આરોગ્ય મંત્ર

આરોગ્ય મંત્ર વજન ઘટાડો
વજન વધારો
થાઈરોઈડ
બ્લડ પ્રેશર(B.P.)
ડાયાબિટીસ કંટ્રોલ
સાંધાના દુઃખાવા
કમર નો દુઃખાવો,વા

*🌾તાવમાં લેમનગ્રાસ છે ફાયદાકારક:ખીલ, ખંજવાળથી મળશે છુટકારો, પેટ, લિવર, કિડની અને આંખ માટે પણ ફાયદાકારક.*લેમનગ્રાસ વિશ્વભ...
04/08/2023

*🌾તાવમાં લેમનગ્રાસ છે ફાયદાકારક:ખીલ, ખંજવાળથી મળશે છુટકારો, પેટ, લિવર, કિડની અને આંખ માટે પણ ફાયદાકારક.*

લેમનગ્રાસ વિશ્વભરમાં ઘણી રીતે ઉપયોગમાં લેવાય છે. ક્યાંક તેનું તેલ તંત્ર-મંત્ર અને જાદુ સાથે જોડાયેલું છે તો ક્યાંક તેને મગજ માટે ટોનિક માનવામાં આવે છે. તેનાં પાંદડા, દાંડી, મૂળ, ફૂલ સહિત દરેક ભાગનો ઉપયોગ કરવામાં આવે છે.

લેમનગ્રાસ 100% સ્વદેશી છે, વિદેશી નથી
લોકો માને છે કે, લેમનગ્રાસ વિદેશી છે, જ્યારે તે આયુર્વેદિક ઔષધિઓ પૈક એક છે. લેમનગ્રાસની ખેતી ભારત, થાઇલેન્ડ અને ચીનમાં 2 હજાર વર્ષથી કરવામાં આવે છે.

*આ તેલ ત્વચા, વાળ અને માથાના દુખાવામાં જાદુઈ કામ કરે છે*
જો તમે ખીલ, ખંજવાળ, તૈલી ત્વચા જેવી ત્વચા અને વાળની ​​કોઈપણ સમસ્યાથી પરેશાન છો, તો લેમનગ્રાસ તેલ લગાવો અને જુઓ પછી ચમત્કાર. માથાનો દુખાવો, મેલેરિયા અને પેટના ઘણા રોગોમાં આ તેલ ખૂબ જ ફાયદાકારક છે. જો તમને તાવની સાથે શરદી પણ લાગી રહી હોય તો લેમનગ્રાસ તેલથી શરીર પર માલિશ કરો.

*લેમનગ્રાસમાંથી બનેલી ચા તાવમાં મદદરૂપ થાય છે*
1947માં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે તે જ વર્ષે અમેરિકામાં તેની ખેતી શરૂ થઈ. ભૂ-તૃણ અને લેમનગ્રાસ ઉપરાંત તેના અન્ય પણ ઘણાં રસપ્રદ નામો છે જેમ કે કોચીન ગ્રાસ, સિલ્કી હેડ્સ, મલબાર ગ્રાસ. તાવ ઘટાડવાના તેના ગુણથી તેને 'ફીવર ગ્રાસ' પણ કહેવામાં આવતું હતું. ચા ઉપરાંત તેનો ઉકાળો પીવાથી તાવ પણ ઊતરે છે.

1905માં શ્રીલંકાના એક વૈજ્ઞાનિક દક્ષિણ ભારતમાંથી લેમનગ્રાસના છોડ લાવ્યા હતા. રિસર્ચ દરમિયાન તેને તેના તેલના ફાયદા પણ જાણવા મળ્યા, ત્યારબાદ સમગ્ર વિશ્વમાં તેની માગ વધવા લાગી.
1905માં શ્રીલંકાના એક વૈજ્ઞાનિક દક્ષિણ ભારતમાંથી લેમનગ્રાસના છોડ લાવ્યા હતા. રિસર્ચ દરમિયાન તેને તેના તેલના ફાયદા પણ જાણવા મળ્યા, ત્યારબાદ સમગ્ર વિશ્વમાં તેની માગ વધવા લાગી.
ઝાડા, અનિયમિત પીરિયડ્સમાં પણ ફાયદાકારક
ભારતથી ચીન સુધી લેમનગ્રાસમાંથી બનેલી ચાનો ઉપયોગ તાવ, ઝાડા, અનિયમિત પીરિયડ્સ અને પેટના દુખાવા માટે દવા તરીકે થાય છે. ક્યુબા અને કેરેબિયનમાં લોકો બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા અને પાચન સુધારવા માટે આ ચા પીવે છે. આ ચાથી ગળામાં ખરાશ, આર્થરાઇટિસ, સ્નાયુઓમાં ખેંચાણ, ડાયાબિટીસમાં પણ ફાયદાકારક છે. જો પીરિયડ્સ સમયસર ન આવે તો તેનાં પાનનો ઉકાળો બનાવીને તેમાં કાળા મરી ભેળવીને પીવાથી ફાયદો થશે.

*લિવર, કિડની માટે ફાયદાકારક, કેન્સરનું જોખમ ઘટાડે છે*
જો તમે પેટના દુખાવાથી પરેશાન છો તો ફુદીનો, કાળા મરી, સૂકા આદુ અને સાકરની લેમનગ્રાસ સાથે પેસ્ટ બનાવીને ખાવાથી આરામ મળે છે. તેના પાન અપચો અને ગેસમાં આરામ આપે છે. પેટને સ્વસ્થ બનાવે છે. લેમનગ્રાસ પરના NCBI ના રિપોર્ટ અનુસાર, લેમનગ્રાસ આંખો, લિવર અને કિડની માટે પણ ફાયદાકારક છે. શરીરને નુકસાન પહોંચાડનારા તત્વોને પેશાબ દ્વારા દૂર કરે છે. જેના કારણે કિડનીમાં પથરીનું જોખમ ઓછું થઈ જાય છે. તેનાં પાન અને તેલ કેન્સરને રોકવામાં મદદરૂપ છે.

