Ayurvedacharya Vaidya Komal Patel

Ayurvedacharya Vaidya Komal Patel Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ayurvedacharya Vaidya Komal Patel, Doctor, Bangalore.

Worked with Sri Sri Ayurveda panchakarma ( The art of living foundation Bangalore)
treating various health issues across all ages, especially preventive health care, children and women care,diet and lifestyle counseling, corona, chikengunya etc.

       #दैव व्यपाश्रयी चिकित्सा #मंत्र चिकित्सा #गणपतीअथवॅशीर्ष श्री गणेशाय नमः।। आज का विषय देखकर सबको हैरानी होना स्वा...
02/09/2025




#दैव व्यपाश्रयी चिकित्सा
#मंत्र चिकित्सा
#गणपतीअथवॅशीर्ष

श्री गणेशाय नमः।। आज का विषय देखकर सबको हैरानी होना स्वाभाविक है। आयुर्वेद में मुख्यतया तीन प्रकार से चिकित्सा की जाती है युक्तिव्यपाश्रय, दैव व्यपाश्रयी और सत्वावजय चिकित्सा। सामान्य रूप से इसे समझें तो पहले प्रकार की युक्ति व्यपाश्रयी चिकित्सा में वैद्य शास्त्र के ज्ञान के अनुसार रोगी को उसकी अवस्था, प्रकृति, काल,बल आदि देखकर युक्ति पूर्वक औषधि या पंचकर्म चिकित्सा देते हैं। परंतु कुछ बीमारियां या तकलीफें ऐसी होती है जिसमें दवा के साथ दुआ भी अत्यंत आवश्यक है। आयुर्वेद में वर्णित बाकी की दो चिकित्सा पद्धति को अत्यंत आवश्यक बता कर उसका भी यथा योग्य प्रयोजन किया जाना जरूरी है। जिसमें दैव व्यपाश्रयी चिकित्सा में मंत्र जाप होम हवन आदि का भी समावेश है। सत्वावजय- काउंसलिंग थेरेपी चिकित्सा यानी रोगी के मन को सकारात्मक बनाना और उसके सत्व को बढ़ाना। कहा जाता है कि एक बीमार मन स्वस्थ शरीर को नहीं चला सकता किंतु एक स्वस्थ व मजबूत मन बीमार शरीर को भी ठीक कर सकता है। यह दोनों चिकित्साऐं लगभग साथ में की जाती है। आयुर्वेद में स्पष्ट रूप से शरीर आत्मा और मन इन तीनों के संयोग को ही व्यक्ति मानकर उसकी संपूर्ण चिकित्सा की जाती है। मात्र शरीर या मात्र मन की नहीं।
आज उसी के भाग रूप अगर मंत्र जाप आदि के बारे में बात करें तो भारतवर्ष में हजारों सालों से यह सब हमारी परंपराओं में रहा है। परंतु चिकित्सा में विशेष रुप से इन सब का क्या प्रयोजन है यह जानना अत्यंत आवश्यक है। जो सिद्ध मंत्र होते हैं जैसे कि गायत्री मंत्र, शिव पंचाक्षर मंत्र, महामृत्युंजय मंत्र, देवी कवचम, गणपति अथर्वशीर्ष,हनुमान चालीसा आदि। इन सबके उच्चारण से एक विशिष्ट प्रकार की तरंगे उत्पन्न होती है, पॉजिटिव वाइब्रेशंस, जिसका हमारे शरीर,मन और हमारी चेतना पर सकारात्मक प्रभाव पड़ता है। वैसे ही अगर गणपति अथर्व शिर्ष की बात करें तो हर शुभ कार्य की शुरुआत हमेशा से गणपतिजी के आह्वान से वंदना से शुरू होती है। गणपति जी बुद्धि के देवता है। वास्तव में वह सिर्फ मूर्ति में विराजमान नहीं है या कोई एक धर्म के लोगों के लिए नहीं है। सही दृष्टिकोण में देखा जाए तो हम किसी भी कार्य की शुरूआत में गणपति वंदना करके हमारी बुद्धि को शुद्ध करने के लिए प्रार्थना या संकल्प करते हैं। किसी भी कार्य की सिद्धि के लिए मनका स्वस्थ और शुद्ध होना अत्यंत आवश्यक है। गणपति का बड़ा सिर बहुत सा ज्ञान अत्यंत मात्रा में होने का द्योतक है ,साथ ही में उनके हाथ में अंकुश भी है, जो शुद्ध बुद्धि और बढ़ी हुई ऊर्जा को सही नियंत्रण में रखने का सूचक है। थवॅ यानी अस्थिर, अथर्व यानी जो स्थिर है, अथर्व शीर्ष का पाठ करने या सुनने से व्यक्ति की बुद्धि स्थिर और शुद्ध होती है। विचार अच्छे और सही दिशा में होने से सभी कार्य में सिद्धि प्राप्त होती है। ध्यान के साथ तन्मय हो कर अगर इसका नियमित रूप से श्रवण या पाठ किया जाए तो एपिलेप्सी, स्ट्रेस, डिप्रेशन ,मन की चंचलता, निणॅय शक्ति का अभाव होना आदि मन से जुड़ी हुई समस्याओं में पूर्ण लाभ मिलता है ‌। यह अन्य मुख्य चिकित्सा के साथ पूरक चिकित्सा के रूप में किया जा सकता है। नियमित रूप से अगर सही तरीके से मंत्र जाप किया जाए तो यह एक कवच के रूप में व्यक्ति की सदैव रक्षा करता है। काल दोष हो या ग्रहों का प्रभाव, इस की शरण में आने से व्यक्ति सभी दुष्प्रभावों से मुक्त होते हैं।
🙏सह आभार---स्वामी पूर्ण चैतन्य आनंद जी और
प्रोफेसर डॉक्टर देशपांडे।

🙏 सर्वे संतु निरामया। 🙏


Vaidya Komal Patel
Ex. Nadi consultant and panchkarma physician (Sri Sri ayurveda - The art of living foundation Bangalore



Registration For online consultation
Email- ak_nilay1106@yahoo.co.in
Whatsapp message only- 07892994967

21/08/2025

"एलोपैथी फ़ार्मास्यूटिकल कंपनियों को मरीज़ों को ठीक करने में दिलचस्पी नहीं है; वे पैसा कमाना चाहती हैं, और इसके लिए लोगों को बीमार बनाए रखना चाहती हैं।"
— डॉ. पीटर गोट्ज़शे

