17/05/2024
નિષ્ફળતાથી સફળતા સુધી
જાણ્યે અજાણ્યે, પ્રત્યેક વ્યક્તિ જીવનમાં સફળતા અને નિષ્ફળતાના સમયમાંથી પસાર થાય છે. કોઈ કાયમી સફળતા જાળવી શકતું નથી. નિષ્ફળતા પણ કાયમ માટે રહેતી નથી. નબળા સંજોગો દરમ્યાન, આપણે જીવન પ્રત્યે નકારાત્મક (નેગેટીવ) વલણને સ્વીકારીએ છીએ અને અણગમતી લાગણીઓને અનુભવીએ છીએ. જેમ કે નફરતની લાગણી, હીનતાની લાગણી અને અન્યને નીચા ગણવું. પરિસ્થિતિ વધુ વણસે ત્યારે, વ્યક્તિ જીવનનો ઉદ્દેશ્ય અને તેનું ચિંતવન આત્મહત્યા તરફ જવાના વિચારોને અવરોધે છે.
જીવનમાં બંને પ્રકારની પરિસ્થિતિઓ આવતી-જતી રેહશે: સફળતા આપણને શીખવે છે કે, અથાગ મહેનત અને આશાવાદી વલણ જીવનમાં હકારાત્મક (પોઝિટિવ) પરિણામોને લાવે છે.
નિષ્ફળતા આપણને શીખવે છે કે, ના ગમતા કપરા સંજોગો, આપણી બધી નબળાઇઓ અને નકારાત્મકતાને સકારાત્મકતામાં પરિવર્તન કરવાની શક્તિ ધરાવે છે.
તેથી, બંને આપણા જીવનમાં વિકાસશીલ રીતે કામ કરે છે.
એક દૃષ્ટિકોણથી, નબળો તબક્કો અથવા નિષ્ફળતા એ સારા માટે છે. પ્રયાસ કર્યા વિના, તમે ક્યારેય સફળ થશો નહીં. જો તમને જીવનમાં નિષ્ફળતા ન આવી હોય, તો તમે સફળતા પણ પચાવી શકશો નહિ. કોઈ પણ વસ્તુનો અતિરેક (પોઝિટિવ કે નેગેટીવ) એ અનિવાર્યપણે સુખ અને ઉદાસીનતા તરફ લઇ જાય છે અને પછી એક વ્યક્તિ તરીકેનો વિકાસ થઇ શકતો નથી.
જે ખોટું થયું તે બધું વાગોળીને પોતાની જાત પ્રત્યે દિલગીર રહેવાને બદલે, સકારાત્મક પગલું ભરી તેનો ઉકેલ લાવો. પરિસ્થિતિને બદલો.
ભૂતકાળને યાદ કરો. તમને પહેલા પણ આવી જ અથવા તેથી વધુ ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે. અને તમે તેના પર વિજય પણ મેળવી છે.
તમે જે વાવો છો તે જ તમે બનો છો. જો તમે ‘હું કરી શકું છું, અને હું કરી શકીશ’ એમ વિચારશો, તો થોડા સમય પછી, વસ્તુઓ ધીરે ધીરે બદલાશે અને વિકાસશીલ વળાંક લેશે. તેવી જ રીતે, જો તમે એમ કહેતા રહેશો કે ‘હું નિષ્ફળ અથવા સમયનો વ્યર્થ કરું છું’, તો તે તમારા વિચારો અને ચારિત્ર્ય પર અસર કરશે અને તમારી આસપાસના લોકોને પણ અસર કરશે. તે એવું છે કે જ્યારે તમે વાવમાં બોલો કે, 'હું નિષ્ક્રિય છું' તો વાવ પડઘો ફેંકશે કે, 'હું નિષ્ક્રિય છું, 'હું નિષ્ક્રિય છું...' તેવીજ રીતે, તમે કહી શકો, "હું કરી શકીશ, મારી પાસે ક્ષમતા / કુશળતા છે”. તો વાવ પડઘો ફેંકશે કે, 'હું કરી શકીશ, 'હું કુશળ છું, હું સક્ષમ છું...
લોકો જયારે તમારા માટે અભિપ્રાય બાંધે અથવા ધારણા કરે ત્યારે પરિસ્થિતિ મૂંઝવણજનક, તણાવવાળી અને દુઃખદાયક બની જાય છે. તે તમને અસુરક્ષિત અને સંકુચિત બનાવી દે છે. જાણ્યે અજાણ્યે, આપણે બધાએ જીવનના કેટલાક તબક્કે આ અનુભવ કર્યો છે. પરંતુ કેટલાક લોકો માટે, આ પ્રકારના લાગણીની અસર અત્યંત નિરાશાજનક (ડીપ્રેસીંગ) સાબિત થઇ શકે છે.
જગતના લોકોનો તમારા વિષે શું અભિપ્રાય છે, એ વાતને વધુ ગણકારશો નહિ. આમ કરવાથી તમારું જીવન સરળ બનશે. પાસાંની બીજી સારી બાજુ એ છે કે, તમારે સામના વિનયમાં જરૂરથી રેહવું પણ સામાના મંતવ્યોને પસંદ કરવાની અથવા તો એમના અનુરૂપ વર્તવાની આવશ્યતા નથી. જો તમે પોતાના ઘરે પણ જોશો, તો દરેકનો વ્યક્તિનો દ્રષ્ટિકોણ અલગ હશે. ઉદાહરણ તરીકે, જ્યારે રાત્રિભોજન માટે શું બનાવવુ તે નક્કી કરવાની વાત આવે છે. ત્યારે પરિવારનો દરેક સભ્ય જુદી જુદી વસ્તુઓ પસંદ કરશે અને દરેકની ઈચ્છા પ્રમાણે બનાવવું અશક્ય બની રહે છે, આવી પરિસ્થિતિમાં પરિવારના અમુક સદસ્યો એ થોડી બાંધછોડ કરવી પડે છે.
જીવનમાં, તમે ક્યારેય પણ પ્રત્યેક વ્યક્તિને ખુશ રાખી શકશો નહીં. તમે જે પણ નિર્ણયો લો છો અથવા જે પણ કંઈ કાર્ય કરો છો, ત્યારે જગત તમને માપે છે અને એના આધારે લોકો તમારા માટે મંતવ્યો (પોતાના અભિપ્રાયો) આપશે. પોતાના નિર્ણયમાં અડગ રહી દરેકને ખુશ કરવાનો પ્રયાસ કરવાને બદલે, તેમને દુઃખ ન પહોંચે એ માટે સક્રિયપણે પ્રયાસ કરો.
દરેક વ્યક્તિનું પોતાનું મંતવ્ય હોય છે. આપણને જે સાચું લાગે છે એ જરૂરી નથી કે સામાને પણ એવું જ લાગે. ઉદાહરણ તરીકે, આપણે એવું માનીયે કે, મોડી રાત્રે ન ખાવું જોઈએ પરંતુ, બીજા કોઈની પાસે મોડી રાત્રે ખાવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ ન હોય તેવું પણ બની શકે છે. બની શકે કે તેને લાંબા કલાકો સુધી કામ કરવું પડતું હોય. આમાં કોઈ સાચું કે ખોટું નથી, ફક્ત દ્રષ્ટિકોણ જુદા છે. અને તેથી જ લોકો આ પ્રકારની પરિસ્થિતિઓને જુદી જુદી રીતે સમજે છે. ચોરની દ્રષ્ટિએ ચોરી કરવી એ ખરાબ વસ્તુ નથી. તેથી, જ્યારે ચોરનો ન્યાય કરવામાં આવે છે, ત્યારે તે દુ:ખ અનુભવે છે. કેમ કે તેની દ્રષ્ટિ (વિચારસરણી) જુદી છે. તમારી જે બાબતમાં શ્રધ્ધા હોય અને અન્ય લોકો તમારી વિચારધારા સાથે સહમત નથી, તો તમે જે યોગ્ય લાગે છે તે કરવાનું ચાલુ રાખો. પરંતુ તેના કારણે કોઈને દુઃખ ન થાય એ ધ્યાન રાખવું.
યાદ રાખો કે કોઈ પણ પરિસ્થિતિ કાયમ રહે નહીં.