*લેમનગ્રાસનાં ફૂલ વજન ઘટાડે છે, મગજ અને નર્વસ સિસ્ટમ માટે ટોનિક*
જો તમને ડાયાબિટીસ હોય તો ખાલી પેટે લેમનગ્રાસનાં પાન અને ફૂલ ખાઓ, જેનાથી બ્લડ શુગર વધતું નથી. લેમનગ્રાસ નર્વસ સિસ્ટમ માટે ટોનિકથી ઓછું નથી. તેમાં રહેલા મેગ્નેશિયમ મગજને રોગોથી બચાવે છે. જેના કારણે નર્વસનેસ, ચક્કર જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે.

*માનસિક સમસ્યાઓ અને શ્વાસ સંબંધી રોગોથી બચાવો*
લેમનગ્રાસ ટી પીવાથી અને તેલ સાથે એરોમાથેરાપી લેવાથી પણ ઊંઘ, ડિપ્રેશન, તણાવ, ચિંતા અને થાક દૂર થાય છે. સાઇનસ, અસ્થમા, ફ્લૂ અને શ્વાસ સંબંધી રોગોથી પીડિત લોકો માટે લેમનગ્રાસ ખૂબ જ ફાયદાકારક છે. લેમનગ્રાસના ઉકાળા સાથે કોગળા કરવાથી અથવા તેના પાંદડા ચાવવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે. તેના તેલથી માલિશ કરવાથી સંધિવા, સોજો અને દુખાવામાં આરામ મળે છે.

*ગર્ભાવસ્થા દરમિયાન લેમનગ્રાસનો ઉપયોગ કરશો નહીં*
તમે સવારે ખાલી પેટે 10 થી 30 ગ્રામ લેમનગ્રાસનો ઉપયોગ કરી શકો છો. ઓવરડોઝ ઊબકા અને ઊલટીનું કારણ બની શકે છે. સગર્ભા સ્ત્રીઓએ તેનું સેવન ન કરવું જોઈએ. ઉપરાંત, જો તમને એલર્જી હોય તો લેમનગ્રાસનો ઉપયોગ કરશો નહીં. જો તમે સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો લેમનગ્રાસનો ઉપયોગ કરતા પહેલાં તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તમારી જાતે સારવાર કરવાનો ક્યારેય પ્રયાસ કરશો નહીં.
*સ્વસ્થ રહો મસ્ત રહો તમારા જીવનનો આનંદ માણો.*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📲આવી અવનવી આરોગ્ય ને લગતી માહિતી માટે અમારા આરોગ્ય મંત્ર ગ્રુપમાં જોડાવા વિનંતી*
https://chat.whatsapp.com/BOESPx5WbYYAIt0N59DOfq

*આ ઉપયોગી માહિતી વધુને વધુ લોકો સુધી પહોચાડવા નમ્ર વિનંતી*

*🪼🪴જાપાનીઝ આશ્ચર્યજનક સંશોધન* ——-👇🏻👇🏻1. *એસિડિટી* માત્ર ખોરાકની ભૂલોને લીધે નહીં, પરંતુ *માનસિક તાણ* નું વધુ પ્રભુત્વ ધર...
26/07/2023

*🪼🪴જાપાનીઝ આશ્ચર્યજનક સંશોધન* ——-👇🏻👇🏻

1. *એસિડિટી* માત્ર ખોરાકની ભૂલોને લીધે નહીં, પરંતુ *માનસિક તાણ* નું વધુ પ્રભુત્વ ધરાવે છે.
2. *હાયપરટેન્શન* માત્ર *મીઠું* કે તેનાથી બનેલા ખાદ્યપદાર્થોના વપરાશથી જ નહીં, પરંતુ મુખ્યત્વે *લાગણીઓના મેનેજમેન્ટ* માં ભૂલોને લીધે પણ થાય છે.
3. *કોલેસ્ટેરોલ* માત્ર ફેટીવાળા ખોરાકને લીધે જ નથી, પરંતુ *વધુ આળસ* અથવા બેઠાડુ જીવનશૈલી વધુ જવાબદાર છે.
4. *અસ્થમા* ફેફસાંમાં ઓક્સિજન પુરવઠોના વિક્ષેપને કારણે જ નહીં, પરંતુ ઘણી વાર *દુઃખની લાગણીઓ* ફેફસાંને અસ્થિર બનાવે છે.
5. *ડાયાબિટીસ* માત્ર ગ્લુકોઝના વધુ વપરાશના કારણે નહીં, પરંતુ સ્વાર્થી અને *હઠીલું વલણ* સ્વાદુપિંડના કાર્યમાં વિક્ષેપ પાડે છે.
6. *કિડની પત્થરો*: ફક્ત કેલ્શિયમ ઓક્સલેટ ડિપોઝિટ જ નહીં, પરંતુ પેન્ટ અપ *લાગણીઓ અને ધિક્કાર* જવાબદાર છે.
7. *સ્પૉંડિલાઈટિસ*: ફક્ત એલ 4 એલ 5 અથવા સર્વિકલ ડિસઓર્ડર નહીં; પરંતુ વધુ પડતા ભારથી અને *ભવિષ્યની ખૂબ જ ચિંતાઓ* ને લીધે.
🙏🏽
*જો આપ સ્વસ્થ જીવન જીવવા માંગતા હો તો..*
▪ગુસ્સો ના કરો.
▪એકબીજા ને માફ કરો.
▪બીજા પાસે બહુ અપેક્ષાઓ ના રાખો.
▪તમારી પણ એટલીજ ભૂલો થાય છે કે જેટલી બીજાની એટલે કડક અભિગમ ના રાખો.
▪અંતે તો રાખ થઈને માટીમાં જ મળવાનું છે એટલે અહમ ના રાખો.
▪કમ ખાવ ગમ ખાવ.
▪પૂરતી ઊંઘ લો.
▪નિયમિત જીવન જીવો.
▪ખોટી ચર્ચા દલીલો થી બચો.
▪દરેક સાથે પ્રેમથી વર્તો અને દરેક ને માન આપો.
▪તમારાથી નાની ઉંમરનાં ઓને મદદરૂપ થાવ અને તમારાથી મોટાંઓને સન્માન આપો.
કારણ પહેલો તબક્કો તમારો ભૂતકાળ છે અને બીજો ભવિષ્ય કાળ.
▪મનને ઠીક કરો.
▪સદાય પ્રસન્ન રહો.
▪નિયમિત યોગ કે કસરતો કરો.
▪ધ્યાન પ્રાણાયામ કરો, જે તમારા આત્મા અને મનને મજબૂત કરશે.

