Aalap Doshi's Spiritual Reiki Vaastu Centre

Aalap Doshi's Spiritual Reiki Vaastu Centre We are practicing Spiritual Reiki and Vaastu for the last 20 years.

Our lectures on Reiki and Spiritualism are based on targets to improve daily life physically and mentally and never directed depriving one of the worldly pleasures responsibly.

27/08/2024

ગણેશ ઉત્સવ

દર વર્ષે ભાદરવા મહિનાની સુદ પક્ષની ચતુર્થી તિથિથી ગણેશ ઉત્સવની શરૂઆત થાય છે. દસ દિવસ સુધી ચાલનારા આ ઉત્સવમાં બાપ્પાની વિધિવત્ પૂજા સાથે પ્રસાદ વગેરે કરવામાં આવે છે. તેમની વિધિવત્ પૂજા કરી અને શુભ સમયે અનંત ચતુર્દશીના રોજ તેમનું વિસર્જન કર્યા પછી તેમને વિદાય આપવામાં આવે છે.

# ગણેશજીની મૂર્તિ કેવી હોવી જોઈએ?
* ડાબી સૂંઢના ગણપતિ લાવવા જોઈએ. આ ગણપતિને વામમુખી ગણેશ કહેવાય છે. ડાબી સૂંઢના ગણપતિ લક્ષ્મી, આનંદ, સુખ, સમૃદ્ધિ, કીર્તિ આપનાર છે.

ગણપતિ બાપાની મૂર્તિ ખરીદતી વખતે એ ધ્યાન રાખો કે તેમની મૂર્તિમાં તેમનું વાહન મૂષક જરૂર હોવું જોઈએ. આ સાથે ગણેશજીની મૂર્તિ લેતી વખતે તેમની પસંદગીની મીઠાઈ મોદકનું જરૂર ધ્યાન રાખવું જોઈએ. ગણપતિજીની મૂર્તિમાં જો મોદક ડાબા હાથમાં હોય અને સાથે જ એ પણ ધ્યાન રાખો કે ભગવાન ગણેશની સૂંઢ પણ એ દિશા તરફ હોય એવી મૂર્તિ જ શુભ માનવામાં આવે છે. તેમનો એક હાથ આશીર્વાદની મુદ્રામાં હોવો જોઈએ. એક હાથમાં દાંતણ હોય આવી મૂર્તિની ઘરમાં સ્થાપના કરવાથી તમારું ઘર ધન, સંપત્તિ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે.

જમણી બાજુની સૂંઢવાળા ગણપતિ પર સૂર્યનો પ્રભાવ હોય છે. મોટાભાગના મંદિરોમાં આવા ગણપતિની પૂજા કરવામાં આવે છે. કારણ કે તેમની પૂજા, આરતી નિયમિતપણે અને યોગ્ય વિધિ સાથે કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સહેજ ભૂલ પણ મુશ્કેલીનું કારણ બની શકે છે.
* એવા ગણેશની મૂર્તિ લાવવી જે બેઠેલી મુદ્રામાં હોય. અને તેમના પગ જમીનને સ્પર્શતા હોય.
* જો તમે ઇચ્છો તો ઘરમાં જ માટીમાંથી ભગવાન ગણેશની મૂર્તિ બનાવી શકો છો.
* સફેદ આંકડાના મૂળથી બનેલી ગણપતિની મૂર્તિની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
* જો તમે માટી કે આંકડાના મૂળથી બનેલી મૂર્તિ રાખવા નથી માગતા તો તમે ચાંદી કે તાંબાથી બનેલી મૂર્તિની પણ પૂજા કરી શકો છો.
* જો તમે સ્ફટિકની મૂર્તિ રાખો છો તો એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
* ઇકો-ફ્રેન્ડલી માટીથી બનેલી મૂર્તિ લાવવી જોઈએ.
* સફેદ રંગની, લાલ રંગની ગણેશ મૂર્તિ લાવી શકો છો.

# બેઠક
* ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના હંમેશા ઇશાન ખૂણામાં કરવી જોઈએ. અને તેમનું મુખ ઉત્તર દિશામાં હોય તે વાતનું ધ્યાન રાખવું.
* ભગવાન ગણેશજીની મૂર્તિને ક્યારેય ભૂલથી પણ દક્ષિણ દિશામાં સ્થાપિત ન કરવી જોઈએ.
* ભગવાન ગણપતિની મૂર્તિ ઘરના કોઈપણ ખૂણામાં ન રાખવી જોઈએ.

# વિધિ
* ગણપતિ બાપ્પાની મૂર્તિ લાવતી વખતે સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. બાપ્પાની મૂર્તિ લાવતી વખતે મહિલાઓએ સોળે શ્રૃંગાર કરવા જોઈએ. પુરુષોએ માથા પર ટોપી કે રૂમાલ રાખવો જોઈએ.
* ગજાનંદને લેવા જતી વખતે એક ચાંદીની થાળી અવશ્ય સાથે રાખો, જેથી તમે તેના પર ગણેશજીની મૂર્તિ મૂકી શકો અને તેમને ઘરે લાવી શકો. જો તમારી પાસે ચાંદીની થાળી ન હોય તો તમે તાંબા કે પિત્તળની થાળી પણ લઈ શકો છો. જો તમારે થાળી ન રાખવી હોય તો લાકડાની થાળી પણ લઈ શકો છો.
* ચતુર્થીના દિવસે વિઘ્નહર્તાને ઢોલ-નગારા સાથે ખૂબ જ ધામધૂમથી ઘરે લાવવા જોઈએ.
* ભગવાન ગણેશજી ઘરે પધારે ત્યારે ઘરની માલિકણ ભગવાન ગણેશજીને ઘરના દરવાજે રોકીને પોતે ઘરની અંદર તરફ રહીને તેમની પૂજા કરે અને તેમની આરતી કરે. ત્યારપછી તેમને ઘરની અંદર પ્રવેશ કરાવો અને તેમના સ્થાન પર સ્થાપિત કરો.
* તમે ભગવાન ગણેશજીને જ્યાં બીરાજમાન કરવા માગો છો એ જગ્યાને સ્નાન કર્યા પછી, ભગવાન ગણેશના મંત્રનો જાપ કરતા કરતા તેને શુદ્ધ કરવા માટે ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. ત્યાં કુમકુમથી સ્વસ્તિક બનાવો. બનાવેલા સ્વસ્તિક પર હળદરના ૪ ચાંદલા કરો. મુઠ્ઠીભર અક્ષત (ચોખા) મૂકો. જેની ઉપર તમારે ચોકી અથવા બાજોઠ મૂકવાની છે. આ બાજઠ પર પીળું અથવા લાલ રંગનું કપડું પાથરીને અને તેની ઉપર ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરો. ચોકીની આસપાસ ફૂલોની સુંદર સજાવટ કરો. સારી રોશની માટે લાઈટિંગ પણ કરો. એના માટે તમે બજારમાં ઉપલબ્ધ રંગબેરંગી લાઇટનો પણ ઉપયોગ કરી શકો છો. ધ્યાન રાખો કે ચોકીની આસપાસ અંધારું ન હોવું જોઈએ.
* તમારા ઘરને એવી રીતે સજાવો કે જ્યારે બાપ્પા તમારા ઘરમાં પ્રવેશે ત્યારે આ બધી તૈયારીઓ જોઈને તેઓ ખુશ થઈ જાય અને તમારા ઘરના સભ્યોને આશીર્વાદ આપે.
* આ પછી ગણપતિને સુંદર વસ્ત્રો, આભૂષણો, કલવ, અક્ષત, ફૂલ, માળા, મુગટ વગેરેથી શણગારો. લાલ ચંદનથી ભગવાનનું તિલક કરો.
* ગણપતિ બાપ્પાને બિરાજમાન કર્યા પછી તેમને પવિત્ર દોરો અવશ્ય અર્પણ કરવો જોઈએ.
* તેમની સામે કળશ સ્થાપિત કરવું જોઈએ.
* કળશ સ્થાપિત કર્યા પછી તેમને દુર્વા ઘાસ, ફૂલ, મોદક અથવા બૂંદીના લાડુ, પંચામૃત, પાંચ ફળ અને પંચમેવા અર્પણ કરવા જોઈએ.
* અખંડ જ્યોત પણ પ્રગટાવવી જોઈએ.
* આખા પરિવારે ભેગા થઈને ભગવાન ગણેશજીની કપૂરથી આરતી કરવી જોઈએ અને ભોગ ચઢાવવો જોઈએ.
* પ્રસાદ માટે મોદક કે લાડુ હોવો ખૂબ જ જરૂરી છે.
* દરરોજ સવાર-સાંજ ભગવાન ગણેશની પૂજા કરો, તેમની આરતી કરો અને પ્રસાદમાં મોદક, લાડુ, પંચમેવા અને ડ્રાયફ્રૂટ્સ રાખો.
* વ્યક્તિએ સંપૂર્ણ વિધિ સાથે ગણપતિ બાપ્પાની આરતી કરવી જોઈએ. અને તેમના પરિવારના સુખ અને સમૃદ્ધિ માટે તેમની પાસે પ્રાર્થના કરવી જોઈએ.