डॉ. पीटर गोट्ज़शे का यह कथन चिकित्सा जगत की एक गंभीर सच्चाई पर रोशनी डालता है। उनका कहना है कि आधुनिक दवा उद्योग का मक़सद पूरी तरह इलाज देने की बजाय, लक्षणों को नियंत्रित करके मरीज़ को लंबे समय तक दवाओं पर निर्भर बनाए रखना है।

कंपनियां शोध और निवेश उन्हीं बीमारियों पर अधिक करती हैं जिनसे निरंतर दवा बिक्री हो सके, न कि उन पर जो एक बार के इलाज से ठीक हो जाएं।

उपचार (Treatment) अक्सर सिर्फ़ लक्षण दबाता है, जबकि इलाज (Cure) बीमारी की जड़ खत्म करता है।

यह व्यवस्था बार-बार मरीज़ को दवा पर निर्भर रखकर अरबों डॉलर का मुनाफा कमाती है।

मुनाफे की होड़ में इंसानियत और रोगी की भलाई पीछे छूट जाती है।
यही कारण है कि प्राकृतिक चिकित्सा, आयुर्वेद, योग और जीवनशैली सुधार को अपनाना ज़रूरी है, ताकि हम सिर्फ़ बीमारी का मैनेजमेंट न करें, बल्कि उसे जड़ से खत्म करने की दिशा में बढ़ें।

01/08/2025

घर में इस्तेमाल होने वाली चीज़ों (जैसे नॉन-स्टिक बर्तन, प्लास्टिक, वाटरप्रूफ कपड़े आदि) में पाए जाने वाले रासायनिक तत्व PFAS (फॉरेवर केमिकल्स) से टाइप -2 डायबिटीज़ का खतरा बढ़ सकता है। नई रिसर्च के अनुसार, जिन लोगों के शरीर में PFAS की मात्रा ज़्यादा थी, उनमें टाइप 2 डायबिटीज़ होने का खतरा 31% अधिक पाया गया। ये केमिकल शरीर की मेटाबोलिज़्म प्रणाली को नुकसान पहुंचाते हैं। इनसे बचने के लिए प्राकृतिक सामग्री (जैसे स्टील के बर्तन, ताज़ा खाना, फ़िल्टर्ड पानी) का उपयोग करें।

●PFAS क्या हैं?

PFAS (Per‑ and Polyfluoroalkyl Substances) कृत्रिम रसायन हैं, जो लंबे समय तक शरीर और पर्यावरण में बने रहते हैं।
ये अक्सर नॉन‑स्टिक बर्तनों, वाटरप्रूफ कपड़ों, फूड पैकिंग, कॉस्मेटिक उत्पादों आदि में पाए जाते हैं।
इन्हें “फॉरेवर केमिकल्स” कहा जाता है क्योंकि ये शरीर से जल्दी बाहर नहीं निकलते।

●नई रिसर्च क्या कहती है?

Mount Sinai की रिसर्च के अनुसार, जिन लोगों के खून में PFAS की मात्रा अधिक थी, उनमें टाइप 2 डायबिटीज़ का खतरा 31% ज़्यादा था।
PFAS शरीर की शुगर नियंत्रण और मेटाबोलिज़्म से जुड़ी प्रक्रियाओं को प्रभावित करते हैं।
वैज्ञानिकों ने चेतावनी दी है कि इन रसायनों की मौजूदगी गंभीर स्वास्थ्य खतरे पैदा कर सकती है।

●और क्या सबूत हैं?

2022 की एक स्टडी ने भी PFAS और टाइप 2 डायबिटीज़ के बीच संबंध पाया था।
कुछ पुराने शोधों में यह असर स्पष्ट नहीं था, जिससे यह माना गया कि PFAS का असर उनके प्रकार और मात्रा पर निर्भर करता है।
PFAS को मोटापा, गर्भावस्था में डायबिटीज़ और इंसुलिन पर असर डालने के लिए भी ज़िम्मेदार ठहराया गया है।

●PFAS किन चीज़ों में पाए जाते हैं?

नॉन‑स्टिक तवे और पैन
प्लास्टिक फूड कंटेनर
वॉटरप्रूफ कपड़े
फास्ट फूड और उसकी पैकिंग
सौंदर्य प्रसाधन (मेकअप)

●बचाव कैसे करें?

✅ स्टील या कास्ट आयरन बर्तनों का इस्तेमाल करें
✅ प्लास्टिक कंटेनर में खाना गर्म न करें
✅ “स्टेन रेसिस्टेंट” या “वाटरप्रूफ” लिखे उत्पादों से सावधानी रखें
✅ फ़िल्टर्ड पानी पिएं
✅ ताज़ा व बिना पैकिंग वाला खाना खाएं

01/07/2025

વૈદ્ય કોમલ પટેલ
૭૮૯૨૯૯૪૯૬૭
આયુર્વેદ મુજબ ઋતુ ચર્યા

પ્રશ્ન- ઋતુ ચર્યા એટલે શું? આપણા સ્વાસ્થ્ય રક્ષણ માટે તેનું કેટલું મહત્વ છે?

સરળ ભાષામાં ઋતુ ચર્યા એટલે ઋતુ અનુસાર આચરણ અથવા તો વ્યવહાર. આયુર્વેદ એ એક ચિકિત્સાશાસ્ત્ર હોવાની સાથે જીવન વિજ્ઞાન પણ છે અને એટલે વ્યક્તિના સ્વાસ્થ્ય ની જાળવણી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
પાણી પહેલાં પાળ બાંધીએ એમ શરીરમાં રોગને ઉગતો જ કેવી રીતે ડામવો એ વિષય પર વધુ ધ્યાન આપવું જરૂરી છે. એટલે જ આ શાસ્ત્રમાં આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલા વિષયોની ખાસ ચર્ચા કરવામાં આવી છે. જેમ કે દિનચર્યા.. એટલે કે દિવસ દરમિયાન સવારે ઊઠવાથી લઈને રાત્રે સુવા સુધી સારાં સ્વાસ્થ્ય માટે શું શું કરવું તે. તેમજ ઋતુ ચર્યા ..એટલે કે ઋતુ અનુસાર કેવું ખાનપાન કે આચરણ રાખવું તે.
આ સિવાય પણ આપણાં શારીરિક માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલું એવું ઘણું બધું જીવન ઉપયોગી જ્ઞાન છે કે જે અપનાવીને વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ રહી શકે.

પ્રશ્ન-ઋતુચર્યાનો સામાન્ય અર્થ તો આપણે જાણ્યો, પણ આયુર્વેદમાં આ વિશે શું કહેલું છે એ વિશે થોડું વિસ્તારપૂર્વક જણાવશો..

ઋતુચર્યા સમજતાં પહેલાં ઋતુઓ વિશે જાણકારી હોવી જરૂરી છે. સામાન્ય રીતે અહીં ઋતુ એટલે માત્ર શિયાળો ઉનાળો ચોમાસું નહીં, પરંતુ આખાં વર્ષની છ ઋતુ સમજવી,
શીશીર વસંત ગ્રીષ્મ વર્ષા શરદ અને હેમંત.
ચરક સંહિતામાં તસ્યાશિતીય નામનો છઠ્ઠો અધ્યાય છે જેમાં આચાર્યએ અલગ અલગ ઋતુ અનુસાર વાતાવરણમાં શું ફેરફાર થાય છે એ સમજાવ્યું છે..
તેમજ સ્વસ્થ રહેવા માટે શું ખાનપાન કે જીવનશૈલી રાખવાં જોઈએ તે વિશે વિગતવાર ચર્ચા કરેલી છે.
એ મુજબ જોઈએ તો સૂર્યની ગતિ અનુસાર આખાં વર્ષની ઋતુઓના પાછા બે ભાગ કરેલા છે. જેમાં શિશિર, વસંત અને ગ્રીષ્મ આ ત્રણ ઋતુઓમાં છ મહિના સૂર્યની ગતિ ઉત્તર તરફ હોય છે જેને ઉત્તરાયન કહે છે. આ સમય દરમિયાન સૂર્યના તાપમાનમાં ખાસ વધારો થતો હોવાથી કુદરતી રીતે જ મનુષ્યનું શારીરિક બળ ધીરે ધીરે ઓછું થાય છે.
તે પછીના છ મહિના, એટલે કે વર્ષા ,શરદ અને હેમંત ઋતુમાં સૂર્યની ગતિ થોડી દક્ષિણ તરફ હોય છે જેને દક્ષિણાયન કહે છે. આ સમય દરમિયાન સૂર્યનો તાપ થોડો હળવો બને છે ચંદ્રની શીતળતા માં વધારો થાય છે, જેથી આપણા સ્વાસ્થ્યમાં અને બળમાં પણ સુધારો થાય છે.
આ ઉપરાંત પણ દરેક ઋતુમાં બાહ્ય વાતાવરણમાં જુદા જુદા ફેરફારો થાય છે.

પ્રશ્ન : આ સૂર્ય ચંદ્ર ની ગતિ સિવાય બીજી કોઈ બાબત અસર કરે છે આપણાં શરીરને ?

યથા પિંડે તથા બ્રહ્માંડે, એટલે કે આપણું શરીર અને આ સમગ્ર જગત એ પાંચ મહાભૂતો આકાશ વાયુ તેજ જળ અને પૃથ્વી, થી બનેલાં છે. એટલે બહારના વાતાવરણમાં જે કંઈ ફેરફાર થાય તેની અસર આપણાં શારીરિક માનસિક સ્વાસ્થ્ય પર પણ ચોક્કસપણે થાય. જો બદલતી ઋતુ પ્રમાણે આપણા ખાન પાન કે આહારવિહાર નું પાલન કરવામાં આવે, તો સ્વાભાવિક દ્રષ્ટિએ ઋતુ પ્રભાવના કારણે થતી તકલીફોથી રક્ષણ મેળવી શકાય.

પ્રશ્ન : ઋતુસંધિ નો ઉલ્લેખ પણ આ વિષયમાં ખૂબ સાંભળવા મળે છે.. એની માહિતી આપશો?

હા, આમ તો આખી ઋતુ દરમિયાન બહારના વાતાવરણની સ્થિતિ પ્રમાણે આપણા શરીરમાં પણ વાત પિત્ત અને કફ આ ત્રણેયની સ્થિતિ બદલતી રહે છે. પરંતુ જ્યારે એક ઋતુ પૂરી થાય છે એ ઋતુનું છેલ્લું અઠવાડિયું અને તે પછી શરૂ થનારી ઋતુનું પહેલું અઠવાડિયું મળીને જે સમય છે તેને ઋતુસંધિ કહેવામાં આવે છે.

પ્રશ્ન - હમણાં જેમ તમે જણાવ્યું કે બદલતી ઋતુ ના પ્રભાવના કારણે થતી તકલીફો થી બચવા ઋતુચર્યા નું પાલન કરવું જરૂરી છે. તો એનો અર્થ એ સમજવો કે જ્યારે ઋતુ બદલે છે ત્યારે તે સ્વાસ્થ્ય પર વધુ અસર કરે છે?

આરોગ્યની દ્રષ્ટિએ આ સમય ખૂબ સાચવવા જેવો હોય છે. રોગો કે તકલીફોનું પ્રમાણ વધવાની શક્યતા આ સમયમાં વિશેષ હોય છે. એટલે જ આચાર્યએ કહ્યું છે કે, ઋતુ સંધિ દરમિયાન ચાલી રહેલી ઋતુ પ્રમાણે જે ખાનપાન અથવા આહારવિહાર હોય તેને ધીરે ધીરે છોડતા જવું અને હવે પછી શરૂ થતી ઋતુ પ્રમાણે યોગ્ય હોય તેવો આહારવિહાર કે ખાનપાન અપનાવતા જવું. અત્યારની ઋતુ પ્રમાણેનું ખાનપાન એકદમ જ બંધ કરીને નવી ઋતુ પ્રમાણે અચાનક જ શરૂ કરવામાં આવે તો શરીર એ માટે ટેવાયેલું ન હોવાથી અથવા આપણે એનો અભ્યાસ ન હોવાથી જુદી જુદી તકલીફો ઉભી થતી હોય છે. અને એટલે જ સારું સ્વાસ્થ્ય ટકાવી રાખવા માટે દરેક ઋતુ પ્રમાણે યોગ્ય આહારવિહાર ને સમજીને તેનું અનુસરણ કરવું ખૂબ જરૂરી છે.

સર્વે સંતુ નિરામયા..
(એસબીએસ ગુજરાતી રેડિયો/ઓસ્ટ્રેલિયા પર પ્રસારિત થતી પોડકાસ્ટ આધારિત)

24/06/2025

વૈદ્ય કોમલ પટેલ
૭૮૯૨૯૯૪૯૬૭
આયુર્વેદમાં ઉપવાસ ભાગ - ૨

ઉપવાસ દરમિયાન આયુર્વેદની દ્રષ્ટિએ આપણે શું ખાવું જોઈએ કે શું ન ખાવું જોઈએ એ વિશે થોડું જણાવશો..

આ પહેલાં આપણે જેમ વાત કરી એમ અગિયારસ એક ટાણા કે આ પ્રકારના ધાર્મિક દ્રષ્ટિએ અલગ અલગ ઉપવાસ કે વ્રત કરવામાં આવતા હોય છે. અને મોટાભાગે લોકો પોતાની અનુકૂળતા પ્રમાણે અને જુદા જુદા રિવાજો પ્રમાણે ઉપવાસ કે વ્રત કરતા હોય ,પણ ધાર્મિક દ્રષ્ટિ ની સાથે સાથે જો સ્વાસ્થ્યનો વિચાર પણ કેન્દ્રમાં રાખીએ તો સૌથી પહેલાં તો આ પ્રકારના ઉપવાસ દરમિયાન ખાસ તો તરસ લાગે ત્યારે ઉકાળેલું હૂંફાળું પાણી થોડું થોડું પીવું જોઈએ, જે પાચનમાં મદદરૂપ થશે. આ સિવાય ગાયનાં ઘીનો ખાસ થી ઉપયોગ કરવો. ઉપવાસ દરમિયાન જે વાયુ અને પિત્ત ની વૃદ્ધિ થાય છે એના માટે ઘી ઉત્તમ ઔષધ છે. છાશ ઘરે બનાવેલી તાજી મોળી, જીરું મીઠું સૂંઠ વગેરે નાખીને લઈ શકાય, ફ્રીઝ માં ઠંડી કરેલી ન હોવી જોઈએ. ખરેખર ભૂખ લાગે ત્યારે ઋતુ અનુસાર એકાદ ફળ લઈ શકાય. ગરમ દૂધ સાકર નાખીને લઈ શકાય, પણ દૂધ અને ફળ સાથે બિલકુલ ન લેવાં, એ વિરુદ્ધ આહાર છે ઓછામાં ઓછું એક કલાકનું અંતર રાખવું. ઘી અને ખજૂર, પલાળેલા સુકા મેવા પ્રમાણસર, રાજગરો, સામો કે મોરૈયો વગેરેમાંથી શેકીને કે ઘીનો વઘાર કરીને બનાવેલી હળવી અને સુપાચ્ય વાનગી લઈ શકાય.ફ્રીઝમાં રાખીને ઠંડી કરેલી વસ્તુઓ બિલકુલ ન લેવી જોઈએ.
તળેલી વસ્તુઓ, સાબુદાણા, બહારની માવાની મીઠાઈઓ કે ફરસાણ,આ બધું પચવામાં ભારે છે, બટેટા ગેસ કરે છે , એટલે આ બધું ઉપવાસમાં ટાળવું જોઈએ. સાથે સાથે પોતાની તાસીર નો વિચાર તો ચોક્કસ કરવો જ.

કોઈવાર જો એક કરતાં વધુ ઉપવાસ કર્યા હોય તો બીજા જ દિવસથી બધું જ એકી સાથે શરૂ ન કરી દેવું. ધીમે ધીમે હળવી પ્રવાહી, ઢીલા ખોરાકથી શરૂ કરવું જેથી પાચન તંત્ર બગડે નહીં. જઠરાગ્ની વધે.
આ સિવાય આયુર્વેદ ફિઝિશિયન જ્યારે કોઈ વિશેષ તકલીફની સારવારરૂપે ઉપવાસ કરાવે છે ત્યારે તકલીફને અનુરૂપ ક્યારેક માત્ર ગરમ પાણી, મગનું પાણી વગેરે પણ દર્દીને આપવામાં આવે છે. આ પ્રકારની લંઘન ચિકિત્સા કહેવાય છે જેની આપણે આગળ વાત કરી.

થોડા સમયથી ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કે 16 કલાકના ઉપવાસ ખૂબ ચર્ચામાં છે, તો આયુર્વેદ પ્રમાણે એના વિશે શું કહી શકાય..

આ શબ્દ ભલે ક્યાંક અન્ય દેશમાંથી આવ્યો હોય, પણ આપણે બે ત્રણ પેઢી પાછળ જઈને જોઈએ તો આપણા વડીલો સાંજે સૂર્યાસ્ત પહેલાં જ રાતનું ભોજન લઈ લેતા હતા, બીજા દિવસે સવારે લગભગ સૂર્યોદય પછી જ કંઈ પણ ખોરાક લેતા હતા. આ એક પ્રકારનું ઇન્ટરમિટંટ ફાસ્ટિંગ જ છે. આજે પણ કેટલાક ગામડાઓમાં કે જૈન સમાજમાં જે લોકો ચોવિહાર કરતા હોય એમનું રૂટિન કંઇક આ જ રીતનું હોય છે.
અમુક નવી વિચારધારા પ્રમાણે રાત્રે 8:00 વાગ્યાથી બીજા દિવસના બપોરે 12 વાગ્યા સુધી કંઈ પણ ખાવુ પીવું નહીં‌ એને ઇન્ટરમિટંટ ફાસ્ટિંગ તરીકે ગણવામાં આવે છે. વ્યવહારિક રીતે અને આયુર્વેદિક દ્રષ્ટિએ પણ દરેક વ્યક્તિ માટે કોઈ એક નિયમ સર્વ સામાન્ય ન હોઈ શકે. વ્યક્તિની તાસીર ,અવસ્થા ,ઉંમર ,દિન ચર્યા‌, વ્યવસાય આ દરેક ની અસર તેના પાચન ઉપર થતી હોય છે.
ચરક સંહિતાના સૂત્ર સ્થાનમાં સાતમા- નવેગાન્ ધારણીય નામના અધ્યાયમાં મહર્ષિ ચરકે એવું કહ્યું છે કે આટલા વેગો ધારણ કરવા નહીં, જેમાં 13 પ્રકારના કુદરતી વેગો બતાવેલા છે, જેમ કે
મળ મૂત્ર છીંક ઓડકાર ઉલ્ટી ભૂખ તરસ વગેરે..
અહીં ભારપૂર્વક મહર્ષિ એ બતાવેલું છે કે ભૂખનો વેગ રોકવાથી દુબળા પણું, નબળાઈ અશક્તિ, શરીરનો રંગ બદલાઈ જવો, શરીર ભાંગતું હોય તેવી પીડા થવી ત્રોડ થવી, અરુચિ, ચક્કર જેવું થવું આ બધું થવા માંડે છે. અને એની સારવારમાં વ્યક્તિને ગરમ ઘી નાખીને બનાવેલું હળવું ભોજન કરાવવું. વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ તો એનો અર્થ અહીં એ થાય છે કે માત્ર સમય નહીં વ્યક્તિએ પોતાની ભૂખનો વિચાર કરીને જ ભોજન લેવું. વધુ પડતું ભોજન લઈ ને અતિશય પેટ પણ ન ભરવું, અને ખૂબ જ ભૂખ લાગી હોવા છતાં સમજ્યા વગર ભૂખ સહન પણ ન કરવી. બંનેનું સંતુલન જાળવી રાખીએ તો ચોક્કસ સ્વાસ્થ્ય સારું રહેશે જ.

અષ્ટાંગ હૃદય નામના ગ્રંથમાં મહર્ષિ વાગ્ભટ્ટે વિધિપૂર્વક ઉપવાસ કરવાના લાભ બતાવતા કહ્યું છે કે શરીરમાં વધેલા દોષો શાંત થાય છે અને સમાન અવસ્થામાં આવે છે, પાચન મજબૂત થાય છે, શરીર માં હળવાશ અને સ્ફૂર્તિ આવે છે, ભોજન પ્રત્યે રુચિ ઉત્પન્ન થાય છે, શરીરનું બળ વધે છે શક્તિ આવે છે સ્વાસ્થ્યની વૃદ્ધિ થાય છે.
જો વિવેક પૂર્વક સમજી વિચારીને ઉપવાસ કરવામાં આવે તો સ્વાસ્થ્ય માટે તે અત્યંત લાભદાયક બની શકે.

સર્વે સંતુ નિરામયા..

(એસબીએસ ગુજરાતી રેડિયો/ઓસ્ટ્રેલિયા દ્વારા પ્રસારિત કરવામાં આવતી પોડકાસ્ટ આધારિત)

21/06/2025

વૈદ્ય કોમલ પટેલ
૭૮૯૨૯૯૪૯૬૭

આયુર્વેદ અને યોગ

11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ...💐

આજકાલ યોગ નો પ્રચાર પ્રસાર ફરીથી વધ્યો છે.કોઈક માત્ર આસનો ને યોગ સમજે છે, પાવર યોગા, ઝુમ્બા, એરોબિક્સ વગેરે જેવી કસરત ને પણ યોગ સમજવામાં આવે છે, તો ક્યાંક લોકો તેને એક ફેશન તરીકે અપનાવી રહ્યા છે, યોગ શબ્દ પશ્ચિમ દેશોમાં જઈને યોગા બની ગયો છે.આ બધામાં યોગનું મૂળભૂત સ્વરૂપ ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયું છે.
ચાલો આજે સાચા અર્થમાં યોગ ને સમજીએ.
આ માટે આપણે અનેક યુગો ની મજલ કાપીને વેદોના કાળમાં જવું પડશે. જેમ આયુર્વેદ એ વેદોનો ઉપવેદ છે એમ તેના ઉપાંગ એવા ષડ્ દર્શન-છ દર્શન શાસ્ત્રોમાં નું એક યોગ દર્શન છે. ઇતિહાસમાં મળતી માહિતી અનુસાર યોગના આદિ આચાર્ય હિરણ્ય ગર્ભને માનવામાં આવે છે, પરંતુ વર્તમાન સમયમાં તે અપ્રાપ્ય છે અને એના પર જ આધારિત મહર્ષિ પતંજલિ દ્વારા યોગ દર્શન શાસ્ત્રની રચના કરવામાં આવેલી. એક માન્યતા એવી પણ છે કે અંતઃકરણ ની શુદ્ધિ કરનાર યોગદર્શનના રચયિતા પતંજલિ, શરીરની શુદ્ધિ કરનાર આયુર્વેદના રચયિતા મહર્ષિ ચરક અને વાણીની શુદ્ધિ કરનાર વ્યાકરણ શાસ્ત્ર ના રચયિતા પાણિની આ ત્રણેય એક જ વ્યક્તિ હતા.
યોગને આયુર્વેદના એક અંગ સ્વરૂપ ગણી શકાય. યોગનું આયોજન મનુષ્ય જીવનના ઉદ્દેશ્ય પૂર્ણ કરવા માટે દુઃખોમાંથી નિવૃત્તિ એટલે કે મોક્ષ પ્રાપ્તિ છે. જીવનનું અંતિમ લક્ષ્ય એ આત્મ સાક્ષાતકાર છે. આ જ રીતે આયુર્વેદ પણ માત્ર ચિકિત્સા શાસ્ત્ર નહીં પરંતુ જીવન વિજ્ઞાનનું શાસ્ત્ર છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ ની સિદ્ધિ નું એકમાત્ર સાધન એ આપણું શરીર છે.

યોગ શબ્દનો સામાન્ય અર્થ જોઈએ તો યોજનમ્ યોગઃ એટલે જોડવું કે એકીકરણ થવું.
યોગસ્ચિત્ વૃત્તિ નિરોધ:
મન ને બહારની રાજસિક તામસિકવૃત્તિ ઓ માંથી અંતર્મુખી કરવી તેને યોગ કહે છે. સામાન્ય ભાષામાં જોઈએ તો જે સર્વ દુઃખોના સંયોગથી રહિત છે તેને યોગ કહે છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણએ જ્ઞાનયોગ ,ભક્તિ યોગ અને કર્મયોગ ની વાત કરેલી છે.
સમત્વમ યોગ ઉચ્યતે.
કર્મ ફળની અપેક્ષા રાખ્યા વગર સમાન ભાવથી કરેલ કર્મ સિદ્ધ થાય કે ન થાય દરેક પરિસ્થિતિમાં સમતા રાખવી તેની યોગ કહે છે.

યોગ: કર્મસુ કૌશલમ્.
વિશિષ્ટ કૌશલપૂર્વક કર્મ કરવું એટલે કે નિષ્કામ ભાવ અને સમ બુદ્ધિથી કર્મ કરવું તેને યોગ કહે છે. આનો એક એવો પણ અર્થ થાય કે નિરંતર અને સમ્યક યોગાભ્યાસથી કર્મમાં સફળતા કુશળતા પ્રાપ્ત થાય છે.

યોગદર્શન શાસ્ત્રમાં મહર્ષિ પતંજલિએ રાજયોઞ કે હઠયોગ જેવા કોઈ પ્રકાર બતાવેલા નથી. એટલું જ નહીં પરંતુ અત્યારે જોવા મળતાં વિવિધ આસનોનો પણ તેમાં ઉલ્લેખ નથી. પછીથી નાથ સંપ્રદાય ના આચાર્યો દ્વારા તે પ્રચલિત થયેલ.
યોગ એ માત્ર આસન પૂરતું સીમિત નથી, તેના આઠ અંગો છે.
યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ.
યમ પાંચ છે: અહિંસા, સત્ય, અસ્તેય (ચોરી ન કરવી),બ્રહ્મચર્ય અને અપરિગ્રહ(મોહથી રહીત બનવું)
નિયમ પાંચ છે:
શૌચ(શરીર અને મનની શુદ્ધિ), સંતોષ,તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણીધાન કે સમર્પણ.
આસન-
સ્થિરમ સુખમ આસનમ્.
જેમાં સુખપૂર્વક સ્થિર બેસી શકાય તેને આસન કહે છે.
વિવિધ આસનો કરવાથી શરીર સુદ્રઢ- સુડોળ અને સ્ફૂર્તિલું બને છે.
પ્રાણાયામ-
શ્વાસ ઉચ્છવાસની ક્રિયા નું નિયંત્રણ કરવુ.
પ્રત્યાહાર-
ઇન્દ્રિયોને બાહ્ય અહિત વિષયોમાંથી રોકીને મન સાથે જોડવી.
ધારણા ,ધ્યાન અને સમાધિ-
શરીરના બાહ્ય અને અંદર કોઈ સ્થાન પર ચિત્તની વૃત્તિને સ્થિર કરવાને ધારણા કહે છે ,આ સ્થિતિ બની રહે તેને ધ્યાન કહે છે અને જ્યારે આજ અવસ્થા માં ઊંડાણ પ્રાપ્ત થાય છે તે અંતિમ અવસ્થા એટલે સમાધી. જેમાં ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. આ ત્રણેયનું કોઈ એક વિષયમાં રહેવું એને જ યોગની ભાષામાં સંયમ કહેવામાં આવે છે.
યમ નિયમ નું પાલન કરીને જ આ અવસ્થાની પ્રાપ્તિ થાય છે. એ જ સાચા અર્થમાં યોગ છે.
મોટાભાગના લોકો એવું માનતા હોય કે સામાન્ય વ્યક્તિ ને આની શું જરૂર, આ તો યોગી કે સાધક નું કામ! પરંતુ જે કોઈ યોગઅભ્યાસ તેના સાચા સ્વરૂપે કરે છે તેનું જીવન ઉત્સવ બની જાય છે. આજના સમયમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ સમસ્યા ,સંઘર્ષ, કે વિપરીત પરિસ્થિતિઓ ના કારણે માનસિક તણાવ અને શારીરિક તકલીફો માંથી પસાર થાય છે. આ સમયે જો યોગ રૂપી સમાધાન અપનાવવામાં આવે તો આ દરેક સમસ્યાઓનો અંત આવી શકે.
અને હા આજે યોગ નું મૂળભૂત સ્વરૂપ સમજ્યા પછી કોઈ નિષ્ણાત યોગ શિક્ષક પાસેથી શિક્ષણ પ્રાપ્ત કરી ને જ અભ્યાસ કરવો.
માત્ર યોગ ને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂરતો સીમિત ન રાખીએ પરંતુ તેને દિનચર્યા નો ભાગ બનાવીએ..
સર્વે સંતુ નિરામયા...

20/06/2025

વૈદ્ય કોમલ પટેલ
૭૮૯૨૯૯૪૯૬૭
આયુર્વેદમાં ઉપવાસ ભાગ-૧

આપણી ભારતીય સંસ્કૃતિમાં ઉપવાસ ધાર્મિક દ્રષ્ટિએ એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. જેમકે અગિયારસ કે એકાદશી , જૈન ધર્મમાં પર્યુષણ અને અન્ય ઉપવાસ કે વ્રત, મુસ્લિમ લોકો ના રમજાન માં રોઝા, વગેરે...તો ઘણા લોકોને પ્રશ્ન થાય કે ઉપવાસ કોણે કરવો ,કોણે ન કરવો સ્વાસ્થ્ય માટે તેના ફાયદા શું છે...તો ચાલો જાણીએ ,આ વિશે આયુર્વેદમાં શું કહેલું છે

આ પ્રશ્ન માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ આરોગ્યની દ્રષ્ટિ એ પણ અત્યારે બહુ ચર્ચિત છે. ઉપવાસનો શાબ્દિક અર્થ ભગવાન કે ઈશ્વરની સમીપ રહેવું એવો થાય.. જે શરીર અને મનની ઉચ્ચતર શુદ્ધિની અવસ્થા દર્શાવે છે.

આયુર્વેદમાં આ અર્થ ને અનુરૂપ ઉપવાસ ને એક ચિકિત્સા પદ્ધતિ રૂપે બતાવેલું છે. પ્રચલિત ગ્રંથ ચરક સંહિતામાં મહર્ષિ ચરકે 22 માં અધ્યાયમાં ષડ્વિધ ચિકિત્સા એટલે કે છ પ્રકારની સારવાર બતાવેલી છે લંઘન, બૃંહણ, સ્નેહન, સ્વેદન, રુક્ષણ અને સ્તંભન. આમાં લંઘન એટલે યત કિંચિત લાઘવકરમ્ દેહે તત્ લંઘનમ સ્મૃતમ્. એટલે કે જે કંઈ કરવાથી શરીરમાં હળવાશ કે લઘુતા અનુભવાય એને લંઘન કહેવામાં આવે છે. આ લંઘન ચિકિત્સાના 10 પ્રકાર છે. જેમાંથી એક ઉપવાસ છે. જેમાં કઈ સ્થિતિમાં કોને તથા કેટલો ઉપવાસ કરવો કોણે ન કરવો વગેરે નું વિગતવાર વર્ણન કરેલું છે.
એ પ્રમાણે જોઈએ તો જેમને તાવ ,ઝાડા, ઉલટી, અપાચન, મોળ ચડવી કે ભૂખ ન હોવી ,ખાવાનું મન ન હોવું વગેરે તકલીફો હોય.. તો એ અવસ્થામાં ભોજન ગ્રહણ ન કરવું,અથવા તો વૈદ્યની સલાહ અનુસાર લંઘન કરવું. આનાથી વિરુદ્ધ એ પણ બતાવેલું છે કે જેઓ દુર્બળ શરીર કે ક્ષીણ શરીર વાળા છે, લાંબા સમયથી કોઈ બીમારીના કારણે શરીર નબળું બન્યું છે, કાયમ મુસાફરી કરવી પડતી હોય કે અતિ પરિશ્રમ કરવો પડતો હોય તેમને ઉપવાસ ન કરવો. ખાસ કરીને ગ્રીષ્મ ઋતુ એટલે કે ઉનાળામાં ઉપવાસ ન કરવો એ પણ કહેલું છે. સાથે સાથે ક્યારે ઉપવાસની સમાપ્તિ કરવી એ પણ બતાવ્યું છે કે શરીરમાં હળવાશ લાગે, સ્ફૂર્તિ નો અનુભવ થાય ,મન પ્રસન્ન થાય, અપાનવાયુ મળમૂત્ર વગેરેની સુખપૂર્વક પ્રવૃત્તિ થાય, શુદ્ધ ઓડકાર આવે અને સાચી ભૂખ લાગે તો એ સમયે ઉપવાસ પૂરો કરવો.. આ લક્ષણો હોવા છતાં પણ જો ઉપવાસ લંબાવવામાં આવે તો ચરક ઋષિ કહે છે તે ઉપવાસનો અતિ યોગ છે જેનાથી શરીરમાં ત્રોડ થવી, દુખાવો થવો, કંઈ પણ કામ કરવાનું મન ન થવું. સ્ફૂર્તિનો અભાવ , શરીરમાં નબળાઈ કે અશક્તિ લાગવી, વાયુની ઉર્ધ્વગતિ કે અવળી ગતિ થવી, ધીરે ધીરે ભૂખ મરી જવી વગેરે લક્ષણો થાય છે.
ઉપવાસ કરતી વખતે જો આ જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે તો એનો સંપૂર્ણ ફાયદો લઈ શકાય છે.

અત્યારે આપણે ઉપવાસનું આયુર્વેદિક દ્રષ્ટિએ શાસ્ત્રોક્ત વર્ણન વિશે ચર્ચા કરી... વ્યવહારમાં આ જ્ઞાનનો ઉપયોગ વધુ સારી રીતે થઈ શકે એ માટે થોડું સરળ ભાષામાં હજી વધુ સમજીએ તો આયુર્વેદનો મુખ્ય હેતુ જ છે કે સ્વસ્થ્ય સ્વાસ્થ્ય રક્ષણં, આતુરસ્ય વિકાર પ્રશમનમ્ ચ. જે સ્વસ્થ છે એમનું સ્વાસ્થ્ય હંમેશા કેવી રીતે ટકી રહે અને જે રોગી છે કે બીમાર છે એમની તકલીફ દૂર કરી અને એમને સ્વસ્થ બનાવવામાં આવે. આ બંને સ્થિતિમાં ઉપવાસ કરી શકાય છે.
આપણે આગળ વાત કરી એમ કેટલીક તકલીફ અને બીમારીઓમાં ઉપવાસ ઉત્તમ સારવાર બની રહે છે.જેમકે એક ઉદાહરણ લઈએ તો જ્વર કે તાવ માં શરીરમાં વિષ તત્વો ની વૃદ્ધિ થાય છે આયુર્વેદમાં જેને આમ કહેવાય છે. આપણે ખાધેલા ખોરાકનું જ્યારે સંપૂર્ણ પાચન નથી થતું અને જે અપાચિત ખોરાકમાંથી જે શરીર માટે હાનિકારક પદાર્થ ઉત્પન્ન થાય છે તેને આમવિષ કહેવામાં આવે છે. એના કારણે શરીરમાં અનેક રોગોની ઉત્પત્તિ થાય છે. રોગા: સર્વે અપિ મંદેગ્નૌ.. એટલે કે મોટાભાગના રોગો પાચન નબળું થવાથી કે જઠરાગ્ની મંદ થવાથી જ થાય છે. તાવની સારવારમાં આચાર્યએ ખાસ થી ભારપૂર્વક કહ્યું છે કે જ્વરાદ્યૌ લંઘનમ પ્રોક્તમ. એટલે કે તાવની શરૂઆતની અવસ્થામાં ઉપવાસ કરવો જોઈએ. જેથી જે કારણથી તાવ આવ્યો છે એવાં હાનિકારક તત્વો કે આમ ને દૂર કરવા માટે શરીર નું રોગપ્રતિકારક તંત્ર કામે લાગી શકે. વ્યવહારમાં આપણે જોયું છે કે આમ પણ તાવમાં કુદરતી રીતે જ ભૂખ લાગતી નથી. નાનાં બાળકોને આપણે જોઈએ તો જ્યારે પણ એ બીમાર હોય ત્યારે સૌથી પહેલાં ખાવાનું છોડી દે છે. જેથી આગળ ખાધેલા ખોરાકનું સારી રીતે પાચન થાય અને બીમારીને ઠીક કરવામાં શરીર પોતે જ કામ કરી શકે.
આ સિવાય વ્યક્તિની પ્રકૃતિની દ્રષ્ટિએ જોઈએ તો કફ પ્રકૃતિ વાળી વ્યક્તિ વધુ સમય સુધી ભૂખ્યા રહી શકે છે, પરંતુ પિત્ત પ્રકૃતિ વાળી વ્યક્તિ ભૂખ સહન કરી શકતી નથી. એ ભૂખ્યા રહે તો ગુસ્સો આવે માથું દુખવું વગેરે તકલીફો જોવા મળે, અને જો વાયુ પ્રકૃતિ કે નબળા શરીરવાળા ભૂખ વેઠે તો એમના શરીરમાં વાયુની અત્યંત વૃદ્ધિ થવાથી આપણે જેમ આગળ જોયું એમ શરીરમાં તોડ થાય નબળાઈ આવે વગેરે તકલીફો થાય.

આ બધી જ ચર્ચાનો જો સાર જોઈએ તો દરેક વ્યક્તિએ પોતાની પ્રકૃતિ અવસ્થા તકલીફ વગેરેનો વિચાર કરીને સમજપૂર્વક કે વિવેક પૂર્વક જ ઉપવાસ કરવો જોઈએ. અને કોઈ વિશેષ તકલીફ હોય તો વૈદકીય સલાહ ચોક્કસ લેવી. તો જ આરોગ્યની દ્રષ્ટિએ ઉપવાસનો સંપૂર્ણ ફાયદો લઈ શકાય.
(એસબીએસ ગુજરાતી રેડિયો/ઓસ્ટ્રેલિયા પર પ્રસારિત થતી પોડકાસ્ટ નો અંશ)

Learn world's most powerful breathing technique- sudarshan kriya[3/19, 16:41] Vd Komal Ashwin Patel: *Celebrate Global H...
19/03/2025

Learn world's most powerful breathing technique- sudarshan kriya

[3/19, 16:41] Vd Komal Ashwin Patel: *Celebrate Global Happiness Week with the Art of Living!*🌍✨

_Join our Online Meditation & Breath Workshop_
And experience profound joy, inner peace, and renewed energy!

✨Take a step toward a stress-free, happy life with the transformative Sudarshan Kriya breathing technique and to attend live session on last day with Gurudev Sri Sri RaviShankar himself !!

✨ Discover the Science of Happiness

✨ Learn Breathwork & Meditation for a Calm Mind

✨ Boost Energy, Focus & Emotional Well-being

📅 Date: 20-23rd March’25

📅 Choose a Batch That Fits Your Schedule:
🔹 Morning Batch: 6:30 AM – 9:30 AM → aolt.in/856541
🔹 Afternoon Batch: 3:00 PM – 5:00 PM → aolt.in/856540
🔹 Evening Batch: 7:00 PM – 9:00 PM → aolt.in/856539

📍 From your comfortable Home, Online (Live Interactive Session)

Happy to help :
📞 9574741994, 8320084440, 7069272485, 8128577494

Let’s spread happiness together! 🌏💛
[3/19, 16:41] Vd Komal Ashwin Patel: ग्लोबल हैप्पीनेस वीक के साथ आर्ट ऑफ़ लिविंग का उत्सव मनाएं! 🌍✨

हमारे ऑनलाइन मेडिटेशन और ब्रीद वर्कशॉप में शामिल हों
और गहरी ख़ुशी, आंतरिक शांति और नयी ऊर्जा का अनुभव करें!

✨ तनावमुक्त, खुशहाल जीवन की ओर एक कदम बढ़ाएं
• रूपांतरकारी Sudarshan Kriya ब्रीदिंग तकनीक सीखें
• अंतिम दिन गुरुदेव श्री श्री रविशंकर के साथ लाइव सत्र में भाग लें!

✨ खुशी का विज्ञान खोजें
✨ शांत मन के लिए ब्रीदवर्क और मेडिटेशन सीखें
✨ ऊर्जा, ध्यान और भावनात्मक संतुलन बढ़ाएं

📅 तारीख: 20-23 मार्च 2025

📅 अपनी सुविधा अनुसार बैच चुनें:
🔹 सुबह बैच: 6:30 AM – 9:30 AM → aolt.in/856541
🔹 दोपहर बैच: 3:00 PM – 5:00 PM → aolt.in/856540
🔹 शाम बैच: 7:00 PM – 9:00 PM → aolt.in/856539

📍 अपने घर से ही लाइव इंटरएक्टिव सेशन में भाग लें

संपर्क करें:
📞 9574741994, 8320084440, 7069272485, 8128577494

आइए, मिलकर खुशियाँ फैलाएँ! 🌏💛

I confirm that I am in good health, and I will inform the course organizer of any limiting health conditions before the course begins. I further acknowledge that, if I am diagnosed with schizophrenia; schizoaffective, bipolar, or seizure disorders; pregnancy; and/or am a new mother or recent surgica...

19/03/2025

*શું આપ જાણો છો કે સુદર્શનક્રિયા એટલે જ ખરી સંપત્તી*
*💱 શું તમે આ અદભૂત શ્વાસોશ્વાસ ની ક્રિયા શીખી છે ??💷*
કે જેને *નાસા, WHO, AIIMS અને 180 થી વધારે દેશોના સ્વાસ્થ્ય વિભાગ* દ્વારા ભલામણ કરેલ છે. અને 600 થી વધારે રિસર્ચ થયેલ છે.
તો રાહ શેની જુવો છો, દુનિયાના *૫ કરોડ* થી પણ વધુ લોકોએ તેનો અદભૂત અનુભવ કર્યો છે.
*ફાયદા*
*શારીરિક સ્વસ્થતા*
*તણાવ રહિત મન*
*તીક્ષ્ણ બુદ્ધિ*
*આનંદમયી ચિત્ત*
*સરળ and સુમેળભર્યા વ્યવહાર*
*પ્રેમ,આનંદ અને શાંતિ ના સુંદર અનુભવ માટે આજે જ રજિસ્ટ્રેશન કરાવો*
🧘‍♂️ *આર્ટ ઓફ લિવિંગ 𝐇𝐚𝐩𝐩𝐢𝐧𝐞𝐬𝐬 𝐏𝐫𝐨𝐠𝐫𝐚𝐦 with Pragnesh Shah* 🧘‍♀️
*🗓️👉🏻તા. 20/3/25 થી 23/3/25*
*⏱️ સવારે : ૬.૦૦ થી ૮:૩0
અથવા
સાંજે ૭.૦૦-૯.૩૦*
*🛕 સ્થળ : સત્યમ ટાવર, મણીનગર અમદાવાદ.*

*નોંધણી કરવા માટે નીચની લિંક :
સવારે aolt.in/833548
સાંજે aolt.in/846550

રિપીટ કરવા ત્થા
*👉🏻😃 વધુ માહિતી માટે:
ડૉ ધરતી શાહ 9824631006

16/02/2025
10/02/2025

Save Taxes on the donations made

10/02/2025

Address

Bangalore
560002

Telephone

+917892994967

Website

Alerts

Be the first to know and let us send you an email when Ayurvedacharya Vaidya Komal Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Ayurvedacharya Vaidya Komal Patel:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category