*સ્વસ્થ રહો મસ્ત રહો તમારા જીવનનો આનંદ માણો.*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📲આવી અવનવી આરોગ્ય ને લગતી માહિતી માટે અમારા આરોગ્ય મંત્ર ગ્રુપમાં જોડાવા વિનંતી*
https://chat.whatsapp.com/BOESPx5WbYYAIt0N59DOfq

*આ ઉપયોગી માહિતી વધુને વધુ લોકો સુધી પહોચાડવા નમ્ર વિનંતી*

WhatsApp Group Invite

*🍱ગોળના અમુલ્ય ફાયદાઓ 🍱**✅ ગોળ બ્લડ માં રહેલા ખરાબ ટોક્સીન ને દુર કરે છે જેથી ખીલ ની સમસ્યા નથી રહેતી.**✅ થાક લાગે અથવા ...
22/07/2023

*🍱ગોળના અમુલ્ય ફાયદાઓ 🍱*

*✅ ગોળ બ્લડ માં રહેલા ખરાબ ટોક્સીન ને દુર કરે છે જેથી ખીલ ની સમસ્યા નથી રહેતી.*

*✅ થાક લાગે અથવા નબળાઇ જેવું લાગે ત્યારે ગોળ ખાવાથી એનર્જી વધશે.*

*✅ ગોળ ખાવાથી શરદી,તાવ, ઉધરસ દુર થાય છે.*

*✅ ગોળમાં એન્ટી એલર્જીક તત્વ છે જે દમના દર્દીઓને રાહત આપે છે.*

*✅ દરરોજ ગોળ ઘી અને સુંઠ ભેગું કરીને બે ત્રણ ચમચી ખાવાથી સાંધા ના કે થીંચણ ના દુખાવા નહિ થાય.*"

*✅ કાળા તલ ને ગોળ દરરોજ એક વાટકી ભરીને ખાવાથી અસ્થમા હોય તો દુર થશે અને દાંતો ના દર્દ માં પણ રાહત મળે છે.*

*✅ ગોળ અને ઘી ભેળવીને ખાવાથી કાન ના દર્દ નહિ થાય.*

*✅ ગોળ,ભાત અને થોડુક ઘી ભેળવી ને ખાવાથી સાદ બેસી ગયો હોય તો ગળું ખુલ્લી જાય છે.*
━──────⊱◈✿◈⊰───────━
*📲અમારા આરોગ્ય મંત્ર ગ્રુપમાં જોડાવા વિનંતી*
https://chat.whatsapp.com/BOESPx5WbYYAIt0N59DOfq

આ ઉપયોગી માહિતી વધુને વધુ લોકો સુધી પહોચાડવા નમ્ર વિનંતી

WhatsApp Group Invite

*⭕ શ્વાસ લેવામાં તકલીફ થાય તો બસ આ 3 ઉપાય કરો.**⏺️હળદર અને મધ*- હળદર અને મધમાં એન્ટીઇન્ફ્લામેટરી અને એન્ટીએલર્જિક પ્રોપર...
19/07/2023

*⭕ શ્વાસ લેવામાં તકલીફ થાય તો બસ આ 3 ઉપાય કરો.*

*⏺️હળદર અને મધ*

- હળદર અને મધમાં એન્ટીઇન્ફ્લામેટરી અને એન્ટીએલર્જિક પ્રોપર્ટીઝ હોય છે જે કફથી રાહત અપાવે છે. હળદર અને મધ બંનેને મિક્સ કરીને લેવામાં આવે તો તેની અસર બમણી થઇ જાય છે. શ્વાસના દર્દીઓ માટે તે એક ઉત્તમ દવા છે. દરરોજ બે વાર ચપટી હળદરને મધમાં ભેળવીને ચાટવાથી અસ્થમાના દર્દીઓને શ્વાસની સમસ્યામાં રાહત મળે છે. શરદી-ઉધરસથી પરેશાન સામાન્ય વ્યક્તિ પણ તેનો ઉપયોગ કરી શકે છે.

*⏺️અંજીરનું સેવન*

- દરરોજ રાતે ઊંઘતા પહેલા સાફ પાણીમાં 2-3 સૂકા અંજીર પલાળી દો. સવારે ઉઠીને તેને ખાલી પેટે સારી રીતે ચાવીને ખાઈ લો. અંજીર ખાધા પછી તે પાણી પી લો. અંજીર શ્વાસની નળીમાં જામેલા કફને દૂર કરી દે છે જેથી અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવાની તકલીફમાં રાહત મળે છે.

*⏺️આદુ-લસણની ચા*

- અસ્થમા દરમિયાન શ્વાસ લેવામાં થતી તકલીફો દૂર કરવામાં આદુ અને લસણની ચા પણ ઘણી ફાયદાકારક હોય છે. તેને બનાવવી રીત પણ સરળ છે. પહેલા આદુની સામાન્ય ચા બનાવી લો, હવે લસણની બે-ત્રણ કળીઓને ચામાં મિક્સ કરી લો. આ ચા પીવામાં સ્વાદ વિનાની લાગી શકે છે પણ ઘણી અસરકારક હોય છે.
━──────⊱◈✿◈⊰───────━
*📲અમારા આરોગ્ય મંત્ર ગ્રુપમાં જોડાવા વિનંતી*
https://chat.whatsapp.com/BOESPx5WbYYAIt0N59DOfq

*આ ઉપયોગી માહિતી વધુને વધુ લોકો સુધી પહોચાડવા નમ્ર વિનંતી*

WhatsApp Group Invite

*🥘આહાર-વિહાર થી આરોગ્ય જાળવો* ➡️સુર્યોદય પહેલા કંઇ ખાવુ નહિ, અને સુર્યાસ્ત પછી કંઇ ખાવુ નહિ.➡️ભુખ કરતા 10 ટકા ઓછું ખાવુ➡...
15/07/2023

*🥘આહાર-વિહાર થી આરોગ્ય જાળવો*

➡️સુર્યોદય પહેલા કંઇ ખાવુ નહિ, અને સુર્યાસ્ત પછી કંઇ ખાવુ નહિ.

➡️ભુખ કરતા 10 ટકા ઓછું ખાવુ

➡️સવાર ના ચાલવાને જીવન નો એક ભાગ રૂપે રોજ અપનાવો

➡️ફાસ્ટ ફૂડને વિદાય આપો, ગેસ અને એ.સી.ડી.ટી. થશે. શરીરમાં લોહી નહિ બને.

➡️સવારે નરણે એક જ ગ્લાસ ગરમ પાણી પીવું

➡️સવારે સુર્યોદય પહેલા ઉઠી જવું જેનાથી પ્રકૃતી સાથે પ્રેમ શરૂ થશે. કા

➡️ડોકટર પાસે જતા પહેલા ધરગથ્થુ દવાનો ઉપયોગ કરવો વધુ પડતી એલોપેથી દવાથી રોગનું નિવારણ થતું નથી.

➡️બાળકોને વેફર, ભુંગરા, બીસ્કીટ ના આપો, તેનો પાયો નબળો
પડી જશે, યાદશક્તિ નહિ રહે.
━──────⊱◈✿◈⊰───────━
*📲અમારા આરોગ્ય મંત્ર ગ્રુપમાં જોડાવા વિનંતી*
https://chat.whatsapp.com/BOESPx5WbYYAIt0N59DOfq

આ ઉપયોગી માહિતી વધુને વધુ લોકો સુધી પહોચાડવા નમ્ર વિનંતી

WhatsApp Group Invite

*🫐ઉનાળામાં શેતૂર ફાયદાકારક*:વજન, બ્લડ પ્રેશર અને સુગરને કંટ્રોલ કરશે; પાંદડાની પેસ્ટથી ઘા રુઝાઈ જશે, ખરજવું-સોરાયસિસમાં ...
19/05/2023

*🫐ઉનાળામાં શેતૂર ફાયદાકારક*:વજન, બ્લડ પ્રેશર અને સુગરને કંટ્રોલ કરશે; પાંદડાની પેસ્ટથી ઘા રુઝાઈ જશે, ખરજવું-સોરાયસિસમાં પણ ફાયદાકારક

*ઉનાળાની ઋતુમાં એવાં અનેક ફળો છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શેતૂર પણ આ પૈકી એક છે. આયુર્વેદમાં શેતૂરને 'અમૃત ફળ' કહેવામાં આવ્યું છે. તેમાં વિટામિન અને પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે. શું તમે જાણો છો કે રેશમના કીડા પણ આ ઝાડના પાંદડા ખાય છે, જેમાંથી કિંમતી રેશમ તૈયાર થાય છે.*

*શેતૂર રોગપ્રતિકારક શક્તિ વધારે છે.* આ સાથે ત્વચા સંબંધિત સમસ્યાઓ અને કેન્સર જેવી બીમારીઓને દૂર કરવામાં પણ ફાયદાકારક છે. 'બાપુ નેચર ક્યોર'ના આયુર્વેદાચાર્ય રશ્મિ ચતુર્વેદી કહે છે કે 'માત્ર ફળ જ નહીં પણ શેતૂરના પાન પણ ઔષધીય ગુણોથી ભરપૂર છે. વજન ઘટાડવાની સાથે તે ડાયાબિટીસ અને હાર્ટ જેવી સમસ્યાઓમાં પણ અસરકારક છે. શેતૂરના પાનના ઉપયોગથી શુગર લેવલ અને બ્લડ પ્રેશર બંને કંટ્રોલમાં રહે છે.'

*શેતૂર ઉનાળામાં હીટ સ્ટ્રોકથી રક્ષણ આપે છે*
શેતૂરમાં ઠંડકનો ગુણ હોય છે, જેના કારણે તે ઉનાળામાં હીટ સ્ટ્રોકથી બચાવે છે. તે ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝનો પણ સારો સ્ત્રોત છે. ઉનાળામાં શરીરને વધુ પાણીની જરૂર પડે છે. આ ફળમાં લગભગ 91 ટકા પાણી હોય છે. ઉનાળાની ઋતુમાં રોજ શેતૂર ખાવાથી ફાયદો થાય છે.

*વિટામિન્સ અને પોટેશિયમથી ભરપૂર, વજન નિયંત્રિત કરે છે*
જો શરીરમાં વિટામિન અને પોટેશિયમની ઊણપ હોય તો શેતૂર એક ફાયદાકારક ફળ છે. તે ઘણા રોગોને મટાડે છે. વધતા વજનથી પરેશાન લોકો શેતૂરનાં પાનનું સેવન કરે છે. શેતૂરના પાનનો અર્ક પીવાથી વધેલા વજનને ઘટાડવામાં મદદ મળે છે. આ સાથે તે લીવરને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. ચા બનાવવા માટે શેતૂરના પાનનો પણ ઉપયોગ થાય છે.

*સુગર લેવલને કંટ્રોલ કરે છે*
ડાયાબિટીસના દર્દીઓ માટે શેતૂરના પાનનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શેતૂરના પાંદડામાં ડીએનજે નામનું તત્ત્વ જોવા મળે છે, જે આંતરડામાં મળી આવતા આલ્ફા ગ્લુકોસાઇડ એન્ઝાઇમની સાથે શુગર લેવલને કંટ્રોલ કરે છે. એટલું જ નહીં, આ તત્ત્વ લીવરમાં રહેલા ગ્લુકોઝને પણ નિયંત્રિત કરે છે. જો નિયમિતપણે લેવામાં આવે તો તે ખોરાક ખાધા પછી શરીરમાં ઉત્પન્ન થતી શુગરને પણ નિયંત્રિત કરે છે.

*BP કંટ્રોલમાં રાખશે અને હૃદય માટે પણ ફાયદાકારક*
બ્લડપ્રેશર અને હૃદય સંબંધિત સમસ્યાઓ માટે શેતૂરના પાન અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ફિનોલિક્સ અને ફ્લેવોનોઈડ નામના તત્ત્વો હોય છે જે હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે. તેના પાંદડામાં એન્ટી-ઓક્સિડેન્ટસ હોય છે જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે.

*ચામડીના રોગોમાં અસરકારક*
પેટની ગરમીને કારણે વાળ ખરવા અને સફેદ થવા એ આજકાલ સામાન્ય બની ગયું છે. શેતૂરમાં એન્ટિઑકિસડન્ટ હોય છે, જે ત્વચા અને વાળ માટે ખૂબ જ મહત્વનું છે. તે ત્વચાને શુષ્કતાથી બચાવે છે અને વાળને તેનો કુદરતી રંગ જાળવી રાખવામાં મદદ કરે છે.

એટલું જ નહીં તેનાથી વાળ ખરતા પણ ઓછા થાય છે. શેતૂરના પાનનો લેપ કરવાથી ઘા ઝડપથી રુઝાય છે. દાદર, ખરજવું અને સોરાયસીસથી રાહત મેળવવા માટે પણ પાંદડાનો ઉપયોગ કરવામાં આવે છે.

*કેન્સરના કોષોને મારી નાખે છે*
શેતૂર કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. તેમાં પોલીફેનોલ્સ અને ફ્લેવોનોઈડ્સ જેવા ઘટકો હોય છે, જે કેન્સરના કોષોને મારવામાં મદદરૂપ થાય છે. આ રીતે તે કેન્સરના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📲અમારા આરોગ્ય મંત્ર ગ્રુપમાં જોડાવા વિનંતી*
https://chat.whatsapp.com/BOESPx5WbYYAIt0N59DOfq

*આ ઉપયોગી માહિતી વધુને વધુ લોકો સુધી પહોચાડવા નમ્ર વિનંતી🙏*

WhatsApp Group Invite

*❤️હાર્ટ ઍટેકના વધતાં ખતરાથી બચવું હોય તો આજે જ વસ્તુઓને કહેવું પડશે ટાટા-બાય-બાય*▪️હાર્ટને હેલ્દી રાખવા માંગો છો, તો શર...
18/05/2023

*❤️હાર્ટ ઍટેકના વધતાં ખતરાથી બચવું હોય તો આજે જ વસ્તુઓને કહેવું પડશે ટાટા-બાય-બાય*

▪️હાર્ટને હેલ્દી રાખવા માંગો છો, તો શરુઆત તમારી લાઇફસ્ટાઇથી જ કરવી પડશે. આ વસ્તુઓ જેને સામાન્ય ગણીને આરોગો છો તેને આજથી બાય બાય કહો...
લાઇફસ્ટાઇલમાં સામેલ કરો હેલ્દી ફૂડ
મીઠું અને ખાંડના વધારે સેવનથી હાર્ટએટેક અને સ્ટ્રોકનો ભય વધી શકે છે
ફ્રેંચ ફ્રાઇઝ હૃદયના સ્વાસ્થ્ય માટે ખતરનાક
અત્યારના ભાગદોડના જીવનમાં દરેક વ્યક્તિ પોતાની હેલ્થનું ધ્યાન રાખવા ઇચ્છે છે. તેમ છંતા ખાન-પાનની શરીર પર નકારાત્મક અસર થાય છે. હેલ્થનું ધ્યાન રાખવા માટે વિશેષ રીતે હેલ્ધી ફૂડનું સેવન કરવુ પણ જરુરી છે. હાલ આસપાસ જોઇએ તો હૃદયને લગતી બીમારીઓના કેસ વધી રહ્યાં છે. તેમાં પણ તમે જે રોજીંદા જીવનમાં સામાન્ય ગણો છો તે જ વસ્તુનું સેવન તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે. તો આવો જાણીએ તે કઇ વસ્તુઓ છે, જેને આપણે ખાવાનુ ટાળવુ જોઇએ...

*1.મીઠું- ખાંડઃ* મીઠું અને ખાંડ ખૂબ જ વધારે ઉપયોગ કરવાથી હૃદયની ગંભીર બીમારી સુધી પહોંચાડી શકે છે. ઘણી વખત મીઠું અને ખાંડના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સ્થિતિ બની શકે છે.

*2. રેડ મીટઃ* રેડ મીટના સેવન કરતા હોય તો રોકાઇ જજો, આ હૃદયની ગંભીર બીમારીઓને આમંત્રણ આપે છે. રેડ મીટમાં સેચુરેટેડ ફેટ ખૂબ જ માત્રામાં હોય છે, જેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધારામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

*3. બટરઃ* જો તમે હૃદયને લગતી બીમારીઓથી બચવા માંગતા હોય તો બટર જેવી વસ્તુનું સેવન કરવાનું ટાળવુ જોઇએ.

*4. ફ્રેંચ ફ્રાઇઝઃ* ફ્રેંચ ફ્રાઇઝ જો પસંદ કરો છો તો આજથી પોતાની પસંદ બદલી લેજો. કારણ કે ફ્રેંચ ફ્રાઇઝને પસંદ કરવી તમારા હૃદય માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

*5. ચિકન ફ્રાયઃ* ચિકન ફ્રાયના શોખીન છો તો આ શોખ તમારા હૃદય પર ભારે પડી શકે છે. તેની ખાવાની માત્રામાં ઘટાડો કરવો જોઇએ.

*6. સોડાઃ* હૃદયને ફિટ રાખવા ઇચ્છો છો તો સોડા પીવાનું છોડી દેજો. સોડા પીનારા લોકોમાં હૃદયની બીમારી થવાનો ભય વધારે રહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
*📲અમારા આરોગ્ય મંત્ર ગ્રુપમાં જોડાવા વિનંતી*
https://chat.whatsapp.com/BOESPx5WbYYAIt0N59DOfq

*આ ઉપયોગી માહિતી વધુને વધુ લોકો સુધી પહોચાડવા નમ્ર વિનંતી🙏*

WhatsApp Group Invite

*💥Side Effects Of AC:*▪️ ઉનાળામાં એસીની ઠંડી હવામાં રહેવું દરેક વ્યક્તિને ગમે છે. એસીમાં બેઠા હોય તો એવું લાગે કે જાણે ઉ...
18/05/2023

*💥Side Effects Of AC:*
▪️ ઉનાળામાં એસીની ઠંડી હવામાં રહેવું દરેક વ્યક્તિને ગમે છે. એસીમાં બેઠા હોય તો એવું લાગે કે જાણે ઉનાળો છે જ નહીં. ખાસ કરીને જે લોકો નોકરી કરતા હોય છે તેમને કલાકો સુધી એસી ઓફિસમાં બેસવાનું હોય છે. જેના કારણે તેઓ ઘરે આવીને પણ એસીમાં બેસવાનું પસંદ કરે છે. ઉનાળામાં એસીની ઠંડક સારી તો લાગે છે પરંતુ સ્વાસ્થ્ય માટે સતત એસીમાં રહેવું હાનિકારક છે. એસી ની ઠંડી હવામાં રહેવાની આદત સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે અને તેનાથી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.

▪️સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર એર કન્ડિશનમાં વધારે કલાકો સુધી બેસવાથી માથાના દુખાવા સહિત ડ્રાય સ્કિનની સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં એસી ના કારણે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે અને તમે બીમાર પણ પડી શકો છો. આજે તમને જણાવીએ કે એસીમાં સતત રહેવાથી કઈ પાંચ બીમારીઓ ઝડપથી થવાની સંભાવના વધે છે.

*💥સતત એસી માં રહેવાથી થતા નુકસાન*

1. એર કન્ડિશનર રૂમને ઠંડો કરવા માટે રૂમમાં જે ભેજ હોય છે તેને ખેંચી લે છે. તેવામાં ત્વચામાં રહેલું મોઈશ્ચર પણ એસી ઓછુ કરી નાખે છે અને તેના કારણે ડીહાઇડ્રેશન પણ થઈ શકે છે. સતત એસીમાં રહેતા લોકોને સ્કીન ડ્રાય થઈ જવાની ફરિયાદ રહે છે

2. કેટલીક રિસર્ચમાં સામે આવ્યું છે કે જે લોકો સેન્ટ્રલ્લી એસી ઓફિસમાં બેસીને કામ કરે છે તેમને શ્વસનતંત્ર સંબંધિત સમસ્યાઓ જેમ કે નાકમાં તકલીફ શ્વાસ લેવામાં સમસ્યા વધારે પ્રમાણમાં થાય છે.

3. ઉનાળામાં એસીમાં વધારે પ્રમાણમાં બેસવાથી લોકોને માથાનો દુખાવો અથવા તો માઈગ્રેન થવાનું જોખમ વધી જાય છે. કલાકો સુધી એસીમાં બેસવાથી માઈગ્રેન ટ્રીગર થાય છે.

4. જ્યારે તમે નિયમિત રીતે એસીમાં બેસવા લાગો છો તો શરીરનું હીટ ટોલરન્સ ઓછું થઈ જાય છે. એટલે કે તમે જ્યારે ઓછી ગરમી હોય તેવી જગ્યાએ જાઓ તો પણ તમને વધારે ગરમી લાગે છે.

5. જે જગ્યાએ સતત એસી ચાલતું હોય ત્યાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે. આવી સ્થિતિમાં આંખોમાં ડ્રાઈનેસની સમસ્યા વધી જાય છે. સાથે જ આંખમાં ખંજવાળ અને ઇરીટેશન પણ થઈ શકે છે. સતત એસીમાં બેસવાથી વિઝન ધૂંધળું પણ થઈ જાય છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
*📲અમારા આરોગ્ય મંત્ર ગ્રુપમાં જોડાવા વિનંતી🙏*
https://chat.whatsapp.com/BOESPx5WbYYAIt0N59DOfq

*આ ઉપયોગી માહિતી વધુને વધુ લોકો સુધી પહોચાડવા નમ્ર વિનંતી🙏*

WhatsApp Group Invite

*🌱યાદ રાખવાની મહત્વપૂર્ણ બાબતો* 1. બીપી: 120/80 2. પલ્સ: 70 - 100 3. તાપમાન: 36.8 - 37 4. શ્વાસ: 12-16 5. હિમોગ્લોબિન: પ...
17/05/2023

*🌱યાદ રાખવાની મહત્વપૂર્ણ બાબતો*

1. બીપી: 120/80
2. પલ્સ: 70 - 100
3. તાપમાન: 36.8 - 37
4. શ્વાસ: 12-16
5. હિમોગ્લોબિન: પુરુષ -13.50-18
સ્ત્રી - 11.50 - 16
6. કોલેસ્ટ્રોલ: 130 - 200
7 પોટેશિયમ: 3.50 - 5
8. સોડિયમ: 135 - 145
9. ટ્રાઇગ્લિસરાઇડ્સ: 220
10. શરીરમાં લોહીનું પ્રમાણ: PCV 30-40%
11. સુગર લેવલ: બાળકો (70-130) પુખ્તો: 70 - 115
12. આયર્ન: 8-15 મિલિગ્રામ
13. શ્વેત રક્તકણો WBC: 4000 - 11000
14. પ્લેટલેટ્સ: 1,50,000 - 4,00,000
15. લાલ રક્તકણો RBC: 4.50 - 6 મિલિયન.
16. કેલ્શિયમ: 8.6 -10.3 mg/dL
17. વિટામિન D3: 20 - 50 ng/ml.
18. વિટામિન B12: 200 - 900 pg/ml.
*40/50/60 વર્ષનાં વરિષ્ઠ લોકો માટે ખાસ ટીપ્સ:*
*1- પ્રથમ ટીપ:* જો તમને તરસ ન હોય અથવા જરૂર ન હોય તો પણ હંમેશા પાણી પીવો, સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ અને તેમાંથી મોટાભાગની સમસ્યા શરીરમાં પાણીની ઉણપને કારણે છે. દિવસ દીઠ ઓછામાં ઓછા 2 લિટર.
*2- બીજો સંકેત:* શરીરથી બને તેટલું કામ કરો, શરીરની હલનચલન જેવી કે ચાલવું, તરવું અથવા કોઈપણ રમત હોવી જોઈએ.
*ટીપ 3-3:* ઓછુ ખાઓ... વધુ ખાવાની ઈચ્છા છોડી દો... કારણ કે તે ક્યારેય સારું લાવતું નથી. તમારી જાતને વંચિત ન કરો, પરંતુ કદમાં ઘટાડો કરો. પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર ખોરાક લેવો.
*4- ચોથી સૂચના:* જ્યાં સુધી એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી વાહનનો ઉપયોગ કરશો નહીં. જો તમે કરિયાણા લેવા, કોઈને મળવા અથવા કામકાજ કરવા માટે ક્યાંક જઈ રહ્યાં છો, તો તમારા પગ પર ચાલવાનો પ્રયાસ કરો. લિફ્ટ અને એસ્કેલેટરને બદલે સીડીઓ લો.
*5- ટીપ 5* ગુસ્સો છોડો, ચિંતા કરવાનું બંધ કરો, વસ્તુઓને અવગણવાનો પ્રયાસ કરો. મુશ્કેલીકારક પરિસ્થિતિઓમાં તમારી જાતને નિમજ્જન કરશો નહીં, તેઓ બધા સ્વાસ્થ્યને બગાડે છે અને આત્માની કીર્તિ છીનવી લે છે. સકારાત્મક લોકો સાથે વાત કરો અને તેમને સાંભળો.
*6- છઠ્ઠું સૂચન* પ્રથમ, પૈસા પ્રત્યેની લગાવ છોડી દો
તમારી આસપાસના લોકો સાથે જોડાઓ, હસો અને વાત કરો! પૈસા અસ્તિત્વ માટે છે, પૈસા માટે જીવન નથી.
*નોંધ 7-7* તમારા વિશે અથવા તમે જે હાંસલ કરી શકતા નથી અથવા તમે જેનો આશરો લઈ શકતા નથી તેના વિશે ચિંતા કરશો નહીં.
તેને અવગણો અને ભૂલી જાઓ.
*8- આઠમી સૂચના* પૈસા, પદ, પ્રતિષ્ઠા, શક્તિ, સુંદરતા, જાતિ અને પ્રભાવ;
આ બધા અહંકારને વેગ આપે છે. નમ્રતા લોકોને પ્રેમની નજીક લાવે છે.
*9- નવમી ટીપ* જો તમારા વાળ સફેદ છે, તો તેનો અર્થ જીવનનો અંત નથી. આ એક સારા જીવનની શરૂઆત છે. આશાવાદી બનો, સ્મૃતિમાં જીવો, મુસાફરી કરો, આનંદ કરો. યાદો બનાવો!
*10- 10મી ટીપ્સ* તમારા નાના બાળકોને પ્રેમ, સહાનુભૂતિ અને સ્નેહથી મળો! કટાક્ષ કંઈ બોલશો નહીં! તમારા ચહેરા પર સ્મિત મૂકો!
ભૂતકાળમાં તમે ગમે તેટલા મોટા પદ પર રહ્યા હોવ, વર્તમાનમાં તેને ભૂલી જાઓ અને રેન્કમાં જોડાઓ!👍🇮🇳👍🙏
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
*📲અમારા આરોગ્ય મંત્ર ગ્રુપમાં જોડાવા વિનંતી*
https://chat.whatsapp.com/BOESPx5WbYYAIt0N59DOfq

🪀 *આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં*

WhatsApp Group Invite

*🌱🙏🌞 સુર્ય નમસ્કાર 🌞🙏🌱*           જો તમે સમયના પ્રવાહમાં તંદુરસ્ત રહેવા માટે કોઈ એક જ *મંત્ર કે યોગ શૃંખલા* શોધી રહ્યા હ...
14/05/2023

*🌱🙏🌞 સુર્ય નમસ્કાર 🌞🙏🌱*

જો તમે સમયના પ્રવાહમાં તંદુરસ્ત રહેવા માટે કોઈ એક જ *મંત્ર કે યોગ શૃંખલા* શોધી રહ્યા હો તો તેનો જવાબ છે સુર્ય નમસ્કાર. જે તમારા સંપૂર્ણ રૂધિરાભિસરણ તંત્રને યોગ્ય વ્યાયામ આપતા *૧૨ શક્તિશાળી યોગાસનોનો* એક સમૂહ છે. શાબ્દિક અનુવાદ પ્રમાણે સૂર્ય નમસ્કારના આસનો શરીરની તંદુરસ્તી,, આકાર તથા મનને શાંત અને સ્વસ્થ રાખવા માટે એક સચોટ ઉપાય છે.

*સુર્ય નમસ્કાર ખાલી પેટે વહેલી સવારે કરવામાં આવે છે.*
ચાલો સારા સ્વાસ્થ્ય માટે આ સરળ છતાં અસરકારક સુર્ય નમસ્કાર શરૂ કરીએ.

સુર્ય નમસ્કાર બાર આસનોનો એક સંપૂર્ણ સમૂહ છે. દરેક સુર્ય નમસ્કારના એક આવર્તનમાં કૂલ બે વખત આ *બાર આસનોના સમૂહનો* સમાવેશ થાય છે. બે વખત આ બાર આસનો કરો ત્યારે સુર્ય નમસ્કારનું એક આવર્તન પૂરું થયું ગણાય. પહેલી વખત બાર આસનો થયા બાદ બીજો ભાગ પૂર્ણ કરતા હો ત્યારે તમારે જમણાને બદલે ડાબી બાજૂનો પગ ખસેડવો, મુદ્રાઓ એ જ ક્રમમાં કરવી. તમને કદાચ સુર્ય નમસ્કાર કરવાની વિવિધ પધ્ધતિઓ બીજે કશેક મળી શકશે પણ એક ચોક્કસ રીત અને ક્રમને વળગી રહીને એનો નિયમિત અભ્યાસ કરવાથી તેનું *શ્રેષ્ઠ પરિણામ* મળે છે.

આવતા દસ દિવસ સુર્ય નમસ્કાર દ્વારા *આપણે સારું સ્વાસ્થ્ય તો મેળવીશું* જ, પરંતું તે ઉપરાંત સુર્યને નમસ્કાર કરીને આપણું આ પૃથ્વી ગ્રહ પર જીવન જીવવું શક્ય બનાવવા બદલ સૂર્ય માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ સૂર્ય ઉર્જા તરફ અનુગ્રહની લાગણી વ્યકત કરવાની સાથે તમારો દિવસ શરૂ કરવાની તમને તક સાંપડી છે.
*૧૨ આસનોનો એક સમૂહ- સુર્ય નમસ્કાર અને સાથે અન્ય યોગાસનો કર્યા બાદ જ્યારે યોગનીદ્રા કરીએ* છીએ ત્યારે ખૂબ ઊંડો આરામ મળે છે. તમને સુર્ય નમસ્કાર તમારી તંદુરસ્તી, ખુશાલી અને શાંતિ આપનારો મંત્ર હોવાનો અનુભવ થશે. એક એવો મંત્ર જેની અસર લાંબો સમય સુધી રહી શકે છે.

━──────⊱◈✿◈⊰───────━
*📲અમારા આરોગ્ય મંત્ર ગ્રુપમાં જોડાવા વિનંતી*
https://chat.whatsapp.com/BOESPx5WbYYAIt0N59DOfq

🪀 *આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં*

WhatsApp Group Invite

11/05/2023

*💧રોજ 3-4 લીટર પાણી પીઓ💧*

▪️વજન ઘટાડવા માંગતા હોવ તો રોજ દિવસમાં 10થી 12 ગ્લાસ પાણી (3-4 લીટર) પીવાનો નિયમ લો. આટલું પાણી પીવો તો શરીરનું મેટાબોલિઝમ સારું થાય છે અને ખાવાનું સારી રીતે પચે છે. આ ઉપરાંત આટલું પાણી પીવાથી વારંવાર ખાવાની આદત પણ જતી રહે છે કારણ કે પાણીના કારણે પેટ ભારે હોવાનો અહેસાસ થાય છે. એટલું ધ્યાન આપો કે ભોજન પહેલાં 1 કલાક અને કર્યા બાદ ઓછામાં ઓછા 1 કલાક પછી પાણી પીઓ.
━──────⊱◈✿◈⊰───────━
*💁🏻‍♀️આવી વધારે માહિતી માટે નીચેની લિંક પર ક્લિક કરો ⤵️*

https://chat.whatsapp.com/BOESPx5WbYYAIt0N59DOfq

*💥ખાવાની આ 7 વસ્તુઓને ફ્રિજમાં ન કરશો સ્ટોર, માત્ર સ્વાદ જ નહીં સ્વાસ્થ્ય પર પણ થઈ શકે છે અસર.* *શાકભાજી હોય કે દૂધ, ફળ ...
09/05/2023

*💥ખાવાની આ 7 વસ્તુઓને ફ્રિજમાં ન કરશો સ્ટોર, માત્ર સ્વાદ જ નહીં સ્વાસ્થ્ય પર પણ થઈ શકે છે અસર.*

*શાકભાજી હોય કે દૂધ, ફળ હોય કે લોટ અને બ્રેડ, મોટાભાગની વસ્તુઓ સ્ટોર કરવા માટે ફ્રીજની મદદ લેવામાં આવે છે. પરંતુ કેટલીક વસ્તુઓ છે જેને તમારે ફ્રીજમાં રાખતા પહેલા વિચારવાની અને સમજવાની જરૂર છે. સ્વાસ્થ્ય પર તેની સારી અસર થતી નથી. તો ચાલો જાણીએ તે વસ્તુઓ વિશે જેને તમારે ફ્રીજમાં રાખવાનું ટાળવું જોઈએ.*

▪️ કેળાઃ મોટાભાગના લોકો કેળાને સ્ટોર કરવા માટે ફ્રીજનો સહારો લેતા હોય છે. પરંતુ તેને ફ્રિજમાં રાખવાથી કેળા ઝડપથી કાળા થઈ જાય છે જેના કારણે તે ખરાબ દેખાય છે. આટલું જ નહીં, કેળાને ફ્રિજમાં રાખવાથી ઇથિલિન ગેસ નીકળે છે, જે ફ્રીજમાં રાખવામાં આવેલી અન્ય વસ્તુઓ માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે.

▪️તરબૂચ:તરબૂચને ફ્રિજમાં રાખવાનું ટાળો, ખાસ કરીને કાપ્યા પછી. આમ કરવાથી આ ફળોમાં રહેલા એન્ટી-ઓક્સીડેન્ટ નાશ પામે છે, સાથે જ તેનો સ્વાદ પણ બદલાવા લાગે છે.

▪️ મધ: મધને ફ્રીજમાં રાખવાનું પણ ટાળવું જોઈએ. વાસ્તવમાં મધને ફ્રીજમાં રાખવાથી તેનો રંગ અને દેખાવ બદલાઈ જાય છે. આમ કરવાથી મધમાં ક્રિસ્ટલ બનવા લાગે છે, જે સ્વાસ્થ્ય માટે કોઈ પણ રીતે ફાયદાકારક નથી.

▪️ નારંગી-લીંબુ: નારંગી અને લીંબુ જેવા સાઇટ્રિક પ્રકૃતિવાળા ફળોને પણ ફ્રિજમાં સંગ્રહિત ન કરવા જોઈએ. આ વસ્તુઓ એસિડિક પ્રકૃતિની છે અને તેને ફ્રીજમાં રાખવાથી, ઠંડુ તાપમાન તેને ઝડપથી બગાડી શકે છે.

▪️બ્રેડ: બજારમાંથી બ્રેડ લાવવાની સાથે જ લોકો તેને પહેલા ફ્રીજમાં સ્ટોર કરે છે. બ્રેડને ફ્રીજમાં રાખતી વખતે ટાળવી જોઈએ કારણ કે બ્રેડને ફ્રીજમાં રાખવાથી તે ઝડપથી સુકાઈ જાય છે. જેના કારણે તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે.

▪️ ટામેટાં: તમારે ટામેટાંને ફ્રીજમાં રાખવાનું પણ ટાળવું જોઈએ. તેને ફ્રિજમાં રાખવાથી ટામેટાંની ઉપરની ચામડી સડવા લાગે છે, તેની સાથે તે ઝડપથી સડવા લાગે છે. જેનો ખોરાકમાં સમાવેશ કરવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

▪️ બટાકા: ઘણા લોકો બટાકાની મોટી માત્રામાં લે છે અને તેને ફ્રીજમાં સ્ટોર કરે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે બટાકાને ફ્રીજમાં રાખવાથી તેમાં હાજર સ્ટાર્ચ સડી જાય છે. જેના કારણે તેનો સ્વાદ ખૂબ જ ખરાબ થઈ શકે છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📲અમારા આરોગ્ય મંત્ર ગ્રુપમાં જોડાવા વિનંતી*

WhatsApp Group Invite

Address

Bhuj
370001

Opening Hours

Monday 8am - 9pm
Tuesday 8am - 9pm
Wednesday 8am - 9pm
Thursday 8am - 9pm
Friday 8am - 9pm
Saturday 8am - 9pm
Sunday 8am - 9pm

Website

Alerts

Be the first to know and let us send you an email when આરોગ્ય મંત્ર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram