28/12/2024
*આ શિયાળામાં બ્લડપ્રેશર કે હાર્ટ એટેકની અનહોનીથી કેવી રીતે બચશો ?*
તમારો વીમો તમે જાતે જ ઉતારો
પ્રીમિયમ માં નીચેની વસ્તુઓ ધ્યાનમાં રાખો , પ્રીમિયમ સમયસર ભરાય તેનું ધ્યાન રાખો.
૧. રાતે સૂતી વખતે પાણી વધારે પીવાની ટેવ પાડો
૨. બહાર પરસાળમાં , છાપરા નીચે કે ખુલ્લામાં સુવુ નહિ ,
બહાર સૂવાથી લોહી જાડું થવાથી
લકવો કે એટેક આવવાની શક્યતા વધી જાય છે.
૩. રાતના ભારે ભોજનનો ત્યાગ કરો.
*રાંધેલા ખોરાક લીધા પછી હોજરી ખાલી થતા ૪૫ મિનિટ થાય છે.
*ફળ ફળાદી ખાધા પછી હોજરી
ખાલી થતા ૧૫-૨૦ મિનિટ થાય છે.
*.ફિશ - માછલી ખાધા પછી હોજરી ખાલી થતા ૬૦ મિનિટ લાગે છે.
*ચિકન તથા મટન ખાધા પછી
હોજરી ૧૮૦ મિનિટ બાદ ખાલી
થાય છે.
*આ સીઝનમાં કચોરીઓ પણ વધારે પડતી ખાવામાં આવે તો
જીવલેણ સાબિત થઈ શકે છે.
૪.જે કામથી વધારે ટેવાયેલ ના
હોય તેવું વધારે શ્રમવાળું કામ
કરવામાં આવે તો પણ એટેક આવવાની શક્યતા વધી જાય છે.
૫.હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે સ્નાન કરવામાં આવે તો પહેલા શરીરનો નીચેનો ભાગ નહાતી વખતે પલાડવામાં આવે છે, નદીમાં કે તળાવમાં ઉતરતી વખતે શરીરનો નીચલો ભાગ પહેલા પલડે છે, જ્યારે હવે શાવર કે ડોલમાંથી પહેલું પાણી માથા પર નાખવામાં આવે છે. ઠંડુ પાણી માથા પર વધારે રેડવાથી લકવો થવાની સંભાવના વધી જાય છે.
૬.બ્લડપ્રેશર ની દવાઓ નિયમિત લેવી .બ્લડપ્રેશર ઠંડીમાં વધે છે અને ગરમીમાં ઘટે છે. નિયમિત દવાઓ લેવા છતાં ઠંડીમાં બ્લડ પ્રેશર વધે છે તેને accelerated
Hypertension કહે છે.તે જીવલેણ સાબિત થઈ શકે છે.
૭.સવારે ઊઠીને તરત જ ઉભા થવાથી પડી જવાથી ફ્રેકચર કે લકવો થવાની સંભાવના વધી જાય છે.એટલે જાગ્યા પછી ખાટલાની ધાર ઉપર બેસી પગ હલાવવા ત્યાર બાદ ૪-૫ મિનિટ
બાદ ઊભા થવાથી પડી જવાની
સંભાવના ઘટે છે.
૮.હૃદય પહોળું થતું હોય અને શરદી ખાંસી થઈ હોય તો તરતજ દવા કરાવો નહિ તો શ્વાસ વધી જશે.
૯.હાથમાં ,ખભામાં,જડબામાં
દુખાવો થતો હોય તો બ્લડ પ્રેશર ચેક કરાવી લેવું, બીપી મપાવવું
ત્યાર બાદ જ ઓર્થોપેડીક કે દાંતના ડોક્ટરનો સંપર્ક કરો.લોકોએ ભૂતકાળમાં થતા હૃદયના લીધે થતા દાંતના દુખાવામાં બધા દાંત પડાવી દીધા હોય અને ચોકઠું હાથમાં આપતા જ મૃત્યુ થવાના દાખલા નોંધાયા છે.હૃદયથી થતા ખભાના દુખાવામાં કસરત કરવાથી મોતને
નિમંત્રણ આપવાનું કામ કરે છે.
૧૦.મીઠાનું વધારે પડતું પ્રમાણ
પાપડ , વેફર , પોટેટો ચિપ્સ,ખાવાનો સોડા ,અથાણાં, મીઠા વાળા બિસ્કીટ, વધારે મીઠું
નાખેલા સલાડ ,મીઠા વાળા કાજુ
વગેરે બ્લડ પ્રેશરમાં વધારો કરે છે.
૧૧. માનસિક તણાવના કારણે પણ બ્લડ પ્રેશરમાં વધારો થાય છે.
૧૨.દારૂનું વ્યસન બ્લડ પ્રેશરમાં વધારો થવા માટે જવાબદાર છે.
૧૩.તમાકુનું સેવન મસાલા ,
બીડી.સિગરેટ, હુક્કો , છીંકણી
વગેરે બ્લડ પ્રેશરમાં વધારો કરે છે.
૧૪.સ્થુળતાથી બ્લડ પ્રેશરમાં વધારો થાય છે અને હૃદયને બિન
જરૂરી શ્રમ પડે છે.
૧૫.કેફીન યુક્ત પીણાં જેવા કે
Redbull ધબકારા અને બ્લડ પ્રેશર વધારે છે.બ્લડ પ્રેશરનાં દર્દીઓનું વધારે પડતું સેવન હાર્ટ
એટેકના પરિણમી શકે છે.
હવેના જમાનામાં બ્લડ પ્રેશર એ રોગ નથી પણ life style છે.
ભાગ દોડ વાળી જિંદગી , માનસિક તણાવ , વ્યસનો , સ્થૂળતા , અનિયમિત ખોરાક અને ફાસ્ટ ફૂડ આ બધા પરિબળો
અગત્યનો ફાળો ભજવે છે.
*બ્લડ પ્રેશરની ગોળી હંમેશા ભૂખ્યા પેટે લેવી.*
**બ્લડ પ્રેશર માપવું અને કંટ્રોલ કરવું એ એક કળા છે. અનુભવી
ડૉક્ટર જ તેને સમયસર અને આસાનીથી કંટ્રોલ કરી શકે છે.**
જો તમારી બ્લડ પ્રેશરની ગોળીઓ વારંવાર બદલાતી હોય તો તેનો મતલબ એ જ કે તમારું
બ્લડ પ્રેશર કંટ્રોલમાં નથી.
જો હાઈ બ્લડ પ્રેશર ( malignant hypertension) સમયસર કાબુમાં કરવામાં ના આવે તો
સર્જાતી સમસ્યાઓ.
*આંખમાં ઝાંખું દેખાવું , અંધત્વ આવવું.
*હાર્ટ એટેક આવવો.
*હ્રુદય પહોળું થઈ જવાથી શ્વાસ
ચઢવાનો ચાલુ થાય , નાક અને મોઢામાંથી ફીણ અને લોહી નીકળે
*બ્રેઇન હેમરેજ થવું , બ્રેઇન સ્ટ્રોક
એટલે લકવો થઈ જવો.
*ખેંચ આવવી , કોમામાં સરી જવું
Hypertensive encephalopathy.
*કીડની ઉપર સોજો આવવો , કીડની fail થઈ જવી.
Mercury sphigmomenometer ( પારા વાળા બીપી માપવા નાં મશીન) થી જ સાચું બ્લડ પ્રેશર મપાય. Electronic મશીન દે
મોટે ભાગે ખોટા રીડિંગ બતાવે છે.