26/03/2026
ચરબી ઘટાડવાનો એક મજબૂત ઉપાય...
"સાતત્ય"
વજન ઘટાડો
અભિયાન ભાગ 14
આપણે બધાએ નાનપણમાં પંચતંત્રની એક વાર્તા સાંભળી છે. સસલું અને કાચબાની. સસલા અને કાચબા ની દોડ સ્પર્ધામાં કાચબા ની ધીમી ગતિ છતાં કાચબો વિજયી થાય છે, સફળ થાય છે. કારણ કોઈ બ્રેક લીધા વગર તેની ગતિ અવિરત હતી, સાતત્ય પૂર્ણ હતી.
જ્યારે પણ આપણે કોઈ ધ્યેય નક્કી કરીએ.. ચરબી - વજન ઘટાડવાનો નિર્ણય કરીએ એ બુદ્ધિનું કામ છે. બુદ્ધિએ લીધેલા નિર્ણયને ગમે તે સંજોગો આવે, મન લલચાય,આળસ આવે તો પણ મજબૂતીથી એ નિર્ણયને વળગી રહેવું એ ધૃતિ - ધીરજ નું કામ છે અને બુદ્ધિ એ કરેલા ચરબી ઘટાડવાના નિર્ણયમાંથી વિખુટા ન પડી જવાય, અલગ ન થઈ જવાય એની સતત ચોકીદારી કરવી ,સજાગ રહેવું, સતર્ક રહેવું એ સ્મૃતિનું કામ છે.
આપણા શરીરમાં આટલી બધી ચરબી વધી જવાનું મુખ્ય કારણ છે આપણે આપણા સ્વાસ્થ્ય પ્રતિ સતર્ક નથી ,એલર્ટ નથી, સતર્કતાનો અભાવ, સાવધાની નો અભાવ એ બેહોશી છે. મોટાભાગના લોકો બેહોશીમાં જીવે છે એટલે જ એ મેદસ્વી છે ,સ્થૂળ છે.અસ્વસ્થ છે.
સતર્કતા નો અભાવ એ અંધકાર છે. સતર્ક થવું...જાગી જવું એ સવાર છે.
તો ચાલો
આજથી જ આપણે આપણા મનના અને તનના ચોકીદાર બનીએ. .....વૈદ્ય પ્રવીણ હીરપરા.
Online consultation available
For appointment call 8320519146