22/04/2026
તબિયત સારી
રાખતુ શ્રેષ્ઠ ઔષધ.
શ્રેષ્ઠ રસાયન કયું?
હરડે?
ના
શતાવરી?
ના
અશ્વગંધા ?
ના.
તો પછી કયું રસાયન શ્રેષ્ઠ?
ત્યારે આચાર્ય ચરક કહે છે.. આચરણ.
સદ્ વિચાર પણ નહીં
પણ સદ્ આચરણ.. તમારું વર્તન ...તમારુ Behavior.
આ છે સદ્ આચરણ.
सत्यवादिन: સત્યને વળગી રહેવું. अहिंसा બીજાના હૃદયને દુઃખ પહોંચે એવી વાણી, એવું વર્તન. अक्रोध.. ગમે તેવી ઉશ્કેરણી હોય પણ પ્રતિક્રિયા આપતા પહેલાં વિચારવું. अनायासम् વધારે પડતો શારીરિક અને માનસિક શ્રમ, વધારે પડતા વિચારો, વધારે પડતી ચિંતા ,प्रियवादिनम् - સોફ્ટ સ્પીકિંગ. સામેની વ્યક્તિને ગમે તેવી પ્રિય વાણી. दानित्यम् - બીજાને માટે કંઈક કરવું. .......गुरूवृद्धाचने: ગાય,બ્રાહ્મણ, ગુરુજનો વૃદ્ધો ,વડીલોને રિસ્પેક્ટ આપવું.. .
આ બધું આચરણ માં મૂકીએ તો શું થાય?
તેનાથી Happy hormone સંતુલિત થાય છે. જેમ કે ડોપામાઈન ,સેરોટોનિન, ઓકિસટોસીન, એન્ડોરફીન .આ બધા ખુશીના અંતઃસ્ત્રાવો છે .
આયુર્વેદ કહે છે કે हर्ष प्रिणनानाम् श्रेष्ठ :। એટલે કે ખુશી પ્રસન્નતા, શારીરિક...માનસિક સ્વાસ્થ્યને વધારે છે
એટલે સુખી રહેવું હોય ,સ્વસ્થ રહેવું હોય તો હસતા રહો, હસાવતા રહો કોઈની વાણી,કોઈનું વર્તન યોગ્ય ન લાગતું હોય તો હસી કાઢો..
...વૈદ્ય પ્રવીણ હીરપરા
Online consultation available
For appointment call 8320519146