Samvedana Happiness Hospital

Samvedana Happiness Hospital A centre par excellence in Psychiatry, Deddiction, child psychiatry & S*xual Health related problems We believe in minimum medicines maximum output.

“A HEALTHY YOU IS POSSIBLE WITH A HAPPY YOU”

The clinical roots of Samvedana Psychiatry track back to 1984 when psychiatric clinic was established at Relief Road by Dr Mrugesh Vaishnav. The current establishment originates from 16th October 1996. Since its inception the clinic has been serving the masses in field of psychiatry. We have been working seamlessly to cater clients suffering from various mental ailments, psychological issues, relationship stressors, youth problems, severe mental illness like bipolar Mood Disorder and Schizophrenia. We have a registered 9 bed indoor facility and psychiatric emergency round the clock. We also provide home visits in case of non co operative patients. In tune with time we have started Skype sessions for counselling/ Psychotherapy to clients abroad or at difficult to reach places. We cater to super speciality psychiatric services like, S*x and relationship Therapy, Deaddiction and Child Psychiatry. The clinic uses latest advances in the field of psychiatry either psychotherapeutic approaches or pharmacological management. Regular case meetings for complicated cases and individualized case based approach help in managing difficult to treat or treatment resistant psychiatric cases. Any ongoing medication is explained to patient and relatives and we refrain from polytherapy or practices least helpful to patients. Samvedana Psychiatry has been involved in many clinical studies in the past and have been recognized by highest of the audit agencies as the most efficient and ethical sites across the globe in field of clinical trials. We are involved in human behaviour research and modification activities. Through our Foundation “Samvedana Foundation” we have been regularly organizing CMSs, Public seminars, Lectures, Workshops and self help group meetings to make the masses aware about psychiatric illnesses and the possible outcomes and measures to prevent them. We have been associated in many school and college projects as well as corporate collaborations to maximize output among students and employees In their assigned tasks like exams or work performance. Regular free as well as low cost check up OPDs are set up on behalf of Samvedana Foundation to help the weaker sections of the society in a bid to make psychiatric treatment financially viable and prevent relapses of the disease. We encourage you to take a step forward and be a part of the Samvedana family and help us propagate out motto

28/01/2026

Relationship Block - Unblock | Dr Mrugesh Vaishnav

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Column2026નાં સંકલ્પસૂત્રો (2)- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ***************...
28/01/2026

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Column

2026નાં સંકલ્પસૂત્રો (2)
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

*********************
જીવનમાં ક્યારેય એ બધું નથી મળતું જે તમે ઈચ્છો છો પરંતુ એ મળે છે જેને તમે યોગ્ય હોવ છો
*********************

( ગતાંકથી આગળ )
૨૦ ૨૬માં અમલમાં મુકવા જેવા પાંચ સંકલ્પ સુત્રોમાંથી બે ગોલ્ડન રૂલ્સ પેનલ્ટી સિસ્ટીમ અને પહેલા સેક્રીફાઈસ અને પછી સકસેસની ચર્ચા આપણે ગતાંકમાં કરી ગયા હવે વાંચો આગળ.

૩. ગોલ્ડન રુલ - ૩ : - સંગતનું ધ્યાન રાખવું. કારણ સંગતની તમારા ઉપર બહુ જ મોટી અસર પડે છે. વિરાટ કોહલીને તો તમે બધાં જ ઓળખો છો. એમને કોઈકે પૂછયું કે શું તમે પાઠપૂજા કરો છો? ત્યારે એણે ઉડાવ જવાબ આપ્યો હતો કે શું હું તમને પાઠપૂજા કરવાવાળો લાગુ છું? પણ તમે જ હવે નાના મોટા સ્ક્રીન પર એ જુઓ છો કે અનુષ્કા શર્મા સાથે એના લગ્ન થયાં અને સંગત બદલાઈ ગઈ. હવે એ ભાઈ સાહેબ થોડા થોડા દિવસે પ્રેમાનંદજી મહારાજનાં ચરણોમાં નતમસ્તકે હાથ જોડેલા દેખાય છે. આ છે સંગતની અસર.
ખોટા માણસની પાછળ ચાલશો તો ખોટી જગ્યાએ પહોંચશો અને સાચા માણસની પાછળ ચાલશો તો સાચી જગ્યાએ પહોંચશો. તો આ સમગ્ર વર્ષ તમારી જાતને દુર્ગંધ મારતા અને નકારાત્મક લોકોથી દૂર રાખજો. જો તમને ખબર હોય કે કોઈ એક વ્યક્તિમાંથી દૂર્ગંધ આવી રહી છે તો શું તમે એને ગળે લગાડશો? શું તમે એક ગંદા પાણીનાં નળ કે જેની આસપાસ ગંદકી હોય એમાંથી પાણી પીશો? જવાબ હશે, ના. ક્યારેય નહીં. શું તમે ગંદી જગ્યાએ બેસીને ભોજન કરવાનું પસંદ કરશો?, ના ક્યારેય નહીં. તમે ગંદા યુરીનલમાં પેશાબ કરવા પણ જશો? દા.ત. તમે એરપોર્ટ કે સિનેમાઘરનાં ટોયલેટમાં પહોંચી ગયા અને ત્યાં એક ગંદુ ઉભરાતું યુરીનલ છે તો શું તમે ત્યાં પેશાબ કરવા જશો?, ના એને છોડીને કોઈક બીજા યુરીનલ તરફ જશો. આમ કોઈપણ માણસ ગંદી વસ્તુને કોઈ જ પસંદ કરતુ નથી. તો તમે એવું કેવીરીતે ધારી લો છો કે સફળતા નકારાત્મકથી ભરેલા ગંદા માણસની સોબતથી તમને મળશે?
યાદ રાખો, સફળતા હંમેશા સારી જગ્યાએ જ રોકાય છે. તમે તમારા ઘરમાં ગમે તેટલું સુંદર મંદિર બનાવો. કોઈ જાહેર ધર્મસ્થળ પર મોટું દાન આપી તમારા નામની તક્તી લગાવો કે તમે રોજબરોજ લોકોને દાન આપતા રહો પણ જો તમારા મનમાં નકારાત્મક વિચારો ભર્યા હશે, ગંદકી ભરી હશે તો તમારી કોઈ પ્રગતિ નહીં થાય. તમારી પ્રગતિ ત્યારે જ થશે જ્યારે તમારું મન અંદરથી શુદ્ધ હશે અને તમારી આસપાસનું વાતાવરણ માત્ર હકારાત્મકતાથી ભરેલું હશે. હંમેશા એવા લોકોની સાથે રહો જે ભવિષ્યની વાત કરે છે, નહીં કે ભૂતકાળની. એવા લોકોની સાથે રહો જેઓ નવા નવા વિચારો વિશે વાત કરે છે. નહિ કે લોકોની કુથલી કરે. એવા લોકોનો સાથ શોધો જેમના માત્ર શરીર પરથી નહીં પણ વિચારોમાંથી પણ સુગંધ આવતી હોય.
સંગતથી જ માણસનું ભવિષ્ય ઘડાય છે. તો ૨૦૨૬માં દુ:ખી અને પોતાને કમનસીબ કે જમાનાનો શિકાર એટલેકે વિકટીમ સિન્ડ્રોમથી પીડાતા લોકોથી દૂર રહેજો. કારણ કે એવા લોકો એમના દુ:ખથી જ તમને મારી નાખશે. હકારાત્મક અને હસમુખા લોકો સાથે રહેજો. તો આ વર્ષ તમારા જીવનનું સૌથી બહેતર વર્ષ નીવડશે. આ વર્ષ આપણા માટે ખુશીઓ લઈને આવશે એની માત્ર પ્રાર્થના જ નથી કરવાની પણ એને લાયક પણ બનવાનું છે. કારણ જીવનમાં ક્યારેય એ બધું નથી મળતું જે તમે ઈચ્છો છો પરંતુ એ મળે છે જેને તમે યોગ્ય હોવ છો. આ વર્ષ ઈચ્છાઓ કરતાં યોગ્યતાઓ ઉપર ધ્યાન વધારે આપો. કારણ માત્ર ઈચ્છાઓ રાખવાથી કામ નહીં થાય. તમે દિવાલ સાથે માથું પટકીને ખૂનથી લથપથ થઇ જશો તો પણ દિવાલ તમને રસ્તો નહીં કરી આપે.

૪. ગોલ્ડન રુલ- ૪ : જાત પર દયા ક્યારેય ન કરશો. આ ચોથો ગોલ્ડન રુલ નવા વર્ષે સફળતા મેળવવા માટેનો છે.
શું તમને તમારા પર દયા આવે છે?
શું તમને એમ થાય છે કે મારું તો નસીબ જ ખરાબ છે?
શું તમને એવું લાગે છે કે મારી મુશ્કેલીઓ બહુ ઝડપથી વધી રહી છે?
શું તમને એવું લાગે છે કે મારી પીડાને સમજી શકે એવું કોઈ નથી?
શું તમને એવું લાગે છે કે મને કોઈ સમજી શકતું નથી ?
શું તમને એવું લાગે છે કે બીજાનું જીવન કેટલું હર્ષોઉલ્લાસથી ભરેલું છે અને હું ખૂબ પાછળ રહી ગયો છું ?
શું તમને એવું લાગે છે કે હું હંમેશા કંઇક સારું કરવાની ઈચ્છા રાખું છું અને મારી સાથે ખોટું જ થાય છે ?
જો મારા આ બધા પ્રશ્નોનો જવાબ 'હા' છે તો તમે તમારી જાત પર દયા ખાવ છો અને આ આત્મદયાનું કૃત્ય તમને બરબાદ કરી શકે છે અને તમારા આ વિચારોજ એક દિવસ તમારા વ્યવહારમાં બદલાય જાય છે. તમે તમારા વિશે જે વિચારો છો બસ એવુંજ થવાનું શરુ થઇ જાય છે. યાદ રાખો, પોતાની જાતને હંમેશા સમય અને સંજોગોનો શિકાર માનવો એ કોઈપણ મનુષ્યનો સૌથી મોટો દુર્ગુણ છે. આ દુર્ગુણને બને એટલો જલ્દી હટાવી દો.
ક્યારેક આત્મદયા વ્યક્તિના મન પર એટલી બધી સવાર થઇ જાય છે કે એને લાગવા માંડે છે કે બધાજ મારો ઉપયોગ કરે છે. આ વર્ષે જો સફળ થવું હોય તો આવું ક્યારેય ન વિચારશો. તમે તમારી વિચારધારા બદલશો અને તમારું વલણ બદલશો તો તમારું જીવન પણ બદલાશે. લોકો એમની દુ:ખ ભરેલી કહાની એટલું મીઠું મરચું ભભરાવીને કહે છે કે જેથી એમને સહાનુભુતિ મળે. કોઈ એમને મદદ કરે. આવું કરતાં આવા લોકો એ સત્ય ભૂલી જાય છે કે એમની આ આદત તમને અંદરથી બેહદ કમજોર બનાવતી જાય છે. યાદ રાખો, દુ:ખનાં રોદણા રોવા
એ માત્ર સમયની બરબાદી છે અને આવું કરવાથી પરિસ્થિતિ ક્યારેય બદલાતી નથી.
મેં એકવાર જોયું હતું કે એક શોપિંગ મોલનાં પાર્કિંગમાં એક સાથે બે ગાડી રીવર્સ લઇ રહી હતી એમાં બંને ગાડી અથડાણી. આ કારણે બંને ગાડીને થોડું ઘણું નુકશાન થયું. એક ગાડીમાંથી ડ્રાઈવર કૂદીને બહાર નીકળ્યો અને બરડા પાડતો બોલ્યો 'બસ હવે આજ બાકી રહી ગયું હતું. આમ પણ જિંદગીમાં કેટલીયે બબાલ ચાલે છે. ખબર નથી આજે સવારે ક્યાં મનહુસનો ચહેરો જોઇને નીકળ્યો હતો. સાલો આજનો દિવસ જ ખરાબ છે. માત્ર મારી સાથે જ આવું કેમ થાય છે.' એવામાં બીજી ગાડીનો ડ્રાઈવર હસતો હસતો ગાડીની બહાર આવ્યો અને બહુ જ શાંતિથી કહ્યું 'આપણે બહુ નસીબદાર છીએ કે મોટી દુર્ઘટનામાંથી આજે બચી ગયાં. કોઈને વધારે નુકસાન નથી થયું અને કોઈને કંઇ જ વાગ્યું નથી.' બંને સાથે એક જ ઘટના થઈ. બંનેએ એક જ ઘટનાનો અનુભવ કર્યો પણ બંનેની એ ઘટનાને જોવાની દ્રષ્ટિ જુદી જુદી હતી. એકે પોતાના નસીબને દોષ આપ્યો હતો તો બીજો પોતાને નસીબદાર ગણાવી રહ્યો હતો.
જિંદગી પણ કંઇક એવી જ છે. તમારી સાથે શું બની ગયું છે એ મહત્વનું નથી પણ તમે એ ઘટનાને કેવો પ્રતિસાદ આપો છો એ મહત્વનું છે. તમારી જીવનની દિશા તમારો આ પ્રતિભાવ જ નક્કી કરે છે. તમારી સાથે ઘટતી ઘટના 'અડધો ગ્લાસ ભરેલો છે કે અડધો ગ્લાસ ખાલી છે' એ ફિલોસોફી પર કામ કરે છે. વસ્તુ કેવી છે એ મહત્વનું નથી પરંતુ તમે એને કેવી રીતે જુઓ છો એ મહત્વનું છે. એટલું યાદ રાખો કે સફળ લોકો ક્યારેય પોતાની જાતની દયા ખાતા નથી. એ ક્યારેય રોતા નથી. તેઓ પ્રત્યેક પરિસ્થિતિને પોતાને માટે એક અવસર કે ભેટ સમજે છે. Nick Vujicic- નીક વુજીસીસ ને જુઓ. હાથ અને પગ વગરનો આ માણસ પૂરી દુનિયાને પ્રેરણા આપવા વિશ્વપ્રવાસ કરી રહ્યો છે. એ ઘણાં ગર્વથી કહે છે કે જિંદગી કેટલી ખુબસુરત છે. એને વિશાળતાથી ખુલીને જીવવી જોઈએ. તમારે એ કરવું જોઈએ કે જે ખૂબ મુશ્કેલ હોય. શૈબંનું ઉદાહરણ આપણને સમજાવે છે કે જિંદગીમાં ક્યારેય આત્મદયા ન રાખશો. ફૈબૌસ ભચગિ ક્યારેય ન ખેલશો.

૫. ગોલ્ડન રુલ : ૫. આ સંસારમાં તમારી છાપ છોડવાનો પ્રયત્ન કરો.
મિત્રો, જ્યારે આપણે પેદા થયા ત્યારે આપણું જીવન એક કોરા કાગળ સમાન હતું. તમારી મહેનત અને લગન એ કાગળમાં રંગ ભરતા ગયા. મૃત્યુ સમયે કાંતો એ કાગળ ખૂબ જ કિમતી હશે કાંતો રદ્દીમાં ફેંકવાને લાયક હશે. જીવન લોખંડના એક સળિયા જેવું છે. કોઈ એમાંથી ઘોડાની નાળ બનાવે છે જેની કિંમત એક હજાર રૂપિયા હોય છે તો કોઈ એમાંથી કીમતી સોઈ બનાવે છે જેની કિંમત ૧૦ હજાર હોય છે અને કોઈ એમાંથી ઘડિયાળની સ્પ્રિંગ બનાવે છે જેની કિંમત ૧ લાખ રૂપિયા હોય છે. તમારી કિંમત એ વાતથી નક્કી નથી થતી કે તમે શું છો? પરંતુ એ વાતથી નક્કી થાય છે કે તમારી ક્ષમતા તમારી જાતને શું બનાવવાની છે.
બાળકો માટે આપણે જ એક કુરાન છીએ જેને એ જીવનભર વાંચશે. આપણે જ એક વેદ કે પુરાણ છીએ જેને એ અનુસરશે. આપણે જ એ એક બાયબલ છીએ જેનો એ અનુભવ કરશે. એટલેકે આપણે જ એ એક માત્ર ધર્મ છીએ જેને એ અનુસરશે. આપણું જીવન એ બાળક માટે એક ચેતવણીરૂપ બનશે અથવાતો એક મશાલરૂપ બનશે. જો આપણે કોઈ માટે આધાર નથી બની શકતા તો કોઈ માટે સાંત્વનાં તો બની જ શકીએ છીએ. જો આપણે કોઈ સહાયતા નથી કરી શકતા તો કોઈને નુકશાન પહોંચાડવાથી તો બચી જ શકીએ છીએ. શક્ય છે કે એ આપણે સમસ્યાનું નિવારણ ન કરી શકીએ પણ સમસ્યાનું કારણ તો ન બનીએ. જો આપણે સ્પીડ વધારી શકતા નથી તો ઓછામાં ઓછો સ્પીડને અવરોધ તો ન કરીએ. પરેશાન માણસનાં માથાનાં દુ:ખાવાનું કારણ બનવા કરતાં એને માટે ઠંડક પહોચાડવાવાળો મલમ બની શકીએ તો સંસાર આપણને સર આંખો પર બેસાડશે. દર વર્ષે દરેકનું કેલેન્ડર તો બદલાય જાય છે પણ આ વર્ષે આપણી હાલત પણ બદલાઈ જાય એવું આત્મબળ આ પાંચ સૂત્રોમાંથી આપણને મળે જે તમારી જિંદગી બદલવાવાળું પુરવાર થાય એજ ઈશ્વરને પ્રાર્થના છે.

ન્યુરોગ્રાફ :
છોને હું ના કનક દિવડી, કોડિયું માટીનું થઇ
ઉજ્જવાળું કો ગૃહ ગરીબનું, તોયે મારે ઘણું છે.

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Column2026નાં પાંચ નવા સંકલ્પસૂત્રો - વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ*********...
21/01/2026

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Column

2026નાં પાંચ નવા સંકલ્પસૂત્રો
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

**************************
'પેનલ્ટી સિસ્ટીમ' અને 'પહેલા સેક્રીફાઈસ અને પછી સકસેસ' આ બે નિયમો અમલમાં મુકવા જેવા છે.
**************************

૨૦૨૬નાં નવા વર્ષની તમને કોટીકોટી શુભકામનાઓ. મને ખાતરી છે કે હવે નવા વર્ષની ઉજવણીની પાર્ટીઓ પૂરી થઇ ગઈ હશે અને તેના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ થઇ ગયા હશે અને આ તમામ પોસ્ટો ઉપર તમને કેટલી લાઈક અને કોમેન્ટ્સ મળી તે પણ તમે ચકાસી લીધું હશે. નવા વર્ષના કેટલાક નવા રેઝોલ્યુશન્સ પણ તમે કરી નાંખ્યા હશે. દા.ત. નવા વર્ષના પહેલા દિવસથી રોજ જીમ જઈશ, પૌષ્ટિક આહાર લઈશ, આજથી બહારનું ખાવાનું બંધ કરી દઈશ, નવી નોકરી શોધી લઈશ, નોકરી છોડીને બીઝનેસ શરુ કરી દઈશ, ટૂંકમાં મારું જીવન બદલી નાખીશ. આવા કઈ કેટલાય રેઝોલ્યુશન્સ તમે કરી નાંખ્યા હશે પણ મારા અનુભવની વાત જો તમે માનવા તૈયાર હોવ તો આ રેઝોલ્યુશન્સ કરનારાઓમાંથી ૯૯% લોકો એક મહિનામાં જ તેમના આ રેઝોલ્યુશન્સ તોડી નાખે છે. જાન્યુઆરીમાં બનાવેલા રેઝોલ્યુશન્સ ફેબ્રુઆરીનું મોઢું જોઈ શકતા નથી. એટલે જ આજે હું અહીં કોઈ રેઝોલ્યુશન્સની વાત કરવાનો નથી કે નવા વર્ષની શરૂઆતમાં એવા રેઝોલ્યુશન્સ કરવા જોઈએ એવો કોઈ લેખ મેં લખ્યો નથી. તમારા રેઝોલ્યુશન્સ તૂટવાની અણી પર પહોંચે અને તમે ફરી એકવાર નાસીપાસ થઇ જાઓ એ પહેલા હું એક પડકાર લઈને આવ્યો છું. આ પડકાર છે ૨૦૨૬માં પાળવાના પાંચ ગોલ્ડન રુલ્સનો.
૧. ગોલ્ડન રુલ -૧. : ૨૦૨૬નો સૌથી પહેલો ગોલ્ડન રુલ છે The Penalty System- ધ પેનલ્ટી સિસ્ટીમ. સાઈકોલોજીમાં એક વિચારધારા છે 'ન્ર્જજ ચપીર્જિહ'ની. મતલબ માણસ ફાયદો મેળવવા કરતા નુકશાન ટાળવા માટે કોઈપણ એક્શન લેવા જલ્દીથી તૈયાર થઇ જાય છે. એટલે જ ‘Late Fee ylu Penalty System’ હંમેશા કામ કરી જાય છે.
જે કામ આપણે કાલ ઉપર મુલતવી રાખવાનું વિચારીએ છીએ. એ કામ પર જો કોઈ પેનલ્ટી મુકવામાં આવે તો એ કામ આપણે તુરંત પૂરું કરી નાખીએ છીએ. કારણ માણસને નુકશાન પસંદ નથી. દા.ત. આપણે ટ્રાફિક સિગ્નલ પર કેમ રોકાઈએ છીએ? કારણ આપણને એક્સિડન્ટથી વધારે પોલીસનાં ચલાનનો ડર હોય છે અને માણસને નુકસાન પસંદ નથી. તેવી જ રીતે ઓફીસ પર રોજ સમયસર કેમ પહોંચીએ છીએ? આમાં આપણું કામ પૂરું ન કરી શકીએ એના કરતાં પગાર કપાવાનો ડર હોય છે. હું ફરીથી ભારપૂર્વક કહું છું કે માણસને નુકસાન પસંદ નથી. જેમ કે કોઈપણ દુકાનદાર પોતાના કસ્ટમરને પ્રોડક્ટ ખરીદવાના ફાયદા કરતા ન ખરીદવાના નુકસાન વિશે વિસ્તૃતમાં સમજાવશે. તો કદાચ ગ્રાહક એ પ્રોડક્ટ ખરીદી લેશે કારણ કે માણસને નુકશાન પસંદ નથી.
આજથી તમારે તમારા જીવનમાં આ 'Penalty system' ને લાગુ કરવાની છે. એટલે કે કોઈ સારું કામ કાર્ય બદલ 'Reward' કરતાં ન કરવા બદલ આ 'Penalty system' ને તમે અનુસરો. તમને દાખલો આપું. એક કોર્પોરેટ ઓફીસમાં ગયા વર્ષે એક એવો નિયમ લાવવામાં આવ્યો કે સવારે ૯ વાગ્યે દરેક જણા ડિસ્કશન ટેબલ પર હાજર રહેશે અને જે હાજર નહીં રહી શકે તેમને ૨૫૦૦ રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે. અને આ પેનલ્ટીનાં જમા થયેલા રૂપિયા કોઈ સામાજિક સંસ્થાને સારા કાર્ય માટે દાનમાં આપી દેવામાં આવશે. બન્યું એવું કે આ નિયમનો કડક અમલ થવાનો શરુ થયો ત્યાર પછી એકપણ વ્યક્તિ મોડું ન આવ્યું. કારણ માણસને નુકસાનનો ડર વધારે હોય છે.
ફરીથી એકવાર યાદ અપાવી દઉં કે આપણને ફાયદા કરતા વધારે નુકશાન નાપસંદ છે એટલે જ આ વર્ષે આવો નિયમ બનાવી તમે તમારી લાઈફસ્ટાઈલમાં જબરજસ્ત પરિવર્તન લાવી શકો છો. દા.ત. તમે એવું નક્કી કરો કે રોજ અડધો કલાક એક સારું પુસ્તક વાંચીશ અને જો નહીં વાંચી શકું તો રોજ ૫૦૦ રૂપિયાનું દાન મંદિરમાં જઈ દાનની પેટીમાં નાખી દઈશ. જો તમે એવું નક્કી કરો કે રોજ સવારે ૬ વાગ્યે ઉઠી અને દિનચર્યા શરુ કરી દેવી જોઈએ અને જો આમ ન કરી શકું તો ૨૦૦૦ રૂપિયાનો દંડ હું મારી જાતને કરીશ. અહીં લોકો એવો પ્રશ્ન ચોક્કસ કરી શકે કે જો દંડ ભરવાના પૈસા જ ન હોય તો પછી આ Penalty System રાખવાનો અર્થ શો? આનો પણ ઉપાય છે. જો તમારી પાસે પેનલ્ટી ભરવાના પૈસા ન હોય તો તમારા સૌથી મનગમતા શર્ટને આગ લગાડી દેવી. એટલે કે જે નક્કી કર્યું એ ન થયું તો એની પેનલ્ટી સ્વરૂપે શર્ટને આગ લગાડી દેવી. હવે કહો કેટલા લોકો મોડા ઉઠશે? અથવા તો પોતાની જાતને આપેલા વચનનું ઉલ્લંઘન કરશે?. હું ખાતરીપૂર્વક કહું છું કે એવો એક પણ વ્યક્તિ નહીં હોય કારણ પેનલ્ટીની આ તાકાત છે.
૨. ગોલ્ડન રુલ - ૨ : - ત્યાગ એટલે કે સેક્રીફાઈસ.
આ નવા વર્ષનો સૌથી મોટો ગોલ્ડન રુલ છે. એટલે કે આ વર્ષે શું મેળવવું છે એના કરતા પણ વધારે જરૂરી છે કે શેનો ત્યાગ કરવો છે. તમે પૌરાણિક કથાઓમાં વાંચ્યું હશે કે દુર્યોધનનું પૂરું ધ્યાન હસ્તિનાપુરની ગાદી મેળવવા તરફ જ રહ્યું. એને આ ગાદી કોઈપણ કિંમતે જોઈતી હતી. અંતિમ પરિણામ શું આવ્યું? હસ્તિનાપુરની ગાદી તો ખોઈ પણ આખા કુટુંબનો નાશ પણ થઇ ગયો. જ્યારે બીજું ઉદાહરણ ભગવાન રામનું છે. એમણે ગાદી છોડી દીધી. વનવાસનો સ્વીકાર કર્યો અંતે પરિણામ શું આવ્યું? એ મર્યાદાપુરષોત્તમ રામ બની ગયાં. બસ જીવનનો આ સૌથી મોટો પાઠ છે કે થોડોક ત્યાગ કરીને ઘણુબધું મેળવી શકાય છે.
ઘણાં લોકોને હું પ્રશ્ન પૂછું છે કે તમારી જિંદગીનું ધ્યેય શું છે? જવાબ મળે છે એક મોટી ગાડી, એક મોટો બંગલો, ખૂબ બધાં પૈસા અને ખૂબ બધું માનસન્માન. એ લોકોને હું પ્રશ્ન પૂછું છે કે આ બધું મેળવવા માટે તમે શું ખોવા તૈયાર છો? બસ આ પ્રશ્નનો કોઈ જવાબ આપતું નથી. બધા ચુપ થઇ જાય છે. યાદ રાખો, આ દુનિયામાં જે પણ કઈ કિમતી છે એની કિંમત જરૂર હોય છે. સાયકલની કિંમત ૫૦૦૦ હોય છે અને મર્સીડીઝનાં બેઝિક મોડલની કિંમત ૫૦ લાખ હોય છે. એટલે જ હું વારંવાર કહું છું કે જીવનમાં જો વધારે લક્ઝરી જોઈએ તો વધારે મોટા ત્યાગની કે સેક્રીફાઈસની જરૂર હોય છે. ૧૨મું પાસ કરવાનો સેક્રીફાઈસ ઘણો નાનો છે. રોજ એક-બે કલાક વાંચી લો તો ૧૨મુ પાસ થઇ જશે. પણ જો આઈ.એ.એસ. કે ડોક્ટર બનવું હોય તો એનો સેક્રીફાઈસ ઘણો મોટો છે. રોજ ૮થી ૧૦ કલાક વર્ષો સુધી વાંચવું પડે છે. ૧૨મા પાસને કોઈ નથી પૂછતું પણ આઈ.એ.એસ કે ડોકટરનો વટ અલગ હોય છે. વાત બહુ સ્પષ્ટ છે, ઈચ્છાઓ જેટલી મોટી, લક્ઝરી મેળવવાની ચાહના જેટલી વધારે એટલી જ એની કિંમત ચૂકવવી પડશે. તમે આ વર્ષે જે કંઈ મેળવવા માંગતા હશો તો એની પાછળ કેટલી કુરબાની આપવી પડશે એ વાત તમારે નક્કી કરી લેવી પડશે. દોસ્તો, કુદરત પાસે આપણને આપવા માટે બધું જ છે. જેનો આપણે વિચાર કરી શકીએ છીએ એ પણ અને જેનો આપણે વિચારમાત્ર નથી કરી શકતા એ પણ. કુદરતનો સિધ્ધાંત છે જો તમારે કંઇક મોટું મેળવવું હોય તો મોટો ત્યાગ કરવો પડશે. પછી આ સેક્રીફાઈસને તમે તમારી બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થાના ટ્રોમા તરીકે જોશો તો તમારા માતા પિતાને ભાંડતા રહેશો કે અમને જીવનમાં કોઈ મઝા કરવાજ ન દીધી બસ ટ્રોમા જ આપ્યા કર્યો આ લોકો એ. આ વાત એટલા માટે કરવી પડે છે કે આજકાલ નાની નાની વાતમાં અમને ટ્રોમા આપ્યો એમ કહેતા યુવક યુવતીઓની સંખ્યા ઘણી વધતી જાય છે. તો યાદ રહે દોસ્તો આ બીજો ગોલ્ડન રુલ કે પહેલા સેક્રીફાઈસ અને પછી સકસેસ.

ન્યુરોગ્રાફ:-
સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી (ક્રમશ:)

19/01/2026

સંબંધોમાં Closure અને Move On - Dr Mrugesh Vaishnav

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Columnજ્યારે ભય અને વિચાર સજા બની જાય- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ********...
15/01/2026

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Column

જ્યારે ભય અને વિચાર સજા બની જાય
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

***********************
તમારા બધાંજ લેબોરેટરી રીપોર્ટસ, MRI, સિટી સ્કેન વગેરે રીપોર્ટસ નોર્મલ આવે તો પણ તમને માનસિક બિમારી નથી એ પુરવાર થતું નથી.
**********************

(ગતાંકથી ચાલુ)
આ સમયગાળામાં તેણે મારો સંપર્ક કર્યો. પરંતુ તેને એવું લાગવા માંડયું કે આ લેબોરેટરીવાળો ડોક્ટર અને હું એકબીજાના પરિચિત હતાં એટલે તેનામાં શંકાનું નવું વિષચક્ર શરુ થયું. તેને લાગવા માંડયું કે બધા ડોકટરો અને લેબોરેટરી મળીને તેની સામે સાજીશ ઘડી રહ્યા છે. રીપોર્ટસમાં છેડછાડ થઇ રહી છે અને તેને ટ્રેક કરવામાં આવી રહ્યો છે. આમ તેનામાં શંકાશીલ વિચારો અને કોઈ તેના વિરુદ્ધ વ્યવસ્થિત કાવતરું કરી રહ્યું છે એવા વિચારોએ જોર પકડયું. ત્યાર પછી તે વિવિધ જુદા મનોચિકિત્સકોનો સંપર્ક સાધતો રહ્યો અને તેને બધાએ એકજ વાત કહી કે તેને HIV AIDS નથી પરંતુ AIDSના ભયની બિમારી છે એટલે તે એવા નિષ્કર્ષ પર પહોંચ્યો કે આ બધાજ ડોકટરો ફૂટેલા છે. આમ તેના ભય અને ભ્રમ મજબૂત બનવા લાગ્યા.

જૂન-૨૦૨૦માં તેને એક સાથે અનેક લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યા. એક લેબોરેટરીએ તેની સામે જ બે વખત ટેસ્ટ કર્યો પરંતુ તેને એવું લાગવા માંડયું કે આ લેબોરેટરીની કીટ્સ નકલી છે. એટલું જ નહીં HIV ના નિદાનની એની પધ્ધતિ અને ટેકનીક પણ ગુગલ જોયા પછી શંકાસ્પદ લાગવા માંડી. ત્યારબાદ તે હૈદરાબાદ ગયો અને ત્યાની પણ પ્રતિષ્ઠિત લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો. આ દરમ્યાન તેને એવું લાગ્યું કે કેટલાક ચોક્કસ લોકો તેને વોચ કરી રહ્યા છે. ત્યારબાદ તેને ફરીથી સારવાર માટે મારી પાસે લાવવામાં આવ્યો. એને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડીસઓર્ડરનાં અનિચ્છનીય અને ઘુસણીયા વિચારો વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી અને આનો ઈલાજ લેબટેસ્ટ નહીં પણ દવાઓ છે જે તેના મગજનાં સીરોટોનીનના લેવલને વધારશે એવું વૈજ્ઞાનિક શિક્ષણ અપાયું. તેણે આ વાત માની અને દવાઓ શરુ કરી. પરંતુ વચ્ચે વચ્ચે ગુગલ પર માહિતી મેળવવાથી તેને એવી શંકા જવા લાગી કે તેની દવા બરાબર થઇ રહી છે કે નહીં. માનસિક રીતે તો તે સંપૂર્ણપણે નોર્મલ છે અને તેને દવાની કોઈ જરૂર નથી. આમને આમ દવા લેતા, ન લેતાં તેણે ૪ વર્ષ કાઢી નાખ્યાં અને જે પણ કઈ દવા લીધી એને કારણે એ ''મને AIDS તો નહીં થઇ ગયો હોય ને'' એવા અનિચ્છનીય ઘુસણીયા વિચારોથી તે દૂર રહ્યો.
ઉંમરની સાથે જાતીય આવેગો વધતા તેણે ડેટિંગ એપ પર યોગ્ય પાર્ટનર શોધવાનું નક્કી કર્યું અને ત્યારબાદ એક પાર્ટનર સાથે અને એક મસાજ પાર્લરમાં એણે પ્રોટેક્ટેડ સેક્સનો પ્રયત્ન કર્યો. પરંતુ આ ક્રિયા કર્યા પછી તેને એવો વિચાર આવ્યો કે ''કદાચ એ સમયે તેનો નિરોધ ફાટી ગયો હશે અને ફરીથી એને મને એઇડ્સ તો નહિ થયો હોય ને'' એવી ચિંતા ઘુસી. આ સમય દરમ્યાન તેની દવાઓ પણ બંધ હોવાથી તેના વિચારો વધી ગયા એટલે તેને થયું કે ડોકટરો પણ તેમના લાભ માટે ખોટી ખોટી લાંબો સમય દવાઓ ખવડાવે છે. એટલે તે એક દિવસ ઘેરથી ભાગી ગયો અને જુદી જુદી હોટલોમાં રહીને જુદી જુદી લેબમાં રિપોર્ટ કરાવતો રહ્યો. આખરે તેની પાસે પૈસા ન બચતા તેણે એક ધાર્મિક સ્થળે આશરો લીધો. પરંતુ ત્યાં પણ બે-ત્રણ દિવસ રહ્યા પછી તેને ભગવાન વિશે સેક્સનાં અપમાનજનક વિચારો આવવા માંડયા. આથી તે અત્યંત ડરી ગયો અને તેણે આત્મહત્યાની કોશિશ કરી. આખરે તેના સગા સ્નેહીઓએ તેની ભાળ મેળવી તેને ઘેર લાવ્યા. આ સમયે તેની ઊંઘ ઉડી ગઈ હતી. તે સતત એવું બોલ્યા કરતો કે ''હું પાપી માણસ છું. મને મારા કર્મોનો બદલો મળ્યો છે. મને જીવલેણ AIDS થયો છે. કોઈપણ મારી આજુબાજુ ફરકશો નહીં.'' તે એવું પણ વિચારવા લાગ્યો કે ''હવે કોઈની સાથે લગ્ન કરવા પણ શક્ય નથી. કારણ કે આમ કરવાથી સામેના પાત્રની જિંદગી બગડી જાય.'' એટલુજ નહીં તે સાવ નકામો છે અને તેને જીવવાનો કોઈ અધિકાર નથી. આ સમય દરમ્યાન તે વારંવાર લેબ રીપોર્ટ કરવતો રહેતો હતો. એમાં એક લેબના પેથોલોજીસ્ટે HIV રિપોર્ટ કરતા પહેલા જે ડોકટરે આની સલાહ આપી હોય એની રેફરન્સ ચિઠ્ઠી માંગી એટલે એણે એની સામે ખૂબ જ દલીલો કરી કે ''આજ સુધી કોઈએ આવી રેફરન્સ ચિઠ્ઠી માંગી નથી અને આવી ચિઠ્ઠી માંગવાની તેની હિંમત કઈ રીતે ચાલી''. પેલા પેથોલોજસ્ટે નમ્રતાપૂર્વક એને કહ્યું કે એ સિવાય હું ટેસ્ટ નહીં કરી શકું એટલે તેની સાથે બોલાચાલી અને ઝઘડો બહુ ચરમસીમાએ પહોંચ્યા એટલે એને સમજાવીને એના કુટુંબીઓ ફરી મનોચિકિત્સા માટે લાવ્યા. આ યુવાન ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડીસઓર્ડર વિથ પૂઅર ઇનસાઈટથી પીડાતો હતો.
મતલબ કે તેના રોગ વિષે તેને કોઈ જાણકારી કે માહિતી નહતી. ઈન્ટરનેટ અને ગુગલનાં ખોટા ઉપયોગથી તે મનઘડન રીતે પોતાને HIV થઇ ગયો છે એવું માની બધાજ લેબોરેટરી પેથોલોસિસટ અને ડોકટરોને શંકાસ્પદ રીતે જોવા લાગ્યો.
આ કેસ હિસ્ટ્રી આપણને એક સત્ય વાત સમજાવે છે કે માનસિક બીમારી એ કોઈ કલ્પના નથી. જો તમારા બધાંજ લેબોરેટરી રીપોર્ટસ, MRI, સિટી સ્કેન વગેરે રીપોર્ટસ નોર્મલ આવે તો પણ તમને માનસિક બિમારી નથી એ પુરવાર થતું નથી. યાદ રાખો માનસિક બીમારી વાસ્તવિક છે, પીડાદાયક છે અને યોગ્ય સારવારથી તેને કાબૂમાં લાવી શકાય છે. શક્ય છે કે કેટલી બીમારીઓ માટે દવા લાંબો સમય ચાલુ રાખવી પડે પરંતુ એનો અર્થ એવો નથી થતો કે એમને દવાની આદત પડી ગઈ છે. આપણે ડાયાબીટીસ, બ્લડપ્રેશર વગેરે રોગોમાં લાંબો સમય દવા લેવીજ પડે છે. તો કોઈપણ માનસિક બીમારીમાં જો તજજ્ઞાને જરૂર લાગે તો તેની સલાહને સ્વીકારીને યોગ્ય સહયોગ આપવાની જરૂર છે.
કોઈપણ પ્રકારની માનસિક બિમારીની સમયસર અને જરૂરી સારવાર તમારા જીવનનાં મહત્વના વર્ષોને નકામા અને અર્થહિન થતા અટકાવી શકે છે. અને તમને દુનિયાના સામાન્ય પ્રવાહમાં લાવી શકે છે.

ન્યુરોગ્રાફ :
ઘણી વખત લડાઈ દુનિયા સામે નહીં પરંતુ પોતાના મન સામે ચાલી રહી હોય છે.

Different names, one spirit — celebrating the harvest, gratitude, and togetherness. Happy Makar Sankranti, Lohri & Ponga...
13/01/2026

Different names, one spirit — celebrating the harvest, gratitude, and togetherness. Happy Makar Sankranti, Lohri & Pongal!

12/01/2026

સ્થિર મન જ ઊંચી ઉડાન ભરી શકે છે.
Happy Makarsankranti

10/01/2026

परीक्षाखंड में मुस्कुराते हुऐ जाइए - Dr Mrugesh Vaishnav

08/01/2026

परीक्षामे FAILURE का डर - Dr Mrugesh Vaishnav

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Columnજ્યારે ભય અને વિચાર સજા બની જાય- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ********...
07/01/2026

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Column

જ્યારે ભય અને વિચાર સજા બની જાય
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

**********************
માનસિક બીમારીઓ ઘણી વખત દેખાતી નથી પરંતુ તે વ્યક્તિના મનમાં એવી રીતે વણાઈ જાય છે કે આખું જીવન તેની આસપાસ ફરવા લાગે છે
**********************

માનવજીવનમાં સ્વાસ્થ્યનો અર્થ માત્ર શરીર પુરતો સીમિત નથી. મન અને વિચારોનું સ્વાસ્થ્ય એટલુંજ મહત્વનું છે. પરંતુ દુર્ભાગ્યવશ આપણા સમાજમાં આજે પણ માનસિક બીમારીઓને ગંભીરતાથી લેવામાં આવતી નથી. ઘણી વખત આવા રોગોને ''માત્ર વિચાર'', ''ડર'', ''નબળું મન'' અથવા ''વધારે વિચારે છે'' એવું કહીને ટાળી દેવામાં આવે છે. પરંતુ હકીકતમાં આવી બીમારીઓ વ્યક્તિના સમગ્ર જીવનને અંદરથી ધીમે ધીમે તોડી નાખે છે. આવીજ એક ગંભીર અને લાંબાગાળાની મનોસ્થિતિ છે ''ઓબ્સેસિવ કમ્પલસિવ ડીસઓર્ડર'' (OCD) જે બહારથી દેખાતી નથી પરંતુ અંદરથી વ્યક્તિને વિચારો સામે સતત લડવા મજબુર કરે છે. જેની ચર્ચા આપણે ઘણાબધાં લેખમાં કરી છે.
આ લેખ એક યુવાનની સાચી માનસિક યાતના પર આધારિત છે જે વર્ષો સુધી એક અદ્રશ્ય દુશ્મન સામે સંઘર્ષ કરતો રહ્યો છે. એની કહાની એ સમજાવે છે કે કેવી રીતે એક સામાન્ય લાગતો ભય સમય જતાં સંપૂર્ણ જીવનને બરબાદ કરી નાખે છે. ૨૭ વર્ષના આ યુવાનનાં જીવનમાં ૨૦૧૮માં એક મહત્વપૂર્ણ ઘટના બની. ૧૯-૨૦ વર્ષની ઉંમરે તેને એક યુવતી તરફ એકતરફી લાગણી થઇ. પોતે પ્રેમમાં બહુ આગળ વધી ગયો પરંતુ સામેના પાત્રએ તેની એક તરફી લાગણીનો અસ્વીકાર કર્યો. એટલે કે પ્રેમમાં રિજેકશનનો તેણે અનુભવ કર્યો. ભાવનાત્મક રીતે તૂટી પડેલી મનોસ્થિતિમાં તેને પ્રથમ વખત Paid S*x Worker - બજારુ સ્ત્રી સાથે જાતીય અનુભવ કર્યો. આ ઘટના પછી તેના મનમાં અચાનક જ એક ભયજનક વિચાર જન્મ્યો (મને એચ.આઈ.વી. એઇડ્સ નો નહીં થઇ જાયને).
આ વિચાર સામન્ય ચિંતા બનીને અટકી ન રહ્યો. એ રાત્રે તો તે ઊંઘી શક્યો નહીં. પરંતુ ત્યાર પછી પણ તે સતત ઘણીબધી રાત્રીઓ જાગતો રહ્યો અને કલાકો સુધી ઈન્ટરનેટ પર એચ.આઈ.વી. સંબંધિત માહિતી શોધતો રહ્યો. ગૂગલ પર વાચેલી દરેક લાઈન તેના ભયને વધુને વધુ ઘેરો બનાવતી ગઈ. તેના મનમાં આ વિચાર એવી રીતે વણાઈ ગયો કે તેનું સમગ્ર જીવન તેની આસપાસ ફરવા લાગ્યું. તે અતિશય ભય, શંકા અને વારંવાર આવતા અનિચ્છનીય વિચારોનો શિકાર બન્યો. જેણે તેની દૈનિક જીવનની શૈલી, સંબંધો અને આત્મવિશ્વાસ પર ગંભીર રીતે અસર કરી અને આ વ્યક્તિ છેલ્લા ૭ વર્ષથી ઓબ્સેસિવ કમ્પલ્સિવ ટ્રેઈટ (વ્યક્તિત્વની તરહા) સાથે જીવતો રહ્યો છે. ''મને એચ.આઈ.વી. એઇડ્સ તો નહીં થઇ ગયો હોય ન'' એ ચિંતા શાંત કરવા માટે તેણે પ્રથમ વખત એક જાણીતી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો પરંતુ આ ટેસ્ટ દરમ્યાન તેણે ઇન્જેક્શન કે સોય જોઈ નહીં કારણ તેને આ બંનેનો સખત ભય હતો. એટલેજ ટેસ્ટ કરાવ્યા પછી એ રાત્રે ફરીથી તેના મનમાં એક નવો વિચાર આવ્યો ''કોઈએ મને કંઈ ઇન્જેકટ તો નથી કરી દીધું ને'' આ અનિચ્છનીય ઘુસણીયા વિચારો તેના મનમાં ફરીથી શરુ થયા. એટલે તેણે બીજી લેબમાં પણ ટેસ્ટ કરાવ્યો. આ બન્ને લેબના ટેસ્ટ એચ.આઈ.વી. નેગેટીવ આવ્યા. પરંતુ તેનાથી તેના મનને શાંતિ મળી નહીં.
''મને HIV AIDS તો નહિ થઇ ગયો હોય ને'', ''કોઈએ મને ઇન્જેકટ તો નહીં કરી દીધો હોય ને?'' આ વિચારો તેના મનમાં સતત આવ્યા કરતા હતાં એટલે પોતાને AIDS થયો નથી એની ખાતરી કરવા તે દર બે-ત્રણ દિવસે જુદી જુદી લેબમાં એક બ્લડ રિપોર્ટ કરાવતો રહેતો હતો.
૨૦૨૦માં કોવિડ દરમ્યાન એકલતા અને સામાજિક સંપર્કનો અભાવ તેના માટે અત્યંત મુશ્કેલ સાબિત થયા. સ્વભાવે તે બોલકો અને બહિર્મુખી હોવાથી એકલતા તેની ચિંતા વધારતી જતી હતી . આ સમય દરમ્યાન તે વારંવાર લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતો રહ્યો પરંતુ તમામ વખતે રિપોર્ટ નેગેટીવ અથવા Inconclusive એટલે કે કોઈ ચોક્કસ નિદાન તરફ ન પહોંચી શકાય તે પ્રકારનો આવ્યો. તે લેબોરેટરીઓ પાસે લેખિત રિપોર્ટ માંગતો અને બરાબર ટેસ્ટ કરવા એક જ ટેસ્ટના ચાર્જમાં વારંવાર ટેસ્ટ કરાવવા ઝઘડા કરતો. પરંતુ ફરીથી ટેસ્ટ કરવો હોય તો લેબોરેટરીને જુદો જ રીજેન્ટ વાપરવો પડે એટલે લેબોરેટરી બીજીવાર ટેસ્ટના પૈસાથી માંગણી કરતી તેથી તેણે આ બધી લેબોરેટરીઓ ઉપર જ શંકા થવા લાગી અને તે એવું માનવા લાગ્યો કે આ બધી લેબોરેટરીઓ સાચો રીપોર્ટ આપવાનાં વધારે પૈસા માંગે છે એટલે તે બધા સાથે ઝઘડવા માંડયો. એક લેબોરેટરીવાળાએ તેને ટેસ્ટના પૈસા પાછા આપી મનોચિકિત્સકનો સંપર્ક કરવાનું કહ્યું. (ક્રમશ:)

06/01/2026

अपने जीवन की उलझन को कैसे मैं सुलझाऊँ - Karaoke Song by Dr Mrugesh Vaishnav

03/01/2026

परीक्षा एक त्योहार - By Dr Mrugesh Vaishnav

Address

3rd Floor Satya One Complex, Opp Manav Mandir Helmet Circle Memnagar
Ahmedabad
380052

Alerts

Be the first to know and let us send you an email when Samvedana Happiness Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category