30/12/2025
કાઉન્સેલિંગ (Counselling) એ માનસિક સ્વાસ્થ્યને સમજવા અને મજબૂત બનાવવા માટેનું વૈજ્ઞાનિક સાધન છે. જેમ શારીરિક તકલીફ માટે ડોક્ટર પાસે જઈએ છીએ, તેમ મનની ગૂંચવણ, તણાવ, દુઃખ અથવા ગૂંચળાયેલા વિચારો માટે કાઉન્સેલિંગ માટે મનોચિકિત્સક મદદરૂપ બને છે.
કાઉન્સેલિંગ દરમિયાન વ્યક્તિને સુરક્ષિત અને નિષ્પક્ષ વાતાવરણ મળે છે, જ્યાં તે પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે છે—કોઈ જજમેન્ટ વગર. ઘણી વખત મનમાં રહેલી ગાંઠો બોલવાથી જ હળવી થવા લાગે છે. કાઉન્સેલર વ્યક્તિને પોતાની સમસ્યાઓને નવા દૃષ્ટિકોણથી જોવામાં મદદ કરે છે અને યોગ્ય ઉપાયો શોધવામાં માર્ગદર્શન આપે છે.
ચિંતા, ડિપ્રેશન,રિલેશનશીપની સમસ્યાઓ,વર્ક સ્ટ્રેસ , આત્મવિશ્વાસની કમી, શોક, ગુસ્સો કે જીવનના નિર્ણયો—આ બધામાં કાઉન્સેલિંગ અસરકારક સાબિત થાય છે. કાઉન્સેલિંગનો અર્થ માત્ર સલાહ આપવો નથી; પરંતુ વ્યક્તિને પોતાની અંદરની શક્તિ ઓળખવામાં મદદ કરવી છે.
કાઉન્સેલિંગમાં જવું એ નબળાઈ નહીં, પરંતુ જવાબદારી અને સાહસનું ચિહ્ન છે. યોગ્ય સમયે મદદ લેવી વ્યક્તિને વધુ સ્વસ્થ, સંતુલિત અને શાંતિપૂર્ણ જીવન તરફ દોરી જાય છે.
ડો.શૈલેષ જાની ,એમ.ડી.(સાયકિયાટ્રી )મનોચિકિત્સક,ભાવનગર ,મો 8141872881