dhyey ayurveda

dhyey ayurveda Ayurvedachary

Available online consultation DM FOR CONSULTATION Vd Sanket JosHi
07/03/2025

Available online consultation
DM FOR CONSULTATION

Vd Sanket JosHi





किडनी स्टोन की समस्या? 🤔अब तीव्र माइग्रेन दर्द और तनाव को अलविदा कहें। आयुर्वेदिक उपचार की मदद से अपने मन को शांति और आर...
20/09/2024

किडनी स्टोन की समस्या? 🤔
अब तीव्र माइग्रेन दर्द और तनाव को अलविदा कहें। आयुर्वेदिक उपचार की मदद से अपने मन को शांति और आराम पाएं आयुर्वेदिक उपाय से 🌿

बार-बार होने वाली गैस, अपच और एसिडिटी के आयुर्वेदिक उपचार से पूरी राहत मिल सकती है। पेट के स्वास्थ्य को मजबूत करें!🧬🌿

ज्यादा माहिती के लिए कॉल या मेसेज करे 📲 79908 36198

#पंचकर्म

છેલ્લા કેટલાક સમય થી ઉપવાસ એક દેખા દેખી નો વિષય બની ગયો છે  જેમાં ઉપવાસ દરિમાન અન્ય દિવસો માં ગ્રહણ કરવામાં આવતા ભોજન કર...
06/09/2024

છેલ્લા કેટલાક સમય થી ઉપવાસ એક દેખા દેખી નો વિષય બની ગયો છે જેમાં ઉપવાસ દરિમાન અન્ય દિવસો માં ગ્રહણ કરવામાં આવતા ભોજન કરતા ઉપવાસ ના દિવસે ફરાળ ના નામે વધુ ભોજન ગ્રહણ કરવામાં આવે છે તથા આજ ના અત્યાધુનિક સમય બજાર માંથી વેંચતા તૈયાર પડીકા નો ઉપયોગ થાય છે ત્યારે આજે આપણે આપણા હિન્દૂ શાસ્ત્ર તથા આયુર્વેદિક શાસ્ત્ર મુજબ ઉપવાસ નું મહત્વ જાણીયે તેની મર્યાદા નું પાલન કરી શકાય

ઉપવાસ (હિંદુ ધર્મમાં)

ઉપવાસ (उप + वस्) એટલે સમીપે રહેવું. ઇન્દ્રિય નિગ્રહપૂર્વક મનને ઇષ્ટદેવમાં પરોવવું એ તેનો ફલિતાર્થ છે. વૈદિક તેમજ સ્માર્ત કર્મકાંડમાં મુખ્ય કર્મવિધિ જે દિવસે કરવાનો હોય તેના આગલા દિવસે યજમાને તે કર્મમાં ઉપયુક્ત સાધનસંભાર અગ્નિશાળામાં એકઠાં કરી, દીક્ષા ગ્રહણ કરી, અનૃત વ્યવહાર તજી, સત્યાચરણપૂર્વક રાત્રે અગ્નિશાળામાં વસવાનું હોય છે. તે કર્મમાં નિમંત્રિત દેવો પણ તે રાત્રે અતિથિ થઈ અગ્નિશાળામાં આવી વસે છે. યજમાને આમ અગ્નિ અને દેવોની સંનિધિમાં વસવાનું બને છે. તેથી ઉપવાસનો લાક્ષણિક અર્થ, ‘વ્રતોપવાસપૂર્વક દેવ સમીપે વસવું’ એવો થાય છે.

ઉપવાસ એ શ્રૌતગૃહ્યાદિ કર્મોમાં આવશ્યક શુદ્ધિનું સાધન છે. તેથી કર્મકાંડમાં ઉપવાસનું વિધાન છે. ધર્મશાસ્ત્રો અને પુરાણોમાં ઉપવાસનો ઘણો મહિમા વર્ણવાયો છે. સ્વતંત્ર વ્રત રૂપે તેનું નિરૂપણ કરાયું છે તથા પ્રસંગ અને પ્રકારભેદે તેનું સૂક્ષ્મ નિરૂપણ થયેલું છે. દેવતા પ્રત્યેની ભક્તિના નિમિત્તે, શુદ્ધ નિમિત્તે, કોઈ કર્મવિધિ કે વ્રતના અંગ રૂપે, વિશિષ્ટ પ્રસંગ નિમિત્તે કે પ્રાયશ્ચિત્ત નિમિત્તે ઉપવાસ થાય છે. નિમિત્ત અનુસાર અને આહાર, અનાહાર તેમજ સમયમર્યાદા અનુસાર તેના અનેક ભેદો છે. શિવરાત્રી, કૃષ્ણજન્માષ્ટમી, રામનવમી આદિના ઉપવાસ તે તે દેવ પ્રત્યેની ભક્તિશ્રદ્ધાના દ્યોતક છે. એકાદશી હરિવાસર (હરિનો દિવસ) કહેવાય છે તે પણ વિષ્ણુભક્તિનો દ્યોતક છે. જુદા જુદા માસોની અનેક તિથિઓ તે તે દેવની જયન્તી તરીકે ઊજવાય છે. એ નિમિત્તનો ઉપવાસ પણ ભક્તિદ્યોતક ઉપવાસ છે. શ્રૌતગૃહ્ય કર્મોમાં દીક્ષા નિમિત્તે અને શુદ્ધિ અર્થે ઉપવાસ થાય છે. મન-કર્મ-વચનની શુદ્ધિ અર્થે પણ ઉપવાસ થાય છે. કોઈ અપવિત્ર કે અમેધ્ય પદાર્થના સંસર્ગને લીધે આવેલી અશુદ્ધિ દૂર કરવા સારુ ઉપવાસ થાય છે. ગ્રહણના અશૌચ વગેરે પ્રસંગે ઉપવાસ થાય છે. ધર્મવિધિમાં થયેલી ક્ષતિ કે પાપાચરણના પ્રાયશ્ચિત્ત રૂપે પણ ઉપવાસ થાય છે.

એક ઉપવાસમાં આગલા દિવસનું સાયં ભોજન, મુખ્ય દિવસનાં બંનેય ભોજન અને પછીના દિવસનું પ્રથમ ભોજન એમ ચાર ભોજન તજવાં એમ વિહિત છે. કૃચ્છ્ આદિવ્રતોમાં એક પક્ષ જેટલા સમયના ઉપવાસ થાય છે. ચાંદ્રાયણ વ્રતમાં શુક્લ-કૃષ્ણ પક્ષ અનુસાર ચંદ્રકલાની વધઘટ પ્રમાણે તેટલા ગ્રાસ લઈ પરિમિત ભોજન કરાય છે. કેટલાક ઉપવાસોમાં નિરાહાર રહેવાનું હોય છે.

બધા ઉપવાસ પૂર્ણ નિરાહારરૂપ હોતા નથી. નિરાહાર ઉપવાસમાં પણ નિયત હવિષ્યાન્ન, દૂધ કે ફળનો પરિમિત આહાર કરી શકાય છે. પ્રાયશ્ચિત્ત નિમિત્તના ઉપવાસમાં અનાહાર કે અતિ પરિમિત આહાર કરવાનો હોઈ આવા ઉપવાસ કષ્ટસાધ્ય હોય છે. કોઈ વ્યાવહારિક હેતુની સિદ્ધિ માટે કે કોઈ કારણે હઠપૂર્વક આમરણ અનશન થાય છે, એને પ્રાયોપવેશન કહે છે પણ તે ઉપવાસ નથી.

કોઈ પણ અનશનમાં મન, કર્મ, વચનની ત્રિવિધ શુદ્ધિ અને મન દ્વારા દેવતાનું સાન્નિધ્ય હોય ત્યારે જ તે નિમિત્તનો અનાહાર ઉપવાસ કહેવાય. અન્નાભાવે થતો અનાહાર કે સ્વાસ્થ્યસાધનાર્થે થતો મિતાહાર કે અનાહાર પણ પ્રસ્તુત અર્થમાં ઉપવાસ નથી.

ઉપવાસ (આયુર્વેદની ર્દષ્ટિએ) :

આયુર્વેદિક પરિભાષામાં ઉપવાસને ‘લંઘન’ (fasting) કહે છે. આયુર્વેદને મતે રોગો બે પ્રકારે થાય છે : (1) સંતર્પણજન્ય અને (2) અપતર્પણજન્ય. શરીરમાં વાયુ, પિત્ત, કફરૂપી દોષો વિકૃત રીતે વધે, દેહ વધુ તૃપ્તિ અને પુષ્ટિ અનુભવે તે અવસ્થાજન્ય તે ‘સંતર્પણજન્ય’. આ પ્રકારમાં પ્રાય: શરીરમાં આહારનો અપરિપક્વ રસ ‘આમ’ સંજ્ઞા પામીને શરીરમાં અનેક રોગોમાં નિમિત્ત બને છે. તેથી સંતર્પણજન્ય દોષોથી આમદોષ પેદા થાય છે, જે શરીરના રક્તને દૂષિત કરી, ધીમા ઝેરરૂપ બનીને રોગ પેદા કરે છે. આવા રોગો ‘સામ’ (આમદોષયુક્ત) કહેવાય છે. સંતર્પણજન્ય – આમદોષજ દર્દોમાં શરીરની વિકારરૂપ વધેલી ધાતુઓનું પ્રમાણ ઘટાડનારી, આમદોષને પકવનારી અને દેહનો કચરો સાફ કરનારી ‘સંશોધન-ચિકિત્સા’ કરવાનો સિદ્ધાંત છે.

આ સિદ્ધાંતમાં વમન, વિરેચન, સ્વેદનાદિ 10 પ્રકારોમાં ‘લંઘન’ પણ એક દેહશુદ્ધિકર્તા ચિકિત્સા પ્રકાર છે.

આયુર્વેદોક્ત ‘ઉપવાસ’ના બે પ્રકારો છે : (1) પૂર્ણ લંઘન (2) લઘુ લંઘન. ‘લંઘન’ શબ્દનો અર્થ છે – શરીરમાં લઘુતા (હળવાશ) પેદા કરવી તે. પૂર્ણ ઉપવાસમાં દર્દીએ ખૂબ ઉકાળીને ગરમ કરેલા પાકા પાણી ઉપર જ રહેવાનું હોય છે. એમાં કોઈ પણ પ્રકારનાં ફળ, પેય કે ખાદ્ય પદાર્થો લેવાતા નથી. આવા ઉપવાસ વધુ જટિલ, ગંભીર કે અસાધ્ય દર્દોમાં કરાય છે. આવા ઉપવાસથી દેહશુદ્ધિ થાય છે અને શરીર નિરામય બને છે. લઘુ લંઘનમાં પૂર્ણ ઉપવાસ ન કરતાં તેમાં દાળ, ભાત, ખીચડી જેવો સાવ હળવો, સુપાચ્ય ખોરાક થોડા પ્રમાણમાં લઈ, સામાન્ય દોષવૃદ્ધિને કાબૂમાં લેવાય છે. વિકૃત દોષો શુદ્ધ થાય અને દેહ આમદોષરહિત નીરોગી બને ત્યાં સુધી જ ઉપવાસ કરવાની મર્યાદા છે.

લંઘન-ઉપવાસથી મટતાં દર્દો આ મુજબ છે : કફદોષજન્ય દર્દો શરદી, ઉધરસ, ખાંસી, શ્વાસ, દમ, મેદસ્વિતા, અજીર્ણ, સોજા, આમવાત, ઊલટી, સંધિવા, બહુમૂત્ર વગેરે તથા પિત્તદોષજન્ય ભારે તાવ, રક્તવિકાર, ત્વચાવિકાર, કૉલેરા, હોજરીનાં ચાંદાં, ઝાડા-મરડો વગેરે અને વાયુપ્રકોપજન્ય આફરો, ઝાડો-પેશાબ બંધ થવો, અંગઘાત, મંદાગ્નિ વગેરે.

ઉપવાસની પ્રક્રિયાથી દેહમાં કુદરતી રીતે ઉષ્મા વધે છે, જેથી દેહના કાચા દોષો (કફ-પિત્તાદિ) પાકી જાય છે અને તેથી વ્યક્તિ સ્વસ્થ બને છે.

ભારતમાં આયુર્વેદવિજ્ઞાને શરીરને અને હિંદુ ધર્મે તન-મનને શુદ્ધ કરવા માટે અને જીવન સાત્વિક બનાવવા માટે ‘ઉપવાસ’ને હજારો વર્ષ પૂર્વેથી મહત્વ આપેલ છે. ભારતમાં તેનો પ્રચાર 5,000 વર્ષથી છે.

આધુનિક કાળમાં છેલ્લા 200-250 વર્ષોમાં યુરોપ-અમેરિકા જેવા દેશોમાં પણ ઉપવાસ ઉપર ઘણાં લોકોએ અનેક પ્રયોગો કર્યા છે, જેમાં અમેરિકન ડૉ. બર્નાર મેકફેડનના પ્રયોગો ખૂબ જાણીતા બનેલા છે. તેની અસર મહાત્મા ગાંધીજી પર પણ પડેલી અને તેમણે પણ જીવનમાં માંદગી માટે તથા રાજકારણમાં પોતાની વાત રજૂ કરવા ઉપવાસ કરેલા. એ પછી અનેક નિસર્ગોપચારકોએ પણ ઉપવાસને ખાસ મહત્વ આપેલું છે. આજે નિસર્ગોપચાર(નૅચરોપૅથી)માં ઉપવાસ એ સારવારનું એક મહત્વનું અંગ છે. ડૉ. બર્નાર મૅકફેડનના મત અનુસાર, જેઓ સ્વસ્થ હોય પણ થોડા થોડા સમયાંતરે કંઈ ને કંઈ પેટમાં પધરાવતા હોય, તેઓ જ જલદી બીમાર પડે છે અને એ સ્થિતિમાં તેમને સ્વસ્થ થવા માટેનો ઉત્તમ ઉપાય ઉપવાસ જ હોય છે.

શાણી વ્યક્તિ હિંદુઓની જેમ અઠવાડિયે-પખવાડિયે કે મહિને (ભલે ધાર્મિક ર્દષ્ટિએ) પણ એકાદ ઉપવાસ કે એકટાણું કરે તો તે માંદગીમાંથી જરૂર બચી શકે. શરીરસ્વાસ્થ્ય અને શક્તિ ટકાવી રાખવા માટે માણસ જેટલું ઓછું ખાય, તેટલું જ તેનું શરીર વધુ સ્ફૂર્તિવાન અને મન વધુ સ્વસ્થ રહે તથા તેનું આયુષ્ય પણ લંબાય.

ઉપવાસ માંદગીમાંથી મુક્તિ મેળવવાનો સહેલો, બિનખર્ચાળ અને ઉત્તમ ઉપાય છે; પરંતુ ઉપવાસ કેટલા દિવસ કરવા, ક્યારે તોડવા કે તેનો અતિરેક થતો કેવી રીતે નિવારવો તે જાણવું ખૂબ જરૂરી છે. તે માટે અનુભવી વૈદ્યના માર્ગદર્શન નીચે ઉપવાસ કરાય તે હિતાવહ છે.

જો માણસ લાંબા કાળ સુધી નીરોગી રહેવા ઇચ્છતા હોય તો તેણે જીવનમાં ઉપવાસને જરૂરી માની તેને યોગ્ય સ્થાન દેવું પડશે. દર અઠવાડિયે, પખવાડિયે કે મહિને 1 દિવસ ઉપવાસ માટે નક્કી કરી લેવો જોઈએ. ઉપવાસ આરોગ્ય રક્ષાનો ખૂબ સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે. તે માંદા માણસને દવાઓના ખર્ચાળ અને જોખમી રસ્તેથી ઉગારી લેવામાં ઘણી વાર સહાયભૂત થાય છે.

ગોંડલના પૂર્વ રાજવૈદ્ય શ્રી જીવરામ કાળીદાસ અને પશ્ચાદ્ અવસ્થામાં ગોંડલની ભુવનેશ્વરી શક્તિપીઠના સંસ્થાપક આચાર્ય ચરણતીર્થ મહારાજે પણ ઉપવાસનું મહત્વ બતાવ્યું છે. ભારતીય ધર્મશાસ્ત્રકારોએ જે ઉપવાસ બતાવ્યા છે, તે મૂલત: તો વૈદકના નિયમને અનુસરતા ‘લંઘન’નું જ સ્વરૂપ છે. લંઘન નિયમિત રૂપે કરવાથી શરીરનાં અનેક વ્યાધિઓ નાશ પામે છે.

મહર્ષિ ચરકના મતાનુસાર લંઘન(ઉપવાસ)થી શરીર હળવું દોષરહિત થઈ જાય છે. કફ-પિત્તદોષનાં રોગીઓ તથા મેદસ્વી શરીરવાળા લોકોને તેથી ઘણો લાભ થાય છે. ત્વચાદોષ, રક્તવિકાર તથા વાયુના ઉપદ્રવવાળા દર્દીઓએ મહા-ફાગણ માસમાં લંઘન (ઉપવાસ) કરવું જોઈએ. પોતાની પ્રકૃતિને અનુકૂળ આવે એ રીતે લંઘન કરવાથી માણસને અધોવાયુ, મળ-મૂત્રાદિ સાફ આવે છે, તેનું શરીર હળવું થાય છે, તેને સહજ રીતે પરસેવો છૂટે છે. તેને શુદ્ધ ઓડકાર આવે છે, તેનાં કંઠ અને મુખ સાફ થાય છે તથા ગ્લાનિ અને આળસ મટી જાય છે, વળી તેને જમવા ઉપર ઉત્તમ રુચિ થાય છે, ભૂખ-તરસ એકસાથે ઉત્પન્ન થાય છે તથા તેનો અંતરાત્મા અતિ પ્રસન્ન રહે છે.

લંઘન (ઉપવાસ) વ્યક્તિની પ્રકૃતિ અને તેનાં બળ-વય અને દર્દની સ્થિતિ જોઈ, હિતકર હોય તે રીતે યોગ્ય પ્રમાણમાં કરવામાં આવે તે ઇષ્ટ છે. અન્યથા અતિઉપવાસ બહુ હાનિકારક પણ બને છે અને તેથી વ્યક્તિનાં બળ, જઠરાગ્નિ અને આયુષ્યનો નાશ થાય છે. યોગ્ય ઉપવાસથી શરીરમાં સ્ફૂર્તિ ને બળ સચવાય છે અને દર્દની સ્થિતિમાં ઉપવાસથી દોષ અને મળવિકારનો નાશ થતાં શરીર જલદી સ્વસ્થ થાય છે.

આહારના અતિરેકથી પીડાતા અને દર્દી બનેલા માટે ઉપવાસ રામબાણ ઇલાજ છે; પરંતુ ભૂખમરો વેઠતી, વધુ ભૂખી રહેલી કે કુપોષણથી પીડાતી વ્યક્તિને ઉપવાસ કે લંઘન લાભને બદલે નુકસાન કરે છે. તેથી ઉપવાસ ખૂબ સમજણપૂર્વક અને જાણકાર વ્યક્તિની સલાહ મુજબ જ કરવા વધુ ઇચ્છનીય છે.

વૈદ્ય સંકેત ભરતભાઈ જોષી

♦️  #आयुर्वेद_पंचकर्म_चिकित्सा ♦️➖➖➖➖➖➖➖➖➖➖➖ #हमारा_शरीर_भी_एक_मशीन_की_तरह_है जो सतत् चलता रहता है। लेकिन इस दौरान शरीर ...
02/09/2024

♦️ #आयुर्वेद_पंचकर्म_चिकित्सा ♦️
➖➖➖➖➖➖➖➖➖➖➖
#हमारा_शरीर_भी_एक_मशीन_की_तरह_है जो सतत् चलता रहता है। लेकिन इस दौरान शरीर में बहुत से टाॅक्सिन इक्कठे होते रहते हैं। जिनको शरीर विभिन्न माध्यम से बाहर भी निकालता रहता है, जैसे मल-मूत्र के रास्ते, पसीने आदि के रास्ते। लेकिन फिर भी शरीर में बहुत से विष रह जाते हैं जिनको निकालने के लिए आयुर्वेद में " #पंचकर्म_चिकित्सा" का वर्णन किया गया है !

↪️ #आयुर्वेद_के_अनुसार_चिकित्सा_के_दो #प्रकार_होते_हैं :-
1. #शोधन_चिकित्सा एवं
2. िकित्सा
जिन रोगों से मुक्ति औषधियों द्वारा संभव नहीं होती, उन रोगों के कारक दोषों को शरीर से बाहर कर देने की पद्घति शोधन कहलाती है। यही शोधन चिकित्सा " #पंचकर्म" है। इस प्रक्रिया का उपयोग मुख्यत: वात, पित्त, कफ त्रिदोषों को संतुलन में लाने के लिए किया जाता है।
♦️ #पंचकर्म_चिकित्सा आयुर्वेदीय चिकित्सा का एक अत्यन्त महत्त्वपूर्ण अंग हैं। पंचकर्म शब्द से ही इसका अर्थ स्पष्ट है कि ये पाँच प्रकार के विशेष कर्म हैं जो शरीर से मलों व दोषों को बाहर निकालते हैं। बीमारी को अंदर दबाकर पनपने नहीं देता। ये पांच कर्म निम्नलिखित है :
1- #वमन (Emetic Therapy)
2- #विरेचन (Purgative Therapy)
3- #बस्ति (A type of Medicated E***a)
4- #नस्य (Inhalation Therapy)
5- #रक्तमोक्षण (Blood Letting Therapy) को पंचकर्म में गिना है।

♦️ हालांकि इन सभी कर्मो को करने से पहले यह देखना बहुत ज़रूरी है कि आप शारीरिक और मानसिक रूप से उस योग्य हैं या नहीं।

♦️ #पंचकर्म से पहले की जाने वाली तैयारी को "पूर्वकर्म" और बाद में बरती जाने वाली सावधानियां और परहेज को “पश्चात कर्म’ कहा जाता है।

♦️ स्वस्थ तथा अस्वस्थ दोनों को हि पंचकर्म करवाया जाना जरूरी है। ताकि बिमार व्यक्ति की बिमारी निकल जाऐ और स्वस्थ को बीमारी हि ना हो।

♦️ यह पद्धति दीर्घकालिक रोगों से मुक्ति दिलाने में काफी लाभकारी साबित होती है। #पंचकर्म_विधि_से #शरीर_को_विषैले_तत्वों_से_मुक्त_बनाया_जाता_है। इससे शरीर की सभी शिराओं की सफाई हो जाती है और शरीर के सभी सिस्टम ठीक से काम करने लगते हैं। पंचकर्म के जरिए रोग प्रतिरोधक क्षमता में भी वृद्धि होती है।

↪️ #नोट :- पंचकर्म चिकित्सा शल्य चिकित्सा की भाँति बहुत कुशल चिकित्सक ही करा सकता है इसमें बहुत प्रत्यक्ष करमाभ्यास की आवश्यकता होती है।
आजकल पंचकर्म के नाम पर होटल में स्पा आदि खुल रहे हैं वह आयुर्वेद में बताया पंचकर्म नहीं है।
पंचकर्म चिकित्सा किसी BAMS/MD (पंचकर्म) चिकित्सक से ही करानी चाहिये।
♦️♦️♦️♦️♦️♦️♦️
✳️✳️✳️✳️✳️✳️✳️

Avaliable online consultation DM for online consultation Vd Sanket JosHi
01/09/2024

Avaliable online consultation

DM for online consultation

Vd Sanket JosHi

23/08/2024
ब्रह्म मुहूर्त में उठना दिनाचार्य का पहला चरण है।दीर्घ स्वस्थ जीवन की इच्छा रखने वाले व्यक्ति को ब्रम्हा मुहूर्त में (बि...
31/07/2024

ब्रह्म मुहूर्त में उठना दिनाचार्य का पहला चरण है।

दीर्घ स्वस्थ जीवन की इच्छा रखने वाले व्यक्ति को ब्रम्हा मुहूर्त में (बिस्तर से) उठना चाहिए।

ब्रम्हा मुहूर्त का अर्थ है सूर्योदय से लगभग 96 मिनट पहले का समय।

यह अध्ययन और ज्ञान प्राप्त करने का सबसे अच्छा समय है।

आमतौर पर इस समय के दौरान पर्यावरण अधिक प्रदूषकों के बिना स्वच्छ होता है। स्वच्छ हवा, सुखद वातावरण, शोर-शराबे की अनुपस्थिति के साथ-साथ उगते सूर्य की सुबह की किरणें बहुत फायदेमंद होती हैं।

सूर्य से स्वास्थ्य मिलता है. इसलिए सुबह सूर्योदय से पहले उठना चाहिए।

DM FOR ONLINE CONSULTATION
LINK IN BIO

दिनाचार्य (दैनिक आहार) का उल्लेख अष्टांग हृदय, चरक संहिता, सुश्रुत संहिता में किया गया है। दैनिक दिनचर्या जो प्रतिदिन की...
23/07/2024

दिनाचार्य (दैनिक आहार) का उल्लेख अष्टांग हृदय, चरक संहिता, सुश्रुत संहिता में किया गया है। दैनिक दिनचर्या जो प्रतिदिन की जानी है, वह बिस्तर से उठने से शुरू होकर रात में अपने बिस्तर पर जाने तक होती है।

जीवन काल को बढ़ाने के लिए ये नियम अपनाए जाते हैं।

ये दैनिक नियम निम्नलिखित कारणों से बताए गए हैं

✔ स्वच्छता का रखरखाव

✓ इन्द्रियों को उज्ज्वल करो

✓ शरीर को मजबूत बनायें

✓ स्वास्थ्य और दीर्घायु को बढ़ावा देना

✓ मन को शांति और सद्भाव में रखें

दिन की शुरुआत दिनाचार्य का पालन करके करनी चाहिए:

- प्रातरूथना (सुबह उठना) आचमन (पानी पीना)

- दंता धावना (दांत साफ करना)

जिव्हा निर्लेखन (जीभ की सफाई) गंडुसा (गरारे करना/तेल खींचना)

कवला (मुंह धोना)

- अंजना (आँखों को धुंधला)

- नस्य (नाक की बूँदें)

धूमपान (आयुर्वेदिक औषधीय धूम्रपान)

तंबुला सेवना (पान चबाना)

अभ्यंग (आयुर्वेदिक तेल मालिश)

- व्यायाम (व्यायाम) उदवर्तन (बिना तेल के आयुर्वेदिक मालिश)

- Snan (bath)



21/06/2024

" #शरीरमाद्यं_खलु_धर्म_साधनम्"
अर्थात् शरीर ही सारे कर्तव्यों को पूरा करने का एकमात्र साधन है। अतः इस अनमोल शरीर की रक्षा करना और उसे निरोगी रखना मनुष्य का सर्वप्रथम कर्तव्य है। यह स्वस्थ रहने का मूल-मंत्र है !
⭕अंतरराष्ट्रीय योग दिवस की हार्दिक शुभकामनाएं !⭕


Vd Sanket JosHi

DM FOR ONLINE CONSULTATION
ONLINE CONSULTATION AVAILABLE

Breaking free kidney stones without any pain...ONLINE CONSULTATION AVAILABLE DM FOR CONSULTATION LINK IN BIO            ...
28/05/2024

Breaking free kidney stones without any pain...

ONLINE CONSULTATION AVAILABLE
DM FOR CONSULTATION
LINK IN BIO

Address

12 Vallabh Nagar/1
Godhra
389001

Telephone

+917990836198

Website

Alerts

Be the first to know and let us send you an email when dhyey ayurveda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share