Tarang Neuro Psychiatry Care- Bhavnagar

Tarang Neuro Psychiatry Care- Bhavnagar Dr. Dharmesh Gohil is a PSYCHIATRIST SEXOLOGIST, De-addiction specialist in Bhavnagar.

30/03/2026

બાયપોલર ડિસઓર્ડર (Bipolar Disorder) : માત્ર મૂડ સ્વિંગ નહીં, પણ એક ગંભીર સ્થિતિ*

વિશ્વમાં કરોડો લોકો બાયપોલર ડિસઓર્ડર સાથે જીવી રહ્યા છે. બાયપોલર ડિસઓર્ડર એ માત્ર સામાન્ય મૂડ ખરાબ હોવો નથી, તેમાં મૂડ માં થતા મેનિયા અને ડિપ્રેશનના આભજમીનના ફેરફારો અમુક અઠવાડિયાંથી અમુક મહિનાઓ સુધી ચાલે છે. બે હુમલાઓના વચગાળામાં વ્યક્તિનો મૂળ નોર્મલ રહે છે જે મહિનાઓ કે વરસો સુધી રહે છે અને વળી રોગનો બીજો હુમલો આવી જાય છે.

મેનિયાનાં લક્ષણો
• કોઈ કારણ વગર જ મન બેહદ ખુશ, આનંદમાં કે ઉત્તેજિત રહેવું
• જલ્દી ગુસ્સો આવી જવો.
• વધુ પડતું , સતત બોલવું.અજાણ્યા લોકો સાથે પણ વાતચીત કર્યા કરવી.
• મનમાં વિચારો ઝડપથી આવવા
• પ્રવૃત્તિ વધી જવી, ચેન ન પડવું.
• એકાગ્ર ન રહી શકવું, ઝડપથી પ્લાન બદલવા
• વધુ પડતો આત્મવિશ્વાસ , પોતાના વિશે મોટા પણ ખોટા ખ્યાલ
• ઉંઘની જરૂર ઓછી જણાવી.
• અજાણ્યા લોકો પણ ખૂબ નજીકના છે એમ વાત કરવી અને વર્તવું,
• વધુ પડતા કામુક વિચારો કે પ્રવૃત્તિ , વધુ પડતી ધાર્મિક પ્રવૃત્તિ
• વધુ પડતા પૈસા વાપરવા, બિનજરૂરી ખરીદી કરવી , બેકાબૂ વર્તન

ડિપ્રેશનના લક્ષણો:
• મન સતત ઉદાસ રહેવું,
આગાઉ જે પ્રવૃત્તિઓ આનંદ આપતી હતી એમાં પણ મઝા ન આવે.
• અશક્તિ , કામમાં મન ન લાગે
• ભૂખ ન લાગવી
• ઊંઘ ન આવવી
• પોતાના વિષે, બીજાઓ વિષે, ભવિષ્ય વિષે નકારાત્મક વિચારો
• આપઘાતના વિચારો, કોશિશ કે આપઘાત.

સૌ પ્રથમ તો કુટુંબીજનો કે મિત્રોને લાગે છે એ વ્યક્તિનું વર્તન બદલાઈ ગયું છે , કંઈક ગરબડ છે. વ્યક્તિને પોતાને એ ખ્યાલ રહેતો નથી કે એને કોઈ તકલીફ છે અને ઈલાજની જરૂર છે, ઘણી વાર પરિવારે વ્યક્તિને એની ઇચ્છા વિરૂદ્ધ ઈલાજ માટે લઇ જવો પડે છે.

યોગ્ય નિદાન, દવાઓ અને થેરાપી દ્વારા બાયપોલર ડિસઓર્ડર ધરાવતી વ્યક્તિ સામાન્ય, સુખી અને સફળ જીવન જીવી શકે છે.

13/03/2026

"મદદ માંગવી એ નબળાઈ નથી, પણ તમારી શક્તિની નિશાની છે" 🧠💙

શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય એ એક જ સિક્કાની બે બાજુ છે. જેમ આપણને તાવ આવે ત્યારે આપણે ડોક્ટર પાસે જઈએ છીએ, તેમ 'માનસિક કે ભાવનાત્મક તાવ' માટે મનોચિકિત્સકની સલાહ લેવી એ તંદુરસ્ત જીવન તરફનું એક મહત્વનું ડગલું છે.
માનસિક સુખાકારી એ દરેકનો અધિકાર છે. જો તમે સતત ચિંતા, ઉદાસી અથવા ઊંઘની સમસ્યાથી પરેશાન હોવ, તો તમારે આ બોજ એકલા સહન કરવાની જરૂર નથી.
શા માટે નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે?
ચોક્કસ નિદાન: તમારી લાગણીઓ પાછળનું સાચું કારણ સમજવા માટે.
આધુનિક સારવાર: કાઉન્સેલિંગ અને EEG જેવા અદ્યતન નિદાન સાથે વિજ્ઞાન-આધારિત અભિગમ.
ગોપનીય સારવાર: તમારી સમસ્યાઓ વિશે ચર્ચા કરવા માટે એક સુરક્ષિત અને નિર્ભય જગ્યા.
ચાલો આપણે મૌન તોડીએ અને વાતચીત શરૂ કરીએ. તમારા સ્વાસ્થ્યની સફર એક સાચા નિર્ણયથી શરૂ થાય છે.

📍 તરંગ ન્યુરોસાયકિયાટ્રી કેર,
આયુષ પ્લાઝા, સર T હોસ્પિટલની સામે, ભાવનગર.
📞 8849646577
#માનસિકસ્વાસ્થ્ય

🚭વ્યસનમુક્તિ સારવાર 🚭તરંગ ન્યુરોસાયકિયાટ્રી કેર- 'ભાવનગર'📞Contact Number:- 88 49 64 65 77  www.drdharmeshgohil.comAddres...
28/09/2025

🚭વ્યસનમુક્તિ સારવાર 🚭
તરંગ ન્યુરોસાયકિયાટ્રી કેર- 'ભાવનગર'

📞Contact Number:- 88 49 64 65 77
www.drdharmeshgohil.com
Address: આયુષ પ્લાઝા, સેકન્ડફ્લોર,સરટી. હોસ્પિટલસામે,
બીમ્સ હોસ્પિટલની બાજુમાં,જેલ રોડ , ભાવનગર.

10/09/2025
" WORLD SCHIZOPHRENIA DAY"24th MAY 🎗🧠🧩
24/05/2025

" WORLD SCHIZOPHRENIA DAY"
24th MAY 🎗🧠🧩

'World Alzheimer's Day' : 21st September
21/09/2024

'World Alzheimer's Day' : 21st September

Address

S-3A, Ayush Plaza, Opp. Sir T Hospital, Jail Road
Bhavnagar
364001

Alerts

Be the first to know and let us send you an email when Tarang Neuro Psychiatry Care- Bhavnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Tarang Neuro Psychiatry Care- Bhavnagar:

Share

Category