Pooja Hospital

Pooja Hospital તમારા સ્વાસ્થ્યની કાળજી રાખવી એજ અમારો ધર્મ
નાનામાં નાની બિમારી થી મોટામાં મોટા રોગ માટે ૨૪ કલાક તમારી સેવામાં
32 વર્ષનો અનુભવ.

તમારું સ્વાસ્થ્ય એજ અમારો ધર્મ. ૩૪
વર્ષથી અડીખમ અને સતત સારવાર, પ્રમાણિક અભિપ્રાય. સર્પદંશ , દવા પીધેલા કેસ , વિંછી કરડેલા કેસ , ઇલેક્ટ્રિક શોક લાગેલા કેસ , વીજળી પડેલા કેસ , કોઈ પણ જાતના ગંભીર દર્દીઓની સારવાર કરવામાં આવે છે.
આંખના નંબર , મોતિયાના ઓપરેશન.

ફેમિલી ડોક્ટર...... ડોક્ટર જે તમારા ઘરના સભ્ય તરીકે વર્તે, ઘરના ડોક્ટર.ફેમિલી ડોક્ટર , ડૉક્ટર કાકા , ડૉક્ટર મામા , ડૉક્ટ...
15/03/2025

ફેમિલી ડોક્ટર...... ડોક્ટર જે તમારા ઘરના સભ્ય તરીકે વર્તે, ઘરના ડોક્ટર.

ફેમિલી ડોક્ટર , ડૉક્ટર કાકા , ડૉક્ટર મામા , ડૉક્ટર દાદા આ બધા શબ્દો હવે અદૃષ્ટ થઈ રહ્યા છે.

જે ડોક્ટર પાસે નાનામાં નાનું બાળક , દીકરી , ઘરની વહુ કે વૃદ્ધ માણસ પોતાની સમસ્યા વ્યક્ત કરી દવા લઈ આવતા , ડોક્ટરને તેના આખા કુટુંબની પૂરેપૂરી શારીરિક , આંતરિક , આર્થિક તથા સામાજિક જાણકારી રહેતી.તે પ્રમાણે ડૉક્ટર શારીરિક સમસ્યા અને કોઈક વખત કૌટુંબિક સમસ્યાનું સમાધાન કરી આપતા.

ડોક્ટર તેના ફેમિલી પેશન્ટ ની આર્થિક હાલત પ્રમાણે મદદ અને સારવાર પણ કરતા.ડોક્ટર સમક્ષ તે દર્દીની ૩ થી ૪ પેઢી સારવાર કરાવી ચૂકીહોય.ડોક્ટરે તે દર્દીની આર્થિક લીલી સૂકી ( ચઢતી પડતી ) પણ જોઈ હોય અને એ પ્રમાણે સારવારનો ચાર્જ લીધો હોય.

પણ હવે જમાનો બદલાઈ ગયો છે , નવો શિરસ્તો અમલમાં આવ્યો છે.

" આપણે ડોક્ટર
જોડે ઘર જેવું "

બેશુમાર રૂપિયા આપીને ભણ્યા હોય તે ધર્માદા કરવા થોડા બેઠા હોય ?

મેડિકલ સ્ટોર , લેબોરેટરીમાં રૂપિયા લઈને ભાગ કર્યો હોય તે
મેડિકલ સ્ટોર વાળા કે લેબોરેટરી વાળા તમને છોડવાના છે ? ચાલુ કંપની ની મોંઘી દવાઓ જે આડ અસર પણ કરી શકે છે. લેબોરેટરીમાં રિપોર્ટ મોંઘા અને બિન ભરોસા પાત્ર હોઈ શકે.

કહેવાય છે ને "ભલા માણસ જો ઘોડો ઘાસથી દોસ્તી કરે તો ખાય શું ?"

સંક્ષિપ્તમાં ડોક્ટરના મધુર વાણીથી આફરીન થઈને હવે દર્દીઓ ડોક્ટર પ્રત્યે આકર્ષાય છે.

આવા ડોક્ટર કોઈના " ઘરના નથી હોતા ", જ્યારે તમારું સ્વજન ગંભીર હાલતમાં હોય ત્યારે આ *તમારા ઘર જેવા ડોક્ટર "તમને બહાર મોટી પ્રાઇવેટ હોસ્પિટલમાં મોકલી આપે છે અને તગડું કમિશન મેળવે છે.

હવે વિધિની વક્રતા કહો કે કઈ પણ ,આ દર્દી બહાર જઈને અઢળક પૈસા ખર્ચીને પાછા આવે ત્યારે તેમના " ઘર જેવા ડોક્ટર" ચાર્જ લેતા નથી એમ સમજીને હરખાય છે અને આજુબાજુના પાડોશી આગળ " ઘર જેવા ડોક્ટર" ના વખાણ કરતા થાકતા નથી પણ તે આ વાતથી અણજાણ હોય છે કે તેમના " ઘર જેવા ડોક્ટર"ને મોટી હોસ્પિટલમાં થી તગડું કમિશન મળી ચુક્યું હોય છે.

શકય છે કે ગામમાં આવા પ્રકારના અનુભવ ઘણાને થઈ ચૂક્યા હશે. અને બાકી હશે તો હવે થશે

હવે ડોક્ટરનો વ્યવસાય માં ડોક્ટર - દર્દી વચ્ચે સ્નેહના તાણાવાણા જેવા સંબંધો નથી રહ્યા.

ડોક્ટર ની આવડત નહીં, ગામનાં અનિષ્ટ તત્વો અને અસંતુષ્ટ તત્વોનું પ્રભુત્વ વધી રહ્યું છે. અને વચેટીયાઓ તરીકે દર્દીના સગાઓ પણ કમિશન ખાઈ રહ્યા છે. ડોક્ટર પાસે વધારે બિલ બનાવી ઓછા કરવાનાં બહાના હેઠળ મલાઈ ખાઈ રહ્યા છે અને દર્દીઓ આર્થિક રીતે લૂંટાઈને પણ જીવ ગુમાવી રહ્યા છે.

અધૂરામાં પૂરું ગામડામાં જઈને લોકો કેમ્પ અને સસ્તા ભાવના રિપોર્ટના બહાને દર્દીને બહાર પોતાને ત્યાં ખેંચી જવા તૈયાર જ હોય છે.અને બિન જરૂરી એન્જીઓગ્રાફી અને બાયપાસના ચક્કરમાં ફસાઈને જીવ ગુમાવે છે. જે તાજેતરમાં
એક હોસ્પિટલના કેમ્પમાં લોકોને અનુભવ થયો હતો. આવો એક કેમ્પ ઉકરડીના મુવાડામાં યોજાયો હતો અને
પેલી હોસ્પિટલના સંચાલકો
પણ ત્યાંથી જ પકડાયા હતા.

હજુ સમય છે સારા ફૅમિલી ડોક્ટર શોધવાનો, સારા પ્રમાણિક, હોંશિયાર એમબીબીએસ, DHMS કે BSAM ડોક્ટર તમારા સારા ફેમિલી ડોક્ટર બની શકે છે.
એડવોકેટ પ્રતિમા શેલાર , આશિષ શેલાર , મહારાષ્ટ્ર બીજેપીના ઇન્ફોર્મેશન અનેj ટેક્નોલોજી મિનિસ્ટરના પત્ની જે ફેમિલી ડોક્ટરનું મહત્વ સમજાવે છે. તેમના ફેમિલી ડો અશોકભાઈ શેઠ છે જે ૫૦ વર્ષથી પ્રેક્ટિસ કરે છે. તેમના દર્દીઓના બાળકો બહારના દેશમાં રહીને પણ પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ મુજબ ચાલે છે. તેમણે ફેમિલી ડોક્ટરનું મહત્વ બહુ સરસ રીતે સમજાવ્યું છે

હવે પછી આવા સેવાભાવી
ડોક્ટર દુર્લભ થઈ જશે અને
મેવા ખાવાવાળા ડોક્ટરની
ઉત્પત્તિ ચાલુ છે.

તાજેતરમાં આપણે એક સેવાભાવી ડો ગિરીશભાઈ
તલાટી ગુમાવ્યા છે. જે એક
સારા ફેમિલી ડોક્ટરનું ઉત્કૃષ્ટ
ઉદાહરણ છે. ડો ગિરીશ ભાઈએ સમાજને 45 વર્ષ જિંદગીના છેલ્લા દિવસ સુધી
ખરાબ સ્વાસ્થ્ય સાથે સેવા આપી. એ નવા ડોક્ટર માટે એક
સચોટ ઉદાહરણ છે.

આશા રાખીએ સમાજને
આવા નવા ફેમિલી ડોક્ટર
મળતા રહે.

આપનો હિતેચ્છુ,
ડો ભાવેશ શાહ.

" *ભારતીય મહિલાઓમાં બ્લડ પ્રેશર, હૃદયરોગ અને હાર્ટ એટેક"* ...................એક સરસ આર્ટિકલ મારા ૩૪ વર્ષના  અનુભવોનો નીચ...
12/01/2025

" *ભારતીય મહિલાઓમાં બ્લડ પ્રેશર, હૃદયરોગ અને હાર્ટ એટેક"* ...................એક સરસ આર્ટિકલ
મારા ૩૪ વર્ષના અનુભવોનો નીચોડ

નીચેનું લખાણ જન ગર્જના માં
અંકિત જ છે એટલે ,એ પ્રિન્ટ આઉટ કરવી લેવો.

પણ કોઈ પણ paragraph વિશે
અસમંજસ હોય તો સગવડ ખાતર
આ આર્ટિકલ પણ સાથે પોસ્ટ કરેલ છે.

કોરોના પછી સાર્વત્રિક હ્રદય રોગને લીધે મૃત્યુદર વધ્યો છે.
તેથી તકેદારીના પગલાં રૂપે આ આર્ટિકલ લખવામાં આવ્યો છે. Please આ આર્ટિકલ તમારા પ્રિયજનો માં
શેર કરી તેમને મોટી હોનારતમાંથી બચાવશો.

ફેસબુકના નિયંત્રણને લીધે વધારે લોકોને tag કરી શક્યો
નથી અને late night આ આર્ટિકલ પોસ્ટ કર્યો હોવાથી
જે લોકોને tag કર્યા છે તેમની સંમતિ લઈ શક્યો નથી
જે પણ ફેસબુક મિત્રોને આપત્તિ હોય તો તે untag
થઈ શકે છે.આભાર 🙏🙏

પુરુષો કરતા સ્ત્રીઓને આવતા હાર્ટ એટેકની સંખ્યા ઓછી હોય છે, કારણ કે જ્યાં સુધી સ્ત્રીઓમાં માસિક ઋતુચક્ર ચાલુ રહે ત્યાં સુધી Oestrogen નું પ્રમાણ વધારે રેહવાથી હૃદયને હાર્ટ એટેકથી સંરક્ષણ મળે છે. જ્યારે ઋતુચક્ર બંધ થાય ત્યારે પુરુષ અને સ્ત્રીમાં હાર્ટ એટેક આવવાની સંભાવના સરખી રહે છે.

૧. Menopause એટલે ઋતુસ્ત્રાવનો અંત, રજો નિવૃત્તી.આ સમય દરમિયાન
શરીરમાં અંત:સ્ત્રાવોની
અનિયમિતતાને લીધે બ્લડ
પ્રેશર વધે છે.

૨.Menorrhagia - વધુ
પડતું માસિક આવવાને
લીધે શરીરમાં લોહી ઓછું
થાય છે અને ઘટેલા
Oestrogen ના લેવલને
લીધે હૃદયને મળતું સંરક્ષણ
ઓછું થઈ જાય છે અને
હાર્ટ એટેક આવવાની
સંભાવના વધી જાય છે.

૩. ગર્ભ નિરોધક ગોળીઓ (oral contraceptive
Pills) ગર્ભાધાન. પ્રસુતિ
અટકાવવા લેવામાં આવતી
ગોળીઓથી બ્લડ પ્રેશર
વધી શકે છે.અને લોહી
જાડું થવાથી હાર્ટ એટેક
આવવાની તથા લોહીના
ગઠ્ઠા થવાથી તે ફેફસામાં
જવાથી Pulmonary
Embolism , હૃદયને
લોહી પહોંચાડવાની
નળીઓમાં બ્લોક થવાથી
હાર્ટ એટેક આવી શકે છે.
એટલે શક્ય હોય ત્યાં સુધી
ગર્ભનિરોધક ગોળીઓ
સિવાય સંતતિ નિયમનના
બીજા ઉપાયો જેવા કે
-કોપર T , નિરોધ વગેરેનો
ઉપયોગ કરવો.

૪.ઋતુસ્ત્રાવ વખતે વધુ પડતું
શ્રમવાળું કામ કરવાથી હાર્ટ
એટેક આવવાની સંભાવના
વધે છે.
માસિક ધર્મ (રજસ્વલા ધર્મ)
એટલે માસિક આવે ત્યારે
સ્ત્રીને જૂના જમાનામાં તથા
હાલમાં પણ ઘણા ઘરમાં
ધર્મનું ચુસ્ત પાલન કરવામાં
આવતું હોય ત્યારે સ્ત્રી ને
માસિક આવતું હોય તો
ઘરમાં કોઈ પણ કામ
કરવા દેવામાં આવતું નથી.

આ પાછળ એક વૈજ્ઞાનિક
કારણ પણ સંકળાયેલું છે.
માસિક આવે ત્યારે શરીરમાં
Oestrogen નુ લેવલ
ઓછું થવાથી હૃદયને મળતા
રક્ષણમાં ઘટાડો થાય છે. અને
હાર્ટ એટેક આવવાની
સંભાવના રહેલી છે.

૫.સ્ત્રીઓમાં હૃદય નાનું હોય છે
તથા હૃદયને લોહી પહોંચાડતી
નળી( coronary arteries)
પુરુષના પ્રમાણમાંનાની હોય છે.
એટલે નળી બ્લોક થવાની
સંભાવના વધારે હોય છે.અને પુરુષોમાં આવતા હાર્ટ એટેક કરતા વધારે જીવલેણ હોય છે.

૬.સ્ત્રીઓમાં ઘરકામ , બાળકોની
સાચવણી , પતિના કામો કરવા
આ બધાને માનસિક તણાવ
(Stress) વધારે હોય છે.

આ ઉપરાંત નોકરી કરતી
સ્ત્રીઓમાં ,અને ખાસ કરીને
હોસ્પીટલમાં , call સેન્ટર
વગેરે નોકરીમાં બદલાતી
(Shift) Duty માં ઊંઘની
અનિયમિતતાને લીધે બ્લડ
પ્રેશર વધવાની સંભાવના
વધી જાય છે.

૭.સ્ત્રીઓમાં થતો એક રોગ PCOD (Polycystic ovarian disease) જેમાં
ઘણી સંખ્યામાં અપરિપક્વ અંડકોશો તૈયાર થઈ, અંડાશયમાં
જલાર્બુદ ( પાણીની ગાંઠ) બનાવે
છે.જેને લીધે માસિકમાં અનિયમિતતા , સ્થૂળતા અને વધારે બ્લડ પ્રેશર થવાની શક્યતા રહે છે.

૮. સ્થુળતા , જાડિયાપણું, બ્લડ પ્રેશર વધારે છે.

૯. પાપડ , અથાણાં , આથેલા આમળા ,fastfood વગેરેમાં આવતા વધારે મીઠાના પ્રમાણના લીધે પણ બ્લડ પ્રેશર વધે છે.

૧૦. ધૂમ્રપાનની લતને કારણે
બ્લડપ્રેશર વધે છે.

૧૧. કોસ્મેટિક પ્રોડક્ટ્સ જેવી કે
સનસ્ક્રીન લોશન અને make up માં વપરાતા સામાન જેમાં phenol અને paraben હોય છે તેનાથી
બ્લડ પ્રેશર વધી શકે છે.
* Shampoo માં આવતા
Per -and polyfluroalkalyl substances (PFAS) થી
૭૧ % લોકોમાં બ્લડ પ્રેશર વધવાની સંભાવના રહેલી છે એટલે સુગંધ રહિત અને paraben free શેમ્પૂ વાપરવા.

૧૨. સ્તનની size વધારવાના ક્રીમ જેમાં oestrogen આવે છે તે કોઈક દર્દીમાં બ્લડ પ્રેશર વધારી શકે છે .
જો કે તેના બહુ પુરાવા નથી.

એટલે ડોક્ટરની સલાહ
લીધા બાદ જ તેનો ઉપયોગ
કરવો.

૧૩. ધૂમ્રપાન , તમાકુનું સેવન
પણ બ્લડ પ્રેસર વધારે છે.

૧૪. લોહીમાં વધુ પડતો ચરબીનું
પ્રમાણ પણ હાર્ટ એટેક લાવી શકે છે.

૧૫.જો ચુસ્ત બાંયના (Tight Sleeve) નાં કપડાં પહેરવામાં
આવે તો તે બ્લડ પ્રેશરના હાઈ રીડિંગ બતાવી શકે છે.

૧૬. Body building supplements
જીમમાં સ્નાયુઓનો જથ્થો વધારવા તથા stamina વધારવા લેવામાં આવતા
Suppliments
*કેફીન. - હૃદયનાં ધબકારા વધારે છે.
*જીન્સેંગ - stamina વધારવા
લેવા માટે લેવામાં આવતા જીન્સેંગથી ઊંઘમાં ઘટાડો થાય છે અને બ્લડપ્રેશર માં વધારો થાય છે.
*Anabolic સ્ટેરોઇડ્સ - બ્લડ પ્રેશર માં વધારો કરે છે. ધબકારા અનિયમિત થઈ જાય છે.હાર્ટ એટેક આવી શકે છે.
*Creatine.બ્લડ પ્રેશર વધારી શકે છે.કીડની ઉપર સોજો આવે છે.
*NO - નાઈટ્રિક ઓક્સાઈડ, લોહીની નળીઓને પહોળી કરી
મસલ્સનો blood supply વધારે છે , પણ તેનાથી એકદમ બ્લડ પ્રેશર ઘટી શકે છે.

06/01/2025
*આ શિયાળામાં બ્લડપ્રેશર કે હાર્ટ એટેકની અનહોનીથી કેવી રીતે  બચશો ?*તમારો વીમો તમે જાતે જ ઉતારોપ્રીમિયમ માં નીચેની વસ્તુઓ...
28/12/2024

*આ શિયાળામાં બ્લડપ્રેશર કે હાર્ટ એટેકની અનહોનીથી કેવી રીતે બચશો ?*

તમારો વીમો તમે જાતે જ ઉતારો
પ્રીમિયમ માં નીચેની વસ્તુઓ ધ્યાનમાં રાખો , પ્રીમિયમ સમયસર ભરાય તેનું ધ્યાન રાખો.

૧. રાતે સૂતી વખતે પાણી વધારે પીવાની ટેવ પાડો
૨. બહાર પરસાળમાં , છાપરા નીચે કે ખુલ્લામાં સુવુ નહિ ,
બહાર સૂવાથી લોહી જાડું થવાથી
લકવો કે એટેક આવવાની શક્યતા વધી જાય છે.
૩. રાતના ભારે ભોજનનો ત્યાગ કરો.
*રાંધેલા ખોરાક લીધા પછી હોજરી ખાલી થતા ૪૫ મિનિટ થાય છે.
*ફળ ફળાદી ખાધા પછી હોજરી
ખાલી થતા ૧૫-૨૦ મિનિટ થાય છે.
*.ફિશ - માછલી ખાધા પછી હોજરી ખાલી થતા ૬૦ મિનિટ લાગે છે.
*ચિકન તથા મટન ખાધા પછી
હોજરી ૧૮૦ મિનિટ બાદ ખાલી
થાય છે.
*આ સીઝનમાં કચોરીઓ પણ વધારે પડતી ખાવામાં આવે તો
જીવલેણ સાબિત થઈ શકે છે.
૪.જે કામથી વધારે ટેવાયેલ ના
હોય તેવું વધારે શ્રમવાળું કામ
કરવામાં આવે તો પણ એટેક આવવાની શક્યતા વધી જાય છે.
૫.હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે સ્નાન કરવામાં આવે તો પહેલા શરીરનો નીચેનો ભાગ નહાતી વખતે પલાડવામાં આવે છે, નદીમાં કે તળાવમાં ઉતરતી વખતે શરીરનો નીચલો ભાગ પહેલા પલડે છે, જ્યારે હવે શાવર કે ડોલમાંથી પહેલું પાણી માથા પર નાખવામાં આવે છે. ઠંડુ પાણી માથા પર વધારે રેડવાથી લકવો થવાની સંભાવના વધી જાય છે.
૬.બ્લડપ્રેશર ની દવાઓ નિયમિત લેવી .બ્લડપ્રેશર ઠંડીમાં વધે છે અને ગરમીમાં ઘટે છે. નિયમિત દવાઓ લેવા છતાં ઠંડીમાં બ્લડ પ્રેશર વધે છે તેને accelerated
Hypertension કહે છે.તે જીવલેણ સાબિત થઈ શકે છે.
૭.સવારે ઊઠીને તરત જ ઉભા થવાથી પડી જવાથી ફ્રેકચર કે લકવો થવાની સંભાવના વધી જાય છે.એટલે જાગ્યા પછી ખાટલાની ધાર ઉપર બેસી પગ હલાવવા ત્યાર બાદ ૪-૫ મિનિટ
બાદ ઊભા થવાથી પડી જવાની
સંભાવના ઘટે છે.
૮.હૃદય પહોળું થતું હોય અને શરદી ખાંસી થઈ હોય તો તરતજ દવા કરાવો નહિ તો શ્વાસ વધી જશે.
૯.હાથમાં ,ખભામાં,જડબામાં
દુખાવો થતો હોય તો બ્લડ પ્રેશર ચેક કરાવી લેવું, બીપી મપાવવું
ત્યાર બાદ જ ઓર્થોપેડીક કે દાંતના ડોક્ટરનો સંપર્ક કરો.લોકોએ ભૂતકાળમાં થતા હૃદયના લીધે થતા દાંતના દુખાવામાં બધા દાંત પડાવી દીધા હોય અને ચોકઠું હાથમાં આપતા જ મૃત્યુ થવાના દાખલા નોંધાયા છે.હૃદયથી થતા ખભાના દુખાવામાં કસરત કરવાથી મોતને
નિમંત્રણ આપવાનું કામ કરે છે.
૧૦.મીઠાનું વધારે પડતું પ્રમાણ
પાપડ , વેફર , પોટેટો ચિપ્સ,ખાવાનો સોડા ,અથાણાં, મીઠા વાળા બિસ્કીટ, વધારે મીઠું
નાખેલા સલાડ ,મીઠા વાળા કાજુ
વગેરે બ્લડ પ્રેશરમાં વધારો કરે છે.
૧૧. માનસિક તણાવના કારણે પણ બ્લડ પ્રેશરમાં વધારો થાય છે.
૧૨.દારૂનું વ્યસન બ્લડ પ્રેશરમાં વધારો થવા માટે જવાબદાર છે.
૧૩.તમાકુનું સેવન મસાલા ,
બીડી.સિગરેટ, હુક્કો , છીંકણી
વગેરે બ્લડ પ્રેશરમાં વધારો કરે છે.
૧૪.સ્થુળતાથી બ્લડ પ્રેશરમાં વધારો થાય છે અને હૃદયને બિન
જરૂરી શ્રમ પડે છે.
૧૫.કેફીન યુક્ત પીણાં જેવા કે
Redbull ધબકારા અને બ્લડ પ્રેશર વધારે છે.બ્લડ પ્રેશરનાં દર્દીઓનું વધારે પડતું સેવન હાર્ટ
એટેકના પરિણમી શકે છે.

હવેના જમાનામાં બ્લડ પ્રેશર એ રોગ નથી પણ life style છે.
ભાગ દોડ વાળી જિંદગી , માનસિક તણાવ , વ્યસનો , સ્થૂળતા , અનિયમિત ખોરાક અને ફાસ્ટ ફૂડ આ બધા પરિબળો
અગત્યનો ફાળો ભજવે છે.

*બ્લડ પ્રેશરની ગોળી હંમેશા ભૂખ્યા પેટે લેવી.*

**બ્લડ પ્રેશર માપવું અને કંટ્રોલ કરવું એ એક કળા છે. અનુભવી
ડૉક્ટર જ તેને સમયસર અને આસાનીથી કંટ્રોલ કરી શકે છે.**

જો તમારી બ્લડ પ્રેશરની ગોળીઓ વારંવાર બદલાતી હોય તો તેનો મતલબ એ જ કે તમારું
બ્લડ પ્રેશર કંટ્રોલમાં નથી.

જો હાઈ બ્લડ પ્રેશર ( malignant hypertension) સમયસર કાબુમાં કરવામાં ના આવે તો
સર્જાતી સમસ્યાઓ.

*આંખમાં ઝાંખું દેખાવું , અંધત્વ આવવું.
*હાર્ટ એટેક આવવો.
*હ્રુદય પહોળું થઈ જવાથી શ્વાસ
ચઢવાનો ચાલુ થાય , નાક અને મોઢામાંથી ફીણ અને લોહી નીકળે
*બ્રેઇન હેમરેજ થવું , બ્રેઇન સ્ટ્રોક
એટલે લકવો થઈ જવો.
*ખેંચ આવવી , કોમામાં સરી જવું
Hypertensive encephalopathy.
*કીડની ઉપર સોજો આવવો , કીડની fail થઈ જવી.

Mercury sphigmomenometer ( પારા વાળા બીપી માપવા નાં મશીન) થી જ સાચું બ્લડ પ્રેશર મપાય. Electronic મશીન દે
મોટે ભાગે ખોટા રીડિંગ બતાવે છે.

Medical Joustingઆ એક શબ્દ ઘણા વખતથી ચર્ચામાં છે.જ્યારે એક ડૉક્ટર બીજા ડોક્ટરની કાર્યશૈલી પર ટીકા કરે તે. આમ તો આ તબીબીઆલ...
15/12/2024

Medical Jousting

આ એક શબ્દ ઘણા વખતથી ચર્ચામાં છે.જ્યારે એક ડૉક્ટર બીજા ડોક્ટરની કાર્યશૈલી પર ટીકા કરે તે.

આમ તો આ તબીબીઆલમના બંધુત્વની ભાવનાને ઠેસ પહોંચાડે છે.

પણ વસુધૈવ કુટુંબકમને ધ્યાનમાં રાખીએ તો દર્દીઓ કોઈક ડોક્ટરની કાર્યશૈલીના લીધે મોતના મુખમાં ધકેલાઈ જાય એવું
થતું હોય તો લોકહિતને ધ્યાનમાં
રાખીને કોઈક ડૉક્ટર પ્રત્યે medical Jousting ની હું
તરફેણમાં છું.

બહુ ચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડ વખતે પણ મેં અમુક હોસ્પિટલ વિશે કોમેન્ટ કરી હતી ત્યારે ,એક હોસ્પિટલના સંચાલકનો મારી પર ફોન આવ્યો હતો ત્યારે પણ મેં એમને કહ્યું હતું
કે આ સત્ય હકીકત છે તે તમારે
સ્વીકારવી પડે , અને એવું હોય તો જે તે સમાચાર પત્ર છાપે છે તેને ફોન કેમ નથી કરતા ? અને બીજે જ દિવસે તેમની હોસ્પિટલનું નામ બીજા સમાચાર પત્રમાં ચમક્યું.

દર્દી ડૉક્ટર પાસે પોતાની સમસ્યા લઈને આવે છે, જો તમે તેનો હલ ન કરી શકો તો કંઇ નહીં પણ તેને
શારીરિક અને આર્થિક નુકશાન તો ન કરો.અમુક ગણ્યા ગાંઠ્યા
ડોક્ટરોને લીધે આખા તબીબી સમાજને સોશિયલ મીડિયામાં
કસાઈ, હત્યારા જેવી ઉપાધિઓ
એનાયત કરવામાં આવે છે.

તબીબી ક્ષેત્ર માત્ર કમાવા માટેનું સાધન નથી પણ સમાજમાં રહેલા દર્દીઓને મદદરૂપ થવા માટેનું એક માધ્યમ છે.જેને માટે
સંવેદના હોવી જરૂરી છે.પણ દિવસે ને દિવસે ઘણા ડોક્ટરો
સંવેદનહીન બનતા જાય છે.

મારા પોતાના મામા ૧૯૪૩ માં વિલે પાર્લેમાં ત્રણ ડોક્ટર હાજર હોવા છતાં કોઈ પણ ડોક્ટરે સારવાર ન આપતા સારવારના અભાવે મૃત્યુ પામ્યા હતા. મારા નાના શ્રી વીરચંદ શેઠ સ્વાતંત્ર્ય સેનાની હતા અને
કપડવંજના સ્વાતંત્ર્ય સેનાની શ્રી જયશંકરભાઈ ત્રિવેદી અને જડાવબાશિશુ મંદિરના પ્રિન્સીપાલ શ્રીમતી સવિતાબેન જયશંકર ત્રિવેદી સાથે જૂનાગઢની આઝાદીની આરઝી હકૂમતમાં સંકળાયેલ હતા.ત્યારે મારા નાનાએ નિર્ણય કર્યો કે તેમના દરેક સંતાનના ત્યાં એક સંતાનને ડૉક્ટર બનાવવુ.

મુન્નાભાઈ MBBS માં ડૉ અસ્થાના પોતાના પહેલા જ લેક્ચરમાં દરેકને પૂછે છે કે તમારે ડોક્ટર શેના માટે થવું છે.નાના હતા ત્યારે શિક્ષક પણ વર્ગમાં ઊભા કરીને પૂછતા ત્યારે બાળકોના જવાબ એજ હોય કે સેવા કરવા.

હવે જમાનો બદલાયો છે અને લોકો પણ ડોક્ટર પાસે સેવાની અપેક્ષા નથી રાખતા તેનો મતલબ એ નથી કે ડોક્ટરે પોતાના દર્દીને તેનામાં મુકેલા વિશ્વાસનું હનન કરવું.અને કદી બહાર ન નીકળી શકે તેવા શીશામાં ઉતારી દેવો.

દર્દીઓ પણ ડોક્ટરોને ભગવાનનું સ્વરૂપ માનતા હોય છે તોડોકટરોની માત્ર પૈસા માટે આવી હેવાનિયત શા માટે ?

અતિ ગંભીર દર્દીને પ્રાથમિક સારવાર આપ્યા વગર , છાતીના દુ:ખાવાના દર્દીને ECG (કાર્ડિયો ગ્રામ) પણ લીધા વગર !!!એમ્બ્યુલન્સમાં જ્યાં તગડું
કમિશન મળતું હોય તેવી હોસ્પિટલમાં મોકલી દઈ તેને મોટા આર્થિક ખાડામાં નાખી દેવાની વૃત્તિ વધતી જાય છે.મોટા ભાગના દર્દીઓ મોટી હોસ્પિટલ પહોંચે તે પહેલા મૃત્યુ પામે છે અને કોઈ મોટી હોસ્પિટલની અડફેટે ચઢી જાય તો આર્થિકમૃત્યુ પણ નક્કી જ છે.

વાર્ષિક routine bodycheck
up નો કોઈ ફાયદો નથી.
તકલીફ હોય તે જ અથવા તમારા વિશ્વાસુ ફેમિલી ડોક્ટરની સલાહ મુજબ જ ટેસ્ટ કરાવો.

દર્દીએ લાંબુ અને શાંતિપુર્ણ જીવન જીવવું હોય તો ભરોસાપાત્ર ફેમિલી ડોક્ટરનીસલાહ મુજબ જ વર્તવું , બશર્તે ફેમિલી ડોક્ટર પ્રામાણિક હોય અને હરઘડી તમને તબીબી સહાય આપવા સક્ષમ હોય.

ફ્રી બોડી check up જોખમી
પ્રક્રિયા છે તેનો અનુભવ ખ્યાતિ
હોસ્પિટલ કાંડમાં લોકોને થઈ ચૂક્યો હશે. મહદ્ અંશે સાજા માણસોને દર્દીઓમાં પરિવર્તિત કરવાનું એક સુનિયોજિત કાવતરૂં છે.

હવે ઘણી જગ્યાએ in house
Laboratory હોય છે જેમાં કોલેસ્ટેરોલથી માંડીને પ્લેટલેટ ( ત્રાક કણો) અને ટાઈફોઈડના
રિપોર્ટમાં ગોલમાલ કરવામાં આવે છે.

નાની ઉંમરે કોલેસ્ટેરોલના ખોટા રિપોર્ટ આપી , બિનજરૂરી રીતે
કોલેસ્ટેરોલની દવાઓ ચાલુ કરવામાં આવે છે જે દર્દીને શારીરિક તથા આર્થિક નુકશાન
પહોંચાડે છે.

અમુક હોસ્પિટલમાં દાખલ દર્દીની તબિયતમાં નહીં પણ રિપોર્ટ જરૂર સુધરતા જાય છે. મેં જોયેલા એક દર્દીને અઠવાડિયાથી તાવ ઊતરતો નહોતો , દિન પ્રતિ દિન તબિયત બગડતી હતી. WBC count (એક અઠવાડિયા બાદ શ્વેતકણો ૨૭૦૦૦ થી ૧૧૦૦૦ અને CRP ૨૨૧ માંથી ૧૫ પર આવી ગયું).

કંટાળીને દર્દીના પરિવારે ત્યાંથી કાકાને રજા લઈ મારી પાસે લાવ્યા WBC ૨૯૦૦૦ અને CRP ૨૩૦. કાકા બે ત્રણ દિવસમાંસારવારથી સ્વસ્થ થઇ ગયાં એટલે મેં પૂછ્યું કે કાકાનું ડોક્ટરે નિદાન શું કર્યું હતું, ત્યારે કાકાએ કહ્યું મને આંતરડાંમાં સોજો હતો.

આ માંદગીના ગાળા દરમ્યાન કાકા તે હોસ્પિટલમાં સવારે ૬-૭ રોટલી અને સાંજે ૩ રોટલા , સવાર સાંજ ૨- ૨ બાફેલા ઈંડા ખાતા હતા તો આંતરડાંમાં સોજો ન હોય તો કેટલું ખાતા ?😂

દરેક ડોકટર આખરે તો મનુષ્ય જ
હોય છે, માણસ માત્ર ભૂલને પાત્ર
પણ જાણીને વારંવાર કરવામાં આવતી ગુનાહિત કૃત્યોની શું સજા હોઈ શકે તે દર્દીઓએ વિચારવાનું રહ્યું.???!!!

તાજેતરમાં એક હોસ્પિટલના કૌભાંડના , હોસ્પિટલના સંચાલકો , જોગાનુજોગ કપડવંજની નજીકના જ ગામના
ફાર્મ હાઉસમાંથી પકડાયા.આ જ
ગામમાં એક વર્ષ પહેલા એક મેગા કેમ્પનું આયોજન થયું હતું અને હજી પણ દર્દીઓ ત્યાં જતા હતા.

કાતિલ ઠંડીની શરૂઆત થઈ ગઇ છે અને હાર્ટ એટેક થી થતા મૃત્યુનો દોર પણ ચાલુ થઈ ગયો છે.આવા સમયે હૃદયરોગના ઘણા બધા કાયમી દર્દીઓના મગજમાં એવું અંકિત થઈ ગયું છે કે ડોક્ટર તો બિનજરૂરી દવા લખે , બધી ખાવી જરૂરી નથી.એટલે આ દવાઓ બિનજરૂરી છે તેમ માનીને બંધ કરી દે છે. એટલે કાયમી હૃદયરોગના દર્દીઓને નમ્ર વિનંતી કે દવાઓ બંધ કરીને પોતાની જિંદગીને જોખમમાં ન મૂકે.

અત્યારે ઘણા બધા લોકો છાતીનો દુખાવો જે હૃદયરોગના લીધે હોય છતાં ડોક્ટર પરના અવિશ્વાસને લીધે ડૉક્ટર પાસે જતા અને કાર્ડિયોગ્રામ કરાવતા ગભરાતા હોય છે .આવા દર્દીઓને મારું નમ્ર સૂચન છે કે જો તમને એક ડૉક્ટરના નિદાન સાથે સંમત ના હોય તો બીજા ડોક્ટરનો અભિપ્રાય લો.

angiography જરૂરી હોય તો તાકીદે કરાવો નહિ તો તે જીવલેણ બની શકે છે.

જેવી રીતે સિંહ અને વાઘ એ લુપ્ત થતી પ્રજાતિ છે

એમ સેવાભાવી અને ઈમાનદાર ડોકટરોની ઉત્પત્તિમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.પણ જે હયાત સેવાભાવી ડોક્ટરો છે તેમની જાળવણી સમાજનીજીમ્મેદારી છે

અત્યાર સુધી તેમણે સમાજને જે આપ્યું છે તે ૠણ ચૂકવવાનો અને સન્માનિત કરવાનો આ જ સમય છે બીજું કંઈ આપી ન શકાય તો કંઇ નહીં પણ તેમને સન્માન આપો.

ફાઈબ્રોસ્કેન શું છે?ફાઈબ્રોસ્કેન એ એક સરળ, પીડારહિત, કોઈપણ કાપા કે ચેકા વગરની તપાસ છે જેનો ઉપયોગ લીવરના સ્વાસ્થ્યનું ચોક...
15/12/2024

ફાઈબ્રોસ્કેન શું છે?

ફાઈબ્રોસ્કેન એ એક સરળ, પીડારહિત, કોઈપણ કાપા કે ચેકા વગરની તપાસ છે જેનો ઉપયોગ લીવરના સ્વાસ્થ્યનું ચોક્કસ મૂલ્યાંકન કરવા માટે થાય છે.

કોણ ફાઈબ્રોસ્કેન કરાવી શકે છે?

- ફેટી લીવર રોગ (લીવર માં ચરબી જમા હોય તે)
- આલ્કોહોલિક લીવર રોગ
- હીપેટાઈટિરા બી/સી
- સ્થૂળતા અને મેદસ્વીતા(જાડાપણું)
- અન્ય કોઈ લીવરની બીમારી
- ડાયાબીટીસ
- વધારે કોલેસ્ટ્રોલ રહેતું હોય
- મેદસ્વીતા ને લગતા બીજા રોગો

આ ટેસ્ટ જૂજ જગ્યા પર જ થાઈ છે. તેના માટે અમદાવાદ જવું પડે છે.આ ટેસ્ટ આશરે ૫૦૦૦ રૂ. આસપાસ થાય છે.અહી આ ટેસ્ટ ₹ ૩૦૦માં એટલે કે નજીવા દરે થતો હોવાથી વહેલા તે પહેલાં ના ધોરણે લિમિટેડ પેશન્ટ લેવાના હોવાથી રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે .

આ ટેસ્ટ સામાન્ય માણસ પણ કરાવી શકે છે.

હૃદય શરીરનું એન્જિન છે તો લીવર(યકૃત) શરીરનું પાવર હાઉસ તથા carburator છે જે વિવિધ વિટામિન , પ્રોટીન , લોહી ગંઠાવાની પ્રક્રિયા માં મદદરૂપ થાય તેવા factors નું
પણ ઉત્પાદન કરે છે.

લીવરનું સિરોસિસ ( cirrhosis) અથવા કમળાથી , ઇન્ફેક્શન થી અથવા મદિરા પાનથી થતાં લીવર failure માં લીવર બદલવું પડે છે -લીવર ટ્રાન્સપ્લાન્ટ જેનો ખર્ચ આશરે ₹ ૫૦ લાખ થી ૧ કરોડ આવે છે.

તો શું આપ ₹ ૩૦૦ માં લિવરની
તપાસ ન કરવી શકો ?

મેં ઘણા ગંભીર દર્દીઓની સારવાર કરેલી છે , મોટા હાર્ટ એટેકમાંથી પણ દર્દીને બચાવી શકાય છે પણ લિવરના રોગો વધુ ગંભીર હોય છે

તારીખ : 24/12/2024

વાર. :- મંગળવાર
સમય : સવારે ૧૧ થી ૧
ડોક્ટર નું નામ:- ડો ભાવેશ શાહ
સ્થળ : પૂજા હોસ્પિટલ, કપડવંજ

રજી્ટ્રેશન કરાવવું ફરજિયાત છે...

ફોન ઉપર નામ નોંધવામાં આવતા નથી.

24.12 2024
Tuesday

21/11/2024

આજે રાત્રે ૨૨ નવેમ્બરથી
પૂજા હોસ્પિટલનું
કામકાજ રાબેતા મુજબ ચાલુ થઈ જશે તેની
સૌ દર્દીઓને નોંધ લેવી.

15/11/2024

બહુજ સરસ સમજણ વિડિયો દ્વારા , પેશાબના રંગ ઉપરથી તમારા શરીરમાં રહેલ પાણીની માત્રા (પ્રમાણ)
Hydration -Dehyration ની ખબર પડી જાય છે
અને કેટલું પાણી પીવું જોઈએ તેની પણ સરસ સૂચના
આપેલ છે. શિયાળા માં પાણી ઓછું પીવાથી લકવો ( brain stroke) અને ઉનાળામાં હાર્ટ એટેક ( હૃદય રોગ) નો હુમલો આવવાની શક્યતા રહેલી છે. આ બધી
તકલીફ કોરોના પછી વધી ગઈ છે .કોરોના લીધે ડાયાબિટીસના દર્દી તો વાદ્ય જ છે પણ અમુક દર્દીઓમાં
ડાયાબિટીસ દવાઓ સાથે પણ અંકુશમાં નથી રહેતો.

31/10/2024

પૂજા હોસ્પિટલ તરફથી આપ સૌને
શુભ દિપાવલી 🙏🙏🙏

Address

Pooja Hospital, Opp. New Bus Stand
Kapadwanj
387620

Opening Hours

Monday 10am - 2pm
5pm - 8pm
Tuesday 10am - 2pm
5pm - 8pm
Wednesday 10am - 2pm
5pm - 8pm
Thursday 10am - 2pm
5pm - 8pm
Friday 10am - 2pm
5pm - 8pm
Saturday 10am - 2pm
5pm - 8pm
Sunday 10am - 12pm

Telephone

+916354587142

Website

Alerts

Be the first to know and let us send you an email when Pooja Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Pooja Hospital:

Share

Category