राजवैद्य प्रभाशंकर नानभट्ट आयुर्वेद औषधि केंद्र-गढ्डा

  • Home
  • India
  • Gadhada
  • राजवैद्य प्रभाशंकर नानभट्ट आयुर्वेद औषधि केंद्र-गढ्डा

राजवैद्य प्रभाशंकर नानभट्ट आयुर्वेद औषधि केंद्र-गढ्डा VAIDYARAJ PRABHASHANKAR NANBHATT'S ACTICULE LAB PVT.LTD
(2)

ગોધરા ખાતે લોકસભા ક્લસ્ટર બેઠક બાદ લોકસભા પ્રભારીશ્રી અને ભરૂચના ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી અને મધ્ય ઝોન પ્રભારી તેમજ...
31/01/2024

ગોધરા ખાતે લોકસભા ક્લસ્ટર બેઠક બાદ લોકસભા પ્રભારીશ્રી અને ભરૂચના ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી અને મધ્ય ઝોન પ્રભારી તેમજ પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષશ્રી અને પૂર્વ ગૃહમંત્રીશ્રી ગોરધનભાઈ ઝડફીયાજી સાથે બેઠક કરી અને માર્ગદર્શન મેળવ્યું..


C R Paatil Ratnakar
Dr Prashant Korat Dr. Naresh Desai

18 પંચમહાલ લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું ગોધરા ખાતે ઉદ્ઘાટન થયું.જેમાં લોકસભા પ્રભારી અને ભરૂચના ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ...
24/01/2024

18 પંચમહાલ લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું ગોધરા ખાતે ઉદ્ઘાટન થયું.જેમાં લોકસભા પ્રભારી અને ભરૂચના ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી, ગુજરાત સરકારના કૃષિ અને પંચાયત મંત્રીશ્રી બચુભાઇ ખાબડ,પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા અધ્યક્ષશ્રી ગૌતમભાઈ ગેડીયા,પંચમહાલ જીલ્લા ભાજપ પ્રભારીશ્રી ભરતભાઈ ડાંગર,સાંસદશ્રી,મહિસાગર અને પંચમહાલ જીલ્લા પ્રમુખશ્રી,મહામંત્રીશ્રી તમામ ધારાસભ્યશ્રી અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.


Narendra Modi
C R Paatil
Ratnakar
BJP Gujarat
Dr Prashant Korat
Dr. Naresh Desai

ગુજરાત રાજ્યના યુવાન, કર્મઠ અને ઉર્જાવાન ગૃહ રાજ્યમંત્રી તેમજ મજુરાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી હષૅ સંઘવીજી ને જન્મદિવસ ની ...
08/01/2024

ગુજરાત રાજ્યના યુવાન, કર્મઠ અને ઉર્જાવાન ગૃહ રાજ્યમંત્રી તેમજ મજુરાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી હષૅ સંઘવીજી ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ...


ચાલો પંચમહાલ....
25/12/2023

ચાલો પંચમહાલ....

26/07/2022
27/08/2021
મઘા નક્ષત્રનું મહત્વ:આજથી મઘા નક્ષત્રનો પ્રારંભ, આ સમયગાળા દરમિયાન વરસેલું વરસાદી પાણી ગણાય છે વરદાન સમાન. મઘા નક્ષત્ર 3...
19/08/2021

મઘા નક્ષત્રનું મહત્વ:
આજથી મઘા નક્ષત્રનો પ્રારંભ, આ સમયગાળા દરમિયાન વરસેલું વરસાદી પાણી ગણાય છે વરદાન સમાન.
મઘા નક્ષત્ર 30 ઓગસ્ટ સુધી ચાલશે
શાસ્ત્ર અને આયુર્વેદમાં મઘા નક્ષત્રનું વિશેષ મહત્વ રહેલું છે

વર્ષા ઋતુમાં સૂર્ય નું મઘા નક્ષત્રનું ભ્રમણ ખુબજ મહત્વ નું છે. મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે “મઘા કે બરસે, માતુ કે પરસે” એટલેકે માઁ જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય એમ મઘા નક્ષત્રના વરસાદ થી ધરતી માતા ની પાણીની તરસ બુઝી જાય છે જેનાથી પાક પણ ખુબજ સારો થાય છે. વરસાદનું મઘા નક્ષત્ર નું પાણી ગંગાજળ સમાન છે, જેનો ઉપયોગ રોજીંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ ઉપયોગ થાય છે. કેહવાય છે કે મઘા ના મોઘા વરસાદ, માટે જો મઘા નક્ષત્ર માં વરસાદ પડે તો તે સોના ના તોલે ગણવામાં આવે છે.

