Shree Yog and Wellness

Shree Yog and Wellness Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree Yog and Wellness, Alternative & holistic health service, Jamnagar.

13/10/2024

*તમારાં દિકરા ને રાવણ બનાવજો*

અચરજ થયું ને સૌને આ લેખનું આવું શીર્ષક વાંચીને ! થયું હશે કે આ લખવાં વાળા ની ડાગલી ચસકી ગઈ છે કાં તો કોઈ અલગ પ્રકારનો નશો કરીને આ લખે છે.

આજના વિજયાદશમી ના પર્વ ના દિવસે જ્યાં ઠેર ઠેર અધર્મ ના પ્રતીક રૂપ રાવણ નું દહન કરાયું હોય, માતા પિતા પોતાનાં બાળકોસ્વરૂપ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ બનવાની, તેમનાં જીવન સંઘર્ષ સમજવાની, અને એમનાં બહુ મુલ્ય ગુણો, રઘુકુળ ના આદર્શો જીવન માં ઉતારવાની સમજ આપતાં હોય ત્યાં આ લેખ સર્વે થી વિરુદ્ધ જઈ ને એમનાં બાળકો ને રાવણ બનવાની પ્રેરણા આપે. શું કામ ? આવું શું કહેવાની જરૂર પડી આજે કે પરાપૂર્વ પરંપરા થી વિરુદ્ધ જઈને રાવણ બનાવજો...

એક એવો પણ સમય હતો કે જ્યાં સ્ત્રી ને સ્વંય પોતાનો પતી કે જેની સાથે એને પોતાનું સંપૂર્ણ જીવન વ્યતિત કરવાનું છે એની પસંદગી કરવાનો સ્વતંત્ર અધિકાર હતો, સામર્થ્યવાન સ્વામી માટે એ હેતુથી સ્વયંવરના આયોજન પણ થતા જ, એવા જ એક સમયે એક સ્ત્રી એ કોઈ પુરુષ ના સામર્થ્ય થી પ્રભાવિત થયી ને તેની પાસે લગ્ન નો પ્રસ્તાવ મુક્યો, પરંતુ એ એક પત્નીવ્રત ધારી પુરુષ પહેલથી વિવાહિત હતો તો એણે ના કહી, હવે સ્ત્રી સહજ ઈર્ષ્યા ને લીધે આ નવી સ્ત્રી એ પહેલાં ની પત્નિ ને નુકસાન પહોચાડવાનો પ્રયત્ન કર્યો અને એના પરિણામ સ્વરૂપ તે નવી સ્ત્રીએ પોતાના નાક અને કાન ગુમાવ્યા., બસ આટલું અમથું જ બીજ છે આ કથાનક નું.
યાદ આવે છે ને ! આ વાત કોની અને ક્યારની છે ?

*પરંતુ વાત અહીંયા એ સમજવાની છે કે પોતાની પ્રિય ભગિની નાં સ્વમાન ખાતર, ભલે ને સામે સ્વંય પરમાત્મા હોય , એમની જોડે પણ બાથ ભીડવાનું સામર્થ્ય કદાચ રાવણ સિવાય કોઈ ના કેળવી શકે...*

Rg કર કલકત્તા, વડોદરા, મુઝફરપુર , દિલ્લી, જલગાંવ, કચ્છ, મણિપુર અને કેટ કેટલાં શહેરો ના નામ લખીયે?
એક શહેરના સમાચાર સાંભળતા હોય ત્યાં બીજા ચાર શહેર ના નામ તો બ્રેકિંગ ન્યુઝ માં આવતાં હોય, ઍક બનાવ જાણકારી મળે એની પહેલાં તો બીજાં બે બનાવ બની ગયેલાં હોય, અને આપડે શું કરીયે છે તો કહે,
વોટ્સેપ ગૃપ માંથી પોસ્ટર આવશે અને આપડે સોશ્યલ સાઇટ્સ પર સ્ટોરી સ્ટેટ્સ લગાવી જાગરૂક નાગરીક ની ફરજ પૂર્ણ કરી દઇશું.
કાલે શું કરશું !? તો નવું શહેર ને નવું પોસ્ટર આવશે.
માત્ર નામ અને તારીખ બદલાશે બાકી મીણબત્તીઓ તો એજ તો રહેશે..,

અને કદાચ એટલે જ આજનાં સમયે જોઈયે તો એ સામર્થ્ય ની જરુર દરેકે દરેક પુરુષ માં છે. કારણકે ત્યારે બાથ ભીડવાની મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાન સામે હતી પણ આજે સર્વત્ર રાક્ષસો જ છે, તો તમને એવું નથી લાગતું કેં આ સમય માં પરીવાર ના સ્વમાન સાટે રાવણ ની જરૂરીયાત દરેક ઘર માં છે. ?

કોરોના સમયે થયેલો પેલો સુરત નો કિસ્સો યાદ આવે છે કે ધોળે દહાડે, સમગ્ર સોસાયટી ની હાજરી માં ગ્રીષ્મા નામની છોકરી નું ગળું કાપવામાં આવેલું , આખી સોસાયટી માંથી શું એક માટી પણ નહોતો જે એને બચાવી શકતો? અને એના બાદ એનો જુવાન ભાઈ મિડિયા સમક્ષ આવીને રડતાં રડતાં ન્યાય ની ભીખ માંગતો હતો, ન્યાય માંગતા એને શરમ આવવી જોઈએ કે પોતાની બહેન ની આવી હાલત કરનાર છોકરાં ને સજા આપવા એ આ ડરપોક સમાજ પાસે અપેક્ષા રાખે છે., ન્યાય વ્યવસ્થા નો દોષ કાઢવો નિરર્થક છે પણ સીધું ને સટ દેખાય એવાં વિષયો માં એના ભાઈ ને એક વખત પણ આવો વિચાર નહીં આવ્યો હોય કે તે હિંમત કરી એ ફેનીલ ની પણ આવી જ હાલત કરી શકે ? શું સ્વમાન નું મુલ્ય સામર્થ્ય થી ના ચૂકવી શકાય?
આવાં તો કેટલાંય કિસ્સાઓ છે કે જે ચાર દિવસ ચર્ચા માં રહ્યા અને ભુલાય ગયાં, અને એનાંથી વધુ હાસ્યાસ્પદ વાત તો એ કે કદાચ આજે એમનાં પરીવાર ને પણ એ ઘટના ને ભગવાન ની મરજી માની ને આગળ વધી જવામાં જ અનુકુળતા લાગી.

લેખ નો તાત્પર્ય એટલો જ કે આજનાં સમય માં સામર્થ્યવાન, શૌર્યવાન બનવા સિવાય કોઈ વિકલ્પ છે જ નહીં, સમય ની વાસ્તવિકતા ને સમજવી અતી આવશ્યક છે. દરેક વ્યક્તિ ને પ્રેમ ની ભાષા સમજ માં નહીં આવતી.

ભારત જયતુ

©श्रीमंत
+91 94299 11497

*પિતામહ ભીષ્મ સિંડ્રોમ*કંઇક નવું લાગ્યું ને !?  કે આ વળી શું ?  પિતામહ ભીષ્મ વિશે આવું ?ખરેખર મારે આજે આ લેખ માં ભીષ્મ પ...
09/07/2024

*પિતામહ ભીષ્મ સિંડ્રોમ*

કંઇક નવું લાગ્યું ને !? કે આ વળી શું ? પિતામહ ભીષ્મ વિશે આવું ?
ખરેખર મારે આજે આ લેખ માં ભીષ્મ પિતામહ વિશે વાત નહીં કરવી પરંતુ એવાં લોકો વિશે વાત કરવી છે જેઓ પોતાને ભિષ્મ સમજે છે, હંમેશા એમને એવું જ લાગ્યાં કરે કે વિશ્વ ના બધા અઘરાં કામ એમને જ કર્યા છે, વિશ્વ ની મોટી મોટી તકલીફો માત્ર એમને જ સહન કરી છે. નાની ઉંમરે ત્યાગ અને જવાબદારીઓ માત્ર એમને અને માત્ર એમને જ ભોગવી છે, પરિવાર હોય, મોટી કંપની હોય કે નાની અમથી દુકાન એમનાં અને માત્ર એમનાં જ ત્યાગ ને લીધે આજે બધું જ સુપેરે ચાલે છે. કદાચ સાચા સમયે જો તેમને સાચા નિર્યણ ના લીધાં હોત ને તો આજે કદાચ સુરજ ઊગવાનું અને પૃથ્વી ધરી પર ફરવાનું પણ ભૂલી જતી,

સત્ય છે, શત પ્રતિશત સત્ય છે કે આપડે પોતાનું સ્વમાન સાચવીએ પરંતુ એ સ્વમાન ક્યારે ગુમાન માં પરિવર્તિત થઈ શકે છે એની પણ નોંધ તો જરૂર રાખીએ જ,
માન્ય છે કે પરિસ્થિતિઓ દરેક માણસ ની સરખી નથી હોતી, દરેક માણસ ને પૂરતાં પ્રમાણમાં તક મળતી જ નથી, તક મળે તો જવાબદારીઓ એનો પીછો છોડતી નથી, પરંતુ આ વાત વિશ્વ માં બધાને લાગું પડે જ છે નહિ કે માત્ર એક વ્યક્તિ ને , તો જે તે સમયે તમે જે પણ કાર્ય જે તે પરિસ્થિતિઓ માં કર્યું હશે તેનો દોષ પરિસ્થિતિ નો હોય શકે નહિ કે તમારાં મન કે સ્વભાવ નો, તો પોતાના મન ને ઢિધ કરવાનું શું પ્રયોજન, શું કામ નોર્મલ ના રહી શકીએ ?

સત્ય અને ધર્મ જરૂરી નહિ કે દરેક વખતે સાથે જ ચાલે, પિતામહ ભીષ્મ ની વાત આવી છે તો યાદ કરીએ કે એમને હંમેશા પોતાનાં સત્ય ને જ ધર્મ સમજયું નહિ કે ધર્મ ની સત્યતા સમજી, ઘણાં ઘણાં કારણો આવેલાં એમની પાસે કે સમાજ માટે પોતાની પ્રતિજ્ઞા, પોતાનું સત્ય, પોતાનાં માનેલો ધર્મ, પોતાનું ગુમાન ત્યજી શકતાં ને , અને પોતાનાં જ બાંધેલા બંધનો થી છૂટી પણ શકતાં ને, પણ એ તો વિચારવું જ નહિ, બસ પોતાનાં માનેલો ધર્મ જ સાચો સમજવો. વસ્ત્રાહરણ સમયે ધૃતરાષ્ટ્ર ની સામે શસ્ત્રો ઉપાડી શકતાં, પણ નહિ પોતાની પ્રતિજ્ઞા આડે આવશે, યુદ્ધ સમયે બલરામ ની જેમ તીર્થયાત્રા પર જઈ શકતા, પણ નહિ પોતાની પ્રતિજ્ઞા આડે આવશે...
આખરે એનું પરિણામ શું આવ્યું ? ના તો દુર્યોધન તરફથી યુદ્ધ કરી શક્યા ના તો તેનાંથી સમ્માન પામી શક્યા, પાંડવો પ્રત્યે પ્રેમ તો રાખ્યો પણ એમનું પણ નુકસાન જ કર્યું હમેશાં.

*લક્ષણો*

આવું જ આ સિંડ્રોમ થી પીડાતા લોકો માં થાય છે, કે તેઓ એ હંમેશા થી એક લેવલ, એક સત્ય સેટ કરી રાખેલું હોય છે. અને અન્ય દરેક ને એ લેવલ સુધી પહોંચે જ એવું જતાવ્યા કરે છે કે, હું કરી શક્યો હવે તમે પણ કરો જ. અને જો બીજી વ્યક્તિ એ માન્ય ના કરે તો પોતે પણ પીડાઈ અને બીજાને પણ પીડા જ આપે છે.

હંમેશા બીજાં પાસેથી સમ્માન કહો કે (ડર ની) અપેક્ષા રાખવાની,
હું કહું એજ સાચું, મારાં અનુભવો ને તમે નહિ જ પહોંચી શકો, હું કહું એજ તમારાં માટે સારું છે, તમારે એજ કરવાનું છે.

મૂડ સ્વિંગસ્, એક વાત પર કાયમ ના રહી શકવું, નિર્ણય માં થોડાં થોડાં સમયે ફેરફાર કરવાં, ભવિષ્ય ને બદલે ભૂતકાળ ને આધારે જ બધા નિર્યણ લેવાં,

*જૉ આપને પણ સ્વયં માં આવા લક્ષણો દેખાય અથવા તો કોઈ બીજી વ્યક્તિ માં આવું જોવા મળે તો
આના ઉપાય માટે શું કરી શકાય એનાં માટે બીજા ભાગની રાહ જોવા વિનંતી.....

© *હેમાંગ ભોજક*
*+91 9429911497*

મહાદેવ હર,આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર, મહાદેવ જી નો પ્રિય આ શ્રાવણ માસ સર્વે ભક્ત જનો એ ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરી છે,...
11/09/2023

મહાદેવ હર,

આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર, મહાદેવ જી નો પ્રિય આ શ્રાવણ માસ સર્વે ભક્ત જનો એ ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરી છે, પણ કોઈને ખબર છે કે શિવજીનો પ્રિય ભક્ત કોણ? એવું તે એમને શું કર્યું કે જેથી એમની ગણના ભગવાન શિવ ના પ્રિય ભક્ત તરીકે કરવામાં આવે છે.

એમનું નામ છે "રાવણ"
દશાનન, લંકાધિપતી, ત્રિલોક વિજયી જેવા અનેકો ઉપનામ ધરાવનાર વ્યકિત ને સ્વયં શિવે પોતાનો પ્રિય ભક્ત કહ્યું છે.

આપડે સો જાણીયે છે કે શિવ તાંડવ સ્તોત્ર ની રચના રાવણે કરી છે પરંતુ એક શિવ મંદિર એવું પણ છે કે જેની સ્થાપના રાવણે કરાવી છે. અચરજ થયું ને કે આ કયું મંદિર ?
તો એ મંદિર છે હિંદ મહાસાગર ના તટ પર સ્થિત, તમિલનાડુ રાજ્યમાં આવેલું, શિવજી ના ૧૨ જ્યોતિર્લિંગ માં નું એક એવું
""રામેશ્વરમ જ્યોતિર્લિંગ""

ઓહ્, આ તે કેવું મંદિર કે જ્યાં નામ રામ નું, અને કાર્ય રાવણ નું. અસંભવ છે ને ! ? ચાલો મનન કરીએ આ ની પાછળ ની કથા નું જેની આધારભૂત માહિતી મહર્ષિ કમ્બન રચિત ઇરવતર માં જોવા માળે છે...

રાવણે સીતા નું હરણ કર્યું , સીતા ને પાછી લાવવા જ્યારે રામ સમુદ્ર તટ સુધી પહોંચી સમુદ્ર પર સેતું નિર્માણ નું કાર્ય આરંભ કરે છે ત્યારની વાત છે આ,
અત્યંત મહત્વપૂર્ણ કાર્ય પહેલાં પોતાના આરાધ્ય દેવ ની પ્રતિષ્ઠા કરવાનું ભગવાન શ્રી રામ ને વિચાર આવ્યો , તેથી જે શ્રી રામ ના આરાધ્ય એટલે કે ભગવાન શિવ નું એક મંદિર સ્થાપવાનો નિર્ધાર શ્રી રામે કર્યો. હવે વાત એમ થયી કે આ મંદિર ના સંકલ્પ માં સાથ તો સર્વે નો હતો પણ શિવ ના મંદીર કાર્યવિધી ની માહિતી કોઈ પાસે નહોતી...

તો સર્વાનુમતે નક્કી થયું કે જલ્દીથી જલ્દી કોઈ વિદ્વાન બ્રાહ્મણ ને તેડાવી ને આ કાર્ય ની શરૂઆત કરીએ. રામે આજુબાજુ ના વિસ્તાર માં તપાસ કરાવી પણ ઉજડ-વેરાન દરિયાકાંઠો અને જંગલ વિસ્તાર માં જ્યાં મનુષ્યો નું ગામ મળવું પણ મુશ્કેલ હોય ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરાવી શકે એ આચાર્ય પદ સન્માનિત બ્રાહમણ ક્યાંથી મળે ? આખરે દાદા જાંબુવાને પ્રભુ પાસે એક પ્રસ્તાવ મૂક્યો કે સૌથી નજીક અને આ કાર્ય માટે ઉપયુક્ત ઍક જ વ્યક્તિ છે જો એ ઇચ્છે તો આ કાર્ય માં આપડી મદદ કરી શકે.
પ્રભુ એ તરત પૂછ્યું કોણ છે એ વિદ્વાન બ્રાહ્મણ અને શકય હોય તો તરત જ એમને આ પ્રાણ પ્રતિષ્ઠા નું આચાર્ય પદ શોભાયમાન કરવાનું નિમંત્રણ મોકલાવો.
દાદા જાંબુવાને કહ્યું એ વ્યક્તિ છે "લંકાધિપતી રાવણ", પુલસ્ત્ય વંશજ ,મહાત્મા વિશ્રવા નો પુત્ર દશાનન, વિધી વિધાન, યજ્ઞ કાર્ય નો પ્રકાંડ પંડિત છે.
જેનાં સ્વર માત્ર થી સાક્ષાત્ શિવ ને પ્રગટ થવું પડે એટલું એનું સામર્થ્ય છે.

ત્યારે ઉપસ્થિત સર્વે લોકો ના મુખ મંડલ પર નિરાશા વ્યાપી ગઈ કે આ તો અશક્ય કાર્ય છે, અને રાવણ આનો સ્વિકાર પણ શું કામ ? આપડે એના જ વિરુદ્ધ યુદ્ધનાદ કર્યો છે તો તે આ કાર્ય માં મદદ કરે પણ શું કામ ???

મુખ પર એક પણ ફેરફાર થયાં વગર પ્રભુ રામે ઊભા થયી દાદા જાંબુવાન ને વિનંતી કરી કે "આપ અબઘડી લંકા તરફ પ્રસ્થાન કરો અને બ્રાહ્નણ શ્રેષ્ઠ રાવણ ને મળી કહો કે,
ઇક્ષ્વાકુ વંશજ, દશરથ નંદન , રામ એક યુદ્ધ ની સફળતા ના હેતું માટે એક શિવ મંદિર નું નિર્માણ કરી રહ્યા છે એના આચાર્ય પદ માટે આપના જેવા પ્રકાંડ પંડિત ની આવશ્યકતા છે શું આપ રઘુવંશી શ્રી રામ ની વિનંતી નો સ્વિકાર કરશો ?

પ્રભુ રામે ની આજ્ઞા મુજબ દાદા જામ્બુવાને લંકા તરફ પ્રસ્થાન કર્યું, અને ભરી સભામાં રાવણે ને મળી પ્રભુ શ્રી રામ ના નિમંત્રણ ની વાત કરી,
આ તરફ રાવણ પણ અસમંજસ માં મુકાયો કે આજ સુધી દરેક વ્યક્તિ એ એને રાક્ષક જ ગણેલો , પહેલી વખત કોઇએ એને બ્રાહ્મણ કહી ને નિમંત્રણ આપ્યું અને એ પણ કેવા કાર્ય માટે તો એના પણ આરાધ્ય દેવાધિદેવ મહાદેવ પ્રતિષ્ઠા માટે ?
રાવણ દાદા જામ્બુવાન ને પ્રશ્ન કરે છે કે શું મારા યજમાન પાસે વિધી વિધાન માટેની સામગ્રી છે ? દેવાધી દેવ મહાદેવ નું મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા માં કોઇપણ પ્રકારની ચૂક ભયંકર પરિણામ લાવી શકે છે.
દાદા જવાબ આપે છે જે નિર્જન વન માં તો આ બધું કેવી રીતે મળે, આપ કહો એ મુજબ હું આજે જ આપની આ લંકા માંથી દરેક સામગ્રી ની વ્યવસ્થા કરી શકું. ત્યારે બ્રાહ્મણ શ્રેષ્ઠ રાવણ કહે છે આપ મારા દાદા ના મિત્ર છો તેથી મારા માટે પણ દાદા થયા, આપને આ ઉંમરે આટલો કષ્ટ આપુ તો સ્વર્ગ માં રહેલા મારા પૂર્વજો ને શું જવાબ આપીશ, એમ પણ શાસ્ત્રો માં ઉલ્લેખ છે કે યજમાન ના કોઈપણ વિધી વિધાન માટે ની આવશ્યક જે પણ હોય એ પૂર્ણ કરવુ એ આચાર્ય નું કર્તવ્ય છે તો આપ નિશ્ચિંત થઈ આપને માર્ગે પ્રયાણ કરો, મારા યજમાન ની કાયૅવિધી પૂર્ણ કરવાની જવાબદારી હવે મારી છે કાલે સવારે સુર્ય નારાયણ ના ઉદય સમયે હું ત્યાં આપને સ્થાને હાજર થઈ જઈશ...

બીજે દિવસે નિયત સમયે પુરોહિત રાવણ પોતાનાં પુષ્પક વિમાન માં વિધાન અનુસાર દરેક સામગ્રી સહિત ઉપસ્થિત થાય છે. યજમાન પદે રામ અને લક્ષ્મણ બિરાજમાન છે. સ્વસ્તિવચન બાદ રાવણ રામ ને પૂછે છે આપ વિવાહિત છો કે અ-વિવાહિત રામ કહે છે હું વિવાહિત છું પણ અત્યારે મારી અર્ધાગીની મારી જોડે નથી, રાવણ કહે છે શાસ્ત્રો મુજબ વિવાહિત પુરૂષો માટે પત્નિ વગર કોઈ પણ પૂજા વિધિ ફળપ્રદ નથી, રામ વિનંતી કરે છે પુરોહિત પદે આપ છો આપ જ આનું કંઇક નિવારણ કરો જેથી મારી પૂજા સંપન્ન થઇ શકે ,ત્યારે રાવણે આદેશ આપ્યો અને પુષ્પક વિમાન માંથી સીતાજી બહાર આવ્યા રાવણ ને પ્રણામ કરી પ્રભુ શ્રી રામ ની ડાબી બાજુએ બિરાજમાન થયા.... ત્યાં ઉપસ્થિત સર્વે લોકો આનંદિત તો થયાં જ પણ રાવણ ના કાર્ય પર અચંભિત પણ થયા.

શાસ્ત્રો અનુસાર પૂજા વિધી સંપન્ન થઈ, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ યજમાન હોય અને પરમ શિવ ભક્ત જ્યાં પુરોહીત સ્થાને હોય એ સ્થાન પર સાક્ષાત્ શિવ પ્રગટ થઈ જ્યોતિ સ્વરૂપે શ્રી રામે બનાવેલા લિંગ માં સ્થાપિત થાય જ ને !

પુજા સંપન્ન થયા બાદ દંપતી સૌ પ્રથમ પુરોહીત રાવણ ના આશીર્વદ લે છે અને તેમને દક્ષિણા માંગવાનું કહે છે ત્યારે લાંકાધિપતી રાવણ મૂછ માં હસી ને રામ ને કહે છે, ત્રિલોકવિજયી હું લંકા નો રાજા છું, મારી નગરી ના દરેક ભવનો સોના ના છે અને અત્યારે તું એક વનવાસી છે, મારે નહિ જોઈતી તારી પાસેથી દક્ષિણા. રામ પ્રત્યુતર માં કહે છે યજ્ઞ કાર્ય પૂર્ણ કર્યા બાદ જો હું બ્રહ્મ ઋણ ના ચુકવી શકું તો મારા વંશ પર લાંછન લાગે એટલે કૃપા કરી આપ મને કૃતાર્થ કરો.. સમજવા જેવી વાત એ છે કે આ સમયે રાવણ ધારત તો રામ પાસે થી પાછા વળવાનું વચન દક્ષિણા માં માંગી શકતો પણ રાવણે માંગ્યું કે કારણ કોઇપણ હોય, પરિસ્થતિ કેવી પણ દુર્ગમ હોય આપ ધર્મ ને અનુરૂપ જ ચાલી રામ રાજ્ય ની સ્થાપના કરશો , જેની નોંધ ઇતિહાસ યુગો યુગો સુધી લઈ શકે. સમગ્ર સમાજ માટે સંદેશો આપશો કે
અધર્મ હંમેશા ધર્મ સામે વામણો જ રહે છે.

આખરે પુરોહીત રાવણ દેવી સીતા ને અખંડ સૌભાગ્યવતી ના આશીર્વદ આપે છે. અને શ્રી રામ ને ઉદ્દેશી ને કહે છે. " જે કાર્ય નો સંકલ્પ આપે કરેલો છે એને પૂર્ણ શક્તિ થી પૂર્ણ કરો.
આપનું કાર્ય સફળ થાય. ધર્મ નો જ વિજય થાશે...

અસ્તુ

હેમાંગ ભોજક,
શ્રી યોગ એન્ડ વેલનેસ
+91 94299 1147

#भारत

મહાદેવ હર,આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર, મહાદેવ જી નો પ્રિય આ શ્રાવણ માસ સર્વે ભક્ત જનો એ ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરી છે,...
11/09/2023

મહાદેવ હર,

આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર, મહાદેવ જી નો પ્રિય આ શ્રાવણ માસ સર્વે ભક્ત જનો એ ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરી છે, પણ કોઈને ખબર છે કે શિવજીનો પ્રિય ભક્ત કોણ? એવું તે એમને શું કર્યું કે જેથી એમની ગણના ભગવાન શિવ ના પ્રિય ભક્ત તરીકે કરવામાં આવે છે.

એમનું નામ છે "રાવણ"
દશાનન, લંકાધિપતી, ત્રિલોક વિજયી જેવા અનેકો ઉપનામ ધરાવનાર વ્યકિત ને સ્વયં શિવે પોતાનો પ્રિય ભક્ત કહ્યું છે.

આપડે સો જાણીયે છે કે શિવ તાંડવ સ્તોત્ર ની રચના રાવણે કરી છે પરંતુ એક શિવ મંદિર એવું પણ છે કે જેની સ્થાપના રાવણે કરાવી છે. અચરજ થયું ને કે આ કયું મંદિર ?
તો એ મંદિર છે હિંદ મહાસાગર ના તટ પર સ્થિત, તમિલનાડુ રાજ્યમાં આવેલું, શિવજી ના ૧૨ જ્યોતિર્લિંગ માં નું એક એવું
""રામેશ્વરમ જ્યોતિર્લિંગ""

ઓહ્, આ તે કેવું મંદિર કે જ્યાં નામ રામ નું, અને કાર્ય રાવણ નું. અસંભવ છે ને ! ? ચાલો મનન કરીએ આ ની પાછળ ની કથા નું જેની આધારભૂત માહિતી મહર્ષિ કમ્બન રચિત ઇરવતર માં જોવા માળે છે............

શબ્દ મર્યાદા ને કારણે
પૂર્ણ લેખ માટે WhatsApp કે ફેસબુક પર સંપર્ક કરવાં વિનંતી

હેમાંગ ભોજક,
શ્રી યોગ એન્ડ વેલનેસ
+91 94299 1147

#भारत

"ભારત જયતુ"રાજકીય રીતે આપને નરેન્દ્ર મોદી અને ભાજપ ગમે કે ના ગમે પણ એમના બુદ્ધિ ચાતુર્ય, દુર દૃષ્ટિ અને આપદા ને અવસર માં...
05/09/2023

"ભારત જયતુ"

રાજકીય રીતે આપને નરેન્દ્ર મોદી અને ભાજપ ગમે કે ના ગમે પણ એમના બુદ્ધિ ચાતુર્ય, દુર દૃષ્ટિ અને આપદા ને અવસર માં બદલવાની આવડત પર વિરોધીઓ પણ નત મસ્તક થઈ જાય છે...

વિરોધ પક્ષો એ પોતાનાં ગઠ બંધન નું નામ INDIA રાખી લોકોની લાગણી નો લાભ લેવાનું નક્કી કર્યું તો આમને એમની જ ચાલ નો ઉપયોગ કરી સમગ્ર દેશ નું નામ બદલવાનો પ્રસ્તાવ મૂકી દીધો, માત્ર પ્રસ્તાવ થી જ નહિ અટકતા G20 સમિટ ના રાત્રી ભોજ માં આમંત્રણ માં એનો ઉપયોગ પણ શરૂ કરી દિધો,
આમંત્રણ અપાય ગયું, સ્વીકારાઈ પણ ગયું અને અત્યારે તો કદાચ શરૂ પણ થયી ગયું હશે, વિરોધ પક્ષો ની હાલત ભૂંડી થયી ગયી,

કારણકે જે નામ નો વિરોધ કોંગ્રેસે ૭૭ વર્ષ થી કર્યો એજ નામ, એમની જ ભૂલ ના કારણે આજે એમની જ માથે મારવાની પૂરેપૂરી સંભાવના થયી ગયી છે....

એમ જોવા જઈએ તો જંબુદ્વિપ, આર્યાવર્ત, ભરત ખંડ, ભારત વર્ષ, ભારત અને આખરે INDIA જેવા પ્રાચીન નામો ધરાવતો આ દેશ માં INDIA નામ નું આયુષ્ય તો માત્ર ૭૭ વર્ષ નું જ છે ને !?
સિકંદર ના સમય માં, પહેલી શતાબ્દી માં નામ ભારત જ હતું . આશરે ૧૫-૧૬ ની સદી માં અંગ્રેજો એ INDIA નામ આપેલું, અને છેલ્લા ૭૭ વર્ષ થી અંગ્રેજો જતાં જતાં પોતાની છાપ છોડતાં ગયા..એ સમય ની કોંગ્રેસે પણ પોતાની સેક્યુલર છાપ કાયમ રાખવા હિન્દુસ્તાન ને બદલે INDIA નામ પસંદ કર્યું

પણ આજે આપણી આ સ્વર્ગ થી સુંદર માતૃભૂમિ ને એનું પ્રાચીન નામ પાછું મળી શકે એ શકયતા થી જ મન અતી આનંદિત થયી ગયું...

🚩 🚩 🚩 ભારત માતા કી જય 🚩 🚩 🚩

05/06/2023 Appointed as a Junior Engineer in RELIANCE SOLAR New Energy Limited((Btw 05/06/2003 is also very Special Day ...
06/06/2023

05/06/2023

Appointed as a Junior Engineer in RELIANCE SOLAR New Energy Limited

((Btw 05/06/2003 is also very Special Day in my Life... )

This isn't Possible without your Guidance and Trust Mohan Sonagara Thank you so much sir..

How to keep mind calm in any Situation learn from Chirag Kanabar and Akhilesh Singh .

How can I forget your Support in My Journey,
Learn lots of things (( Everything 😀 )), From your Experience.
Gogan Pindariya, Dk Ahir and Bipin Parmar...

29/01/2023

*શ્રી સ્વાસ્થ્યમ્* 29 January, 2023

*स्वस्थ शरीरमाद्यं खलु धर्मसाधनम्*

*माइग्रेन के उपचार में योग का महत्व
भाग 1*

माइग्रेन का मतलब सिर के आधे हिस्से में दर्द होता है। इस प्रकार का दर्द सिर के किसी खास हिस्से या सिर के आधे हिस्से में होता है। दर्द आपके सिर के एक तरफ से दूसरी तरफ जा सकता है, आपके सिर के सामने हो सकता है, या ऐसा महसूस हो सकता है कि यह आपके पूरे सिर को प्रभावित कर रहा है।
यह समस्या ज्यादातर 20 साल से 55 साल तक के व्यक्तियों में देखी जाती है। यह समस्या महिलाओं की तुलना में पुरुषों में ज्यादा होती है। *विश्व स्तर पर आज दुनिया के 10% लोग इस बीमारी से पीड़ित हैं।*
आज तक इस समस्या के सही कारण का पता नहीं चल पाया है, लेकिन जब भी दिमाग तक संदेश पहुंचाने वाले तंत्रिका तंत्र (नर्वस सिस्टम) में खराबी आती है तो इस तरह की समस्या हो जाती है।
बिना किसी दवा के सिर्फ योग करने से माइग्रेन का दर्द कम हो सकता है।

*(1) पद्मासन*

अनुष्ठान- यह आसन बैठकर किया जाता है। पहले पैरों को फैलाकर आपस में मिला लें, फिर दाएं पैर के अंगूठे को बाएं हाथ से पकड़ें और दाएं पैर को बाएं पैर के तलवे पर रखें। फिर बाएं पैर को ऊपर वाली दाहिनी जांघ पर रखें।

इस बार दोनों हाथों की कलाइयों को घुटनों पर सीधा रखें। दोनों हाथों के अंगूठे के बगल वाली उंगली को अंगूठे से गूंथ लें, बाकी तीन अंगुलियों को सीधा रखें। आंखें बंद रखें और पीठ सीधी रखें। गर्दन सीधी और अबाधित दृष्टि रखें या माथे पर ध्यान केंद्रित करें।

पद्मासन का नियमित अभ्यास मन को शांत और एकाग्र करता है, विचारों की गति को कम करता है और मानसिक तनाव को कम करता है, इसलिए यह आसन माइग्रेन के मुख्य कारण को दूर करने में मदद करता है।

*(2) पश्चिमोत्तानासन*

प्रक्रिया:- दोनों पैरों को आगे की ओर फैलाकर और एक-दूसरे से सटाकर बैठ जाएं।
दोनों हाथों को घुटनों पर रख लें।
अब सांस भरते हुए दोनों हाथों को आसमान की तरफ ले जाएं।
इसके बाद सांस छोड़ते हुए शरीर को विपरीत दिशा से आगे की ओर झुकाएं और दोनों हाथों से पंजों को पकड़ लें।
इस स्थिति में सिर घुटनों को स्पर्श करेगा।
अब हाथों की कोहनियां जमीन को स्पर्श करेंगी। सांस छोड़ें और आगे झुकते हुए पेट की मांसपेशियों को अंदर खींचे।
श्वास सामान्य रखें।
इसी स्थिति में बने रहें।
श्वास लें और मूल स्थिति में लौट आएं।

इस आसन के नियमित अभ्यास से शरीर में वायु का संचार व्यवस्थित रूप से होने लगता है।मन की शांति और मन की स्थिरता में यह आसन बहुत मदद करता है। पूरे शरीर में वायु और रक्त का संचार सुचारू रूप से होता है जिससे माइग्रेन के अन्य कारण भी दूर हो जाते हैं।
अन्य लाभ जैसे शरीर में स्फूर्ति का अहसास होना, पाचन क्रिया में सुधार आना आदि अपच जैसी अन्य समस्याओं के लिए भी लाभकारी होते हैं, ये समस्याएं भी माइग्रेन का कारण होती हैं, इसलिए पश्चिमोत्तानासन का अभ्यास माइग्रेन की समस्या में लाभकारी होता है।

हेमांग भोजक
Shree Yog and Wellness
*+91 94299 11497*

*શ્રી સ્વાસ્થ્યમ્* ૨૯ જાન્યુવારી, ૨૦૨૩

*स्वस्थ शरीरमाद्यं खलु धर्मसाधनम्*

*માઇગ્રેન (આધાશીશ) ની ચિકિત્સા માં યોગ નું મહત્વ
ભાગ ૧*

આધાશીશી એટલે કે માથાના અર્ધા ભાગ માં થતો દુખાવો. માથાના ચોક્કસ ભાગમાં અથવા તો અડધા માથાના ભાગમાં આ પ્રકારનો દુખાવો થાય છે. પીડા તમારા માથાની એક બાજુથી બીજી તરફ જઈ શકે છે, તમારા માથાના આગળના ભાગમાં હોઈ શકે છે અથવા એવું લાગે છે કે તે તમારા આખા માથાને અસર કરી રહ્યું છે.
મોટેભાગે 20 વર્ષથી લઈને અને 55 વર્ષ સુધીની વ્યક્તિઓમાં આ તકલીફ જોવા મળે છે. સ્ત્રીઓ કરતા પુરુષોમાં આ સમસ્યા વધુ હશે જોવા મળે છે. *વૈશ્વિક રીતે જોઈએ તો વિશ્વના 10% લોકો આજના સમય માં આ રોગ થી પીડિત છે.*
આજ સુધી આ તકલીફ થવાનું ચોક્કસ કારણ તો જાણી શકાયું નથી પરંતુ મગજમાં સંદેશો પહોંચાડતી નર્વસ સિસ્ટમ (ચેતાતંત્રમાં) જ્યારે પણ કોઈ પ્રકારની ખામી જ ઉદભવે છે ત્યારે આ પ્રકારની તકલીફ સર્જાય છે.
કોઈપણ દવા વગર માત્ર યોગશાસ્ત્રના અભ્યાસથી પણ આ માઈગ્રેનના દુખાવાને હળવું કરી શકાય છે ચલો જોઇએ કે કે કયા કયા પ્રકારના આસન આપણને આધાશીશી ની તકલીફોથી મુક્તિ અપાવી શકે છે

*(૧) પદ્માસન*

વિધિ - આ આસન બેસીને કરવામાં આવે છે. પહેલા પગ લાંબા કરી પરસ્પર એકબીજા સાથે જોડી લો, પછી ડાબા હાથથી જમણા પગનો અંગૂઠો પકડીને જમણા પગને ડાબા પગની જાંધ પર મુકી દો. પછી ડાબા પગને ઉપરની જમણી જાંઘ પર મુકી દો.

આ વખતે બંને હાથના કાંડાને ઘુટણા પર સીધી મુકો. બંને હાથના અંગૂઠા પાસેની આંગળી અંગૂઠા સાથે મેળવો, બાકી ત્રણ આંગળી સીધી રાખો. આંખો બંધ તથા કમર સીધી રાખો. ગરદન સીધી અને નાસાગ્ર દ્રષ્ટિ બનાવી રાખો અથવા ભવો પર ધ્યાનને એકાગ્ર કરો..

પદ્માસન ના નિયમિત અભ્યાસ થી મન શાંત થઈ એકાગ્ર બને છે, વિચારો નો વેગ ઘટવાથી માનસીક તાણ ઘટે છે તેથી જ આ આસન માઇગ્રેન નું મુખ્ય કારણ દુર કરવા સહાયક બને છે.

*(૨) પશ્ચિમોત્તાનાસન*

વિધિ:- બન્ને પગને આગળ લંબાવીને એકબીજા સાથે અડેલા રહે તેમ બેસો.
ઘૂંટણ ઉપર બન્ને હાથને ગોઠવો.
હવે, શ્વાસ લેતાં લેતાં બન્ને હાથ આકાશ તરફ લઈ જાઓ.
ત્યાર બાદ શ્વાસ છોડતાં છોડતાં શરીરને સામેની તરફથી આગળ ઝૂકતાં બન્ને હાથ વડે પગના અંગૂઠા પકડી લો.
આ સ્થિતિમાં માથું ઘૂંટણે અડશે.
હવે, હાથની કોણી જમીનને અડશે. આગળ ઝૂકતી વખતે શ્વાસ બહાર કાઢો અને પેટના સ્નાયુઓને અંદર ખેંચો.
શ્વાસોચ્છવાસ સામાન્ય રાખો.
યથાશક્તિ આ સ્થિતિમાં રહો.
શ્વાસ લેતાં લેતાં મૂળ સ્થિતિમાં પરત આવો.

આ આસન ના નિયમિત અભ્યાસ થી શરીર માં વાયુ નું સંચરણ વ્યવસ્થિત રૂપે થવા લાગે છે.મનની શાંતિ તથા ચિત્તની સ્થિરતામાં આ આસનથી ખુબ મદદ મળે છે. સંપુર્ણ શરીર માં વાયુ તથા લોહી નું પરિભ્રમણ સુચારુ રૂપ થી થાય છે જેથી માઇગ્રેન થવાનું અન્ય કારણ પણ દૂર થાય છે.
અન્ય ફાયદા જેવા ને શરીર માં સ્ફુર્તિ નો અનુભવ, પાચન ક્રિયા સુધારવી , આમવાત, અપચો જેવી અન્ય તકલીફો માટે પણ લાભકારી છે આ તકલીફો પણ માઇગ્રેન ના કારણ માં વૃદ્ધિ કરનારી છે જેથી પશ્ચિમોત્તાનાસન ના અભ્યાસ થી માઇગ્રેન ની તકલીફ માં લાભ થાય છે.

*પ્રાકૃતિક ચિકિત્સા, ગર્ભ સંસ્કાર, યોગીક પદ્ધતિ, મુદ્રા વિજ્ઞાન, મર્મ ચિકીત્સા, ચક્ર શાસ્ત્ર, સ્વરોદય શાસ્ત્ર, આધ્યત્મિક્તા જેવા અનેક વિષયો આવરી, તેને વૈજ્ઞાનિક તથ્યો સહિત રજુ કરી તેનો સમાવેશ આ લેખમાળા માં કરવામાં આવેલ છે.*
*કોઇપણ સવાલ, સલાહ, ચિકિત્સા માર્ગદર્શન માટે આપ ફોન પર, રૂબરૂ સંપર્ક કરી શકો છો...*

હેમાંગ ભોજક
શ્રી યોગ એન્ડ વેલનેસ
*+91 94299 11497*

15/01/2023

*શ્રી સ્વાસ્થ્યમ્* ૧૫ જાન્યુવારી, ૨૦૨૩

*स्वस्थ शरीरमाद्यं खलु धर्मसाधनम्*

સૂર્ય ઊર્જા અને માનવ સ્વાસ્થ્ય ભાગ-૧

શ્રી યોગ એન્ડ વેલનેસ તરફથી આપ સર્વે ને સ્વાસ્થ્યમય ઉતરાયણ પર્વ ની ને ખુબ ખુબ શુભેચ્છા...

કાલ નો આખો દિવસ આપણે સર્વે એ ધાબા પર વિતાવ્યો હશે ને ! આખો દિવસ પતંગ ચગાવ્યા હશે, દોડાદોડી અને રમતગમત પણ ઘણી કરી હશે પરંતુ *આજના દિવસમા પણ આપડે જો સ્ફૂર્તિ નો અનુભવ કરી શકતાં હોઈએ તો એનું એક જ કારણ છે ભગવાન શ્રી સુર્ય નારાયણ નું સાનિધ્ય*, સુર્ય ઊર્જા એ નવા પ્રકાશ અને નવું સ્ફુર્તિ નું પ્રતિક છે. જેમ નવા બીજ ને પણ વૃક્ષ બનવા માટે સુર્ય ઊર્જા ની જરૂર પડે છે તેમ માનવ શરીર ને પોતાના દરેક કાર્ય માટે ઊર્જા ની આવશ્ક્યતા છે... તો ચાલો જોઈએ કે સૂર્ય ઊર્જાનું કેટલું બધું મહત્વ છે અને આપણા શરીરમાં કઇ કઈ રીતના ભાગ ભજવે છે.

સૂર્યના કિરણો અલગ અલગ પ્રકારના કારણોનું મિશ્રણ છે આપણે જાણીએ છીએ કે સૂર્યનું સફેદ પ્રકાશમાંથી સાત પ્રકારના કલર ઉદ્ભવે છે જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો એટલે કે લાલ રંગ. કલર થેરાપી મુજબ આ દરેક રંગ પણ અલગ અલગ પ્રકારના સ્વભાવ, કાર્ય અને ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે એ વિષય ઉપર ચર્ચા ફરી કોઈ દિવસ.. પરંતુ આજે આપણે સૂર્યપ્રકાશની ની ઊર્જા વિષે ચર્ચા કરીએ,

*સવારના સવારના પહેલા કિરણો અતિ કોમળ હોય છે ખુલ્લી આંખે પલક માર્યા વિના શક્ય એટલો વધુ સમય અથવા તો શરૂઆતમાં બે પાંચ મિનિટ પણ જો જોવામાં આવે તો આ પ્રકાશથી આંખોનું તેજ વધે છે* આંખોમાં રહેલો કચરો (ખરાબી) વગેરે આંસુ સ્વરૂપે બહાર આવી જાય છે અને આંખો એક અલગ પ્રકારની ઊર્જા નો અનુભવ કરે છે.

બાળકો ને નાનપણ થી જ આ ક્રિયાનો અભ્યાસ જો દરરોજ પાંચ મિનીટ પણ કરાવવામાં આવે તો તેમને નાની ઉંમરે ચશ્મા ના ભારણ થી મુક્તિ અપાવી શકાય. કારણ કે આજના સમયમાં *દરેક બાળક સરેરાશ ચારથી છ કલાક મોબાઈલ, ડિજિટલ સ્ક્રીન નો ઉપયોગ કરે છે* જે એમની આંખોના સ્વાસ્થ્ય માટે ઘણું જ ખરાબ પરિણામ આપે છે તો એના નિવારણ અર્થે આ એકદમ સરળ અને સુલભ ક્રિયા છે. નવજાત શિશુ ને પણ સૂર્ય પ્રકાશ માં રાખવાનું આ જ કારણ આપણા વડવાઓ કહી ગયા છે જેથી એમની રોગ પ્રતિકારક ક્ષમતા માં વધારો થાય અને તેમના વૃદ્ધિ ઝડપથી થયી શકે. પશ્ચિમી વાયરા ના પ્રભાવ માં આજે આપડે જોઈએ છીએ કે ૩-૪ વર્ષ ના બાળક ને પણ આપણે LKG માં મૂકી દઈએ છે, મોટે ભાગે એ બંધિયાર વાતાવરણમાં જ હોય છે. જેથી બાળકનો માનસિક વિકાસ ભલે ઝડપી થાય પરંતુ શારીરિક સ્વાસ્થ્ય મંદ પડી જાય છે.

ગર્ભવતી સ્ત્રીઓ માટે તો સૂર્ય ઊર્જા એક આશીર્વાદ જ છે. માત્ર પોતાના માટે જ નહીં પરંતુ ગર્ભ માં રહેલ બાળક માટે પણ તેના શરીરને કામ કરવાનું હોય છે તેના માટે તેને ઘણી ઉર્જાની જરૂર પડે છે, શરીરના રોજબરોજના કાર્ય કરવા માટે પણ જે શક્તિ ની જરૂર પડતી હતી તેમાં પણ વધારો થાય છે તો તે ઊર્જા તે સૂર્યપ્રકાશના માધ્યમથી મેળવી શકે છે. *ગર્ભાવસ્થા દરમ્યાન થતી સામાન્ય તકલીફો જેવી કે પેટમાં દુખાવો, થાક, ઉબકા-ઉલટી, સ્નાયુમાં ખેંચાણ, અનિદ્રા, અપચન જેવી ઘણી બધી સમસ્યાઓ માત્રને માત્ર રોજબરોજના સૂર્ય સ્નાનથી જ નિવારી શકાય છે.* ગર્ભાવસ્થા દરમિયાન ડિપ્રેશન તણાવ જેવી વગેરે પરિસ્થિતિઓમાં પણ આજકાલ ઘણો વધારો જોવા મળ્યો છે એનું કારણ એક જ છે માનસિક અશાંતી, ગર્ભાવસ્થાના સમયગાળા દરમિયાન અને બાળકના જન્મ પછી પણ સ્ત્રીના શરીરમાં ઘણા ઘણા ફેરફાર થાય છે વજન વધવું, શરીર નો આકાર માં ફેરફાર થવો, શરીરની ચામડીમાં ફેરફાર થવો, સ્ટ્રેચમાર્ક વગેરે જેવી પરિસ્થિતિઓને લીધે મારું શરીર ખરાબ થાશે , એવા વિચારો માંથી આજકાલ ઘણી સ્ત્રીઓ પસાર થાય છે. *તો એ માનસિક સ્થિરતા માટે પણ સૂર્ય સ્નાન ઘણું લાભદાયક છે* તેનાથી માનસિક સ્થિરતા શક્તિમાં વધારો થાય છે. એટલે જ ગર્ભ સંસ્કાર ના નિયમો પણ ગર્ભવતી સ્ત્રી ને નિયમિત સુર્ય સ્નાન કરવાની સલાહ આપે છે...

*પ્રાકૃતિક ચિકિત્સા, ગર્ભ સંસ્કાર, યોગીક પદ્ધતિ, મુદ્રા વિજ્ઞાન, મર્મ ચિકીત્સા, ચક્ર શાસ્ત્ર, સ્વરોદય શાસ્ત્ર, આધ્યત્મિક્તા જેવા અનેક વિષયો આવરી, તેને વૈજ્ઞાનિક તથ્યો સહિત રજુ કરી તેનો સમાવેશ આ લેખમાળા માં કરવામાં આવેલ છે.*
*કોઇપણ સવાલ, સલાહ, ચિકિત્સા માર્ગદર્શન માટે આપ ફોન પર, રૂબરૂ સંપર્ક કરી શકો છો...*

હેમાંગ ભોજક
શ્રી યોગ એન્ડ વેલનેસ
*+91 94299 11497*

*श्री स्वस्थम्*  08 जनवरी, 2023*स्वस्थ शरीरमाद्यं खलु धर्मसाधनम्* प्राकृतिक चिकित्सा और संक्रांतिअगले शुक्रवार यानी 14 ज...
08/01/2023

*श्री स्वस्थम्* 08 जनवरी, 2023

*स्वस्थ शरीरमाद्यं खलु धर्मसाधनम्*

प्राकृतिक चिकित्सा और संक्रांति

अगले शुक्रवार यानी 14 जनवरी 2023 को मकर संक्रांति का पर्व है. आइए आज समझते हैं कि प्राकृतिक दृष्टि से मकर संक्रांति का क्या महत्व है। सबसे पहले, संक्रांति क्या है?
संक्रान्ति का अर्थ है परिवर्तन, बदलाव होना,जब आप एक अवस्था से दूसरी अवस्था में जाते हैं तो उस काल को संक्रान्ति कहा जा सकता है।
बदलाव दुनिया का नियम है लेकिन बदलाव हमेशा आसान नहीं होता। हम समझते हैं कि जब हम एक मौसम से दूसरे मौसम में जाते हैं तो हमारे शरीर को थोड़ी तकलीफ़ है। कुछ लोगों को ईस समय में बीमारी भी हो जाती है, आज के आधुनिक विज्ञान में इसे वायरल इंफेक्शन वगैरह ही कहते हैं और इसके लिए एंटीबायोटिक्स दी जाती हैं।

सामान्यत: एक वर्ष में 12 संक्रांतियां आती हैं, हर बार सूर्य एक राशि से दूसरी राशि में जाता है और उस अवधि को संक्रांति कहते हैं, लेकिन मकर संक्रांति को इतना महत्व हम ही देते हैं, तो आइए समझते हैं....

संक्रांति का समय किसी के लिए आसान नहीं है, मकर संक्रांति का अर्थ है वह समय जिसके बाद दिन लंबे हो जाते हैं और सूर्य की गर्मी बढ़ जाती है, अब तक ठंडे वातावरण में रहने के आदी हमारे शरीर को अब गर्मी का अनुभव होता है उत्साह में वृद्धि होती है लेकिन अगर गर्मी यह ऊर्जा एक निश्चित सीमा से अधिक हो जाने पर शीघ्र ही थकान का रूप धारण कर लेती है।उष्णता, वातावरण में आद्रता बढ़ जाती है। जो शरीर के लिए अच्छा नहीं होता... और शरीर को धीरे-धीरे नुकसान होने लगता है।
इसलिए हमारे प्राचीन ऋषि-मुनियों और वैज्ञानिकों ने सालों पहले इसका उपाय खोज लिया था कि अगर अभी से गर्मी की मात्रा बढ़ने वाली है तो हमें खुद ही शरीर को गर्मी का आदी बनाना चाहिए, शरीर में रोग प्रतिरोधक क्षमता बढ़ानी चाहिए ताकि शरीर भविष्य में मजबूत होता है। गर्म जलवायु के अनुकूल।

गुड़ : शरीर की रोग प्रतिरोधक क्षमता बढ़ाता है, ताकत बढ़ाता है। शरीर को ऊर्जा प्रदान करता है।

गन्ना: जैसे-जैसे गर्मी की मात्रा बढ़ती है, शरीर में शुगर की मात्रा कम होने लगती है. चीनी की मात्रा को बनाए रखने के लिए गन्ने का सेवन आवश्यक है।

मूंगफली के बीज, तिल के बीज: ये दो तिलहन भोजन शरीर की गतिविधि को बढ़ाते हैं, यह शरीर की कार्य क्षमता और जीवन शक्ति को भी बढ़ाता है।

खिचड़ो : सात अलग-अलग तरह के अनाजों को मिलाकर बनाया गया खिचड़ो शरीर में हर तत्व की जरूरत को पूरा करता है.

उंधियू : इसे ज्यादातर सब्जियों से बनाया जाता है इसलिए शरीर को सारे पोषक तत्व इसके जरिए मिलते हैं.

यह विषम परिस्थितियों का संक्रमणकाल होने के कारण मानसिक शांति के लिए आध्यात्मिक रूप से मजबूत होना भी अनिवार्य है और इसीलिए इस दिन दान करने की परंपरा है।
उस विषय पर फिर कभी चर्चा करेंगे...

"हैप्पी मकर संक्रांति"

*प्राकृतिक चिकित्सा, यौगिक पद्धति, मुद्रा विज्ञान, आत्मा चिकित्सा, चक्र शास्त्र, स्वरोदय शास्त्र, आध्यात्मिकता जैसे अनेक विषयों को समेटते हुए वैज्ञानिक तथ्यों के साथ प्रस्तुत करते हुए उन्हें लेखों की इस श्रंखला में शामिल किया गया है।*
*किसी भी प्रश्न, सलाह, चिकित्सकीय मार्गदर्शन के लिए आप फोन पर, आमने-सामने संपर्क कर सकते हैं...*

हेमांग भोजक
Shree Yog and Wellness
+91 94299 11497

*શ્રી સ્વાસ્થ્યમ્* ૦૮ જાન્યુવારી, ૨૦૨૩

*स्वस्थ शरीरमाद्यं खलु धर्मसाधनम्*

પ્રાકૃતિક ચિકિત્સા અને સંક્રાંતિ

આવતા શુક્રવારે એટલે કે 14 જાન્યુઆરી 2023 ના રોજ મકર સક્રાંતિના નો તહેવાર છે. પ્રાકૃતિક દ્રષ્ટિએ મકરસંક્રાંતિનું શું મહત્વ છે એ આજે આપણે સમજીએ. સૌપ્રથમ તો સંક્રાંતિ એટલે શું ?
સંક્રાંતિ એટલે કે ફેરફાર, બદલાવ થવો , જ્યારે તમે એક સ્થિતિમાંથી બીજી સ્થિતિ તરફ પ્રયાણ કરો ત્યારે તે સમયગાળાને સંક્રાંતિ કહી શકાય.
પરિવર્તન એ સંસારનો નિયમ છે પરંતુ પરિવર્તન દર વખતે સહેલું ભી નથી હોતું. આપણે સમજીએ છીએ કે એક ઋતુમાંથી બીજી ઋતુમાં જઈએ ત્યારે આપણા શરીરમાં થોડી તકલીફ પડે છે. અમુક લોકોને આ જ સમયે રોગ ઉત્પન્ન થાય છે આજના આધુનિક વિજ્ઞાનમાં એને વાયરલ ઇન્ફેક્શન કહી અને માત્ર
રુપ પ્રતિકારક દવા આપી દેવાય છે.

સામાન્ય રીતે જોઈએ તો વર્ષમાં 12 સંક્રાંતિ આવે છે સૂર્ય દરેક વખતે એક રાશિમાંથી બીજી રાશિ તરફ પ્રયાણ કરે છે અને એ સમયગાળાને સંક્રાંતિ કહે છે પરંતુ આપડે માત્રને માત્ર આપણે મકરસંક્રાંતિ આટલું મહત્વ કેમ આપીએ છીએ તો ચાલો સમજીએ....

સંક્રાંતિ નો સમય કોઈ માટે સહેલો નથી હોવાનો,
મકરસંક્રાંતિ એટલે એવો સમય કે જ્યારે જેના પછી દિવસો લાંબા થતા જાય છે અને સૂર્યની ગરમીનો પ્રકોપ વધે છે, અત્યાર સુધી ઠંડા વાતાવરણમાં રહેવા ટેવાયેલું આપણું શરીર હવે ગરમીનો અનુભવ કરે છે આજના જ દિવસથી દિવસો લાંબા થતા જાય છે અને રાત્રે ટૂંકી થાતી જાય છે શરીરમાં ઉર્જાનો, સ્ફૂર્તિ નો વધારો જોવા મળે છે પરંતુ જો આ ઉર્જા નો તાપ અમુક હદ કરતા વધી જાય તો તે થાકનો સ્વરૂપ પણ જલ્દીથી લઈ શકે છે ભેજ વાળી ગરમી , વાતાવરણ માં આદ્રતા નું પ્રમાણ વધારે છે. જે શરીર માટે માફક નથી રહેતું.... અને શરીર થોડે ઘણે અંશે તક્લીફ ભોગવવા લાગે છે.
એટલે જ કદાચ આપણા પ્રાચીન મુનિઓ એ, વૈજ્ઞાનિકો એ એનો ઉકેલ વર્ષો પહેલા શોધી કાઢેલો કે કે જો હવેથી ગરમી નું પ્રમાણ વધવાનું છે તો આપડે જાતે જ શરીર ને ગરમી ની આદત લગાવીએ, શરીર માં રોગ પ્રતિકારકતા વધારીએ જેનાથી આવનારા સમય માં શરીર સશક્ત બને. ગરમ વાતાવરણ ને અનુકુળ બને છે.

ગોળ : શરીર ની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે, શકિત વર્ધક છે. શરીર ને ઊર્જા પ્રદાન કરે છે.

શેરડી : ગરમી નું પ્રમાણ વધતાં શરીર માં રહેલી શુગર નું પ્રમાણ વધ ઘટ થવા લાગે છે. આ શુગર, શર્કરા નું પ્રમાણ જાળવી રાખવા શેરડી નું સેવન હિતાવહ છે.

શીંગ, તલ : આ બંને તેલીબિયાં ભોજન શરીર ની ક્રિયાશીલતા વધારે છે.કામ કરવાની ક્ષમતા અને શરીર ની સ્ફૂર્તિ માં પણ વધારો કરે છે.

ખીચડો : સાત અલગ અલગ પ્રકાર ના ધાન્ય મિશ્રિત કરીને બનાવેલો ખીચડો શરીર માં દરેક તત્ત્વો ની જરૂરીયાત પુરી કરે છે.

ઊંધિયું : મોટા ભાગના શાકભાજી નો ઊપયોગ કરીને બનાવાવમાં આવે છે તેથી તેના દ્વારા શરીર ને બધાં જ પોષક તત્વો મળી રહે છે.

વિષમ પરિસ્થિતિઓ નો સંક્રમણ સમય હોવાથી માનસિક શાંતિ માટે આધ્યાત્મિક રીતે સબળ બનવું પણ અનિવાર્ય છે અને તેથી જ કદાચ આ દિવસે દાન ની પરંપરા ની રહી છે... અલગ અલગ રાશિઓ એ અલગ અલગ ધાન્ય,શાકભાજી વસ્તુઓ નું દાન કરવાનો સિદ્ધાંત પણ આ દિવસે છે.
એ વિષય પર ફરી ક્યારેક ચર્ચા કરીશું...

"મકર સક્રાંતિના પર્વ ની અગ્રીમ શુભેચ્છા"

*પ્રાકૃતિક ચિકિત્સા, યોગીક પદ્ધતિ, મુદ્રા વિજ્ઞાન, મર્મ ચિકીત્સા, ચક્ર શાસ્ત્ર, સ્વરોદય શાસ્ત્ર, આધ્યત્મિક્તા જેવા અનેક વિષયો આવરી, તેને વૈજ્ઞાનિક તથ્યો સહિત રજુ કરી તેનો સમાવેશ આ લેખમાળા માં કરવામાં આવેલ છે.*
*કોઇપણ સવાલ, સલાહ, ચિકિત્સા માર્ગદર્શન માટે આપ ફોન પર, રૂબરૂ સંપર્ક કરી શકો છો...*

હેમાંગ ભોજક
શ્રી યોગ એન્ડ વેલનેસ
+91 94299 11497

आप सभी  के लिए प्राकृतिक चिकित्सा दिवस की शुभकामनाएंContact Us for Full articlehttps://wa.me/919429911497नमस्कार दोस्तों...
18/11/2022

आप सभी के लिए प्राकृतिक चिकित्सा दिवस की शुभकामनाएं

Contact Us for Full article

https://wa.me/919429911497

नमस्कार दोस्तों, आज 5वां प्राकृतिक चिकित्सा दिवस है

आज पांचवां प्राकृतिक चिकित्सा दिवस है, तो चलिए आज पता लगाते हैं कि आज के समय में प्राकृतिक चिकित्सा इतनी महत्वपूर्ण क्यों हैं, इसके मुख्य पांच कारण क्या हैं।

(1) किसी भी रासायनिक, संसाधित या संरक्षित खाद्य पदार्थ का उपयोग औषधि के रूप में नहीं किया जाएगा...

आज, जैसे-जैसे बड़े पैमाने पर उत्पादन बढ़ा है, दवा और स्वास्थ्य पेशेवर बन गए हैं, कई कंपनियों ने यह दिखाने के लिए कि उनकी दवा रोगी के लिए काम करती है, रोगी को उसकी प्रकृति में इलाज करने के बजाय , दवा के मूल सिद्धांत को छोड़ दिया हैं । इसलिए मरीज ऐसी दवाइयां भी लेता है जो कंपनी के टारगेट के मुताबिक होती है जबकि रोगी के शरीर उसके लिए ठीक नहीं होती।
इतने तत्व यदि आवश्यकता से अधिक शरीर में चले जाएं तो यह शरीर को नुकसान ही पहुंचाएगा... वैसे तो हर अंग में अपना प्रभाव छोड़ ही देता है। जिससे रोगी का जीवन हमेशा के लिए दवा पर निर्भर हो जाता है।...

(2) दुनिया के हर कोने में पाया जा सकता है। प्राप्त करने में आसान।

मिट्टी, अग्नि, जल, वायु, आकाश जहां ये पांच तत्व कहा नहीं पाए जाते??
यह हर जगह पर्याप्त मात्रा में पाया जा सकता है और ठीक कर सकता है।
कभी-कभी ऐसा भी हो सकता है कि उस तत्व को उसके शुद्ध रूप में पाने के लिए आपको थोड़ी मेहनत करनी पड़े। लेकिन कुछ खास नहीं करना है।
और यहां तक ​​कि जब इसे उपयोग के बाद वातावरण में छोड़ दिया जाता है, तो यह अन्य तरीकों की तुलना में पर्यावरण को बहुत कम नुकसान पहुंचाता है...

(3) लागत नाममात्र है, कुछ पूरी तरह से मुफ्त भी। ताकि हर वर्ग को मिल सके..

सूर्य प्रकाश, वायु, आकाश
इन तीन तत्वों के लिए हमें आज तक एक रुपया भी खर्च नहीं करना पड़ा है।
और अनंत काल तक सूर्य के प्रकाश और आकाश के लिए कुछ करने की जरूरत नहीं है...
आज भी इन तत्वों की कीमत नगण्य है

સર્વેને પ્રાકૃતિક ચિકિત્સા દિવસ ની સ્વસ્થ શુભકામના

નમસ્કાર મિત્રો,આજે છે પંચમ પ્રાકૃતિક ચિકિત્સા દિવસ, 5th Naturopathy Day

આજે પાંચમો પ્રાકૃતિક ચિકિત્સા દિવસ છે, તો ચાલો આજે જાણીએ એ કે આજના સમય માં એવા ક્યાં પાંચ કારણો છે જેનાથી પ્રાકૃતિક ચિકિત્સા નું મહત્વ આટલું વધું છે

(૧) કોઈપણ કેમિકલ, પ્રોસેસ કરેલાં કે લાંબા સમય સુધી સંગ્રહ કરી રાખેલા ખાદ્ય પદાર્થો નો ઉપયોગ દવા તરીકે નહિ થતો...

આજના સમયમાં જેમ જેમ માસ પ્રોડક્શન વધ્યું છે, વૈદ્ય અને સ્વાસ્થય નું વ્યાવસાયીકરણ થયું છે તેને લીધે ઘણી કંપની ઓ મુળ સિદ્ધાંત ને કોરાણે મુકી દર્દી ને અનુરૂપ દવા બનાવવા ને બદલે, તેની પ્રકૃતિ મુજબ ઉપચાર ને બદલે, તેમની દવા જ દર્દી માટે કારગર છે એવું બતાવવા પર વધુ ધ્યાન આપે છે. એટલે જ દર્દી પણ કંપનીઓ ના ટાર્ગેટ ને હિસાબે પોતાને માટે સારી ના હોય, એવી દવાઓ પણ લેતો થય જાય છે.
જરૂર કરતાં શરીર માં આટલા તત્વો જાય એટલે એ શરીર ને નુકસાન પહોચાડે જ છે... અન્ય દરેક રીતે, દરેક અંગો માં પોતાની અસર છોડે છે. જેનાથી દર્દી નું જીવન હંમેશા માટે દવા ને આધારિત બનતું જાય છે....

(૨) વિશ્વ ના દરેક ખૂણે પ્રાપ્ય છે. મેળવવું સરળ છે.

માટી, અગ્નિ, જળ,વાયુ,આકાશ આ પાંચ તત્વો ક્યાં નહિ મળે ?? દરેક જગ્યા પર પૂરતા પ્રમાણ માં મળી શકે અને એનાથી ઉપચાર થઇ શકે છે.
કોઈવાર બની શકે કે જે તે તત્વ શુદ્ધ સ્વરૂપ માં મેળવવાં મહેનત થોડી વધુ કરવી પડે. પરંતુ એનાથી વિશેષ કશું નહિ કરવું પડતું..
અને ઉપયોગ કર્યા બાદ પણ એને વાતાવરણ માં જ્યારે મુક્ત કરવામાં આવે ત્યારે પણ તે વાતાવરણ ને ઘણું જ ઓછું નુકસાન અન્ય પદ્ધતિ ની સાપેક્ષે કરે છે...

(૩) કિંમત નજીવી છે, કેટલાંક તો તદ્દન મફત છે. જેથી દરેક વર્ગ ને પ્રાપ્ત થઈ શકે..

સૂર્ય પ્રકાશ, વાયુ, આકાશ
આ ત્રણ તત્વ માટે આજ સુધી આપડે એક રૂપિયા નો ખર્ચ પણ કરવો પડ્યો નથી..
અને અનંત કાળ સુધી સૂર્ય પ્રકાશ અને આકાશ માટે તો નહિ જ કરવો પડે... (( બાકીના તત્વો માણસો ની મહેરબાની થી પ્રદુષિત થયાં છે ))
છતાં પણ આજે આ તત્વો ની કિંમત નજીવી છે, જેથી ગરીબ માં ગરીબ વર્ગ ના લોકો પણ સામાન્ય સમજણ મેળવી તેનો ઉપયોગ કરી પોતાનું જીવન સ્વસ્થ રાખી શકે છે. અને જે વ્યક્તિ ખર્ચ કરવાં સક્ષમ છે, સમજું ને શિક્ષિત છે તેને તો ખબર જ છે કે આ તત્વો નો મહતમ લાભ કેવી રીતે લેવો...

(૪) શરીર ને શુદ્ધ કરી , જીવન ઊર્જા વધારવા મદદરૂપ થાય છે.. તેથી જો અન્ય પદ્ધતિ, અન્ય પથી ની સાથે પણ જો લેવામાં આવે તો તે પદ્ધતિ ની કાર્ય ક્ષમતા માં પણ વધારો કરે છે.

ઘણી વખત એવું જોવા મળે છે કે દર્દી ને જો એક પથી, પદ્ધતિ થી સારું ના થાય તો ધીરજ ના અભાવે તે તરત જ બીજી પદ્ધતિ તરફ વળે છે ત્યાં તરત જ એના રોગ તકલીફ માં અચાનક ઉછાળ આવે છે, કારણ કે ઘણી વાર એક જ રોગ માટે બંન્ને પદ્ધતિ ના સિધ્ધતો એક બીજાથી વિરુદ્ધ કામ કરતાં હોય છે, જેનું નુકસાન આખરે દર્દી અને બંને પદ્ધતિ ના ચિકિત્સકો એ ભોગવવાનું રહે છે.
એટલે એ વિષય માં પ્રાકૃતિક ચિકિત્સા બિલકુલ નિર્દોષ છે.
તે સરળ હોવાને કારણે અન્ય પદ્ધતિ ના ચિકિત્સકો પણ સામાન્ય સમજ મેળવી એને અનુરૂપ ઉપચાર કરી શકે છે.
અને પ્રાકૃતિક ચિકિત્સા ની જ પૂરતી પરેજી હોય તો દર્દી ની આંતરિક રોગ પ્રતિકારક ક્ષમતા પણ ઉત્તમ જોવા મળે છે, જેનો ફાયદો એ કે અન્ય પદ્ધતિ પણ ઓછા ખર્ચે, ઓછા સમય માં, શરીર ને ઓછું નુકસાન પહોંચાડયા વિના શરીર ઝડપથી સારું પરિણામ આપે છે

(૫) અનુભવી અને જાણકાર નેચરોપેથ બે- ત્રણ કે તેથી પણ વધુ પ્રાકૃતિક પદ્ધતિ નો ઉપયોગ કરી ધાર્યા કરતાં પણ ઝડપથી પરિણામ મેળવી શકે છે..
૮૦% ભાગની મહેનત નેચરોપેથ ની જ્ઞાન અને કાર્ય ક્ષમતા ની હોવાને લીધે, દર્દી ને ભાગે અમુક પરેજી તથા આરામ કરવાનો જ આવે, તેથી દર્દી પણ સુખરૂપે સાજો થાય છે.
પંચ તત્વ ચીકીત્સા ની સાથે સાથે અન્ય ક્રિસ્ટલ ચીકીત્સા, એક્યુપ્રેશર, TCM, રીફ્લેક્સો લોજી, મેગનેટ, મ્યુઝિક થેરાપી, એરોમાં થેરાપી, રેકી, પ્રાણીક ઊર્જા, સ્વર વિજ્ઞાન, મર્મ ચિકીત્સા, મુદ્રા ચિકીત્સા, યોગ ચિકિત્સા, જેવી અન્ય પ્રકારની ઘણી પદ્ધતિઓ નો સમન્વય કરી અતી ઝડપી પરિણામ લાવે છે.
નેચરો પેથ જાતે જ રિસર્ચ અને ડેવલોપમેન્ટ ના સિદ્ધાંત મુજબ પોતાની ભૂલ સ્વીકારી ઝડપી ફેરફાર કરી શકે છે.
અને પોતાના જ્ઞાન મુજબ વધુ માં વધુ લોકો ને લાભ આપી શકે છે.

પ્રાકૃતિક ચિકિત્સા થી માનસિક કે શારીરિક કોઈપણ પ્રકારની તકલીફો માટે આપ અમારી પાસે માર્ગદર્શન લઈ શકો છો...
આપના અને આપના પરિવાર ની સંપૂર્ણ સ્વસ્થતા માટે શુભ કામનાઓ

© HEMANG BHOJAK
Shree Yog and Wellness
+91 94299 11497

#भारत #प्राकृतिक

Address

Jamnagar

Telephone

+919429911497

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Yog and Wellness posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Shree Yog and Wellness:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram