Nihar Charitable Trust

Nihar Charitable Trust Aim to make a Naturopathy Hospital cm Resort from where people can get piece & mindfulness with the

શ્રી હરીધામ સોખડા ખાતે 15-11-2011 ના દિવસે સ્વામીશ્રી અને શ્રોતાઓ સાથે આરોગ્ય સંવાદના 14 વર્ષ....
16/12/2025

શ્રી હરીધામ સોખડા ખાતે 15-11-2011 ના દિવસે સ્વામીશ્રી અને શ્રોતાઓ સાથે આરોગ્ય સંવાદના 14 વર્ષ....

જૂન-1994 માં જયારે પ્રથમ વખત સેન્ટ્રલ જેલના કેદીભાઈઓ માટે કેમ્પનું આયોજન કર્યું, ત્યારે તે તમામ લોકોએ ઉત્સાહથી અમને આવકા...
16/12/2025

જૂન-1994 માં જયારે પ્રથમ વખત સેન્ટ્રલ જેલના કેદીભાઈઓ માટે કેમ્પનું આયોજન કર્યું, ત્યારે તે તમામ લોકોએ ઉત્સાહથી અમને આવકાર આપ્યો હતો. ત્યારબાદ ડિસેમ્બર-1994 સુધી નિયમિતરૂપે આદત-આહાર અને યોગ દ્વારા તેમના જીવનધોરણમાં સુધારા માટે અઠવાડિયે 2 વાર મુલાકાત થતીરહેતી.

25 જુલાઈ 2011 ના રોજ કપડવંજ તાલુકાના આંત્રોલી ગામમાં ભગવાનજીની મુવાડી ખાતે પ્રાથમિક શાળામાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામા...
16/12/2025

25 જુલાઈ 2011 ના રોજ કપડવંજ તાલુકાના આંત્રોલી ગામમાં ભગવાનજીની મુવાડી ખાતે પ્રાથમિક શાળામાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જુલાઈ-2011 માં B.D.Houseના સભ્યોને, ઓફિસમાં આખો દિવસ બેસીને કામ કરતી વખતે આરોગ્યની શું કાળજી લઇ શકાય? તે વિષે સમજ આપી હત...
16/12/2025

જુલાઈ-2011 માં B.D.Houseના સભ્યોને, ઓફિસમાં આખો દિવસ બેસીને કામ કરતી વખતે આરોગ્યની શું કાળજી લઇ શકાય? તે વિષે સમજ આપી હતી.

જુલાઈ 2011 માં ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં પ્રથમ દિવસે કેમ્પ દ્વારા લોકોને આયુર્વેદિક ઔષધિ અને ઉકાળા વિષે માહિતગાર કર...
16/12/2025

જુલાઈ 2011 માં ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં પ્રથમ દિવસે કેમ્પ દ્વારા લોકોને આયુર્વેદિક ઔષધિ અને ઉકાળા વિષે માહિતગાર કરીને આરોગ્ય સેવા પુરી પાડી હતી.

એપ્રિલ 2012 માં આરોગ્ય યજ્ઞની શરુઆત કંઈક આવી રીતે લોકોને સેમિનાર દ્વારા માહિતગાર કરીને કરવામાં આવી હતી.                 ...
16/12/2025

એપ્રિલ 2012 માં આરોગ્ય યજ્ઞની શરુઆત કંઈક આવી રીતે લોકોને સેમિનાર દ્વારા માહિતગાર કરીને કરવામાં આવી હતી.

નિહાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડાંગ જિલ્લાના માનમોડી ગામમાં, તારીખ ૧૭, જુલાઈ ૨૦૧૯ ના રોજ ફરીવાર આયુર્વેદિક કેમ્પ નું આયોજન...
16/12/2025

નિહાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડાંગ જિલ્લાના માનમોડી ગામમાં, તારીખ ૧૭, જુલાઈ ૨૦૧૯ ના રોજ ફરીવાર આયુર્વેદિક કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું, ત્યારે આશરે ૨૦૦ જેટલા સ્થાનિકોએ આ નિઃશુલ્ક સારવારનો લાભ લીધો હતો.

04/05/2025

…..આળસ, ભૂખ દૂર કરવા જંતુરૂપે એણે આપણને અનેક જન્મો ખવડાવી, ઊંઘાડી રાખ્યા. આપણે બે જ કામ કર્યે રાખેલા; ખાવું અને ઊંઘવું. જરાક જગાડીને પછી પ્રાણી બનાવ્યા. એમાં લડતા-ઝઘડતા હવે આવ્યા માણસનાં શરીરમાં.
આ શરીરમાં અનેકને રજાને દિવસે વધુ કંટાળો આવે છે. સમય કેમ કાઢવો? થાક અને કંટાળો મનને લાગે છે અને આપણે આરામ આપવા જઈએ છીએ શરીરને. ઊંડા શ્વાસ, ખુલ્લું આકાશ, સૂર્યનો પ્રકાશ, પુસ્તકો અને ક્રિયાઓ( acitivites) મનનો આહાર છે.
જો રજાનો દિવસ જ નથી જીવી શકાતો તો નિવૃત્તિ( retirement) કે પથારીવશ સ્થિતિમાં મન કેવી રીતે હળવું રહેશે? બેંક બેલેન્સ કે સત્તા અકસ્માત, કંટાળો કે ડિપ્રેશનને અટકાવી નહિ શકે. કેમકે, ત્યાં કુદરતની સત્તા છે.
આ પળમા, આજમાં આપણાં સૌની સત્તા ચાલે છે જેમાં પ્રભુનો અને કુદરતનો દરેક પળે આપણને સાથ હોય છે. પણ, આવતીકાલમાં કેવળ પરમાત્મા-કુદરતની સત્તા ચાલે છે. આવો, આજમાં અને આ પળમાં જીવીએ અને પ્રભુનો સાથ માણીએ, આભાર, મુકેશ, નિહાર આરોગ્ય મંદિર, અમદાવાદ.

05/11/2024

.....મેડિકલ રિપોર્ટ નોર્મલ છે, કોઈ બીમારી નથી. પરંતુ, તંદુરસ્તીનો તરવરાટ જીવનમાં દેખાય છે? સવારે ઊગતો સૂરજ, પક્ષીઓનો દિવ્ય અવાજ તમને હજું મસ્તીમાં રાખે છે? એકદમ શાંતિથી ચા પીવાય છે કે દવાની માફક, અજાણતા જ અને ઉચાટ સાથે ગળા નીચે ઊતરી જાય છે?
કારણ, ભાડાનું ઘર હોય કે શરીર; એક ટેવ પડી છે એને નહિ સાચવવાની. અને, અનેક તો જાણે પોતાનાં જ શરીર ઉપર ઉપકાર કરતા હોય એ રીતે વ્યાયામ કરે છે. એ સિવાય, અનેક લોકો બધું ખાઈ-પી શકે એ માટે એક્સરસાઈઝ કરે છે..!
એમને કોણ સમજાવે કે ઘરમાં સફાઈ કર્યા બાદ એમાં કચરો ન કરાય. મતલબ, વ્યાયામ કરીએ એટલે શરીર અંદરથી ડીટોક્ષ (ચોખ્ખું) થાય. એ પછી એ જ શરીરમાં અંદર ગંદકી થાય એવો ખોરાક વારંવાર નાખતા રહેવાય તો વ્યાયામરૂપી સફાઈનો મતલબ શો? આ વાંચીને આવા લોકો તરત કહેશે કે અમે એટલિસ્ટ વ્યાયામ તો કરીએ છીએ અને ખાઈએ છીએ ને..! કેટલા બધાં છે જે વ્યાયામ નથી કરતા અને તોય બધું ખાય-પીએ છે.
તો જાણી લો કે જે વ્યાયામ નથી કરતા એમનો પ્લસ પોઈન્ટ કયો છે જે એમને સાજા રાખે છે? જવાબ છે: "ચિંતા વિનાનો સ્વભાવ". અને, એમાંના અનેકનો એક માયનસ પોઈન્ટ પણ છે: "સમય અગાઉ આ જગત છોડી દેવાની ટેવ".
દોસ્તો, પરમાત્માએ અદ્ભુત શરીર તેમ જ, સુપર કોમ્પ્યુટર બનાવી શકે એવું મન આપ્યું છે. હવે આપણે એનાં માલિક છીએ. આભાર, મુકેશ, નિહાર આરોગ્ય મંદિર અમદાવાદ, 9913230263, 7874744676.

03/11/2024

.....2020થી એન્ટી-બેક્ટેરિયલ દવાઓનો ઉપયોગ ખૂબ વધ્યો છે. શરદી, કફ, ગળું પકડાય ત્યારે એન્ટિબેક્ટેરિયલ દવાઓ વપરાય છે. પરંતુ, છેલ્લા પાંચ વર્ષથી સતત ઉપયોગને કારણે દેશમાં આશરે 70 ટકાથી વધુ લોકોને આવી દવાઓની સામે રેજીઝસ્ટન્સ આવી રહ્યું છે. મતલબ એન્ટી બેક્ટેરિયલ દવા લો પરંતુ એ દવાની તમારી પર ખાસ કોઈ અસર ન દેખાય. એટલે તમારી ખાંસી, કફ ઉધરસ મટે નહીં. એઝીથ્રોમાયસીન આવી જ એક દવા છે જે લોકો જાતે પણ વાપરે છે અને ડોક્ટર્સ પણ લખતા રહે છે. પરંતુ, હવે આપણી સરકાર આવી દવાઓનો ઉપયોગ ઘટે એ માટે કરોડો રૂપિયા ખર્ચી રહી છે. અને, સારી વાત એ છે કે હમણાંથી અનેક બાળકોના ડોક્ટર બાળક બીમાર પડે તો ત્રણ દિવસ સુધી એન્ટીબાયોટિક દવાઓને બદલે સામાન્ય દવાઓથી બાળકોને સાજા કરવાનો પ્રયત્ન કરે છે. આવી દવાઓ બાબતે WHOએ પણ ચેતવણી આપી છે.
કુદરતની અદભુત એન્ટિ-બેક્ટેરિયલ ઔષધિનું નામ છે હળદર. અડધો ગ્લાસ પાણીમાં હળદરને પાંચથી સાત મિનિટ ચાની જેમ ઊકાળાય અને એમાં ચાર પાંચ ટીપાં લીંબુ ઉમેરીને બે વાર થોડો સમય પીવાય એટલે એમાંથી ક્યુરક્યુમીન (curcumin) છૂટું પડે છે જે બેક્ટેરિયલ ઇન્ફેક્શન અને કફ પણ દૂર કરે છે. એસિડિટી થતી હોય તો અડધી ચમચી હળદરવાળું આવું પાણી નાસ્તો કે ભોજનનાં એક કલાક બાદ લઈ શકાય. આ પ્રયોગ સળંગ ત્રણ ચાર મહિના કરવાથી તમાકુને કારણે ફેફસામાં પડેલાં ડાઘા પણ ઓછા થવા લાગે છે.
રોંગ સાઈડે જવાની ટેવ ગમે મૃત્યુ નીપજાવી શકે છે. એમ જ, જાતે એલોપથીની દવાઓ લેવાની આદત ધીમું મૃત્યુ સાબિત થઈ શકે છે. આભાર, મુકેશ, નિહાર આરોગ્ય મંદિર અમદાવાદ (9913230263, 7874744676).

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Nihar Charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Nihar Charitable Trust:

Share