# હેતુ
* જો ઘરમાં લાંબા સમયથી કોઈ બાળક નથી અને તમે સંતાનની ઈચ્છા સાથે ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવા ઈચ્છતા હોવ તો ગણેશ ઉત્સવ પર બાલ ગણેશની મૂર્તિ ઘરે લાવો.
* આનંદ, ઉત્સાહ અને પ્રગતિ માટે નૃત્યની મુદ્રામાં ભગવાન ગણેશની મૂર્તિ ઘરે લાવો.
* જે લોકો કળામાં વિશ્વાસ રાખે છે, તેમણે પણ પોતાના ઘરમાં નૃત્ય કરતા ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ.
* જો તમે ઘરમાં કાયમી સુખ, શાંતિ અને આનંદ માટે ભગવાન ગણેશની મૂર્તિ લાવવા માંગો છો, તો ભગવાન ગણેશની એવી મૂર્તિ ઘરમાં લાવો જેમાં ભગવાન ગણેશ નીચે સૂતા હોય અને આરામ કરતા હોય. પરિવારના સભ્યો માટે પણ આવી મૂર્તિ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
* ઓફિસો કે બિઝનેસની જગ્યાએ ભગવાન ગણેશજીની મૂર્તિને ઊભી મુદ્રામાં રાખવી જોઈએ.

# મંત્રનો જાપ કરો.
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥

નોંધ: કેટલીકવાર લોકો બે ગણપતિની મૂર્તિઓ લાવે છે. ઘરમાં એકથી વધુ ગણપતિની મૂર્તિઓ રાખવાથી રિદ્ધિ-સિદ્ધિ નારાજ થઈ જાય છે અને આવા ઘરમાં સમૃદ્ધિ નથી આવતી.

16/08/2024

દાદર, ખંજવાળ અને ખરજવાની બીમારી

આ એક પ્રકારનું સ્કિન ફંગલ ઇન્ફેક્શન છે. તે ત્વચા પર લાલ ફોલ્લીઓ જેવું લાગે છે. જેમાં ખંજવાળ તેમજ બળતરા પણ થાય છે. દાદર પગ, કમર દાઢી અથવા અંડરઆર્મસ પર થઈ શકે છે. દાદરનું મુખ્ય કારણ જમીન અને આપણી હવામાં જોવા મળતી ફૂગ છે.

# કારણો
૧. વધારે પરસેવો થવો.
૨. લાંબા સમય સુધી પેશાબ રોકી રાખવો.
૩. ડાયાબિટીસ
૪. ગરમ અને ભેજવાળી હવા
૫. કપડાથી થતું નુકસાન
૬. બીજાના કપડા કે ટુવાલનો ઉપયોગ કરવો.

# લક્ષણો
૧. ત્વચા પર લાલ ફોલ્લીઓ થવી.
૨. લાલ અથવા ગુલાબી રંગના ચકામા થવા.
૩. સ્કિન ઉપર બ્રાઉન અથવા ગ્રે રંગના ચકામા થવા.

# ઉપાયો
૧. ચોમાસામાં ત્વચા પર ખંજવાળની સમસ્યાથી છુટકારો મેળવવા માટે સ્નાન કરતી વખતે એક વાસણમાં ૨ ચમચી ખાવાનો સોડા અને ૧ ટેબલસ્પૂન લીંબુ મિક્સ કરો. આ પેસ્ટને ત્વચા પર સારી રીતે લગાવો અને ૫ થી ૧૦ મિનિટ માટે રહેવા દો. ત્યાર બાદ જ સ્નાન કરો.
ફોલ્લીઓ અને તેના દ્વારા થતી ખંજવાળ રાહત મેળવવા માટે તમે લીંબુનો રસ પાણીમાં ભેળવીને પી શકો છો.
૨. ત્વચા પર ચંદનનો ઉપયોગ ફાયદાકારક છે. જો ચોમાસામાં વધુ પડતી ખંજવાળ આવતી હોય તો ચંદનની પેસ્ટ લગાવવાથી રાહત મળે છે. ચંદનના પાવડરમાં થોડું ગુલાબજળ ભેળવીને જે જગ્યા પર ખંજવાળ આવતી હોય તે જગ્યા પર પર લગાવો. સુકાઈ ગયા પછી ઠંડા પાણીથી ધોઈ લો.
૩. જો તમે ચોમાસામાં ખંજવાળની સમસ્યાથી પરેશાન હોવ તો લીમડાના પાનને પીસીને તેને ખંજવાળવાળી જગ્યા પર લગાવો. લીમડામાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે. જે ખંજવાળ દૂર કરવામાં મદદ કરે છે.
થોડા લીમડાના પાનને ઉકાળીને નહાવાના પાણીમાં મિક્સ કરીને ખંજવાળ દૂર કરી શકાય છે. જો તમે સમગ્ર ઉનાળામાં તે પાણીથી સ્નાન કરશો તો ખંજવાળ, ફોલ્લીઓ, ખીલની સમસ્યા થશે નહીં.
૪. નાળિયેર તેલ (કોપરેલ)માં એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે. જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કોપરેલ ત્વચાને પોષણ આપવાની સાથે ત્વચાના ઇન્ફેક્શનને દૂર કરવામાં પણ ઉપયોગી છે. જો તમને ચોમાસામાં ખંજવાળ આવતી હોય તો નારિયેળનું તેલ લગાવાથી આરામ મળે છે.
૫. દાદર પર શંખપુષ્પીનું તેલ લગાવવાથી આરામ મળે છે.
૬. ટામેટાના રસમાં હળદરના પાઉડરને મિક્સ કરીને દાદરની જગ્યા પર આ પેસ્ટ લગાવવાથી ખંજવાળમાં રાહત મળશે.
૭. દાદરથી બચવા માટે શરીરના પ્રાઈવેટ પાર્ટને સાફ કરવું ખૂબ જ જરૂરી છે.
૮. ઢીલા અને સુતરાઉ કપડાં પહેરો.
૯. જો તમને દાદરની તકલીફ હોય તો દિવસમાં બે વાર કપડાં બદલો.
૧૦. બેકિંગ સોડા એ ખુજલીવાળી ત્વચા માટેનો એક અસરકારક ઉપાય છે.
૧૧. ખુજલીવાળી ત્વચા પર ઠંડુ પાણી રેડવાથી તરત જ રાહતનો અનુભવ થાય છે.
ખંજવાળ સામે લડવામાં બરફ ખૂબ અસરકારક છે. પાતળા અને સ્વચ્છ કપડામાં વીંટાળેલા આઇસ ક્યુબને ફોલ્લીઓ પર ૮-૧૦ મિનિટ સુધી ઘસવાથી ફોલ્લીઓ દૂર થઈ જશે. ત્વચાની બળતરા અને ખંજવાળ ઓછી થશે.
૧૨. ખંજવાળની સમસ્યામાં ફટકડી ખૂબ જ ઉપયોગી છે. ફટકડીમાં મિશ્રિત પાણીને સ્વચ્છ કપડાથી ત્વચા પર લગાવો. ત્યારબાદ થોડીવાર માટે તેને જેવું છે તેવું જ રાખો. પછી સ્નાન કરી લો. આ ઉપાય ફાયદાકારક છે.

21/07/2024

ખરાબ નજર કેવી રીતે ઉતારવી?

બાળકો નાજુક અને નિર્દોષ હોય છે. તેથી જ તેને લોકોની નજર લાગી જાય છે. આ કારણે તેઓ દૂધ પીવાનું બંધ કરી દે છે અને ચીડિયા થઈ જાય છે.

જ્યારે કોઈ વ્યક્તિ નજરદોષની ઝપેટમાં આવે ત્યારે તે જે પણ કંઈ કરે છે, તેમાં અસફળ રહે છે. મન અશાંત રહેવા લાગે છે. અને મગજ નકારાત્મક વિચારોથી ઘેરાયેલું રહે છે. તે વ્યક્તિના ખાવા-પીવા પર પણ અસર કરે છે.

* તાંબાના વાસણમાં પાણી અને તાજા ફૂલ લઈને તેને વ્યકિતના માથાથી પગ સુધી ૧૧ વાર ઉતારી ફ્લશ કરો.

* શનિવારે વ્યકિતની ઉપરથી સાવરણી અથવા ડાબા પગનું ચંપલ ઉલટા ક્રમમાં સાત વખત ઉતારો. ત્યારબાદ દરવાજાના ઉંબરા પર ચપ્પલ અથવા સાવરણી ત્રણ વાર પછાડીને પાછા આવો.

* ખાંડથી પણ બાળકની નજર ઉતારી શકો છો. ખાંડને બંને હાથની મુઠ્ઠીમાં લઈને બાળકના માથાથી પગ સુધી ગોળાકાર ગતિમાં ફેરવો અને તરત જ ખાંડને વૉશ બેસિનમાં અથવા વહેતા પાણીમાં નાખી દો.

* મુઠ્ઠીમાં મીઠું, સરસવના દાણા, સૂકા લાલ મરચાં, લસણ અને સૂકી ડુંગળીની છાલ લઈને તેને વ્યકિતના માથાથી પગ સુધી સાત વાર ઉતારો અને પછી આ વસ્તુઓને આગમાં બાળી નાખો.

* જો બાળક ચિડાઈ જાય અને દૂધ પીવાનું બંધ કરી દે તો, શનિવારે બાળક ઉપર ૭ વાર કાચું દૂધ ઉતારી અને કૂતરાને પીવડાવો.

* જો બાળક વારંવાર બીમાર રહે છે, જેના કારણે તેનો શારીરિક વિકાસ યોગ્ય રીતે થતો નથી, તો તેના માટે બાળક પર ફટકડી અને સરસવને સાત વખત ઉતારીને તેને આગમાં બાળી દો. આ ઉપાય દિવસમાં ત્રણ વખત કરો.

* ૩ આબલીના બીજ લઈને નજરદોષ લાગેલા વ્યક્તિના માથા પરથી ૭ વખત ઉતારો. ત્યારબાદ આ બીજને બાળી દો.

* પીપળાના ૭થી ૧૧ પત્તા લો. આ પત્તાને એક વાટકામાં પાણી ભરી, તે પાણીમાં ચોખા, લાલ મરચું. સરસવ અને લીંબુના ચાર ટુકડા કરી વ્યક્તિના માથેથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ૧૧ વખત ફેરવો.

* ૫ આખા લવિંગ તે વ્યક્તિના માથા પરથી લઈને પગ સુધી ૭ વખત સીધુ અને ૭ વખત ઉંધુ ઉતારવાથી નજર દૂર થાય છે. ત્યારબાદ નજર ઉતારેલા લવિંગને બાળી નાખો.

* એક નારિયેળને કાળા કપડામાં બાંધીને ઘરના મુખ્ય દરવાજે બાંધી દો.

* કોડીને કાળા કપડામાં બાંધીને ઘરના મુખ્ય દરવાજે લટકાવી દો.

* ખરાબ નજરથી બચવા માટે મંગળવારે સ્નાન કરીને હનુમાનજીની પૂજા કરો. ખાસ વાતનું ધ્યાન રહે કે પૂજા કરતી વખતે હનુમાનજીને લાલ ચોળા અર્પણ કરી, લાડુનો ભોગ ધરો. આ ઉપાય સાત મંગળવાર સુધી કરવો.

16/07/2024

ગૃહપ્રવેશના સૂચનો

* ગૃહપ્રવેશના દિવસ પહેલા ઘરનું દરેક કામ પૂર્ણ થયેલું હોવું જોઈએ.
* ઘર પાણીથી ધોઈ સ્વચ્છ કરવું.
* ઘરમાં કચરો ન રાખવો.
* ઘરનું મુખ્ય દ્વાર આસોપાલવ કે ફૂલના તોરણથી સજાવવું.
* ગૃહપ્રવેશ પહેલા કોઈપણ જગ્યાએ ઘરમાં ચુલાનું સ્થાપન ન કરવું. એટલે કે ઘરમાં ન રાંધવું.
* ગૃહપ્રવેશ પહેલા ઘરના બાથરૂમમાં સ્નાન ન કરવું. કે શૌચાલયનો પણ ઉપયોગ ન કરવો.
* ગણેશ પૂજા, નવ ગ્રહશાંતિ, વાસ્તુ પુરૂષની પ્રતિમાનું પૂજન કરવું.
* વાસ્તુ પુરુષની પ્રતિમા, લક્ષ્મીની મૂર્તિ તથા તાંબાનો કે ચાંદીનો નાગ, મોતી વગેરે જમીનમાં દાટવા.
* પૂજા બાદ પુરુષે ઘરની પ્રદક્ષિણા કરવી. તથા સ્ત્રીઓએ પાણીના ઘડા સાથે ઘરની પ્રદક્ષિણા કરવી.
* ઈશાન ખૂણામાં પૂજા અને પાણીની માટલી મૂકી, ગણપતિના દર્શન કરવા. ઘરમાં મુખ્ય દંપત્તિએ ગૃહ પ્રવેશ કરી ઈશાન ખૂણામાં દર્શન કરવા.
* વાયવ્યમાં ઘઉં અને ચોખા, ઇશાનમાં પાણીનો ઘડો, અગ્નિ ખૂણામાં મીઠું, નૈઋત્યમાં છરી અથવા પથ્થર મૂકી પછી બાકીનો સામાન ઘરમાં લાવવો.
* પૂજા કરતા પહેલા તે દિવસે અન્નનો ત્યાગ કરવો. તથા નાહીને પીળા વસ્ત્ર પહેરવા.
* પૂજા વખતે ફક્ત તાંબાના વાસણોનો ઉપયોગ કરવો.
* પૂજા વખતનું પાણી કૂવામાંથી લાવવું.
* એકાગ્રા મનથી પૂજા કરવી. પૂજા કરતી વખતે ઘરમાં બીજો કોઈ ઘોંઘાટ કે રમત ન રમવી.

24/05/2024

Animal Reiki

Reiki is a wonderful healing tool for every living thing, and most types of animals respond to it very well, in such an unquestioning and trustful way that it can be quite a humbling experience. It does seem that animals are very much more in tune with their own health and energy needs than humans, and they are also much more intuitive and can detect healing energies more easily than we can.

Many people are very fond of animals, so if you are attuned to Reiki, it can be especially delightful and satisfying to extend your gift of healing energy to your pets.

* What is Animal Reiki good for?
The biggest benefits of Animal Reiki are stress relief, a strong sense of well-being and a greater quality of life.

* Is Animal Reiki different from human Reiki?
The two differ in how they are offered. Human Reiki stresses using hands and hand positions. Animal Reiki is meditating with animals, not offering hand and hand positions. With Animal Reiki, the practitioner never leads with their hands.

* What does Reiki do for animals?
During a Reiki session, animals often experience a deep state of peace as the Reiki clears imbalances, allowing for new and harmonious patterns of health and wellness to emerge. Physical contact is not a requirement for Reiki and traditionally the practitioner offers Reiki to the animal hands-off.

# The Basics of Treating Animals:
The way you treat a particular animal will obviously depend upon its size and temperament, and whilst with some you can follow a similar format of hand positions to those you would use on humans, with others you may need to use different methods depending upon specific circumstances.
✓ Placing the hands directly on the animal whenever it is safe and practical to do so.
✓ Placing the hands on the cage or tank in which the animal is housed if the animal is too small or too dangerous to touch, or if direct touch would disadvantage the creature (e.g. a fish).
✓ Holding a small animal in your hands if this is safe to do and won't frighten the creature too much.
✓ Sending Reiki through the aura to an animal, either holding your hands directly above the animal or from several meters away.
✓ Using the Reiki symbols to direct Reiki to an animal, can be even more effective.
✓ Sending a full-distance treatment to an animal, once, or as a regular thing in the case of severe illness. A stuffed animal can also be used as a surrogate to send distant Reiki to the animal.

# Treating through the aura:
Most of the methods above will be familiar to you. You probably know that the energy field around your body can extend as much as 60 feet (9.2 metres) in front of you, and the same distance behind you although 20 to 30 feet (3 to 4.5 metres) is probably more usual. This means that if you are standing up to 20 feet away from an animal, it is probably encompassed in your aura, so all you need to do is think and intend that Reiki is filling your aura, and it will do so, and then the animal will be surrounded by Reiki. You can then intend that the Reiki flows into the animal for its greatest and highest good, and if the animal is happy to receive it, that is what will happen. Even if an animal is much further away, you can still connect to it in this way because it is possible to consciously push your aura out as far as you need it to go - even 500 metres or more - by visualising the edge of your aura expanding until it is large enough for the animal to be inside it, and then letting your aura fill with Reiki, as before, allowing the Reiki to flow into the animal's aura and from there into its body, if the animal is willing to receive it. (It is unlikely that the Reiki will be rejected, but there will be no harm done either way because the Reiki will just work with your own aura if this happens, which is fine.) This method is an alternative to using the Reiki symbols to send Reiki, so it is a good way for people to work if they haven't done Usui Reiki level 2.

21/05/2024

life is a balance of holding on and letting go.

Emotional attachments play a significant role in our struggle to let go. Whether it's a past relationship, a treasured possession, or a nostalgic memory, we form deep emotional connections that anchor us to the past. Severing these attachments can feel like losing a part of ourselves.

Letting go gives us freedom, and freedom is the only condition for happiness. If, in our hearts, we still cling to anything—anger, guilt, or possessions—we cannot be free. – Thich Nhat Hanh

When we lose someone, the unmet need is often the human need for certainty. Letting go and moving on from a relationship can create a great deal of uncertainty that feels painful because the other person likely provided a strong source of certainty or security.

Feelings are just visitors. Let them come and go.

The trick is to live every moment of your life trying to enjoy it, to be happy and to make someone else happy too.

Enjoy… every… moment. While it lasts.

Start today by letting go of the old burdens, the old grudges and hard feelings that hold you back from experiencing life to the fullest. If something hurts you, let it go. If something makes you happy, magnify the presence of it in your life.

When you feel unsure about letting something go ask yourself this: Does this thing, situation or person add value to my living experience? And do I really need their presence in my life?

How often do you find yourself in a state of mind where you hold on to painful memories that prevent you from receiving and giving love? What might happen if you choose to let those heavy memories go? Imagine stormy grey clouds and the way they tend to disappear leaving the sky clear eventually… Choose to let go to feel lighter and happier today.

We move one. We move forward. But that doesn't mean the past never existed. It means that the past no longer controls us.

Some people struggle to let go of painful memories or relationships or to move on from past experiences because they believe that whatever has happened to them is part of their identity. But ruminating on the past won't change it and holding onto pain won't help relieve that pain.

17/05/2024

નિષ્ફળતાથી સફળતા સુધી

જાણ્યે અજાણ્યે, પ્રત્યેક વ્યક્તિ જીવનમાં સફળતા અને નિષ્ફળતાના સમયમાંથી પસાર થાય છે. કોઈ કાયમી સફળતા જાળવી શકતું નથી. નિષ્ફળતા પણ કાયમ માટે રહેતી નથી. નબળા સંજોગો દરમ્યાન, આપણે જીવન પ્રત્યે નકારાત્મક (નેગેટીવ) વલણને સ્વીકારીએ છીએ અને અણગમતી લાગણીઓને અનુભવીએ છીએ. જેમ કે નફરતની લાગણી, હીનતાની લાગણી અને અન્યને નીચા ગણવું. પરિસ્થિતિ વધુ વણસે ત્યારે, વ્યક્તિ જીવનનો ઉદ્દેશ્ય અને તેનું ચિંતવન આત્મહત્યા તરફ જવાના વિચારોને અવરોધે છે.

જીવનમાં બંને પ્રકારની પરિસ્થિતિઓ આવતી-જતી રેહશે: સફળતા આપણને શીખવે છે કે, અથાગ મહેનત અને આશાવાદી વલણ જીવનમાં હકારાત્મક (પોઝિટિવ) પરિણામોને લાવે છે.
નિષ્ફળતા આપણને શીખવે છે કે, ના ગમતા કપરા સંજોગો, આપણી બધી નબળાઇઓ અને નકારાત્મકતાને સકારાત્મકતામાં પરિવર્તન કરવાની શક્તિ ધરાવે છે.
તેથી, બંને આપણા જીવનમાં વિકાસશીલ રીતે કામ કરે છે.

એક દૃષ્ટિકોણથી, નબળો તબક્કો અથવા નિષ્ફળતા એ સારા માટે છે. પ્રયાસ કર્યા વિના, તમે ક્યારેય સફળ થશો નહીં. જો તમને જીવનમાં નિષ્ફળતા ન આવી હોય, તો તમે સફળતા પણ પચાવી શકશો નહિ. કોઈ પણ વસ્તુનો અતિરેક (પોઝિટિવ કે નેગેટીવ) એ અનિવાર્યપણે સુખ અને ઉદાસીનતા તરફ લઇ જાય છે અને પછી એક વ્યક્તિ તરીકેનો વિકાસ થઇ શકતો નથી.

જે ખોટું થયું તે બધું વાગોળીને પોતાની જાત પ્રત્યે દિલગીર રહેવાને બદલે, સકારાત્મક પગલું ભરી તેનો ઉકેલ લાવો. પરિસ્થિતિને બદલો.

ભૂતકાળને યાદ કરો. તમને પહેલા પણ આવી જ અથવા તેથી વધુ ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે. અને તમે તેના પર વિજય પણ મેળવી છે.

તમે જે વાવો છો તે જ તમે બનો છો. જો તમે ‘હું કરી શકું છું, અને હું કરી શકીશ’ એમ વિચારશો, તો થોડા સમય પછી, વસ્તુઓ ધીરે ધીરે બદલાશે અને વિકાસશીલ વળાંક લેશે. તેવી જ રીતે, જો તમે એમ કહેતા રહેશો કે ‘હું નિષ્ફળ અથવા સમયનો વ્યર્થ કરું છું’, તો તે તમારા વિચારો અને ચારિત્ર્ય પર અસર કરશે અને તમારી આસપાસના લોકોને પણ અસર કરશે. તે એવું છે કે જ્યારે તમે વાવમાં બોલો કે, 'હું નિષ્ક્રિય છું' તો વાવ પડઘો ફેંકશે કે, 'હું નિષ્ક્રિય છું, 'હું નિષ્ક્રિય છું...' તેવીજ રીતે, તમે કહી શકો, "હું કરી શકીશ, મારી પાસે ક્ષમતા / કુશળતા છે”. તો વાવ પડઘો ફેંકશે કે, 'હું કરી શકીશ, 'હું કુશળ છું, હું સક્ષમ છું...

લોકો જયારે તમારા માટે અભિપ્રાય બાંધે અથવા ધારણા કરે ત્યારે પરિસ્થિતિ મૂંઝવણજનક, તણાવવાળી અને દુઃખદાયક બની જાય છે. તે તમને અસુરક્ષિત અને સંકુચિત બનાવી દે છે. જાણ્યે અજાણ્યે, આપણે બધાએ જીવનના કેટલાક તબક્કે આ અનુભવ કર્યો છે. પરંતુ કેટલાક લોકો માટે, આ પ્રકારના લાગણીની અસર અત્યંત નિરાશાજનક (ડીપ્રેસીંગ) સાબિત થઇ શકે છે.

જગતના લોકોનો તમારા વિષે શું અભિપ્રાય છે, એ વાતને વધુ ગણકારશો નહિ. આમ કરવાથી તમારું જીવન સરળ બનશે. પાસાંની બીજી સારી બાજુ એ છે કે, તમારે સામના વિનયમાં જરૂરથી રેહવું પણ સામાના મંતવ્યોને પસંદ કરવાની અથવા તો એમના અનુરૂપ વર્તવાની આવશ્યતા નથી. જો તમે પોતાના ઘરે પણ જોશો, તો દરેકનો વ્યક્તિનો દ્રષ્ટિકોણ અલગ હશે. ઉદાહરણ તરીકે, જ્યારે રાત્રિભોજન માટે શું બનાવવુ તે નક્કી કરવાની વાત આવે છે. ત્યારે પરિવારનો દરેક સભ્ય જુદી જુદી વસ્તુઓ પસંદ કરશે અને દરેકની ઈચ્છા પ્રમાણે બનાવવું અશક્ય બની રહે છે, આવી પરિસ્થિતિમાં પરિવારના અમુક સદસ્યો એ થોડી બાંધછોડ કરવી પડે છે.

જીવનમાં, તમે ક્યારેય પણ પ્રત્યેક વ્યક્તિને ખુશ રાખી શકશો નહીં. તમે જે પણ નિર્ણયો લો છો અથવા જે પણ કંઈ કાર્ય કરો છો, ત્યારે જગત તમને માપે છે અને એના આધારે લોકો તમારા માટે મંતવ્યો (પોતાના અભિપ્રાયો) આપશે. પોતાના નિર્ણયમાં અડગ રહી દરેકને ખુશ કરવાનો પ્રયાસ કરવાને બદલે, તેમને દુઃખ ન પહોંચે એ માટે સક્રિયપણે પ્રયાસ કરો.

દરેક વ્યક્તિનું પોતાનું મંતવ્ય હોય છે. આપણને જે સાચું લાગે છે એ જરૂરી નથી કે સામાને પણ એવું જ લાગે. ઉદાહરણ તરીકે, આપણે એવું માનીયે કે, મોડી રાત્રે ન ખાવું જોઈએ પરંતુ, બીજા કોઈની પાસે મોડી રાત્રે ખાવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ ન હોય તેવું પણ બની શકે છે. બની શકે કે તેને લાંબા કલાકો સુધી કામ કરવું પડતું હોય. આમાં કોઈ સાચું કે ખોટું નથી, ફક્ત દ્રષ્ટિકોણ જુદા છે. અને તેથી જ લોકો આ પ્રકારની પરિસ્થિતિઓને જુદી જુદી રીતે સમજે છે. ચોરની દ્રષ્ટિએ ચોરી કરવી એ ખરાબ વસ્તુ નથી. તેથી, જ્યારે ચોરનો ન્યાય કરવામાં આવે છે, ત્યારે તે દુ:ખ અનુભવે છે. કેમ કે તેની દ્રષ્ટિ (વિચારસરણી) જુદી છે. તમારી જે બાબતમાં શ્રધ્ધા હોય અને અન્ય લોકો તમારી વિચારધારા સાથે સહમત નથી, તો તમે જે યોગ્ય લાગે છે તે કરવાનું ચાલુ રાખો. પરંતુ તેના કારણે કોઈને દુઃખ ન થાય એ ધ્યાન રાખવું.

યાદ રાખો કે કોઈ પણ પરિસ્થિતિ કાયમ રહે નહીં.

16/05/2024

આપણે સહુ સમસ્યાને લાડ લડાવતા રહીએ છીએ. આપણી જિંદગીમાં એવી ઢગલાબંધ ઘટનાઓ હોય છે, જેનાથી આપણે શારીરિક રીતે તો મુક્ત થઈ ગયા હોઈએ છીએ. પણ, માનસિક રીતે આઝાદ થયા હોતા નથી. આપણા વિચારો આપણને મુક્ત થવા દેતા નથી. જ્યાં સુધી વિચારોથી છુટકારો ન મળે ત્યાં સુધી મુક્તિનો અહેસાસ થતો નથી. આપણાં સુખ, દુ:ખ, પીડા, વેદના, દર્દ, મુશ્કેલી અને મુસીબતનું કારણ આપણા વિચારો જ હોય છે. જે માણસનો પોતાના વિચારો પર કાબૂ છે એ યોગી જ છે. વિચાર જ આપણામાં વિકાર પેદા કરે છે. પાંચ મિનિટમાં પતી ગયેલી ઘટનાને આપણે પાંચ મહિના સુધી પંપાળતા રહીએ છીએ. એ મને આવું બોલી ગયો, એણે મારી સાથે આવું વર્તન કર્યું, એણે મને હર્ટ કર્યો! આપણે એમાંથી બહાર આવતા જ નથી!

માણસ આખી જિંદગી પોતાની સાથે બે સંદૂક લઈને ફરે છે. એક પટારામાં ખરાબ યાદો હોય છે અને બીજામાં સારી યાદો હોય છે. બંને પટારા આમ તો ભરેલા જ હોય છે. આપણે ખરાબ યાદોનો પટારો ખુલ્લો રાખીએ છીએ. સારી યાદોનો પટારો કાયમ બંધ જ રહે છે. આપણે એટલું જ શીખવાનું હોય છે કે કયો પટારો બંધ રાખવો અને કયો ખુલ્લો રાખવો. એક માણસે પોતાના મોબાઇલમાં એક હાઇડ ફોલ્ડર રાખ્યું હતું. તેના મિત્રએ પૂછ્યું, આમાં શું છે? કંઈ ખાનગી છે? મિત્રએ કહ્યું, ના એવું નથી. એ ન જોવા જેવું છે. એ ફોલ્ડરમાં કડવી યાદો છે. મેં નક્કી કર્યું છે કે એ ફોલ્ડર ક્યારેય ન ખોલવું! મિત્રએ કહ્યું, એવું છે? પછી તેણે કહ્યું, મારા દોસ્ત, તો પછી એ ફોલ્ડરને ડિલીટ જ કરી દે ને! જે ખોલવા જેવું નથી એને સાચવીને શું કરવાનું છે? આપણે બધા એવું જ કરતા હોઈએ છીએ, સાચવવા જેવું ન હોય એને પણ સાચવતા રહીએ છીએ!

ઘણા માણસોને દુ:ખી થવાની પણ મજા આવતી હોય છે. એને સહાનુભૂતિ જોઈતી હોય છે. એકની એક વાતો કરીને એ પોતાના લોકો પાસેથી સાંત્વના ઇચ્છતા હોય છે. કોઈ પોતાની દયા ખાય એ પણ એને ગમતું હોય છે. એ બહાને પણ એ લોકોને પોતાના તરફે રાખવાનો પ્રયાસ કરતા હોય છે. કોઈના પર આધારીત રહેવું એની આદત બની ગઈ હોય છે. તમે કોના પર આધારીત છો? આપણે બધા આપણી વ્યક્તિ પર થોડા-ઘણા આધારીત રહેવાના જ છીએ. એના વગર મજા ન આવે, એના વગર ન ગમે, એ તો જોઈએ જ, આ પણ એક પ્રકારની આધારિતતા જ છે. પ્રેમ હોય ત્યારે આવું થવું સ્વાભાવિક છે. આધીન હોવા અને પરાધીન હોવામાં ઘણો ફેર છે. પરાધીનતા માણસને ગુલામી તરફ પ્રેરે છે. આધાર રાખો, પણ પરાધીન ન બનો. પરાધીન હોઈએ ત્યારે ક્યારેક માણસ આપણને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવા લાગે છે. સમર્પિત રહો, સરન્ડર નહીં.

સંબંધ કોઈ પણ હોય એ સુખ આપવા જોઈએ. એ માટે આપણને સુખી રહેતા આવડતું હોય એ પણ જરૂરી હોય છે. કોઈ આપણા માટે કંઈક કરતું હોય તો એની પણ કદર હોવી જોઈએ. કોઈ આપણને સુખી કે ખુશ રાખવા માટે મહેનત કરતું હોય ત્યારે આપણે એની કેટલી પરવા કરીએ છીએ? આપણો પ્રોબ્લેમ એ હોય છે કે આપણે કંઈ જવા દેતા નથી! પકડી રાખીએ છીએ! કોઈ આપણને એ માટે પ્રોત્સાહિત કરી શકે કે, તું છોડી દે! છોડવું તો આપણે જ પડે! આપણે ન મૂકીએ ત્યારે જ આપણી વ્યક્તિને એવું થાય છે કે, તારે મૂકવું જ નથી! એક વાતને પૂરી જ નથી કરવી! આપણી વ્યક્તિ ક્યારેક કંટાળી જાય છે કે, આને કંઈ ફેર જ પડતો નથી!

ક્યારેક તો કોઈ ત્રીજી વ્યક્તિને કારણે આપણે આપણી વ્યક્તિને અન્યાય કરતાં હોઈએ છીએ! આપણી જિંદગીમાં જેનું કોઈ મહત્ત્વ હોતું નથી એને આપણે એટલું બધું ઇમ્પોર્ટેન્સ આપી દઈએ છીએ જેને એ લાયક હોતા નથી.

દરેક માણસ એવું કહીને કંઈ નથી કરતો કે હું આ તારા માટે કરું છું. તને મજા આવે એટલે મેં આ પ્લાનિંગ કર્યું છે. સાચા સંબંધમાં કોઈ અણસાર ન આવે એવી રીતે ઘણું બધું થતું હોય છે. એનો અણસાર આપણને ઝીલતા આવડવો જોઈએ. જે વ્યક્તિ આપણા વિચારો વાંચી શકતી હોય છે એ જ ખરા અર્થમાં આપણી હોય છે. આપણે એવી વ્યક્તિને ઘણી વખત સાચવતા નથી અને જેને સાચવવા જેવા ન હોય એને આપણામાં સંઘરીને ફરતા હોઈએ છીએ. એવી વ્યક્તિ માટે આપણે આપણો સમય કે મગજ જ નહીં, આપણા વિચારને પણ ન બગાડવા જોઈએ. મુક્ત થવું હોય તો વિચારોથી આઝાદ થઈ જાવ! તમારા વિચારો ઉપર કોઈ કબજો જમાવી ન રાખે એની તકેદારી રાખો! કંઈ ભૂલવા માટે એ જરૂરી છે કે, એ વિચારોમાં ન પ્રવેશી જાય! વિચારોમાંથી હટાવશો નહીં તો ક્યારેય છુટકારો મળવાનો જ નથી!

કોઈ વ્યક્તિ, કોઈ સ્મરણ કે કોઈ ઘટના ત્યાં સુધી જ આપણી સાથે હોય છે જ્યાં સુધી આપણે એના વિચારો કરતા રહીએ છીએ! સુખ આપે એવા વિચારો વાગોળો, વેદના આપે એવા વિચારોને ટાળો!

25/04/2024

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દિશાઓના ખૂણાના દોષ અને તેનું નિવારણ

ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એમ ચાર દિશાઓ છે. આ ચાર દિશાઓમાંથી કોઈ પણ બે દિશા વચ્ચે ઉપદિશા કે ખૂણો આવેલો હોય છે. જે ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય ખૂણા કે દિશા તરીકે ઓળખાય છે. આ ચારેય ઉપદિશા મુખ્ય દિશા જેટલું જ મહત્ત્વ ધરાવે છે. ચારેય ખૂણાઓના દોષ અને તેના નિવારણ વિશે જાણીએ.

# ઈશાન ખૂણો
પૂર્વ અને ઉત્તર દિશા વચ્ચેના ખૂણાને ઈશાન ખૂણો કહેવાય છે. ઈશાન ખૂણો વાસ્તુશાસ્ત્રમાં સૌથી મહત્ત્વનો ગણાય છે. ઈશાન ખૂણામાં વાસ્તુપુરુષનું મસ્તક હોય છે. આ ખૂણામાં બ્રહ્માંડનાં સકારાત્મક કિરણો પ્રવેશે છે. તેથી ઈશાન ખૂણો સૌથી પવિત્ર જગ્યા ગણાય છે. આ ખૂણામાં ભગવાન શિવ અને ગુરુ ગ્રહનો વાસ છે. જન્મકુંડળીમાં બીજું ધન સ્થાન અને ત્રીજું પરાક્રમ સ્થાનમાં ઈશાન ખૂણો આવે છે. જન્મકુંડળીમાં આ બંને સ્થાન બગડયાં હશે તો, ઘરનું ઈશાન ખૂણાનું વાસ્તુ બગડેલ હશે જ. તેનાથી કાળપુરુષની જમણી આંખ, જમણા હાથ પર પ્રભાવ રહે છે.

* ઈશાન ખૂણાના દોષ
૧. ઈશાન ખૂણામાં મોટો બેઠકરૂમ, ગેલેરી હોય તે ખૂબ જ શુભ છે. પરંતુ આ જગ્યાએ સંડાસ-બાથરૂમ હોય તો સંતાન બાબતે તકલીફ થાય છે. વંશ વધતો નથી અને ઘરમાં હંમેશાં ક્લેશ રહે છે.
૨. ઈશાન ખૂણો કપાયેલો હોય તો જીવન નીરસ બની જાય છે. સ્ત્રીની તબિયત બગડે છે. પુત્રની પ્રગતિ અટકી જાય છે અને આર્થિક તકલીફોનો સામનો કરવો પડે છે.
૩. આ દિશામાં રસોડું હોય તો ગૃહક્લેશ તથા ધનનાશ થાય છે.
૪. ઈશાન ખૂણો ઊંચો હોય તો પણ દોષ લાગે છે.
૫. ઈશાનમાં ખાળકૂવો, સેપ્ટિક ટેન્ક હોય તો તે રોગને આમંત્રણ આપે છે.
૬. મોટો સ્ટોરરૂમ હોય તો પણ તે દોષ છે.
૭. ઈશાનમાં સીડી, લીફ્ટ કે સર્વન્ટ રૂમ હોય તો વાસ્તુદોષ કહેવાય.
૮. આ ખૂણામાં મોટાં મશીન હોય અને બારીઓ ન હોય તો ફેક્ટરી બંધ થવાની શક્યતા રહે છે.

✓ દોષ નિવારણ
૧. ઈશાનમાં ગુરુનું યંત્ર રાખવું તથા મૃત્યુંજય યંત્રની સ્થાપના કરવી.
૨. શિવ ઉપાસના કરવી. શિવતાંડવ સ્તોત્ર રોજ સાંભળવું.
૩. ઈશાનમાં પીળા કલરના ક્રિસ્ટલ બોલ બાઉલમાં ભરીને રાખવા.
૪. ઘરની મુખ્ય વ્યક્તિએ પાંચ કેરેટનો પોખરાજ સોનાની વીંટીમાં જડાવીને પહેલી આંગળીમાં ધારણ કરવો.
૫. આ પવિત્ર દિશામાં કચરો કરવો નહીં તથા સાવરણી મૂકવી નહીં.
૬. રોજ પોતાના ગુરુજીને વંદન કરવાં.
૭. આ ખૂણામાં પીળા કલરનો બલ્બ ચાલુ રાખવો.
૮. એક પિરામિડ લગાડવું જેથી ઊર્જાનું સંતુલન જળવાઈ રહે.
૯. સોમવારનો ઉપવાસ કરવો.
૧૦. એક લોટીમાં ૯ નંગ મોતી મૂકી પાણી ભરીને ઈશાન ખૂણામાં રાખવી.

# અગ્નિ ખૂણો
પૂર્વ દિશા અને દક્ષિણ દિશાની વચ્ચેના ખૂણાને અગ્નિ ખૂણો કહેવાય છે. અગ્નિ ખૂણો અથવા વિદિશા પણ કહેવાય છે. આ ખૂણામાં અગ્નિનું પ્રભુત્વ વધારે હોય છે. આ ખૂણામાં સનતકુમાર, સાવિત્રી અને હનુમાનજીનો વાસ ગણાય છે. આ ખૂણા પર શુક્ર ગ્રહ તથા મંગળ ગ્રહનુ વર્ચસ્વ રહે છે. કાળપુરુષના ડાબા હાથ, ઘૂંટણ તથા ડાબું નેત્ર, જન્મકુંડળીના બારમા તથા લાભસ્થાન પર અમલ દર્શાવે છે.

અગ્નિ ખૂણાનું વાસ્તુ બગડવાથી ખૂબ જ ખરાબ અસરો જોવા મળે છે. આ ખૂણાની શુભાશુભ અસરનો પ્રભાવ સ્ત્રીઓ, બાળકો તથા ખાસ કરીને ગૃહસ્વામીના બીજા નંબરના સંતાન પર પડે છે. સ્ત્રીનું મૃત્યુ થવું, આત્મહત્યા કે આપઘાત જેવી ઘટના, ઝઘડા થવા વગેરે મુશ્કેલીઓ અગ્નિ ખૂણાનું વાસ્તુ બગડવાથી થાય છે.

* અગ્નિ ખૂણાના દોષ
૧. અગ્નિ ખૂણામાં રસોડું હોય તો ખૂબ જ સારું, પરંતુ જો આ ખૂણામાં બેડરૂમ હોય તો પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય છે અને સ્ત્રી જીદ્દી થઈ જાય છે.
૨. અગ્નિ ખૂણામાં અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી મોટો દોષ ઊભો કરે છે.
૩. આ ખૂણામાં ખાળકૂવો પણ અગ્નિનો દોષ કહેવાય.
૪. આ ખૂણો નૈઋત્ય ખૂણા કરતાં ઊંચો હોય તો સ્ત્રીની તબિયત ખરાબ કરે છે.
૫. જન્મ કુંડળીમાં શુક્ર બગડેલ હોય તો પણ અગ્નિ ખૂણાનો દોષ આવે છે.
૬. અગ્નિ ખૂણામાં મોટી બાલ્કની ન હોવી જોઈએ.
૭. આ ખૂણામાં રસ્તો આવીને અટકી જતો હોય.
૮. અગ્નિ ખૂણામાં કાળા કલરનું પ્લેટફોર્મ હોય.
૯. રસોડામાં લાલ અથવા ગુલાબી રંગ કરેલ હોય.
૧૦. આ ખૂણામાં પૂર્વ બાજુથી મુખ્ય દરવાજો હોય.

✓ દોષ નિવારણ
૧. ઘરના મુ્ખ્ય દરવાજાની આગળ પાછળ લીલા રંગના ગણપતિ લગાડવા.
૨. શુક્ર યંત્રની સ્થાપના કરવી.
૩. લક્ષ્મીજીની મૂર્તિ અથવા પ્રાણપ્રતિષ્ઠિત શ્રી યંત્ર સમક્ષ શ્રી સુક્તનો પાઠ કરવો.
૪. ઘરની સ્ત્રીએ ત્રીજી આંગળીમાં હીરાની વીંટી પહેરવી. શુક્ર ગ્રહનો મંત્ર જપવો.
૫. ઘરમાં સફેદ-ક્રીમ રંગના પડદા, ચાદર વાપરવા.
૬. પતિએ સ્ત્રીનું અપમાન કરવું નહીં અને હીરાની વસ્તુ ભેટમાં આપવી.
૭. ચાંદી, ચોખા, સાકર, દૂધ, દહીં, ચંદન, સફેદ વસ્ત્ર સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવું.
૮. દર શુક્રવારે બે કિલો બટાટા શિવ મંદિરમાં દાન આપવા.
૯. ઈસ્ત્રી કરેલાં કપડાં પહેરવાં અને પાઉડર, અત્તર, પરફ્યૂમનો ઉપયોગ કરવો.
૧૦. શ્રી યંત્રની સ્થાપના ઘરમાં કરવાથી અગ્નિ દિશાનો દોષ દૂર થાય છે.

# નૈઋત્ય ખૂણો
દક્ષિણ અને પશ્ચિમ દિશા વચ્ચેના ખૂણાને નૈઋત્ય ખૂણો કહેવામાં આવે છે. નૈઋત્ય ખૂણામાં વાસ્તુપુરુષના બે પગની એડી અને બેઠક ગણાય છે. આ ખૂણામાં રાક્ષસ અને રાહુનો પ્રભાવ રહે છે. ઈશાન ખૂણાના મહત્ત્વ જેટલું જ નૈઋત્ય ખૂણાને મહત્ત્વ આપવામાં આવે છે. આ દિશાનો સ્વામી ગ્રહ રાહુ છે. નૈઋત્યમાં દોષ હોય તો ખૂબ જ ખરાબ પરિણામ આવે છે. આ દિશામાં વજનવાળી વસ્તુઓ રાખવામાં આવે છે. સુહર્ત ગણપતિ ગ્રંથાનુસાર રાજભવનના વાસ્તુમાં શસ્ત્રો તથા શસ્ત્રગાર રાખવાનું સૂચન છે. હવે આપણે આધુનિક જમાનામાં ત્યાં ટ્રેક્ટર, સિલાઈમશીન, યંત્રસામગ્રી, ઓજારો રાખવાનું સૂચન કરી શકીએ.

ઘરમાં માસ્ટર બેડરૂમ, સ્ટોર રૂમ, ઉદ્યોગમાં કાચો માલ, મુખ્ય યંત્રસામગ્રી, ઓફિસમાં મુખ્ય વ્યક્તિની ઓફિસ રાખવામાં આવે છે. સ્વર્ગસ્થ વડીલો પૂર્વજોના ફોટાઓ આ ખૂણામાં રાખવા જોઈએ. આ ખૂણામાં વધારો-ઘટાડો કે કપાત ન રહે તે જોશો.

* નૈઋત્ય ખૂણાના દોષો
૧. નૈઋત્ય ખૂણામાં અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાંકી, બોર અથવા ખાડો હોય તો દોષ ગણાય.
૨. નૈઋત્ય ખૂણામાં ઢાળ હોય તો પણ દોષ ગણાય.
૩. આ દિશામાં મુખ્ય દરવાજો હોય તો ઘરમાં અચૂક બીમારી આવે છે.
૪. નૈઋત્ય ખૂણામાં રસોડું હોય તો પતિ-પત્નીમાં હંમેશાં ઝઘડા થયા કરે છે.
૫. નૈઋત્ય દિશા વધતી હોય તથા બેઠક રૂમ હોય.
૬. આ દિશા ખાલી હોય અથવા નૈઋત્ય બાજુ ખાલી જગ્યા હોય તો સ્ત્રી-પુરુષ ગંભીર રોગનાં શિકાર બને છે.

✓ દોષ નિવારણ
૧. આ ખૂણામાં દોષ હોય તો રાહુ યંત્રની સ્થાપના ઘરના મંદિરમાં કરવી. ગણેશજી અથવા કાર્તિક સ્વામીનો ફોટો લગાડવો.
૨. ઘરના મુખ્ય દરવાજાને બ્રાઉન અથવા કાળો કલર કરવો.
૩. ઘરમાં રોજ સવારે વિષ્ણુ સહસ્ત્રનામનું વાંચન કરવું.
૪. વર્ષમાં એક વખત ટાંકી તથા બોરને તાત્કાલિક બંધ કરવા.
૫. પાંચ ગ્રામ ચાંદી તથા કેશરને પાકીટમાં મૂકવું.
૬. કાગડાને રોજ ગાંઠિયા નાખવાથી નૈઋત્યનો દોષ ઓછો થાય છે.

# વાયવ્ય ખૂણો
ઉત્તર અને પશ્ચિમ દિશાની વચ્ચેના ખૂણાને વાયવ્ય ખૂણો કહેવાય છે. વાયવ્ય ખૂણા પર ચંદ્ર ગ્રહ અને વાયુદેવનો અમલ રહે છે. વ્યક્તિની જન્મકુંડળીમાં પાંચમા-છઠ્ઠા સ્થાન પર વાયવ્ય ખૂણો આવે છે. વાયવ્ય ખૂણામાં રસોડું હોય, ઈશાન કરતાં નીચો હોય, વાયવ્યમાં રસ્તો પૂરો થતો હોય, અગ્નિ ખૂણો વધતો હોય, વીજળીનાં સાધનો રાખ્યાં હોય, હવાની અવર જવર માટે વાયવ્ય બંધ હોય તો વાયવ્યનું વાસ્તુ બગડયું કહેવાય. શનિદેવ તથા હનુમાનજીની આરાધના કરી વાસ્તુદોષ દૂર કરી શકાય. તણાવ, માનસિક વ્યગ્રતા તથા અશાંતિ રહેતી હોય તો વાયવ્ય ખૂણાનો દોષ છે તેમ માનવું.

* વાયવ્ય ખૂણાના દોષ
૧. આ ખૂણામાં મહેમાનો માટેનો રૂમ રાખી શકાય, પરંતુ સ્ટડીરૂમ બનાવેલો હોય તો વાસ્તુદોષ ગણાય.
૨. વાયવ્ય ખૂણામાં રાખેલી બારીઓના કાચ તૂટેલા ન હોવા જોઈએ.
૩. વાયવ્ય ખૂણો અગ્નિ કરતાં ઊંચો હોય તો દોષ ગણાય.
૪. આ ખૂણામાં કાંટાવાળાં ઝાડ ઉગાડેલાં હોય તો દોષ છે.
૫. જન્મકુંડળીમાં ચંદ્ર ખરાબ હોય તો વાયવ્ય ખૂણાનો દોષ આવે.

✓ દોષ નિવારણ
૧. વાયવ્ય ખૂણાના દોષ નિવારણ માટે મંદિરમાં ચંદ્ર યંત્રની સ્થાપના કરવી.
૨. ઘરના દરવાજાની બહાર શ્વેતાર્ક ગણપતિ લગાડવા અને અંદર ચાંદીના ગણેશજી રાખવા.
૩. ઘરમાં દીવાલ પર ક્રીમ કલર કરવો.
૪. ઘરની મુખ્ય વ્યક્તિએ ટચલી આંગળીમાં મોતી રત્ન ચાંદીની વીંટીમાં જડાવીને પહેરવું.
૫. શિવતાંડવ સ્તોત્ર અને શિવમહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો. દર સોમવારનો ઉપવાસ કરવો.
૬. ઘરમાં લગન લાયક છોકરી હોય અને લગન ન થતાં હોય તો આ દિશામાં સૂવાડવી.
૭. પોતાની માતાને રોજ પગે લાગવું અને પ્રસંગોપાત ચાંદીની વસ્તુ ભેટમાં આપવી.
૮. સવા કિલો ચોખા, સવા કિલો ખાંડ, સફેદ વસ્ત્ર પૂનમના દિવસે બ્રાહ્મણને દાનમાં આપવું
૯. ઘરમાં ચાંદીનું શ્રી યંત્ર બનાવી પૂજા કરવી.
૧૦. ઘરમાં નળ લીકેજ થાય તો તરત જ રિપેર કરાવી લેવો.
૧૧. ફેક્ટરીની અંદર ન વેચાતો અથવા તૈયાર માલ આ દિશામાં મૂકવાથી જલદી નિકાલ થશે.

Address

Ahmedabad
380015

Website

Alerts

Be the first to know and let us send you an email when Aalap Doshi's Spiritual Reiki Vaastu Centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Aalap Doshi's Spiritual Reiki Vaastu Centre:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram