Samvedana Happiness Hospital

Samvedana Happiness Hospital A centre par excellence in Psychiatry, Deddiction, child psychiatry & S*xual Health related problems We believe in minimum medicines maximum output.

“A HEALTHY YOU IS POSSIBLE WITH A HAPPY YOU”

The clinical roots of Samvedana Psychiatry track back to 1984 when psychiatric clinic was established at Relief Road by Dr Mrugesh Vaishnav. The current establishment originates from 16th October 1996. Since its inception the clinic has been serving the masses in field of psychiatry. We have been working seamlessly to cater clients suffering from various mental ailments, psychological issues, relationship stressors, youth problems, severe mental illness like bipolar Mood Disorder and Schizophrenia. We have a registered 9 bed indoor facility and psychiatric emergency round the clock. We also provide home visits in case of non co operative patients. In tune with time we have started Skype sessions for counselling/ Psychotherapy to clients abroad or at difficult to reach places. We cater to super speciality psychiatric services like, S*x and relationship Therapy, Deaddiction and Child Psychiatry. The clinic uses latest advances in the field of psychiatry either psychotherapeutic approaches or pharmacological management. Regular case meetings for complicated cases and individualized case based approach help in managing difficult to treat or treatment resistant psychiatric cases. Any ongoing medication is explained to patient and relatives and we refrain from polytherapy or practices least helpful to patients. Samvedana Psychiatry has been involved in many clinical studies in the past and have been recognized by highest of the audit agencies as the most efficient and ethical sites across the globe in field of clinical trials. We are involved in human behaviour research and modification activities. Through our Foundation “Samvedana Foundation” we have been regularly organizing CMSs, Public seminars, Lectures, Workshops and self help group meetings to make the masses aware about psychiatric illnesses and the possible outcomes and measures to prevent them. We have been associated in many school and college projects as well as corporate collaborations to maximize output among students and employees In their assigned tasks like exams or work performance. Regular free as well as low cost check up OPDs are set up on behalf of Samvedana Foundation to help the weaker sections of the society in a bid to make psychiatric treatment financially viable and prevent relapses of the disease. We encourage you to take a step forward and be a part of the Samvedana family and help us propagate out motto

01/12/2025

માનસિક રોગ ગાંડપણ નથી. | Dr. Mrugesh Vaishnav

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Columnરોબોટ નગરીમાં જોઈએ છે માત્ર એક માણસ- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ****...
26/11/2025

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Column

રોબોટ નગરીમાં જોઈએ છે માત્ર એક માણસ
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

***********************
સેંકડો માણસો વચ્ચેની ભીડમાં પણ લોકો એકલતા અનુભવે છે. ઘરમાં અને બેડરૂમમાં જીવનસાથીની ઉપસ્થિતિ વચ્ચે પણ એકલતા અનુભવાય છે
***********************

આજનો જમાનો આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો જમાનો છે. નવા નવા સંપર્કો કેળવવા અને સંબંધો સાચવવા માટે આજના જમાનામાં જેટલા માધ્યમો લભ્ય છે એટલા ક્યારેય નહતા. જોજનો દૂર કોઈની પણ સાથે તાત્કાલિક કનેક્ટ કરવા માટે વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપચેટ, ટ્વિટર, થ્રેડ, ટેલીગ્રામ જેવા હાથવગા માધ્યમો છે. છતાં પણ મોટાભાગના લોકો જીવનમાં એકલતા અનુભવવાની ફરિયાદ કરે છે. આવા લોકો સતત અકળામણ, અધુરપ, અસ્વસ્થતા, અજંપો, અધીરાઈ જેવી લાગણીઓ અનુભવતા રહે છે. અને આ બધી નકારાત્મક લાગણીઓના સરવાળારૂપે એકલતા અનુભવતા રહે છે.
કેટલીકવાર તો પ્રિયજન પ્રત્યેક પળ આપણી સાથે હોય તો પણ ઉનાળાનો ધોમધખતો તાપ આપણી માથે જ ફરતો હોય તેવી એકલતા ૨૪ કલાક લાગ્યા કરે છે. આ એકલતાને દૂર કરવા ટેકનોલોજી વ્યક્તિને ઘણો સધિયારો આપી શકે છે. પ્રિયજન સાથે એક જ રૂમમાં બેઠા હોવા છતાં એ જોજનો દૂર હોય એવું અનુભવાય છે. જ્યારે ટેલીફોન અને સોશીયલ મીડિયા જોજનો દૂરનાં વ્યક્તિઓને આપણી સમક્ષ લાવીને ખડા કરી શકે છે. એટલે જ આધુનિક માનવી કોઈકનો સાથ કોઈકનો સંગાથ, કોઈકની હુંફ, કોઈકની ભીની ભીની લાગણી કે કોઈકના સ્નેહનો શીતળ છાયડો મેળવવા માટે ભાત-ભાતના અને જાત-જાતના સંબંધો બનાવે છે. આ નવા સંબંધોના બીજ વાવીને એને સંભાળપૂર્વક ઉછેરીએ છીએ અને થોડાક જ સમયમાં એ બીજ વૃક્ષ બનીને આપણને છાયડો આપવા માટે સક્ષમ થઈ જાય છે. પરંતુ આપણે જ વાવેલું વૃક્ષ કોઈ બીજાને પણ છાયડો આપે છે. એ માત્ર આપણું જ થઈને ન રહે ત્યારે સંબંધોના એ વૃક્ષને એક ઝટકામાં કાપી નાખતા આપણે અચકાતા નથી. આપણે જ માવજત કરીને ઉછેરેલા સંબંધને વેરવિખેર કરવામાં અને જાતે જ વાવેલા સંબંધને જળમૂળથી ઉખેડી નાખવા માટે આપણે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરતા નથી અને ફરી પાછો ભયાનક એકલતાની પીડાને આમંત્રણ આપીએ છીએ. એટલું જ નહીં પણ ફરી એકવાર એકલતાનો ધોમધકતો તાપ સહન કરવા માટે સ્વલાચારી સાથે સુસજ્જ થઈ જઈએ છીએ.
અને એકલો પડેલો માણસ ફરી પાછી કોઈ અજાણી વ્યક્તિની લાગણીનો વરસાદ એના પર વરસે એની રાહ જોવામાં વિતાવે છે. ક્યારેક કોઈકની ભીની ભીની લાગણીનો વરસાદ વરસે પણ છે અને ધોમધખતા તાપ જેવી એકલતામાં શીતળતા લહેરાય છે પરંતુ અગમ્ય કારણોસર આ વરસાદ પડવાનો બંધ થાય છે એટલે એકલતાનો બફારો અને ઉકળાટ પાછો જીવનમાં અજંપો અને અકળામણ નોતરે છે. અહીં વાત માત્ર સ્ત્રી-પુરૂષ વચ્ચેના સંબંધની નથી. પણ સંબંધોનાં દરેક સ્વરૂપો વિશેની છે. કારણ જિંદગી મલ્ટીડાયમેન્શનલ છે. કદાચ જિંદગીના અનેક રૂપોને ઓળખવાની, સમજવાની કે માણવાની માણસમાં ધીરજ હોતી નથી.
જિંદગીના વિવિધ સ્વરૂપોને ઓળખવા હોય તો આ મલ્ટીડાયમેન્શનલ જિંદગી કેવી હોય શકે એનો માત્ર વિચાર કરો. ક્યારેક જિંદગી પિતાના ખભા પર માથું મુકીને ઘસઘસાટ ઊંઘતા બાળક જેવી હોય છે તો ક્યારેક માતાનાં ખોળામાં માથું મૂકી જિંદગીના બધાજ ભારથી મુક્ત થતી કિશોરી જેવી હોય છે. ક્યારેક એ ૧૨માં ધોરણમાં સારા માર્કસે પાસ થઈને ઉચ્ચ અભ્યાસ માટે આગળ જતાં વિદ્યાર્થીનાં માથે હાથ મૂકી વિદાય આપતા શિક્ષક જેવી હોય છે. આ પણ એક સંબંધ હતો અને એ પળો માણવાનો પણ આગવો આનંદ હતો એ આપણને સમજાય એ પહેલાં જ આ પળો વીતી જાય છે. પણ જિંદગી એના વિવિધ સ્વરૂપે તમારી એકલતાને પૂરવા સતત મથતી રહે છે.
ક્યારેક દોસ્તો સાથે મોડી રાત સુધી મોજમસ્તી કર્યા પછી પાછા ફરતા દીકરાની રાહ જોતી ભૂખી માં જેવી, ક્યારેક ખડખડાટ હસતા યુવાનોના ટોળા જેવી તો ક્યારેક દફતર ભરાવીને કંટાળા સાથે સ્કૂલે જતાં અને સ્કૂલ છૂટવાની રાહ જોતા બાળક જેવી હોય છે. ક્યારેક જિંદગી અડધી રાત્રે યાદ આવતી કોઈ અંગત ક્ષણ જેવી, તો ક્યારેક કોઈકના વિચારમાત્રથી આંખમાં આવેલા ઝળઝળીયા કે સ્મિત જેવી હોય છે. ક્યારેક જિંદગી સંતાનોની માંગણીને ફરી ક્યારેક પૂરી કરવાનું વચન આપતા મજબુર પિતાની ઉત્સુક ઈચ્છા જેવી હોય છે તો ક્યારેક હોસ્પિટલના બીછાને પતિની સેવા કરતી પત્ની જેવી પણ હોય છે. ક્યારેક જિંદગી બે શરીરો એક થતા હોય ત્યારે હાંફતા શ્વાસમાં છલકાતી સંતૃપ્તિ જેવી તો ક્યારેક ઊંઘમાં નજીક વ્યક્તિને ખભે માથું મૂકી દેતી પ્રેમિકા જેવી પણ હોય છે. આવા તો જિંદગીના અનેક સ્વરૂપો છે. જે આપણે જુદે જુદે સમયે જુદી જુદી વ્યક્તિઓ સાથે માણ્યા હોય છે. તો પછી માણસને એકલતા કેમ અનુભવાય છે ? કોઈકની લાગણી કોઈકના ખભા અને ખોળાનો સથવારો શોધતા માણસને એકલતા એટલા માટે અનુભવાય છે, જિંદગીમાં વિવિધ સ્વરૂપો માણ્યા પછી કોઈક નબળી પળોમાં સંબંધોમાં ઉભી થયેલી કડવાશ આપણે પંપાળીએ છીએ અને વેરની વૃત્તિ કરતા જઈએ છીએ એટલે આજદિન સુધી સંબંધોમાં માણેલી આત્મીયતા, પ્રેમ અને હુંફની પળોને ભૂલી જઈએ છીએ અને જુના સંબંધોને દફનાવી દઈ નવા સંબંધોની શોધમાં નીકળી પડીએ છીએ. આજનાં આ આધુનિક જમાનામાં નવો સંબંધો બંધાવો બહુ આસાન છે. પણ એથી પણ વધારે એ તૂટી જવો એ આસાન બાબત છે.
નવા કે જુના કોઈપણ સંબંધ તૂટે ત્યારે આપણે એ તૂટવાના કારણો શોધીએ છીએ અને એ કારણોમાં કોઈકે આપણને કહેલા કડવા શબ્દો કે દુ:ખ પહોંચાડે એવું કરેલું વર્તન કારણ સ્વરૂપ લાગે છે.
સંબંધોનું આકાશ વિશાળ હોય છે. આમ તો ધરતી પર જ્યાં ઉભા રહીએ ત્યાં બધેથી આકાશ દેખાય છે પણ આપણે આપણા ઓરડાની બારીમાંથી આકાશનો જે ટુકડો જોઈએ એજ આપણું આકાશ બની જાય છે. એટલે જ કોઈક વ્યક્તિ સાથે આપણે ભૂતકાળમાં ઉત્તમ સમય ગાળ્યો હોય છે, કોઈક વ્યક્તિને હજી થોડા સમય કે થોડા કલાક પહેલા આપણે પુરા હૃદયથી ચાહતા હતા તેજ વ્યક્તિ પર ભારોભાર નફરત થઈ જાય છે. કારણ હવે એ વ્યક્તિનાં સંબંધોનું વિશાળ આકાશ આપણને દેખાતું નથી પણ એ વ્યક્તિથી દૂર થઈ એકલતાના ઓરડાની બારીમાંથી દેખાતો આકાશનો એક ટુકડો જ આપણને એ વ્યક્તિ સાથેના સંબંધોનું આકાશ દેખાય છે. જે આપણને ઘોર એકલતા તરફ ઘસડી જાય છે. પરંતુ એકલતા અનુભવતા આવા દરેક વ્યક્તિએ એક વાત યાદ રાખવી જરૂરી છે કે જે થોડા સમયમાં જ બદલાય જાય એને ''સીઝન'' કહેવાય સંબંધ નહીં. તમે એકલતા અનુભવો છો એનું કારણ એ છે કે તમે જુદી જુદી વ્યક્તિ સાથે જુદા જુદા સંબંધોનાં સ્વરૂપે સીઝન માણી છે સંબંધ નહીં. જો ખરેખર એકલતા પુરવી હોય તો નવા સંબંધો બાંધો એમાં કંઈ જ ખોટું નથી પણ જુના સંબંધોમાં ઉભી થયેલી ગેરસમજોને સમજો, સ્વીકારો અને દૂર કરવાના પ્રયત્નો કરો.
દરેક વ્યક્તિના જીવનમાં કડવી, ન ગમતી કે દુ:ખદ ઘટનાઓ બનતી હોય છે. જો કોઈ માણસ ક્યારેય પણ તમને એમ કહે કે એના જીવનમાં એણે ક્યારેય કડવાશનો અનુભવ કર્યો નથી, તો એ માણસ તમારી સાથે પ્રમાણિક વાતો કરતો નથી પણ માત્ર દંભ રાખવામાં માને છે.
સંબંધોમાં એવા અનુભવ અવારનવાર થાય છે કે ''એ વ્યક્તિએ મારી સાથે જે કંઈ ખોટું કર્યું છે એ વાત હું ક્યારેય નહીં ભૂલું.'' ખરેખર એ વાત ભૂલી જવા જેવી હોય છે અને જીવનમાં માણેલી સારી પળોને યાદ રાખવા જેવી હોય છે. ''એની એ વાત હું ક્યારેય નહિ ભૂલું'' એ વિચારવાથી પારાવાર પીડા થાય છે. એ વાતને ઘૂંટતા રહેવાથી આ જગતનો આપણે એક સ્વીકાર હોઈએ એવી અનુભૂતિ થાય છે પરંતુ આવા કડવાશના પ્રસંગો અને ઘૂંટી ઘૂંટીને અનુભવેલી પીડા જિંદગીમાં ભયાનક એકલતાને નોતરું આપે છે.
સંબંધોમાં કોઈને કોઈથી ફરિયાદ ન હોય કે પીડા પહોંચી ન હોય એવું ક્યારેય શક્ય નથી. પણ નવા સંબંધો પાછળ આંધળી દોટ મૂકી જીવનની એકલતા પુરવાની કોશીશ કરવા કરતાં જુના સંબંધોમાં ઉભી થયેલી ગેરસમજોને દૂર કરવી અને ક્યારેક જીવનમાં બનેલા કેટલાક આખેઆખા પ્રસંગ પર ડીલીટ બટન દબાવી દેવાની કળા જીવનની એકલતાને પૂરવાનો રાજમાર્ગ સાબિત થાય છે. એક વાત આપણે પણ સ્વીકારી લેવી પડશે કે આપણે પણ માણસ છીએ. એટલે એક માણસ તરીકે આપણને ખોટું લગાડવાનો કે બીજાને ખોટું લાગે એવું વર્તન કરવાનો પૂરેપુરો અધિકાર છે. એટલું જ નહીં બીજાથી દુ:ખ લગાડવાનો અને બીજાને દુ:ખ પહોંચાડવાનો પણ આપણો અધિકાર છે. ગમે ત્યારે ગુસ્સે થવાનો કે ગમે ત્યારે ગમે તેમ બોલી નાખવાનો આપણો અને સામેવાળાનો બંન્નેનો અબાધિત અધિકાર છે. વગર વિચાર્યું વર્તન કોઈપણ કરી શકે છે. એમાં પણ પ્રિયજન સાથે કે અંગત સંબંધોમાં જો આપણે આપણા આ બધાં અધિકારોનો ઉપયોગ ન કરી શકીએ તો એ સંબંધોને અંગત કેવી રીતે ગણી શકાય.
સંબંધોમાં સવાલ એ નથી કે આપણને કેટલી જલ્દીથી માઠું લાગી જાય છે, કેટલો જલ્દીથી ગુસ્સો આવી જાય છે, કેટલું જલ્દીથી દુ:ખ પહોંચે છે પરંતુ સંબંધોની સૃષ્ટિને સમજવાનો અને સમગ્ર અસ્તિત્વને કોરી ખાતી એકલતા પૂરવા માટેનો એકમાત્ર સવાલ એ છે કે આ બધું જ આપણે કેટલું જલ્દી ભૂલી શકીએ છીએ ?
આ વાત કોઈકને ફિલોસોફીકલ વધારે લાગે અને કોઈક એમ કહે કે (એ તો તમારા પર વીત્યું નથી એટલે આવી બધી સલાહો અપાય છે. જેના પર વીત્યું હોય એને જ ખબર પડે કે એ વીતેલી ક્ષણોને ભૂલી કેવી રીતે જવાય.) કેટલાક કિસ્સામાં આ દલીલો સાચી પણ હોય શકે. પણ જો ભૂલી ન શકાતું હોય તો સંબંધો વિશેની ફરિયાદ કરવાનું બંધ કરી આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ અને સોશીયલ મીડિયાના આ જમાનામાં એકલતા પુરવાના લભ્ય તમામ રસ્તાઓ અપનાવના પ્રયત્નો ચોક્કસ કરો. શરત એટલી જ કે જૂની ભૂલોમાંથી શીખીને નવા સંબંધો બાંધવા તરફ આગળ વધો. કારણ તમને જરૂર છે એક સાચા દોસ્તની, એક સારા સંબંધની, એક વફાદાર સાથીની. તમારી આ શોધ સફળ નીવડે એની ઈશ્વરને પ્રાર્થના કરવાથી વિશેષ કોઈ યોગદાન હું આપી શકું તેમ નથી.

ન્યુરોગ્રાફ :-
ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને,
એ નથી મારા બન્યાં એનો બનાવ્યો છે મને.
એ બધાના નામ લઈ, મારે નથી થાવું ખરાબ,
સારા સારા માનવીઓએ સતાવ્યો છે મને.

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Columnબાળકોને પ્રેમ અને માતા-પિતાને સન્માન આપો- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણ...
19/11/2025

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Column

બાળકોને પ્રેમ અને માતા-પિતાને સન્માન આપો
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

*********************
આપણા દેશમાં હજી ત્રણ પેઢી સાથે જીવે છે. બાળકોના સફળ અને તંદુરસ્ત ઉછેર માટે આ વ્યવસ્થા આવકારદાયક છે. તેમાં પડતાં ગાબડાઓને સમયસર અટકાવીએ
*********************

ભારતીય સંસ્કૃતિ અને પરિવાર વ્યવસ્થાની સૌથી મોટી જો કોઈ ઓળખાણ હોય તો એ છે પ્રેમ, સંસ્કાર અને સંબંધોની ઉષ્મા. આપણા સમાજમાં માતા-પિતા અને સંતાનોનો સંબંધ માત્ર જવાબદારી નહીં પરંતુ પરસ્પરની લાગણી, એકબીજા માટે ત્યાગ અને પરસ્પરમાં વિશ્વાસ અને શ્રદ્ધાનું પ્રતિબિંબ છે.
કમનસીબે આજનાં જનરેશન ઝેડ અને જનરેશન આલ્ફાના જમાનામાં એક તદ્દન નવું પરિવર્તન આવી રહ્યું છે જેમાં માતા-પિતા પોતાના નાના સંતાનોને તો અપાર પ્રેમ, કાળજી અને ધ્યાન આપે છે. સંતાનો પ્રત્યેની તમામ ફરજો એ બજાવે છે પરંતુ આ ફરજો બજાવતા વ્યસ્ત માતા-પિતાઓ સંતાનો માટે સમય કાઢ્યા પછી તેમનાં પોતાના વૃદ્ધ માતા-પિતાઓને સમય અને સન્માન આપવાનું ભૂલી જાય છે. આ વિષય પર ચર્ચા કરવાનો ઉદ્દેશ્ય કોઈ પણ પેઢીને દોષ આપવાનો નથી કે કોઈને સુધારવા માટેનો કાર્યક્રમ હાથમાં લેવાનો પણ નથી. પરંતુ એક સંવેદનશીલ દર્પણ સૌ કોઈની સામે મુકવાનો છે. જેમાં સૌ કોઈ પોતાનું પ્રતિબિંબ નિહાળી શકે. પોતાના પરિવાર અને જીવનશૈલીને સમજી શકે. કોઈપણ માતા-પિતા માટે બાળકોનો ઉછેર, પાલન અને પોષણ જેટલું જરૂરી છે તેટલું જ વૃદ્ધ માતા-પિતાની સેવા કરવી, એમને સન્માન આપવું અને તેમની સાથે થોડો સમય ગાળવો એ પણ જીવનનું એક કર્તવ્ય છે. જ્યારે આ બન્ને વચ્ચે સંતુલન જળવાય છે ત્યારે પરિવાર સંપૂર્ણ બને છે અને બાળકોનો ઉછેર તંદુરસ્ત રીતે થઈ શકે છે.
ઘરમાં બાળકોનો જન્મ થતાવેત પ્રત્યેક માતા-પિતાના હૃદયમાં એક આગવું અને આશ્ચર્યજનક પરિવર્તન થાય છે. બાળકના એક સ્મિત માટે માતા-પિતા કલાકો મહેનત કરે છે. અડધી રાત્રે ઉઠીને પણ એના બાળોતિયા બદલાવે છે, સ્તનપાન કરાવે છે અને તમામ પ્રકારની સંભાળ રાખે છે. આ માટે પોતાના એશોઆરામનો પણ ત્યાગ કરે છે. સંતાનોનાં ભવિષ્ય માટે પોતાના સપનાઓને કચડી નાંખીને પણ પૈસા બચાવે છે અને બાળકને આગળ વધારવા માટે પોતાનું આખુ આયખું ઘસી નાખે છે. આ બધું યોગ્ય અને સ્વીકાર્ય છે. બાળક માટે જીવવું, તેને શ્રેષ્ઠતમ ભવિષ્ય આપવું, તેનામાં શિક્ષણ, જીવન કૌશલ્યો અને સંસ્કારનું સિંચન કરવું અને એક સારા માણસ તરીકેનું ઘડતર કરવું એ પ્રત્યેક માતા-પિતાની ફરજ છે. પરંતુ અહીં એક વાત યાદ રાખવી જરૂરી છે કે આ બધું જ તેઓ જ્યારે બાળક હતાં ત્યારે તેમના માટે કરવામાં આવ્યું હતું. એટલે જ પોતાના સંતાનોને લાડ લડાવતા આપણે આપણા માતા-પિતાની ઉપેક્ષા તો નથી કરી રહ્યા કે એમને ભૂલી તો નથી રહ્યા એ વાતનો વિચાર એક વાર કરવો જરૂરી છે. જ્યારે તમારા માતા-પિતા વૃદ્ધાવસ્થા તરફ જઈ રહ્યા હોય છે ત્યારે એમની અપેક્ષાઓ અને જરૂરિયાતો બદલાઈ જાય છે. બાળપણમાં જેમ બાળકને પ્રેમ, સુરક્ષા, સલામતી, સાથ, સહકાર અને સ્પર્શ જોઈએ, એ બધી વસ્તુઓ વડીલો- વૃદ્ધોને પણ જોઈતી હોય છે.
વૃદ્ધાવસ્થા એ માત્ર શારીરિક નહીં પણ ભાવનાત્મક ફેરફારોનો પણ સમય છે. આ અવસ્થામાં શરીર નબળું પડે છે. શક્તિ ઘટે છે. વિવિધ અંગો ઘસાય છે અને મન સંવેદનશીલ બને છે. જીવનનાં આ નાજુક તબક્કે તેમને લાગણીઓનો સહારો પણ વધારે પ્રમાણમાં જોઈએ છે. તેમને જરૂરીયાત મુજબ દવાઓ અને ભોજન પૂરું પાડો એટલું પૂરતું નથી. જીવનની આ અવસ્થામાં પ્રિયજનોની હાજરી, હાસ્યમજાક, બેચાર ધડીની વાતચીત, કહેવું હોય તે સંભાળનાર કાન અને સમજણવાળું હૃદય હોય એ પણ જરૂરી છે. પરંતુ અત્યારના જમાનામાં મોટાભાગે એવું જોવા મળે છે કે ઘરમાં નાના બાળકોની સંભાળમાં એટલું બધું ધ્યાન, સમય અને ઉર્જા વપરાય જાય છે કે વૃદ્ધ માતા-પિતા માટે સમય રહેતો નથી. તેઓ હકીકતમાં આપણા ઘરમાં આપણી વચ્ચેજ જીવે છે પરંતુ ઘરના જીવનમાં- કો લીવીંગમાં તેઓ ક્યાંય હોતા નથી.
ઘણીવાર તેઓ ખુરશી કે સોફા ઉપર આખો સમય બેઠા રહે છે. ટી.વી. જોતા રહે છે કે પછી મોબાઈલ મચડયા કરે છે. ક્યારેય આલ્બમનાં એકાદ ફોટાની યાદોમાં તેઓ ખોવાય જાય છે. તેમની પણ ઇચ્છા બાળકો સાથે રમવાની હોય છે. વાર્તાઓ કહેવાની હોય છે પરંતુ સમય કોણ આપે ? બાળકો એમેઝોન, નેટફલીક્ષ વગેરે મિડિયા પર પો પ્રેટ્રોલ, પેપાપીગ, નીન્જા ગો, ટોમ એન્ડ જેરી જેવી બાળ સિરિયલો જોવામાં મશગુલ હોય છે અથવા તો તેમના અભ્યાસ અને વિવિધ કલાસો જેવા કે સ્વિમિંગ, મ્યુઝિક, આર્ટ, કરાટે, ટેનીસ, સ્કેટિંગ વગેરેમાં વ્યસ્ત હોય છે. જ્યારે એમના માતા-પિતા અને દાદા-દાદીનાં સંતાનો નોકરી, ધંધો, સામાજિક જવાબદારી, બાળકોનું શિક્ષણ, ટયુશન, કલાસીસ વગેરેમાં વ્યસ્ત હોય છે અને આ વ્યસ્તતામાં પ્રાથમિકતાઓ બદલાઈ જાય છે. વડીલો પ્રત્યેનાં પ્રેમની સરવાણી સૂકાઈ અને ઔપચારિકતા બની જાય છે અને અસલી પ્રશ્ન એ ઉભો થાય છે કે વડીલો એમનું એમની મેળે કેમ ફોડી લેતા નથી ? અમારે સમય જ ક્યાં છે ? અહીં સવાલ સમયનો નહીં પણ પ્રાથમિકતાઓનો હોય છે. જો લોંગ વીકએન્ડમાં વિવિધ પ્રવાસો યોજી શકાય, મોબાઈલમાં મોઢું નાંખી સોશિયલ મીડિયા પર વ્યસ્ત રહી શકાય, વિવિધ પાર્ટી અને સમારંભોમાં જઈ શકાય તો માત્ર ૧૦-૧૫ મીનીટ માતા-પિતા માટે કેમ નહીં. વડીલોને માત્ર સમય જોઈએ છે. આ સમયનો અર્થ લાંબો એવો નથી. તેમને થોડો પણ પ્રેમભર્યો હોય એવો કિમતી સમય, એકાદી અને પ્રેમભરેલી નજર માત્ર જોઈએ છે.
જનરેશન આલ્ફાનાં માતા-પિતાને એટલું જ કહેવાનું કે તમે જ્યારે નાના હતાં ત્યારે એવું કોઈએ
ક્યારેય નહોતું કહ્યું કે 'હવે હું થાકી ગયો છું.' તારી સાથે વાત કરી શકું તેમ નથી. તારી સાથે વાત કરવાનો સમય નથી. રડીને સૂઈ જા. તમારા માતા પિતાઓએ પોતાનું સર્વસ્વ છોડીને તમારામાં જીવન ખર્ચી નાખ્યું. તો શું વૃદ્ધાવસ્થામાં તેમને એજ પ્રેમ, એ જ સમય કે એજ સન્માન આપવું તમારું પવિત્ર કર્તવ્ય નથી ?
વૃદ્ધ માતા-પિતાની અવગણના એ બદલાતા જમાનાનાં પરિવર્તનનું પરિણામ માનવાની ભૂલ કરવા જેવી નથી. કારણ વડીલો માટે આ એક માનસિક આઘાત સમાન છે. માણસ જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે તેની લાગણીઓ વધારે નાજુક બની જાય છે. બાળકોનું એક વાક્ય, એક ઉદાસીનતા, વાત ન કરવાની ચેષ્ટા તેમના હૃદયનાં ટુકડે ટુકડા કરવા માટે પૂરતી હોય છે. તેવો બહારથી ગમે તેટલા મજબૂત દેખાય તો પણ મનમાંને મનમાં તૂટતા જાય છે. બાળપણમાં જેમ બાળક વાતાવાતમાં પડી પડ છે એમ વૃદ્ધાવસ્થામાં પણ માતા-પિતાનું અંતર રડતું રહે છે. ફરક બસ એટલો જ હોય છે કે બાળકો રડતા દેખાય છે જ્યારે વૃદ્ધો રડતા ભાગ્યે જ દેખાય છે.
વૃદ્ધાવસ્થામાં અવગણના મળવાથી વડીલોમાં અપમાન, એકલતા, નિરર્થકતા, હતાશા, ડીપ્રેશન અને જીવવાની ઇચ્છા મરી પરવારમાં જેવા માનસિક પરિણામો જોવા મળે છે. તેઓ મનમાં વિચારે છે કે 'જેમના માટે મેં સર્વસ્વ આપ્યું, આજે હું તેમને માટે સાવ અજાણ્યો બની ગયો ?' આ વેદના શબ્દોમાં સમજાવવી મુશ્કેલ છે. વડીલોની આ અવગણનાનો બીજો મોટો ખતરો છે. જનરેશન આલ્ફાનાં બાળકો પર થતો પ્રભાવ. યાદ રાખો, બાળકો જે જુએ છે તે જ શીખે છે. જે બાળકો પોતાના માતા-પિતાને વૃદ્ધો માટે ઉદાસીનતા અને અવગણના દાખવતા જુએ છે તો એજ વર્તનને તેઓ સામાન્ય માનવા લાગે છે. પરિણામે આ બાળકો જ્યારે મોટા થશે ત્યારે તેઓ એ જ વર્તન, વલણ અને હાવભાવ પોતાના માતા-પિતા સામે પ્રદર્શિત કરશે. મનોવિજ્ઞાનની ભાષામાં આને 'જનરેશન સાયકલ ઓફ નીગલેક્ટ' કહેવાય છે. જનરેશ આલ્ફાનાં માતા-પિતા એટલું ચોક્કસ યાદ રાખો કે બાળકોને વારસામાં પૈસા અને મિલકત નહીં પણ મૂલ્યસભર વર્તન અને સંસ્કાર મળે છે.
આપણા સંસ્કાર આપણો સૌથી મોટો વારસો છે. ગાડી, બંગલા, સોનુ, પૈસા વિવાદ ઉભો કરે છે પરંતુ સંસ્કાર પેઢી દરપેઢીને જોડીને રાખે છે. વૃદ્ધોનું સન્માન શીખવાડવાથી બાળકોમાં કૃતજ્ઞાતા, આદર, જવાબદારી, સંવેદના અને નૈતિકતાની જડ મજબૂત થાય છે. હવે સૌથી અગત્યનો પ્રશ્ન છે કે આજનાં માં-બાપોએ સંતાનો અને વડીલો વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું ? ઉત્તર સરળ છે. પ્રેમ બધાને વહેંચો. સમયને અનુરૂપ તમારી પ્રાથમિકતા નક્કી કરો. બાળકોને પ્રેમ અને સુવિધાઓ આપો. જીવનસાથીને પણ સાથ અને સહકાર આપો તથા માતા-પિતાને સન્માન આપો. આ બધું શક્ય છે. માત્ર બાળકોને જ પરફેક્ટ બનાવવા દોડતા રહેશો તો વડીલો સાથેનાં સંબંધોમાં ખાલીપણું ચોક્કસ આવશે. યાદ રાખો, બાળકોને સુવિધા કરતાં પણ સંસ્કાર વધારે જરૂરી છે. સુવિધા તેમને ઉંચે ઉડાડે છે પરંતુ સંસ્કાર તેમને મૂળ સાથે બાંધે છે. એક જ ઘરમાં ત્રણ પેઢીઓ જ્યારે સહજીવન ગાળતી હોય ત્યારે રોજબરોજનાં જીવનમાં નાના-મોટા પરિવર્તન મોટો ફરક પાડી શકે છે. દૈનિક જીવનમાં અપનાવા જેવી કેટલીક સરળ રીતો નીચે મુજબ હોઈ શકે છે.

- રોજ ૧૦-૧૫ મિનીટ ઘરના વડીલો માટે રાખો.
- અઠવાડિયામાં એકવાર સાથે ભોજન લો.
- દાદા-દાદી અને બાળકો વચ્ચે ઇન્ટરેક્શન વધારો.
- બાળકની સ્કૂલ તથા કલાસીસ વિષે તેમની સાથે ચર્ચા કરો અને તેના નિર્ણયોમાં પણ દાદા-દાદીને સામેલ કરો.
- તમારા અન્ય મિત્રો આગળ તેમને સન્માનપૂર્વક રજુ કરો
- તહેવાર અને જન્મદિવસની ઉજવણીમાં તેમને સામેલ કરો

બાળકોને તમે શું આપો છો એનાથી વધારે મહત્ત્વનું એ છે કે તમે એમને શું શીખવો છો. જો તમે એમ ઇચ્છો છો કે કાલે તમારા બાળકો તમને સન્માન આપે તો આજે તમારા માતા-પિતાને તમે સન્માન આપો.

18/11/2025

મૌન - સંબંધોનો શત્રુ | Dr Mrugesh Vaishnav

13/11/2025

मुसाफ़िर हूँ यारों, ना घर है ना ठिकान - Karaoke Song By Dr Mrugesh Vaishnav

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Columnજેન.આલ્ફા અને તેમનાં પેરેન્ટ્સે સમજવા જેવા સત્યો- વેદના-સંવેદના- મૃગ...
12/11/2025

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Column

જેન.આલ્ફા અને તેમનાં પેરેન્ટ્સે સમજવા જેવા સત્યો
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

********************
બાળ ઉછેર કરતી 'નેની' આવે કે પછી એલોન મસ્કનાં દસ લાખ આધુનિક રોબો આવે. પરંતુ માનવીય સંવેદનાઓનું મહત્વ જીવનમાં ક્યારેય ઓછું થવાનું નથી.
********************

જનરેશન આલ્ફા એટલે કે ૨૦૧૦ પછી જન્મેલા બાળકો માટે અત્યારે આનંદનાં સાધનોનો ભરપુર અવકાશ છે. મધ્યમ વર્ગનાં માતા-પિતાઓ પણ બાળક જન્મવાનું હોય એની પહેલા એને ઉત્તમ ઉછેર મળે એ માટે ૨૫-૫૦ હજારનું એક રમકડું ઘડીનાં છઠ્ઠા ભાગમાં ખરીદી નાંખે છે અને નાના બાળકનાં ઉછેર દરમ્યાન એને દુનિયાનું લભ્ય તે તમામ સુખ આપી દેવાની માતા-પિતા વચ્ચે જાણે સ્પર્ધા થાય છે. બાળક ભણવામાં આગળ વધે એટલા માટે બેસ્ટ સ્કૂલમાં કોચિંગ અને સ્કૂલથી છૂટે કે તરત ટેનીસ ક્લાસ, મ્યુઝીક ક્લાસ, આર્ટ ક્લાસ, કરાટે ક્લાસ, સ્કેટિંગ ક્લાસ વગેરે વિવિધ કૌશલ્યોમાં પારંગત કરવાની માતા-પિતાની નેમ હોય છે.
બાળક પણ કોઈ રમકડાની દુકાનમાં મોલમાં દાખલ થાય એટલે સંખ્યાબંધ ચીજોની માંગણી કરે છે. આ જનરેશનને ઘરનું ખાવાનું તો ભાવતું જ નથી. મોબાઈલ અને સ્ક્રીન સાથે એમનો વારસાગત સંબંધ હોય એવું લાગે છે. માત્ર ‘Pleasure Principle’ એટલે કે 'આનંદનાં સિદ્ધાંતો' પર જીવાતી આ જિંદગી ભવિષ્યમાં ઘણાં માઠા પરિણામો લાવી શકે છે.
એટલું જ નહીં માતા-પિતા બાળકના સહાધ્યાયીઓ સાથે સર્કલ બનાવી અને નાના ભૂલકાઓને પાર્ટી કલ્ચર પણ શીખવાડી દે છે.
આ પરિસ્થિતિમાં એવા અસંખ્ય માતા-પિતાઓ આવે છે જેમને બાળકનાં વર્તન વિશે ફરિયાદ હોય છે. વિડીઓ ગેમ્સનાં રવાડે ચડીને ૧૫થી ૧૮ કલાક વિડીઓ ગેમ્સ રમતાં બાળકોનો તોટો નથી. બાળપણથી જ ઇચ્છે તે બધું મળી જાય છે એટલે બાળકો પોતાની ઇચ્છા પૂરી ન થાય કે ધારેલું ન થાય, તેમાંથી ઉભી થતી નિરાશા સહન કરી શક્તા નથી. એટલે નાની નાની બાબતમાં ગુસ્સો કરવો, માતા-પિતાની સામે બોલવું, જુઠ્ઠું બોલવું તો ક્યારેક મા-બાપનાં ખિસ્સા કે પર્સમાંથી ચોરી છૂપીથી પૈસા કાઢી લઇ દુકાનોમાંથી મનગમતી વસ્તુ લઇ આવવાની આદત પડી જાય છે. આવી આદતોથી નાસીપાસ થયેલા માતા-પિતા તેમનાં સંતાનોને કહે છે કે 'તને શું ખૂટે છે ? શેની ઓછપ આવે છે ? અમે બધુ જ તો તને અપાવીએ છીએ, તારી પાસે શું નથી કે તું આવું કરે છે ?' અતિશય લાડકોડથી ઉછરાયેલા આવા બાળકો કેટલીકવાર ભણવામાંથી તેમનું ધ્યાન ગુમાવી દે છે. આ કારણે જનરેશન આલ્ફામાં અભ્યાસનાં, કારકિર્દીનાં, ખોટા વ્યસનને રવાડે ચડી જવાની કિસ્સાઓ ઘણાં વધતા જાય છે. આમાં પણ માતા-પિતા જ્યારે વિભક્ત કુટુંબમાં રહેતા હોય અથવા તો દાદા-દાદી સાથે રહેતા હોય પણ તેમની ઘોર ઉપેક્ષા થતી હોય ત્યારે બાળકમાં માનસિક પ્રશ્નો વધે છે.
જનરેશન આલ્ફાનાં માતા-પિતાઓને મારે એટલું ચોક્કસ કહેવું છે કે તમે તમારા સંતાનો માટે જે કંઇ કરી રહ્યા છો એ અયોગ્ય છે એવું હું નહીં કહું પરંતુ 'અતિ સર્વત્ર વર્જયેત'નો સિદ્ધાંત તો યાદ રાખવો જ પડશે. ધાર્યું ન થાય તે સહન કરતાં બાળકને શીખવાડવું જ પડશે. એટલું હંમેશા યાદ રાખવાનું છે કે તમારા સંતાનને તમે જે આપો છો એ સિવાય બીજું ઘણું બધું આપવાનું છે અને શિખવાડવાનું છે.
તમારી આંગળી પકડીને ચાલતા શીખેલું તમારું સંતાન તમારા ધુ્રજતા પગને ટેકો આપતી લાકડી બને ત્યાં સુધીનો પ્રવાસ તમારે તેની સાથે કરવાનો છે. તમારા સંતાનની ઉચ્ચ અભ્યાસ કરી અને ઉચ્ચ કારકિર્દી ઘડાય અને સફળતાના શિખરો સર કરે એ તો તમારે તમારા બાળકને શીખવાડવાનું જ છે પરંતુ એ સિવાય જીવનનાં મૂલ્યો, કૌટુંબિક પરંપરાઓ અને માનવીય સંવેદનશીલતાનું સિંચન પણ કરવાનું છે. કેટલાક મા-બાપો ને હું એવું કહેતા સાંભળું છું કે 'હવે જમાનો બદલાયો છે. હોંશિયાર નહી થાવ તો દુ:ખી થશો' અથવા એવું પણ કહેતા સાંભળ્યા છે કે 'હવેનાં જમાનામાં જીવવા માટે થોડીક આવડત અને ચાલાકી તો જોઇશે જ. જમાના પ્રમાણે જીવતા તો શીખવું પડશે જ.'
આ ચાલાકી એટલે ખૂબ જ જબરા અને જીદ્દી થઇને અથવા બીજાને છેતરીને કે ધક્કો મારીને આગળ વધવાની માનસિકતાને જો તમે આજનાં જમાનાની રીત માનતા હોવ તો આવું બધું શિખવાડતા પહેલા તમારે ચેતવું પડશે.
દરેક વખતે તમારી ચાલાકી, તમારી હોંશિયારી કે આવડત તમને જિંદગી જીવવાની રીત શીખવતી નથી. બાળકોને સ્વીમીંગ, સ્કેટિંગ, ટેનીસ, કરાટે, મ્યુઝીક કે આર્ટ શીખવાડવામાં વ્યસ્ત રહેતા માતા-પિતાએ એટલું સમજવું પડશે કે સૌથી પહેલા બાળકમાં માનવીય સંવેદનશીલતા, કુટુંબના સંસ્કાર અને વડીલો પ્રત્યે સદ્ભાવના અને માનભર્યું શીખવાડવું બહુ જ જરૂરી છે.
મોટાભાગનાં ઘરમાં અત્યારે એ સંઘર્ષ ચાલી રહ્યો છે કે ઘરનાં વડીલો કે દાદા-દાદી સાથે બાળકોને હળવા મળવા દેવામાં આવશે તો તે નવા જમાનાને સમજી નહીં શકે અને શીખી નહીં શકે. એટલે તેમનાથી દૂર રાખવા સારા. પરંતુ એક સનાતન સત્ય સમજી લેવું જરૂરી છે કે જીવનનાં કેટલાક મૂળભૂત મૂલ્યો, કેટલીક પરંપરાઓ, કેટલાક સિદ્ધાંતો અને જિંદગી જીવવાની બાબતો સમયાંતરે બદલાતી નથી. બાળ ઉછેર કરતી 'નેની' આવે કે પછી એલોન મસ્કનાં દસ લાખ આધુનિક રોબો આવે. પરંતુ માનવીય સંવેદનાઓનું મહત્વ જીવનમાં ક્યારેય ઓછું થવાનું નથી. જિંદગીની એવી કેટલીક ઘટનાઓ છે જેની સાથે સંકળાયેલી લાગણીઓ કે સંવેદનાઓ જમાના સાથે ક્યારેય બદલાતા નથી.
શાળામાં બાળકને પહેલીવાર મુક્યા પછી રડતું બાળક, પ્રથમ પ્રેમનાં બ્રેકઅપ પછી તૂટેલું દિલ, લોહીનાં ગાઢ સંબંધોનાં સારા માઢા પ્રસંગોથી વિતાવેલા દાયકાઓ પછીની જુદાઈ કે મૃત્યુ પામેલા સ્વજનને વળાવતી વખતે હૈયાફાટ આવતું રુદન. બદલાતા જમાનાની તાસીર સાથે કે સમગ્ર વિશ્વના તમામ દેશોની ભાષાનાં વર્ણનમાં ક્યારેય ન બદલી શકાય એવા સનાતન સત્યો છે.
સાચું બોલવાથી, હકીકતનો અસ્વીકાર કરવાથી કે ખોટો રૂપિયો ન ચાલે તો ગમે તેટલા ધમપછાડા કરવાથી પણ જગતનાં કોઈ જ સંબંધોમાં લાંબા સમય માટે ગેરસમજો કે અબોલા ઉભા કરી શકાતા નથી.
જમાનો ભલે બદલાતો હોય, ફેશન ભલે બદલાતી હોય, એટીકેટ ભલે બદલાતી હોય, કરોડોની ગાડીનાં નવા મોડલ ભલે લોકો ફેરવતા હોય કે બંગલા અને ફાર્મહાઉસનું કલ્ચર ગમે તેટલું આંજી નાખતું હોય તો પણ તમારા બાળકની સામે તમે અને માત્ર તમે જ એક આદર્શ છો. એ ક્યારેય ભૂલતા નહીં. એને દિશાસૂચન કરવાની જવાબદારી લઇને એને કારકિર્દીનાં વિકલ્પો ચોક્કસ પૂરા પાડી શકાય. પરંતુ એ વિકલ્પોમાંથી પસંદગી કરવાની આવડત અને સમજદારી તમારી તમે બાળકને આપેલી કેળવણીથી જ શક્ય બનશે.
બાળકને નમ્ર વિવેકી, સંવેદનશીલ, જવાબદાર નાગરિક બનાવવાની સભાનતા સૌ કોઈ માતા-પિતાએ રાખવી પડશે.
આપ સૌએ અબ્રાહમ લિંકનનું નામ તો સાંભળ્યું જ હશે. તેઓ યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકાના ેક સફળ પ્રમુખ હતાં. જીવનનાં દરેક તબક્કામાં વારંવાર નિષ્ફળ જઇ આખરે અમેરિકાનાં પ્રમુખની ચૂંટણીમાં સફળ જનાર અબ્રાહમ લિંકન, વિપરીત પરિસ્થિતિઓ સામે ન ઝૂકનાર અને સંઘર્ષમય જીવન જીવનાર એક સફળ વ્યક્તિ તરીકે આજની તારીખમાં પણ લોકજીભે પ્રચલિત છે. અબ્રાહમ લિંકને એ જમાનામાં એમનાં પુત્રનાં શિક્ષકને એક પત્ર લખ્યો હતો. અત્યારે આપણે જનરેશન આલ્ફાની વાત કરીએ છીએ ત્યારે અબ્રાહમ લિંકનનાં એ પત્રમાંથી કેટલાક વાક્યો આપની સમક્ષ રજુ કરવાની મને ઇચ્છા થાય છે. આજના આધુનિક માતા-પિતાઓ માટે પણ આ પત્રમાં લખાયેલ વાક્યો એક દીવાદાંડી સમાન પુરવાર થઇ રહેલ તો મને કોઈ નવાઈ નહીં લાગે. લિંકને પોતાના પુત્રના શિક્ષકને લખેલા પત્રના કેટલા અંશો નીચે મુજબ છે.
'આ દુનિયામાં બધા માણસો ન્યાયપ્રિય કે સત્યનિષ્ઠ નથી. આ એક સનાતન સત્ય છે. મારો દિકરો પણ આ સત્ય ક્યારેક શીખશે અને સમજશે એવી મારી આશા છે. સાથે સાથે એને એ પણ શીખવાડજો કે આ જગતમાં બદમાશોનો ટોટો નથી તેવી જ રીતે ચરિત્રવાન ઉત્તમ પુરુષોની પણ કમી નથી. સ્વાર્થી રાજકારણીઓની બહુ મોટી ટોળકી છે, તો ક્યાંક ક્યાંક સત્યપરાયણ નેતાો પણ જીવે છે.
ધાર્યું ન થાય તો નિરાશ થતા પણ તેને શીખવાડજો. કેટલાક વિશિષ્ટ સંજોગોમાં જીવનમાં હારવું પણ પડે તો હાર કેવી રીતે સ્વીકારવી અને પચાવવી એ પણ એને શીખવાડજો. એટલુ જ નહીં વિજયનો આનંદ સંયમથી ઉજવવાની સમજ પણ એનામાં કેળવજો.
તમારા અભ્યાસક્રમમાં ન હોય તો પણ દ્વેષ અને અદેખાઈથી દૂર રહેતા પણ એને શીખવજો. ભૌતિક સુખસંપત્તિઓ જોઇને એ અંજાઈ ન જાય અને પોતાનું આત્મસન્માન અને આત્મવિશ્વાસ જાળવી શકે એવા પાઠો પણ એને ભણાવજો.
જો ખુશ થવાના પ્રસંગ આવે તો જીવનમાં હળવેથી ખુશી વ્યક્ત કરતાં પણ શીખવજો. તમારા અભ્યાસક્રમમાં ન હોય તો પણ ગુરુજી એને એટલું તો શીખવાડજો જ કે મનમાં ગમે તેટલું દુ:ખ હોય તો પણ બહાર હસતા જ રહેવું. સાથે સાથે એ પણ સમજાવજો કે આંખમાંથી આંસુ સરી પડે તો એમાં શરમાવા જેવું પણ કંઇ જ નથી.
તમે એના મનમાં એકવાત બરાબર ઠસાવી દેજો કે તેણે પોતાની સંપૂર્ણ બુદ્ધિ, સૂઝબુઝ અને મહેનતથી કમાણી કરવી. પૈસા કમાવવા માટે ક્યારેય જીવનનાં મૂલ્યો, આત્માના અવાજ અને હૃદયની લાગણીઓને ખૂણામાં ન હડસેલી દેવી. એને એટલું જ શીખવાડજો કે તમને ધિક્કારનારાઓનાં ટોળા તમારી સામે આવે તો આંખ આડા કાન કઈ રીતે કરવા એની સમજણ એને આપજો. છેલ્લે એક વાત એના મનમાં ચોક્કસ ઠસાવજો કે જે સાચું અને ન્યાયી લાગે તે માટે દ્રઢતાની જીવનનાં અંતિમ શ્વાસ સુધી લડી લેવું.'
જનરેશ આલ્ફાને ઇચ્છે તે બધું મળી શકે છે અને મા-બાપો એમની સઘળી ઇચ્ચા પરિપૂર્ણ કરવાં તત્પર છે. પોતાનાં સંતાનોને ડોક્ટર, એન્જિનિયર, આઈ.એ.એસ. આઈ.પી.એસ, બિઝનેસમેનન, સંગીતકાર કે કલાકાર બનાવવાની દરેક માતા-પિતાને ઇચ્છા હોય એ સમજી શકાય એમ છે. પોતાના સંતાનને એક સફળ નાગરિક તરીકે જોવાની ઇચ્છા દરેક મા-બાપની હોય છે પરંતુ અહીં એક સનાતન સત્ય સમજી લેવાની જરૂર છે કે જીવનમાં સફળ થવું એટલે એક સારા માણસ બનવું. ભવિષ્યમાં તમારું સંતાન ગમે તે બને પણ સૌથી પહેલા એ માણસ બને અને રોજેરોજ જેની સાથે પનારો પડવાનો છે એવા માણસો સાથે માણસાઇથી રહે એ સત્ય આજનાં યુગનાં ફેશનેબલ અને એટીકેટ ધરાવતા મા-બાપોએ સૌથી પહેલા સમજી લેવાની જરૂર છે.

ન્યુરોગ્રાફ :
બાળકો આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ તો આપોઆપ શીખી જશે પણ કૌટુંબિક વારસાઈના મૂલ્યો અને માણસાઈ દાખવવાની કલા મા-બાપે જ શીખવવી પડે.

08/11/2025

સંબંધો દિલના અને દલીલના - Dr Mrugesh Vaishnav

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Columnતમારૂં એટીટયુડ એક માનસિક ફીલ્ટર છે - વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ****...
05/11/2025

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Column

તમારૂં એટીટયુડ એક માનસિક ફીલ્ટર છે
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

********************
દુનિયા સારી કે ખરાબ નથી વ્યક્તિના વિચારો અને એટીટયુડ એને સારી કે ખરાબ બનાવે છે
********************

સવારના સાત વાગ્યા હતા મીકી વર્કઆઉટ માટે જીમમાં દાખલ થયો. બરાબર પાંચ મિનિટ પછી વિકી પણ જીમમાં આવ્યો, અને મિકીથી થોડે દૂર પડેલા વોકર પર ચાલવા લાગ્યો. બન્ને જણા મેરેથોનની તૈયારી કરતા હતા. ટ્રેઈનરે બન્નેના જોગરને બરાબર ગોઠવી આપ્યું અને અમુક સમયમાં અમુક અંતર કપાય તેવો એલાર્મ સેટ કરી આપ્યો. નોકરે બન્નેને ફ્રેશ ટોવેલ્સ અને વોટર બોટલ આપી. બન્ને સારી પ્રેક્ટીસ કરી શક્યા.
પરંતુ બન્નેની સમાનતાનો અહીં અંત આવ્યો. મીકી ઉત્સાહ અને જોશભેર હાસ્ય રેલાવતો લોકો તરફના પોઝીટીવ એટીટયુડ સાથે દાખલ થયો હતો. એની ચાલવાની છટા અને બોડી લેંગ્વેજથી જ એનું દુનિયા તરફનું પોઝીટીવ એટીટયુડ દેખાઈ આવતું હતું. તેણે સરસ પ્રેક્ટિસ કરી, ઈન્સ્ટ્રક્ટર સાથે થોડી વાતો પણ કરી અને નવા ઉત્સાહ અને ઉમંગ સાથે તે પાછો ફર્યો.
જ્યારે વિકી મોં બગાડી જીમમાં દાખલ થયો હતો. તેના પર આસમાન તૂટી પડયું હોય તેમ તે ઝૂકેલા ખભા અને માથા સાથે જીમમાં આવ્યો. તેની બોડી લેંગ્વેજ પોકારી રહી હતી ''આઘા રહેજો.'' ઈન્સ્ટ્રક્ટરે તેને પણ જોગર બરાબર ગોઠવી આપ્યું. પણ વિકીએ તેના પર નારાજગી દર્શાવી બે વાર છણકો કર્યો. નોકરે ફ્રેશ ટોવેલ આપ્યો તેનો વિકીએ ઘા કર્યો અને જોગીંગ પૂરું કરી મેનેજરને ફરીયાદ કરી તે ગુસ્સા અને તાણમાં બહાર નીકળ્યો.
મિકી અને વીકી બન્નેને એક જ જીમમાં આવી અલગ અલગ અનુભવો કેમ થયા? હકીકતમાં બન્ને તરફ એક સરખું ધ્યાન આપવામાં આવ્યું હતું. બન્નેને એક સરખી સેવાઓ આપવામાં આવી હતી.
આનો જવાબ છે બન્નેની દુનિયાને જોવાની દ્રષ્ટિ જુદી જુદી હતી. દુનિયા એક જ હતી પણ મિકી તેને પોઝીટીવ ગ્લાસથી જોતો હતો જ્યારે વિકી નેગેટીવ ગ્લાસથી. તમે દુનિયાને પોઝીટીવ મેન્ટલ એટીટયુડથી જોશો એટલે કે દુનિયાને જોવાના તમારા ચશ્મા સ્વચ્છ અને પારદર્શક રાખશો તો દુનિયા તમને પોઝીટીવ અને આવકારથી ભરેલી લાગશે અને દુનિયાને જોવાના તમારા ચશ્મા નેગેટીવ હશે તો દુનિયા નકારથી ભરેલી લાગશે.
તમારૂં એટીટયુડ એક એવું માનસિક ફીલ્ટર છે જેના દ્વારા તમે વિશ્વનો અનુભવ કરો છો.
પોઝીટીવ એટીટયુડ ધરાવતી વ્યક્તિ એક ચૂંબકીય શક્તિ ધરાવે છે તે પોતાના તરફ પોઝીટીવીટીને આકર્ષે છે અને હંમેશાં આનંદ-ઉત્સાહથી ભરેલો રહે છે. તે જીવનમાં સફળ થાય છે.
પોઝીટીવ એટીટયુડ ધરાવતી વ્યક્તિ એમ વિચારે છે કે:
''આ કામ સરળ છે... હું તે કરી શકીશ.''
નેગેટીવ એટીટયુડ વાળી વ્યક્તિ વિચારે છે કે:
''આ કામ મુશ્કેલ છે. હું તે ક્યારેય નહી કરી શકું.''
પોઝીટીવ એટીટયુડ ધરાવતી વ્યક્તિ સોલ્યુશન વિષે વિચારે છે. જ્યારે નેગેટીવ એટીટયુડ ધરાવતી વ્યક્તિ પ્રોબ્લેમ્સ વિશે વિચારે છે.
પોઝીટીવ એટીટયુડ ધરાવતી વ્યક્તિ બીજાના ગુણોની પ્રશંસા કરે છે જ્યારે નેગેટીવ એટીટયુડ ધરાવતી વ્યક્તિ બીજાના દોષ જોયા કરે છે.
પોઝીટીવ એટીટયુડ ધરાવતી વ્યક્તિ પોતાની પાસે શું છે અને પોતે શું મેળવ્યું છે એનો વિચાર કરે છે જ્યારે નેગેટીવ એટીટયુડ ધરાવતી વ્યક્તિ તેની પાસે શું નથી તેનો વિચાર કર્યા કરે છે.
પોઝીટીવ એટીટયુડ ધરાવતી વ્યક્તિ સંભાવનાઓ પર નજર રાખે છે જ્યારે નેગેટીવ એટીટયુડ ધરાવતી વ્યક્તિ પોતાની મર્યાદાઓ પર.
તમારૂં એટીટયુડ દુનિયાને જોવાના તમારા ચશ્મા (ગ્લાસીસ) છે. ચશ્માના આ કાચ બાળપણમાં સ્વચ્છ હોય છે એટલે જ નાના બાળકો હંમેશા રમતાં અને નાચતા-ગાતા જોવા મળે છે. તેઓ આશાવાદી અને ઉત્સાહથી ભરપુર હોય છે.
બાખોડીયા ભરતા કે પા-પા પગલીથી ચાલવાની શરૂઆત કરતા બાળકનું એટીટયુડ જુઓ. એ પડી જાય છે ત્યારે કારપેટને કે જમીનને દોષ દેતું નથી. તે પોતાને સરખી રીતે ચાલવાનું નહીં શીખવાડવા બદલ પોતાના માતા કે પિતાનો વાંક કાઢતું નથી. તે ચાલવાનું છોડી પણ નથી દેતું. પડી ગયા પછી તે સ્મિત કરે છે, ઉભું થાય છે એ ફરી ચાલવાનો પ્રયત્ન કરે છે. આમ દિવસોના દિવસો સુધી તે પડે છે અને પ્રયત્ન કરે છે. આખરે તે ચાલવાનું શીખી જાય છે. કારણ એને લાગે છે કે એ કરી શકશે.
એનું એટીટયુડ પોઝીટીવ છે. દુનિયાને જોવાના તેના ચશ્માના કાચ સ્વચ્છ છે. પણ ધીરે ધીરે આ કાચ પર ધૂળ અને કચરો ફેંકતા જાય છે. અને કાચ ગંદા થતા જાય છે. આ ધૂળ અને કચરો ક્યાંથી આવ્યાં?
માતા-પિતા વડીલો અને શિક્ષકોની ટીકાત્મક તથા નકારાત્મક વિધાનોને કારણે.
સહાધ્યાયીઓની મજાક અને મશ્કરીને કારણે ચશ્માના કાચ પર ડાઘ પડવા માંડે છે.
લોકો દ્વારા થતા અસ્વીકારને કારણે કાચ ગંદા થતા જાય છે.
નિરાશા, શંકા, કુશંકા આ કાચ પર કાળા ધબ્બા સરજે છે.
ધીરે ધીરે કાચ વધારે ને વધારે અસ્વચ્છ થતા જાય છે. ઉત્સાહ પડી ભાંગે છે. હતાશા અને નિરાશા ઘેરી વળે છે અને સ્વપ્ના તૂટી જાય છે. કારણ આપણે જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ એટીટયુડના ચશ્માના કાચને સ્વચ્છ રાખી ન શક્યા. કાચ ગંદા થતા ગયા, નેગેટીવીટીના ધબ્બાઓને કારણે જીવનમાં પોસીબીલીટી દેખાવાની બંધ થઈ ગઈ.
એક વિદ્યાર્થીને, વ્યવસાયીને, કલાકારને, ગૃહીણીને જીવનના કોઈક તબક્કે આવું લાગે. આ સમયે સંજોગોને લોકોને દોષ દેવાની ઈચ્છા થાય. પણ સંજોગો પર આપણો કાબુ નથી આપણા એટીટયુડ પર આપણો કાબુ છે. આપણા એટીટયુડમાં સુધારો લાવવા, વિશ્વને આપણે ફરીથી સ્પષ્ટપણે જોઈ શકીએ તે માટે દુનિયાને જોવાના ચશ્માના કાચ પરના ધબ્બા, ધૂળ, ગંદકી સાફ કરવાની જરૂર હોય છે. જો આવું કરી શકીએ તો આખુંયે નવું વિશ્વ તમારી આંખ સામે ખડું થશે. ફરીથી જીવન અનેક શક્યતાઓથી ભરપૂર લાગશે. તમને મનગમતું કામ તમે કરી શકશો તમારા વ્યવસાયમાં, કારકીર્દીમાં, સંબંધોમાં તમે પરિવર્તન લાવી શકશો. કારણ તમારું એટીટયુડ તમારા જીવનમાં બનતા સારા કે માઠા પ્રસંગો માટે જવાબદાર છે. તમારૂં એટીટયુડ બદલો, જીવન બદલાઈ જશે.
તમારૂં એટીટયુડ બદલવાનું, દુનિયાને જોવાના તમારા ચશ્માના કાચ સાફ રાખવાનું કામ તમારું છે. આ માટે તમને કોઈ પ્રોત્સાહિત જરૂર કરી શકે પણ તમારા વતી આ કામ કોઈ કરી ન શકે.
યાદ રાખો તમારૂં જીવન કઈ રીતે જીવવું તેનો નિર્ણય તમે જ લઈ શકો. તમે તમારા ચશ્માના કાચને અસ્વચ્છ અને ધબ્બાવાળા રાખી દુનિયાને જોવાનું ચાલુ રાખી શકો. પરંતુ આ નિર્ણય તમને હતાશા, નિરાશા, દુઃખ અને નિષ્ફળતાની ગર્તામાં ધકેલશે. તમારી શક્તિ મુજબ સિધ્ધિ તમે જીવનમાં નહી મેળવી શકો. એના કરતાં આજે જ નિર્ણય લો. તમારૂં એટીટયુડ બદલો તમારા ચશ્માના કાચ સ્વચ્છ કરો. તમારૂં જીવન તમને જીવવા જેવું લાગશે. તમે સુખી અને સફળ વ્યક્તિ થઈ શકશો. તમારૂં ધ્યેય તમે નક્કી કરી શકશો. તમારાં સ્વપ્નાં તમે પુનર્જિવિત કરી શકશો.
કેટલાક લોકો એવી દલીલ કરે છે કે જેના પર વીત્યું હોય એ જ સમજી શકે. આવું કહેવું સહેલું છે કરવું અશક્ય છે. આ લોકો સાથે ઘણું બધું ખરાબ બન્યું હોય તેવું બની શકે. તેઓ ખરાબ સમયમાંથી પસાર થયા હોય તેમના સંજોગો ખરાબ હોય. છતાં પણ હું તેમને ભારપૂર્વક કહીશ કે તેમનું એટીટયુડ બદલવાની શક્તિ તેમનામાં છે. એ કામ સહેલું ચોક્કસ નથી પણ કરવા યોગ્ય અને કરી શકાય તેવું કામ ચોક્કસ છે. પરંતુ તેમ કરવાની ઈચ્છા હોવી જરૂરી છે. કારણ માણસ સંજોગોને કારણે સુખી કે દુઃખી નથી હોતો પણ એટીટયુડને કારણે સુખી કે દુઃખી હોય છે.
સફળતા માટે દુનિયાને જોવાના ચશ્માના તમારા કાચ સાફ કરો એટલે કે તમારું એટીટયુડ પોઝીટીવ રાખો. તમારી શક્તિઓનો તમે શ્રેષ્ઠતમ ઉપયોગ કરી શકો અને તમારા ધ્યેય સિદ્ધ કરી શકો તે માટે સફળતાના સિધ્ધાંતોનો ઉપયોગ કરો. તમારા ભયનો સામનો કરો. દ્રઢ નિશ્ચય શક્તિ વિકસાવો. જે ઈચ્છો તે મેળવો. પોઝીટીવ મેન્ટલ એટીટયુડ સાથે સફળતાના અન્ય સિધ્ધાંતોનો સુમેળ સાધશો તો દુનિયાની કોઈ તાકાત તમને સફળતા મેળવતા નહી અટકાવી શકે.

ન્યુરોગ્રાફ:
તમારૂં એટીટયુડ એ બારેય માસ અને ચોવીસેય કલાક કામ કર્યા કરતો એક સિક્રેટ પાવર છે જે સારૂં કે ખરાબ પરિણામ આપે છે.

Address

3rd Floor Satya One Complex, Opp Manav Mandir Helmet Circle Memnagar
Ahmedabad
380052

Alerts

Be the first to know and let us send you an email when Samvedana Happiness Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category