આ પાણીને વાસણમાં ભરી રાખો તોપણ એમાં પોરા (કીડા) પડતા નથી. આ મઘા નક્ષત્ર નું સંગ્રહ કરેલું વરસાદનું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં જો કીડા હોય તો તે મરી જાય છે. પેહલા કહ્યું તેમ મઘાનું પાણી ગંગાજળના સમાન છે તેને આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ તે એવું ને એવું જ રહે છે અને કોઇપણ રીતે તે બગડતું નથી.

નિર્ણય સિંધુ પંચાગમાં જણાવ્ય અનુસાર ખંભાત માં દરેક ઘરોમાં વરસાદી પાણી ના સંગ્રહ માટે મોટા ટાંકાઓ હતા, અને હાલમાં પણ અમુક ઘરો માં આ ટાંકાઓ જોવા મળે છે જેમાં ખંભાતવાસી વરસાદી પાણી નો સંગ્રહ કરતા અને આખું વર્ષ તેનો ઉપયોગ કરતા આવ્યા છે.

એક પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને મઘા ના વરસાદનું જ પાણી પીવે છે. બીજું કે નાના મોટા ઘણા લેખ જોવા મળે છે અને તેમાં ચંદ્ર ના નક્ષત્ર ને આધીન એક દિવસ નું મઘા નું પાણી સંગ્રહ કરવાનું જણાવવામાં આવે છે, પરંતુ હકીકતે ચંદ્ર નક્ષત્ર નહિ પણ સૂર્ય જયારે મઘા નક્ષત્ર માં ભ્રમણ કરે ત્યારે જે વરસાદ વરસે તે પાણી નું મહત્વ છે.

સૂર્ય એક નક્ષત્ર માં લગભગ 14 દિવસ ભ્રમણ કરે છે. જન્મભૂમી પંચાંગ અનુસાર આ વર્ષે મઘા નક્ષત્ર માં સૂર્ય નું ભ્રમણ 17/08/2021 એ બપોરે 1:18 થી 30/08/2021 એ રાત્રી ના 9:18 સુધી મઘા નક્ષત્ર માં રેહશે. તો આ 14 દિવસ ના સમય માં જેટલો પણ વરસાદ વરસે અને આપ જેટલું પણ વરસાદી પાણી નો સંગ્રહ કરી શકતા હોવ તેટલો કરી લેજો. આ 14 દિવસ દરમિયાન અગાસી માં કે ખુલ્લા મેદાન માં તાંબા, પિત્તળ, કાંસા અથવા તો સ્ટીલ ના બેડલા-માટલા એવી રીતે મુકો કે આ મઘા નો મોઘો વરસાદ સીધો જ આપના મુકેલ જે-તે પાત્રો માં સીધો જ ભરાઈ જાય.

હવે આ પાણી નો ઉપયોગ શું શું કરી શકાય ?આંખોને લગતાં કોઈ પણ રોગ માં આ મઘા નક્ષત્રના પાણી ના બે બે ટીપા નાખી શકાય, પેટના કોઈ પણ દર્દ માં આ મઘાનું પાણી પીવું ઉત્તમ છે. જો આપ કોઈ આયુર્વેદિક દવા લેતા હોવ તો તે આ મઘાના પાણી સાથે લેવાથી તેનો લાભ અતિ વધી જવા પામે છે. આ પાણી થી આપના ગૃહ ની રસોઈને રાંધવું પણ ઉત્તમ છે.

આધ્યાત્મિક બાબતે મઘા નક્ષત્ર ના પાણીનો ઉપયોગ શું ?પાણી થી વર્ષ ભર સુધી ગંગા જળ ની માફક તેનો ઉપયોગ કરી શકાય છે, મઘાના પાણી થી મહાદેવ ઉપર અભિષેક ઉત્તમ કેહવાય છે, જે ગંગાજળ અર્પણ નું ફળ આપે છે, શ્રી સુકતમ ની 16 રુચા દ્વારા આ પાણી નો અભિષેક શ્રીયંત્ર ઉપર કરવામાં આવે તો ધન લક્ષ્મી આકર્ષાઈ ચીર સ્થાઈ થાય છે. આપના ગૃહમાં સ્થાપિત કોઈ પણ દેવ દેવી ની પૂજા અભિષેક માં આ પાણી નો ઉપયોગ કરી શકાય છે. માટે 17/08/2021 થી 30/08/2021 સુધી મઘા નક્ષત્ર ના આ 14 દિવસ ના સમય માં જેટલો પણ વરસાદ વરસે અને લોકો એ જેટલું પણ વરસાદી પાણી નો સંગ્રહ કરી શકતા હોય એટલું આ પાણી નો સંગ્રહ કરી બારમાસ માટે ઉપયોગમાં લઈ શકાય છે.

કંટોલા-કંકોડા (Momordica dioica).સામાન્ય રીતે વર્ષાઋતુમાં જોવા મળતું આ શાક કંટોલા ચમત્કારિક ઔષધીય ગુણધર્મ ધરાવે છે.હાલના...
18/07/2021

કંટોલા-કંકોડા (Momordica dioica).
સામાન્ય રીતે વર્ષાઋતુમાં જોવા મળતું આ શાક કંટોલા ચમત્કારિક ઔષધીય ગુણધર્મ ધરાવે છે.હાલના સમય ને અનુરૂપ બીજી મહત્વની વાત એ છે કે તેની વેલ દેશી અને સંપૂર્ણ ઓર્ગેનિક છે..તેને ઉગાડવામાં રાસાયણિક ઝેરી ખાતર કે દવાઓ છાંટવાની જરૂર રહેતી નથી..તેનો વેલો વાડી ખેતર ના શેઢે,રોડ ની આજુબાજુ ની ઝાડીમાં અને ઘણીજગ્યાએ આપમેળે ઉગી નીકળે છે.અને બજારમાં મળતા કંકોડા પણ સંપૂર્ણ ઓર્ગેનિક જ હોય છે અને બધી જગ્યાએ સરળતાથી મળી રહે છે.
ઔષધીય ગુણધર્મ-
-શરીરમાં લોહી ની ઉણપ દૂર કરે.
-ત્વચાના રોગમાં અસરકારક.
-પાચન સબંધિત બીમારીઓ માં અકસીર.
-બ્લડ પ્રેશર,હાઈ કોલેસ્ટ્રોલ જેવી બીમારી દૂર કરે.
-તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન A મળી આવે છે ,જે આંખો માટે ખૂબ સારું માનવામાં આવે છે.
-તેમજ લ્યુટેન, કેરોટોનોડઇસ જેવા તત્વ મળી આવે છે .જે કેન્સર સામે રક્ષણ કરે છે.
-માંસ કરતા 50 ગણું પ્રોટીન હોય છે જે શરીર ને શક્તિ પ્રદાન કરે છે.જેથી માંસાહાર પ્રેમીઓ આ પોસ્ટને અવગણી શકે.
અહીં આપવમાં આવેલ તમામ માહિતી રાજવૈદ્ય પ્રભાશંકર નાનભટ્ટ ગઢડાવાળા ઔષધી કેન્દ્ર-ગઢડા(સ્વામીના) દ્વારા આપવામાં આવી છે.જે ફેસબુક પેજ-वैद्यराज प्रभाशंकर नानभट्ट गढडावाला પર જોવા મળશે.
કંકોડાને સંસ્કૃતમાં कर्कोटकी-कर्कोटी,
અંગ્રેજીમાં spiny gourd,
હિન્દીમાં ककोड़ा અથવા परोड़ा,
યુ.પી અને બિહારમાં चटैल,
રાજસ્થાનમાં बन करेला,
તામિલમાં மெழுகுபாகல் mezhuku-pakal,
ઓરિયામાં Kankada(କାଙ୍କଡ଼),
આસામમાં bhat-kerela (ভাত কেৰেলা),
બંગાળીમાં-kakrol કહે છે.
જય ધનવંતરી..🙏

Pariksh*t bhatt.

ગુરુ પાસેથી જેણે સમ્પૂર્ણ વૈદ વિદ્યા અર્થાત અષ્ટાંગ આયુર્વેદ શાસ્ત્રને વાંચ્યું હોય અને જે પીયૂષપાણી(અર્થાત જે રોગીની ચિ...
14/07/2021

ગુરુ પાસેથી જેણે સમ્પૂર્ણ વૈદ વિદ્યા અર્થાત અષ્ટાંગ આયુર્વેદ શાસ્ત્રને વાંચ્યું હોય અને જે પીયૂષપાણી(અર્થાત જે રોગીની ચિકિત્સા કરે એને નિરોગી કરવા વાળા),ચિકિત્સા કર્મ માં પ્રવીણ છે,એવં જે વૈદ્યમાં દરિદ્ર(ગરીબો) પાસેથી ધન પ્રાપ્તિની અભિલાષા ન હોય તથા જે સ્વયં ધૈર્યવાન અને રોગીને પણ ધૈર્ય આપવા વાળા,દયાળુ અને પવિત્ર અંતઃકરણ વાળા છે એ જ વૈદ્ય અધિકારી છે.(વૈદ્ય જીવનમ-પુસ્તકમાંથી).

13/07/2021

ब्रह्मचर्य का महिमा गान

भगवान बुद्ध - ‘‘भोग और रोग साथी है और ब्रह्मचर्य आरोग्य का मूल है।’’

गुरुगोविन्द सिंह - ‘‘इंद्रिय संयम करो, ब्रह्मचर्य पालो, इससे तुम बलवान और वीर्यवान बनोगे।’’

आयुर्वेदाचार्य वाग्भट्ट - ‘‘संसार में जितना सुख है वह आयु के अधीन है और आयु ब्रह्मचर्य के अधीन है।’’

छांदोग्योपनिषद् - ‘‘एक तरफ चारों वेदों का उपदेश और दूसरी तरफ ब्रह्मचर्य, यदि दोनों की तौला जाए तो ब्रह्मचर्य का पलड़ा वेदों के उपदेश से पलड़े के बराबर रहता है।’’

भीष्मपितामह - ‘‘तीनों लोक के साम्राज्य का त्याग करना, स्वर्ग का अधिकार छोड़ देना, इससे भी कोई उत्तम वस्तु हो, उसको भी छोड़ देना परन्तु ब्रह्मचर्य को भंग न करना।’’

स्वामी रामतीर्थ - ‘‘जैसे दीपक का तेल-बत्ती के द्वारा ऊपर चढक़र प्रकाश के रूप में परिणित होता है, वैसे ही ब्रह्मचारी के अन्दर का वीर्य सुषुम्रा नाड़ी द्वारा प्राण बनकर ऊपर चढ़ता हुआ ज्ञान-दीप्ति में परिणित हो जाता है।’’

जीव शास्त्री डॉ० क्राउन एम.डी . - ‘‘ब्रह्मचारी यह नहीं जानता कि व्याधिग्रस्त दिन कैसा होता है। उसकी पाचन शक्ति सदा नियमित रहती है। उसकी वृद्धावस्था में बाल्यावस्था जैसा ही आनन्द रहता है।’’

प्रो० रौवसन - ‘‘ब्रह्मचारी की बुद्धि कुशाग्र और विशद होती है, उसकी वाणी मोहक होती है, उसकी स्मरण शक्ति तीव्र होती है, उसका स्वभाव आनन्दी और उत्साही होता है।’’

स्वामी विद्यानन्द - ‘‘ब्रह्मचर्य से परोपकार की वृत्ति जागृत होती है और परोपकार की वृत्ति के बिना किसी को मोक्ष मिलना सम्भव नहीं है।’’

आचार्य विनोबा भावे - ‘‘मैं नहीं कहता कि ब्रह्मचर्य आसान चीज है। हाँ विशाल कल्पना मन में रखोगे तो आसान हो जाएगा। ऊँचा आदर्श सामने रखना और उसके लिए संयमी जीवन का आचरण करना, इसको मैं ब्रह्मचर्य कहता हूँ।’’

महात्मा गाँधी - ‘‘अनेक लोग कहते हैं और मैं मानता हूँ कि मुझमें बड़ा उत्साह है। मैं अपनी यह हालत लगभग 20 वर्ष तक विषय भोग में लिप्त रहने के बाद प्रारम्भ किए गए ब्रह्मचर्य से हासिल कर सका हूँ। यदि इन 20 वर्षों को भी बचा सका होता तो आज मेरे उत्साह का पार ही न रहता।’’

आज के समय में चारित्रिक दुर्गति के विभिन्न कारण :-

1. टी.वी. व सिनेमा की सत्यानाशी हवा।

2. अश्लील साहित्य और चित्र।

3. वर्तमान शिक्षा पद्धति व शिक्षण संस्थानों का वातावरण।

4. कुसंगति।

5. मोबाईल कम्पनियों द्वारा ......।

6. परिवार में पारिवारिक व आत्मीय वातावरण का अभाव।

7. इन्टरनेट का दुरुपयोग।

વરસાદનું જળ સીધુ પાત્રમાં ભરવામાં આવે તે દિવ્ય જળ બધા જ દોષો ને દૂર કરે છે,પહાડમાંથી ઝરતું પાણી ભારે છે,તે કફ અને વાયુ ન...
12/07/2021

વરસાદનું જળ સીધુ પાત્રમાં ભરવામાં આવે તે દિવ્ય જળ બધા જ દોષો ને દૂર કરે છે,પહાડમાંથી ઝરતું પાણી ભારે છે,તે કફ અને વાયુ ને દૂર કરે છે.

મોંઘવારી,ઝેરી જંતુનાશક દવાઓ ના છંટકાવ વાળા અને સ્વાદ વિહીન હાઈબ્રીડ શાકભાજી ખાવાને બદલે તમારી અગાસીમાં જ દેશી બિયારણ લાવ...
11/07/2021

મોંઘવારી,ઝેરી જંતુનાશક દવાઓ ના છંટકાવ વાળા અને સ્વાદ વિહીન હાઈબ્રીડ શાકભાજી ખાવાને બદલે તમારી અગાસીમાં જ દેશી બિયારણ લાવીને દેશી ખાતર નાખીને શાકભાજી ઉગાડો..માત્ર થોડા કલાકોની તમારી મહેનતથી મહિનાઓ સુધી લિલ્લુછમ શાકભાજી ઘરેબેઠા મળશે... સુરતમાં ઘણા મિત્રો પોતાની અગાસી પર માત્ર થોડી જગ્યામાં શાકભાજી વાવી ને રોજે રોજ નું તાજું શાક ઘરે બેઠા મેળવી તેના અસલી સ્વાદની લહેજત માણી રહ્યા છે.આપ સૌ જાણો છો કે શાકભાજીની ખેતીમાં વધારે પ્રમાણમાં પાક મેળવવા માટે જંતુનાશક દવાઓ છાંટવામાં આવે છે.વાવણી પહેલા જમીન માં ઝેરી દવાઓ છાંટવામાં આવે છે.. ત્યાર બાદ છોડ ની આજુબાજુ વધારાનું ઘાસ(નિંદામણ)દૂર કરવા ઝેરી દવા છાંટવામાં આવે છે.. આટલું બધું ઝેર રોજ પેટમાં જશે તો આવનારા વર્ષોમાં આની ભયાનક અસરો હશે.. માટે આયુર્વેદ સાથે સાથે ઓર્ગેનિક શાકભાજી પણ અપનાવો... એક વાર મહેનત કરો.. આ દેશી બિયારણના દેશી ખાતર નાખેલા છોડના શાકભાજીમાં રિયલ ટેસ્ટ તો હશે જ પણ તેના ગુણ પણ અનેક છે..

गिलोय घनवटी निर्माण विधि @ गढडा स्वामीना
23/05/2021

गिलोय घनवटी निर्माण विधि @ गढडा स्वामीना

Address

Ugamedi Road
Gadhada
364750

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+918849348059

Website

Alerts

Be the first to know and let us send you an email when राजवैद्य प्रभाशंकर नानभट्ट आयुर्वेद औषधि केंद्र-गढ्डा posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to राजवैद्य प्रभाशंकर नानभट्ट आयुर्वेद औषधि केंद्र-गढ्डा:

Videos

Share

Nearby clinics