Mukesh Patel - Health Immunity Ease Naturally

Mukesh Patel - Health Immunity Ease Naturally Aim to make a Naturopathy Hospital cm Resort from where people can get piece & mindfulness with the

04/05/2025

…..આળસ, ભૂખ દૂર કરવા જંતુરૂપે એણે આપણને અનેક જન્મો ખવડાવી, ઊંઘાડી રાખ્યા. આપણે બે જ કામ કર્યે રાખેલા; ખાવું અને ઊંઘવું. જરાક જગાડીને પછી પ્રાણી બનાવ્યા. એમાં લડતા-ઝઘડતા હવે આવ્યા માણસનાં શરીરમાં.
આ શરીરમાં અનેકને રજાને દિવસે વધુ કંટાળો આવે છે. સમય કેમ કાઢવો? થાક અને કંટાળો મનને લાગે છે અને આપણે આરામ આપવા જઈએ છીએ શરીરને. ઊંડા શ્વાસ, ખુલ્લું આકાશ, સૂર્યનો પ્રકાશ, પુસ્તકો અને ક્રિયાઓ( acitivites) મનનો આહાર છે.
જો રજાનો દિવસ જ નથી જીવી શકાતો તો નિવૃત્તિ( retirement) કે પથારીવશ સ્થિતિમાં મન કેવી રીતે હળવું રહેશે? બેંક બેલેન્સ કે સત્તા અકસ્માત, કંટાળો કે ડિપ્રેશનને અટકાવી નહિ શકે. કેમકે, ત્યાં કુદરતની સત્તા છે.
આ પળમા, આજમાં આપણાં સૌની સત્તા ચાલે છે જેમાં પ્રભુનો અને કુદરતનો દરેક પળે આપણને સાથ હોય છે. પણ, આવતીકાલમાં કેવળ પરમાત્મા-કુદરતની સત્તા ચાલે છે. આવો, આજમાં અને આ પળમાં જીવીએ અને પ્રભુનો સાથ માણીએ, આભાર, મુકેશ, નિહાર આરોગ્ય મંદિર, અમદાવાદ.

05/11/2024

.....મેડિકલ રિપોર્ટ નોર્મલ છે, કોઈ બીમારી નથી. પરંતુ, તંદુરસ્તીનો તરવરાટ જીવનમાં દેખાય છે? સવારે ઊગતો સૂરજ, પક્ષીઓનો દિવ્ય અવાજ તમને હજું મસ્તીમાં રાખે છે? એકદમ શાંતિથી ચા પીવાય છે કે દવાની માફક, અજાણતા જ અને ઉચાટ સાથે ગળા નીચે ઊતરી જાય છે?
કારણ, ભાડાનું ઘર હોય કે શરીર; એક ટેવ પડી છે એને નહિ સાચવવાની. અને, અનેક તો જાણે પોતાનાં જ શરીર ઉપર ઉપકાર કરતા હોય એ રીતે વ્યાયામ કરે છે. એ સિવાય, અનેક લોકો બધું ખાઈ-પી શકે એ માટે એક્સરસાઈઝ કરે છે..!
એમને કોણ સમજાવે કે ઘરમાં સફાઈ કર્યા બાદ એમાં કચરો ન કરાય. મતલબ, વ્યાયામ કરીએ એટલે શરીર અંદરથી ડીટોક્ષ (ચોખ્ખું) થાય. એ પછી એ જ શરીરમાં અંદર ગંદકી થાય એવો ખોરાક વારંવાર નાખતા રહેવાય તો વ્યાયામરૂપી સફાઈનો મતલબ શો? આ વાંચીને આવા લોકો તરત કહેશે કે અમે એટલિસ્ટ વ્યાયામ તો કરીએ છીએ અને ખાઈએ છીએ ને..! કેટલા બધાં છે જે વ્યાયામ નથી કરતા અને તોય બધું ખાય-પીએ છે.
તો જાણી લો કે જે વ્યાયામ નથી કરતા એમનો પ્લસ પોઈન્ટ કયો છે જે એમને સાજા રાખે છે? જવાબ છે: "ચિંતા વિનાનો સ્વભાવ". અને, એમાંના અનેકનો એક માયનસ પોઈન્ટ પણ છે: "સમય અગાઉ આ જગત છોડી દેવાની ટેવ".
દોસ્તો, પરમાત્માએ અદ્ભુત શરીર તેમ જ, સુપર કોમ્પ્યુટર બનાવી શકે એવું મન આપ્યું છે. હવે આપણે એનાં માલિક છીએ. આભાર, મુકેશ, નિહાર આરોગ્ય મંદિર અમદાવાદ, 9913230263, 7874744676.

03/11/2024

.....2020થી એન્ટી-બેક્ટેરિયલ દવાઓનો ઉપયોગ ખૂબ વધ્યો છે. શરદી, કફ, ગળું પકડાય ત્યારે એન્ટિબેક્ટેરિયલ દવાઓ વપરાય છે. પરંતુ, છેલ્લા પાંચ વર્ષથી સતત ઉપયોગને કારણે દેશમાં આશરે 70 ટકાથી વધુ લોકોને આવી દવાઓની સામે રેજીઝસ્ટન્સ આવી રહ્યું છે. મતલબ એન્ટી બેક્ટેરિયલ દવા લો પરંતુ એ દવાની તમારી પર ખાસ કોઈ અસર ન દેખાય. એટલે તમારી ખાંસી, કફ ઉધરસ મટે નહીં. એઝીથ્રોમાયસીન આવી જ એક દવા છે જે લોકો જાતે પણ વાપરે છે અને ડોક્ટર્સ પણ લખતા રહે છે. પરંતુ, હવે આપણી સરકાર આવી દવાઓનો ઉપયોગ ઘટે એ માટે કરોડો રૂપિયા ખર્ચી રહી છે. અને, સારી વાત એ છે કે હમણાંથી અનેક બાળકોના ડોક્ટર બાળક બીમાર પડે તો ત્રણ દિવસ સુધી એન્ટીબાયોટિક દવાઓને બદલે સામાન્ય દવાઓથી બાળકોને સાજા કરવાનો પ્રયત્ન કરે છે. આવી દવાઓ બાબતે WHOએ પણ ચેતવણી આપી છે.
કુદરતની અદભુત એન્ટિ-બેક્ટેરિયલ ઔષધિનું નામ છે હળદર. અડધો ગ્લાસ પાણીમાં હળદરને પાંચથી સાત મિનિટ ચાની જેમ ઊકાળાય અને એમાં ચાર પાંચ ટીપાં લીંબુ ઉમેરીને બે વાર થોડો સમય પીવાય એટલે એમાંથી ક્યુરક્યુમીન (curcumin) છૂટું પડે છે જે બેક્ટેરિયલ ઇન્ફેક્શન અને કફ પણ દૂર કરે છે. એસિડિટી થતી હોય તો અડધી ચમચી હળદરવાળું આવું પાણી નાસ્તો કે ભોજનનાં એક કલાક બાદ લઈ શકાય. આ પ્રયોગ સળંગ ત્રણ ચાર મહિના કરવાથી તમાકુને કારણે ફેફસામાં પડેલાં ડાઘા પણ ઓછા થવા લાગે છે.
રોંગ સાઈડે જવાની ટેવ ગમે મૃત્યુ નીપજાવી શકે છે. એમ જ, જાતે એલોપથીની દવાઓ લેવાની આદત ધીમું મૃત્યુ સાબિત થઈ શકે છે. આભાર, મુકેશ, નિહાર આરોગ્ય મંદિર અમદાવાદ (9913230263, 7874744676).

01/11/2024

.....પડતર દિવસ, પડતર જીવન. ભલે અબજો વર્ષોથી ગ્રહો, તારાઓ અને બ્રહ્માંડનું અસ્તિત્વ હોય, પરંતુ આપણું આયુષ્ય કેટલું? પરાણે, 65 વર્ષ. કારણ, ભારતમાં આશરે ચાર ટકા જેટલા લોકો 70 ઉપર જીવે છે. આપણે 65 સુધીમાં પતી જઈશું એમ માનીને ચાલીએ તો જ આજમાં જીવવાની શરૂઆત થશે.
પાસે રહેલી શક્તિ, સત્તા કે જ્ઞાનમાંથી વ્યક્તિ કેટલું વાપરી શકે છે એ જ એનું છે; બાકી બધું પડતર છે. અનેક વ્યક્તિઓની મિલકત લાખો, કરોડો. પણ, હજુ એકેય મહિનાનું અડધું પેન્શન પણ વપરાયું ન હોય એવાં અનેક છે. શટલને બદલે સ્પેશિયલ રીક્ષા કરી, વધારાનાં થોડાક રૂપિયા રિક્ષા ડ્રાઈવરને આપ્યા હોય એવો દિવસ કેટલાનો આવ્યો?
એની સામે કુદરતની સીધી સ્કીમ તો જુઓ. થોડાક ઊંડા શ્વાસ આનંદના મહાસાગરમાં લઈ જાય છે. કોઈકના માટે કરેલી નિયમિત સેવા એક એક મિનિટે એક એક જન્મ જેટલાં પણ આગળ લઈ જાય છે. મળી ગયેલ અને પડી રહેલ એટલે કે પડતરને સતત વહેંચતા રહેવાથી આપણી આસપાસ આપણે બ્રહ્માંડની ઉર્જાથી ઘેરાયેલા જ રહીએ છીએ. પછી શરીર રહે કે ન રહે, દિવ્ય ઊર્જા તો આપણી સાથે રહેશે જ.
પરંતુ, શટલ રીક્ષાથી સ્પેશિયલ રિક્ષા સુધી પહોંચતા જ જો દસ જન્મ લાગશે તો ઊર્જાની અનુભૂતિ કરવા માટે કેટલાં જન્મ લેવા પડે? હે પ્રિય વાચક. આ વાંચવાથી તમારી અંદર શાંતિ, નિરાંત અને આનંદની જેવી અનુભૂતિ થાય છે તે જ ક્ષણે તમારી અને મારી અંદર રહેલી બ્રહ્માંડની ઊર્જા જોડાઈ જાય છે. આ જ છે એની કૃપા.
આભાર, આજના પડતર દિવસે, પડતર વસ્તુઓથી મુક્ત થઈ પ્રભુની વરસતી કૃપા નીચે આપ પણ આવી જાઓ એવી આશા અને પ્રાર્થના સાથે, મુકેશ, નિહાર આરોગ્ય મંદિર, અમદાવાદ (06/11/24 થી સારવારની અપોઈન્ટમેન્ટ માટે: 9913230263/7874744676. )

30/10/2024

તનને તારે એ તંત્ર, મનને તારે એ મંત્ર. અને, વિધિવત, મંત્રો દ્વારા ચાર્જ થયેલું સાધન એટલે યંત્ર. આજનાં દિવસે લાખો ભણેલાં અને અભણ એમ દરેક કેટેગરીના લોકો ચાર રસ્તે કકળાટને મૂકવા જશે. દરેક માણસમાંથી કાંઈક નબળાઈ શોધી કાઢવાની જેને ટેવ હોય એ ખરેખર સાચો કકળાટિયો માણસ કહેવાય.
આપણા પૂર્વજોએ લિમિટ બહાર વિચારતા રહેતા મનને બેલેન્સ કરવા શાંત કરવા માટે જ મંત્રોની રચના કરી છે. કોઈને મંત્રો ન કરવા હોય તો કેવળ પદ્ધતિસરની શ્વાસની સાવ સાદી એક ક્રિયાથી પણ વિચારો ધીમા પડી શકે છે. કમર સીધી રાખી અને જ્યાં બેઠા છો ત્યાં જ ધીમો, ઊંડો શ્વાસ લેવાનો એને બે ત્રણ સેકન્ડ રોકવાનો. પછી, ધીમે ધીમે લાંબો શ્વાસ બહાર કાઢવાનો. અને, બે ત્રણ સેકન્ડ રોકાઈને ફરીથી ઊંડો શ્વાસ લેવાનો.
સવારે, બપોરે, સાંજે, રાત્રે જ્યારે યાદ આવે ત્યારે આ રીતે 11 વાર કરી શકાય. નાસ્તો કર્યો હોય તો એના એકથી દોઢ કલાક બાદ અને, જમ્યા હો તો બેથી ત્રણ કલાક બાદ કરી શકાય.
ક્યારેક ગાર્ડનમાં કે શાંત જગ્યામાં બેઠા હો ત્યારે આ 11 શ્વાસ સાથે એક પ્રયોગ બતાવું છું એ કરી જોજો. પહેલા આસપાસનાં પક્ષીઓનો અવાજ થોડીવાર સાંભળજો અને પછી કોઈ વૃક્ષ કે છોડ સામે બે ચાર મિનિટ જોઈ રહેજો. ત્યારબાદ આ ક્રિયા કરજો. અને, એ ક્રિયા પૂરી થાય પછી ફરીથી પક્ષીઓનો અવાજ સાંભળજો અને વૃક્ષ, છોડ સામે જોજો. આવા શ્વાસ બાદ તમારી મન શાંત થયા પછીની આખી ફીલિંગ બદલાઈ જશે. આભાર, સ્વસ્થ રહો મસ્ત રહો, હેપી દિવાલી, મુકેશ, નિહાર આરોગ્ય મંદિર, અમદાવાદ, (9913230263/ 7874744676.)

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Mukesh Patel - Health Immunity Ease Naturally posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Mukesh Patel - Health Immunity Ease Naturally:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram