય છે. ચરબી જમા થયે રાખવાથી આગળની ધાતુઓ અસ્થિ, મજ્જા અને શુક્રધાતુને પર્યાપ્ત માત્રામાં પોષણ ન મળતા હાડકા નબળા પડતા ઓસ્ટીયો પોરોસીસ, વાળ ખરવા, નખ તુટવા ,આંખે અંધારા આવવા, કામ દૌર્બલ્ય જેવી સમસ્યાઓ વધે છે. નિયમિત મસાજ કરવાથી કે કરાવવાથી વાયુ નિયંત્રિત થતા ચરબીનું વિઘટન થાય છે. ચરબી ઘટે છે, શરીર ઘાટીલું અને દૃઢ થાય છે. ચામડી પર કરચલી પડતી નથી ,ઘડપણ આવવાની ગતિ ધીમી પડે છે.
સાવચેતી:
મસાજ આટલું ઉપયોગી હોવા છતાં આ વ્યક્તિઓ એ મસાજ ન કરાવવું.
*જો તમને તાવ કે કોઈપણ ઇન્ફેક્શન હોય.
*જો તમે આમવાત (રુમેટિઝમ) થી પીડાતા હો.
*જો તમારી ચામડી પર દાઝેલા ના તાજા ડાઘ હોય.
*જો તમને તેલ થી એલર્જીક સમસ્યા વધતી હોય.
અને છેલ્લે...
જાણીતા મસાજિસ્ટ ફાસ્ટિન કહે છે ત્રણ કિ.મી. ચાલવાથી જેટલો ફાયદો થાય તેટલો ફાયદો એક વાર મસાજ કરવાથી થાય છે.
રોજ માલિશ કરો - રોજ ચરબી ઘટાડો......... વૈદ્ય પ્રવીણ હીરપરા.

Online Consultation Available
For appointment call 8320519146

04/03/2026

શું ૐ ના જાપ કરવાથી ચરબી પીગળે?

વજન ઘટાડો અભિયાન
ભાગ- 8

અમેરિકાની નાસા સંસ્થાએ સૂર્યના અવાજ નું રેકોર્ડિંગ કર્યું . પણ આ અવાજની ફ્રિકવન્સી ખૂબ વધારે હતી .જે માણસના કાન સાંભળી ન શકે એટલે એ અવાજને કોમ્પ્રેસ કરી સાંભળવાનો પ્રયત્ન કર્યો. તેમણે આ અવાજ સાંભળ્યો તો તેમને ખૂબ આશ્ચર્ય થયું કે આ અવાજ ભારતીય મંત્ર ૐ નો હતો. હજારો વર્ષ પહેલા ભારતીય ઋષિમુનિઓએ આ શોધ કેવી રીતે કરી હશે?
ૐ કારથી આપોઆપ પ્રાણાયામ થઈ જાય છે જેમાં શ્વાસ ને રોકીને अ उ म ધ્વનિ સાથે બહાર કાઢવાનો હોય છે સતત ૐ કાર કરવાથી ફેફસામાં શ્વાસ વધારે ભરી શકાય છે.જેથી શરીરમાં ઉષ્મા ઓક્સિજનની માત્રા વધી જાય છે. પરિણામે સમગ્ર મેટાબોલિઝમ માં ધરખમ સુધારો થાય છે.ફેટ મેટાબોલીઝમ પણ ઝડપી બને છે. એટલે સતત ૐ કાર કરવાથી ક્રમશઃ ચરબીમાં ઘટાડો થયે રાખે છે અને શરીર અને મનને વધારે ઉર્જા મળે છે - શક્તિ મળે છે.
એક સંશોધન:
જાપાનીઝ વૈજ્ઞાનિકો એ ઉંદરો પર કરેલા સંશોધન માં એવું તારણ કાઢવામાં આવ્યું છે કે ચોક્કસ પ્રકાર ના ધ્વનિ તરંગો ની વસા કોશિકાઓ પર અસર થાય છે. જેનાથી ચરબી જમા થવાની પ્રક્રિયા ધીમી પડે છે.
વધુ જોઈએ રીલમાં... ......વૈદ્ય પ્રવીણ હીરપરા.

Online consultation available
For appointment Call 8320519146

28/02/2026

કેટલી કરવી કસરત?

વજન ઘટાડો અભિયાન
ભાગ -૭

स्थोल्यापकर्षणम् ।
શરીરની ચરબીના અપકર્ષણ એટલે કે ઘટાડવા માટે વ્યાયામ સર્વોત્તમ છે.
હંમેશા નિયમિત વ્યાયામ કરનાર મનુષ્ય ગમે તેવું વિરુદ્ધ ભોજન (જેમકે દૂધ સાથે ગોળ, દૂધ સાથે લસણ - ડુંગળી),કાચું પાકું ભોજન, હિન ભોજન કરે તો પણ પચી જાય છે. સ્નિગ્ધ ભોજન એટલે કે તેલ, ઘી, મીઠાઈ ખાનારા બળવાન વ્યક્તિ માટે વ્યાયામ સદાપથ્ય એટલે કે હિતકારી છે.
વ્યાયામ આટલો ઉપયોગી હોવા છતાં શરીરના બળ કરતાં અડધો કરવો જોઈએ.
बलस्य अर्धेन् कर्तव्य: व्यायामो हन्यतो़ऽन्यथा
બલાધૅ ની વ્યાખ્યા શું ?
કમર , કપાળ, બગલ.નાક, હાથ.. પગ, અને સાંધાઓ.. દરેકમાં પરસેવો થાય અને મુખમાં શોષ પડે એ બલાધૅ ના લક્ષણો છે .
1934 માં જેની પહેલી આવૃત્તિ છપાયેલી એ "દિનચર્યા"ના પુસ્તકમાં બાપાલાલ વૈદ્ય લખે છે-
અતિ વ્યાયામ થી બે પહાડ જેવા યુવાનો મરી ગયેલા મેં જોયા છે.અતિ વ્યાયામ થી હૃદય ઉપર એટલી માઠી અસર થાય છે કે ન પૂછો વાત .અતિ વ્યાયામ થી હૃદયના ધબકારા વધે ,હૃદય નબળું પડે , માંસપેશીઓ બહુ થાકે એટલે સાર્કોલેક્ટીક એસિડ વધે ,જે લોહીમાં ભળે પરિણામે લોહીનો અમ્લ પ્રતિયોગી ( Alkaline) ગુણ નાશ પામે. અમ્લતાનો વધારો થતાં માંસ પેશીઓ થાકે.તેની સ્થિતિ સ્થાપકતા ઘટે,સંકોચ શક્તિ ઘટે અને તે ઢીલી પડી જાય. ગજા ઉપરાંત વ્યાયામ.. કુસ્તી કરનારા વહેલા મરણને શરણ થાય છે બધું માપમાં સારું વ્યાયામ પણ. વધુ રીલમાં ..
......વૈદ્ય પ્રવીણ હીરપરા.

Online Consultation Available
For appointment call 8320519146

25/02/2026

કેટલું ચાલીએ તો વજન ઘટે..?

વજન ઘટાડો અભિયાન ભાગ- ૬

ચાલવું.
ફરવા જવું ને આયુર્વેદમાં ચંક્રમણ કહે છે.ચંક્રમણ એ દિનચર્યા નો ભાગ છે. ક્યારેક ક્યારેક ,નહીં પણ રોજ નિયમિત ચાલવું. નિયમિત ચાલીએ તો કેવી અસર થાય ?
એ માટે આચાર્ય સુશ્રુત કહે છે ...
अध्वावर्णकफ स्थौल्य सौकुमार्य विनाशन:।
अध्या એટલે કે ખેપ.એટલે કે સાતથી આઠ કિલોમીટર એટલે કે મોબાઈલની પરિભાષામાં સળંગ દસ હજાર સ્ટેપ્સ. રોજ આટલું ચાલતા લગભગ 100 મિનિટ લાગે. તેનાથી ફાયદો શું?શરીરમાં વધી ગયેલો કફ ઘટે, સ્થૂળતા એટલે ચરબી - વજન ઘટે. વર્ણ એટલે complexion - ગૌર વર્ણ ઘટે ,શરીરની નાજુકાઈ પણ ઘટે.
આટલું ચાલવાથી પરસેવો પણ ખૂબ થાય. પરસેવો એટલે કે સ્વેદ. એ મેદનો મલ છે જેમને પરસેવો વધારે થાય તેમનું ફેટ મેટાબોલિઝમ ઝડપી થાય પરિણામે ચરબી ઘટે.
કુદરત જેમને પ્રિય છે એવા હેનરી થોરો એ 'વોકિંગ' અને "અવિન્ટર વોક' ના નિબંધો માં લખે છે જેઓ તડકામાં ખુલ્લા આકાશ નીચે કુદરતના સાનિધ્યમાં નિયમિત ચાલે છે તેમની નાજુકાઈ ભલે ઓછી થાય પણ તેમનું શરીર ખડતલ બને છે.
તો ચાલો .

આળસ ખંખેરીને
ચાલીએ ...રોજ ચાલીએ.
......વૈદ્ય પ્રવીણ હીરપરા.

Online consultation available.
For appointment Call 8320519146

23/02/2026

શું ગરમ પાણી પીવાથી ચરબી ઓગળે?

વજન ઘટાડો અભિયાન - ભાગ-૫

2017માં જ્યારે અમે ચાઇના ની ટૂર પર ગયેલા ત્યારે ત્યાંની એક વિશેષતા જોયેલી. રેલવે સ્ટેશન કે એરપોર્ટ પર આપણે ત્યાં ઠંડા પાણીના વોટર કુલર હોય છે ત્યાં ગરમ પાણીની વ્યવસ્થા હતી. મોટાભાગના લોકો ગરમ પાણી પીએ. ચાઇનામાં બહુ ઓછા મેદસ્વી લોકો જોવા મળે. મોટા ભાગના યુવક યુવતીઓ પાતળા જોવા મળે.તેનું એક કારણ આ પણ હોય શકે છે.

श्लेष्मामवात मेदोध्नं बस्ति शोधन दीपनम्।
कासश्वासज्वरहरं पीतमुष्णोदकं निशि।।

આયુર્વેદ મનીષીઓ કહે છે કે ગરમ પાણી પીવાથી કફની સમસ્યાઓ, આમવાત (રુમે ટીઝમ),સ્થૂળતા(ઓબેસિટી), ઉધરસ, શ્વાસ ,તાવ ની સમસ્યાઓમાં ઘટાડો થાય છે ભૂખ લગાડે છે. યુરીન ની તકલીફો પણ નિયંત્રિત થાય છે. ખાસ કરીને રાત્રે ગરમ પાણી પીવાથી.

ઉષ્ણોદક આટલું ઉપયોગી હોવા છતાં... ગર્ભવતી સ્ત્રીઓ ,જેમને કોઈપણ જગ્યાએથી રક્તસ્ત્રાવ થતો હોય, ચામડી પર કાળા ઝામા પડી જતા હોય ,ચક્કર આવતા હોય, બળતરા થતી હોય, એવી વ્યક્તિઓએ તેમના આયુર્વેદ કન્સલ્ટન્ટ ના માર્ગદર્શન હેઠળ ગરમ પાણીનો ઉપચાર કરવો.
......વૈદ્ય પ્રવીણ હીરપરા.

Online consultation available.
For appointment Call 8320519146

Address

A18, Capital, Ashram Road Nr. Nehru Bridge
Ahmedabad
380009

Telephone

+918320519146

Website

Alerts

Be the first to know and let us send you an email when Aarogyatirth posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Aarogyatirth:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram