Dr-Hardik Ayurveda Mehsana

Dr-Hardik Ayurveda Mehsana Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr-Hardik Ayurveda Mehsana, Doctor, Mehsana.

મહેસાણામાં આયુર્વેદના નિષ્ણાત ડોક્ટર મળશે.ડો.હાર્દિક પટેલ[B.A.M.S.,M.D.(Ac)]સ્થળ:- પહેલો માળ, આસોપાલવ આર્કેડ, વિમલ પાર્ટ...
25/05/2022

મહેસાણામાં આયુર્વેદના નિષ્ણાત ડોક્ટર મળશે.

ડો.હાર્દિક પટેલ
[B.A.M.S.,M.D.(Ac)]

સ્થળ:- પહેલો માળ, આસોપાલવ આર્કેડ, વિમલ પાર્ટી પ્લોટ પાસે, મોઢેરા રોડ, મહેસાણા.

આપણા ગુજરાત ના "આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ" દ્વારા કોરોના કાળમાં ઉત્કૃષ્ટ તબીબી સેવાઓ બદલ મારું સન્માન કરવામાં આવ...
02/05/2022

આપણા ગુજરાત ના "આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ" દ્વારા કોરોના કાળમાં ઉત્કૃષ્ટ તબીબી સેવાઓ બદલ મારું સન્માન કરવામાં આવ્યું. તે બદલ આપ સર્વેનો હ્રદયપૂર્વક ખુબ ખુબ આભાર..🙏🙏🙏🙏

*ડો.હાર્દિક પટેલ
ડો.હાર્દિક આયુર્વેદ
(સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ)

*નસ્ય થેરાપી(પંચકર્મ ટ્રીટમેન્ટ)*ગરદન થી ઉપરના ભાગમાં થતાં લગભગ મોટા ભાગના રોગોમાં નસ્ય ચિકિત્સાથી લાભ થાય છે.*"नासा ही ...
19/04/2022

*નસ્ય થેરાપી(પંચકર્મ ટ્રીટમેન્ટ)*

ગરદન થી ઉપરના ભાગમાં થતાં લગભગ મોટા ભાગના રોગોમાં નસ્ય ચિકિત્સાથી લાભ થાય છે.

*"नासा ही सिरसो द्वार"*
"નાક એ મગજ નું દ્વાર છે."

નાકમાં ઔષધી નાંખવાથી તેની સીધી અસર મગજ પર થાય છે. નાક શ્વસનતંત્ર નું મુખ હોવાથી શ્વસનતંત્રના બધા રોગ દૂર કરે છે.

*નસ્ય જામી ગયેલા કફ(Mucus)ને દૂર કરે છે અને માથાની ચેનલને સાફ કરી મગજના કોષોને ઉત્તેજિત કરે છે. શરીરનું સમગ્ર ચેતાતંત્ર તેનાથી ઉત્તેજિત થાય છે.

*નસ્ય થેરાપી કરવાની પદ્ધતિ

સૌ પ્રથમ દર્દી ના ચહેરા ને વ્યવસ્થિત રીતે અભ્યંગ (મસાજ) કરી Steam આપવામાં આવે છે.

ત્યાર બાદ દર્દીના બંને નસકોરામાં નું હુંફાળું મેડિકેટેડ ઘી અથવા તેલ નાખવામાં આવે છે.

*નીચેના રોગોમાં ઉપયોગી છે

*માઇગ્રેઇન
*જૂની શરદી-સાઈનસ-એલર્જી
*યાદશક્તિ ઓછી થવી
*ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ
*આંખની ઝાંખપ
*અનિંદ્રા
*શ્વાસ
*કંપવાત
*ફ્રોઝન સોલ્ડર(Frozen Shoulder)
*માનસિક તનાવ વગેરે

ડો.હાર્દિક આયુર્વેદ હોસ્પિટલમાં આ પ્રકારની નસ્ય થેરાપી 13 વર્ષ થી નિયમિત રૂપે કરવામાં આવે છે, જેનો હજારો દર્દીઓએ લાભ લઇ રોગમાંથી મુક્તિ મેળવેલ છે.

*ડો.હાર્દિક પટેલ
(આયુર્વેદ તથા પંચકર્મ ટ્રીટમેન્ટ ના સુપર સ્પેશિયાલિસ્ટ)
Mo. 94092 60998

દરેક પ્રકારના જુના-હઠીલા રોગોને આયુર્વેદિક ચિકિત્સા દ્વારા જડમૂળથી મટાડવા માટે આજે જ મળો..Dr.Hardik Patel  B.A.M.S.,M.D....
11/01/2022

દરેક પ્રકારના જુના-હઠીલા રોગોને આયુર્વેદિક ચિકિત્સા દ્વારા જડમૂળથી મટાડવા માટે આજે જ મળો..
Dr.Hardik Patel B.A.M.S.,M.D.(Ac) Mob- 94092 60998

ગુરુવારે હિંમતનગરની "ડો.હાર્દિક આયુર્વેદ હોસ્પિટલ" ના ડો.હાર્દિક પટેલ [B.A.M.S.,M.D.(Ac)] મહેસાણામાં મળશે.સ્થળ:- પહેલો મ...
28/12/2021

ગુરુવારે હિંમતનગરની "ડો.હાર્દિક આયુર્વેદ હોસ્પિટલ" ના ડો.હાર્દિક પટેલ [B.A.M.S.,M.D.(Ac)] મહેસાણામાં મળશે.

સ્થળ:- પહેલો માળ, આસોપાલવ આર્કેડ, વિમલ પાર્ટી પ્લોટ પાસે, મોઢેરા રોડ, મહેસાણા.

સમય:- 11 થી 3 સુધી

-ડો.હાર્દિક પટેલ
Mob - 94092 60998
ડો.હાર્દિક આયુર્વેદ હોસ્પિટલ

*શિયાળા ના પાક(વસાણું) કેમ ખાવા જોઈએ.?*શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થઇ ગયેલ છે. શિયાળો એટલે આખા વર્ષની શક્તિ ભેગી કરવાની...
16/11/2021

*શિયાળા ના પાક(વસાણું) કેમ ખાવા જોઈએ.?*

શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થઇ ગયેલ છે. શિયાળો એટલે આખા વર્ષની શક્તિ ભેગી કરવાની ઋતુ.

આ દરમિયાન આપણા બધાનો જઠરાગ્નિ પણ ખૂબ જ પ્રબળ હોય છે અને તે વધુ ખોરાક માંગે છે. માટે જ આપણા શાસ્ત્રોમાં "વસાણું" એટલે કે "શિયાળાના પાક" ખાવાનું આ ઋતુમાં જ બતાવેલ છે. પણ આપણે બધા શરીર વધી જશે-વધી જશે એ બીકના કારણે આ પાક ખાતા નથી અને પછી આખુ વર્ષ ન્યુટ્રીશનની ગોળીઓ ઉપર જીવીએ છીએ.

શિયાળામાં આપણા શરીરમાં રસ ધાતુનો કુદરતી રીતે થોડો ક્ષય થતો જોવા મળે છે, જેથી ચામડી માં થોડી રૂક્ષતા(Dryness) કુદરતી રીતે આવે છે. આ રુક્ષતા ને પહોંચી વળવા માટે શરીરને સ્નિગ્ધતા(ચીકાસ) આપવી જરૂરી છે. પણ આપણે વસાણું ખાતા નથી અને બોડી લોશન ના લપેડા શરીર ઉપર કર્યા કરીએ છીએ.
આ Dryness ને પહોંચી વળવા માટે જ આપણા આયુર્વેદમાં શિયાળા દરમિયાન અભ્યંગ એટલેકે માલિશનુ ખુબ જ મહત્વ બતાવેલ છે. બીજું કોઈ નહીં તો માત્ર તલના તેલથી જ શરીર પર માલિશ કરવામાં આવે તો બોડી લોશન કરતા ખૂબ જ નજીવા ખર્ચમાં શરીરને ચિકાસ પૂરી પાડી શકાય.

*વસાણુ ખાવાની રીત*

શિયાળુ પાક સવારે નરણાં કોઠે જ ખાવા જોઈએ. પછી બપોરે બરાબર ભૂખ લાગે ત્યારે જ ખોરાક લેવો જોઈએ.
*આ દરમિયાન પીવામાં શક્ય તેટલા નવશેકા ગરમ પાણીનો ઉપયોગ કરવો.

તો ચાલો આપણે આયુર્વેદમાં બતાવેલ ઋતુચર્યા અપનાવીએ અને સ્વસ્થ જીવન જીવીએ.

-ડો.હાર્દિક પટેલ
ડો.હાર્દિક આયુર્વેદ હોસ્પિટલ
Mob- *94092 60998*

*કમળો(Jaundice)* શું છે.? કારણ વિના કાર્ય ની ઉત્પતિ થતી નથી. કોઈ પણ રોગ થવા માં ખોરાક, રહેણી-કરણી કે માનસિક ભૂલો જવાબદાર...
05/10/2021

*કમળો(Jaundice)* શું છે.?

કારણ વિના કાર્ય ની ઉત્પતિ થતી નથી. કોઈ પણ રોગ થવા માં ખોરાક, રહેણી-કરણી કે માનસિક ભૂલો જવાબદાર છે જ. લોહી ઓછું થવું એ કદાચ અપચો, પોષણ નો અભાવ જેવા ઘણા કારણો નો આપણે હમણાં જ ગયા લેખ માં જ વિચાર કર્યો. પરંતુ કમળો થવા માં પણ તે જ કારણો ઉપરાંત *લોહી ઓછું હોય ને ગરમ ખોરાક, ગરમ દવાઓ વધુ પ્રમાણ માં લેવા માં આવે તો કમળો થાયછે.*

દર્દી ને સામાન્ય તાવ આવેછે ને તરતજ તાવ દબાવનારી દવા લેવામાં આવેછે ને આપણે સંતોષ માનીએ કે *તાવ તરતજ મટી ગયો હો.......* પણ ભાઈ તમે તાવ ને દબાવી ને મરડો ને કમળો ના બીજ વાવી આવ્યા છો તેની તમને ખબર જ નથી. અને *કમળા ની દવાઓ માં પણ જ્યાં સુધી કડવા રસ થી યુક્ત શક્તિ તથા અગ્નિ જાળવી રાખીને પંચકર્મ વૈદ્ય ના માર્ગદર્શન થી કોમળ વિરેચન- ઝાડા કરવામાં ના આવે ત્યાં સુધી કમળો મટતો નથી* અને કમળા માંથી અન્ય રોગો મરડો, મધુમેહ, ક્ષય, લીવર નો સોજો, સીરોસીસ ઓફ લીવર, જલોદર- પેટ માં પાણી ભરાઈ જવું, કીડની નબળી પડવી જેવા રોગો ઉત્પન્ન થાય છે.

જે માણસ ને લોહી ઓછું હોય ને પછી કમળો થાય તેમાં તેની આંખો, ચામડી, નખ તથા મોઢું હળદર જેવાં જ પીળાં થઈ જાય, તેને કોઈપણ કામ કરવાનો ઉત્સાહ રહે નહિ અને બળતરા, અપચો, અશક્તિ, અંગો ની શિથિલતા તથા ખોરાક પ્રત્યે ની અરુચિ થી અશક્ત થાયછે.

*આ કમળો શાખાશ્રીત એટલે OBSTRUCTIVE અને કોષ્ઠાશ્રીત એટલે HEPATITIS એં મુખ્ય બે પ્રકાર નો કમળો થાય છે. આ ઉપરાંત કુંભ કામલા, હલીમક,એમ રોગ ની ગંભીરતા ને લઈ ને વિશેષ પ્રકાર પડેછે.*

*શાખાશ્રીત કમળો* - આ સ્થિતિ માં આંખ, મોઢું તથા ચામડી હળદર જેવા થાય છે. મળ સફેદ અથવા વાટેલા તલ જેવો થાય છે. કબજિયાત અને ગેસ -વાયુ થી પેટ ભારે થાય, છાતી માં ભાર લાગે, ભૂખ ઓછી થાય, ખોરાક ખાવા માટે ઈચ્છા ના થાય, તાવ રહે, અશક્તિ લાગે, પડખાં માં દુઃખાવો રહે, થાક, શ્વાસ અને હેડકી પણ થઈ આવેછે.

*કોષ્ઠાશ્રીત કમળો* - આ સ્થીતિ માં નખ, આંખ, મોઢું હળદર જેવા થાય, પેસાબ તથા મળ પીળા ને લોહી જેવા રંગ ના થાયછે. બળતરા, અરુચિ રહેછે. ચામડી નો રંગ ચોમાસા નાદેડકા ની ચામડી જેવો થાયછે.

જયારે લીવર માં કોઈ પ્રકાર નો અવરોધ થાયછે ત્યારે પિત આંતરડા માં પહોંચી શકતું નથી તેથી તે પિત લોહી સાથે ભળી ને ચામડી નીચે ચાલ્યું જાયછે આને *શાખાશ્રીત કમળો – OBSTRUCTIVE JAUNDICE કહેછે*. અહી આમદોષ, મંદાગ્ની, કફદોષ મુખ્ય કારણ છે. તેથી ભૂખ લગાડી આમ નું પાચન કરનાર હરડે, સુંઠ, મરી, લીંડી પીપર, મધ, બીજોરા નો રસ એ શાખાશ્રીત ની સારવાર જેમાં પાચન સુધરે ને અવરોધ ખુલી જાય. .... અહી આડ વિષય થી વિચારીએ તો હૃદય માં પણ જયારે અવરોધ OBSTRUCTION થાય છે ત્યારે લોકો બાયપાસ ઓપરેશન કરાવેછે પરંતુ મહર્ષિ ચરક ની આ દ્રષ્ટી થી વિચારવા માં આવે તો અવરોધ દુર થાય ને હૃદય નું બાયપાસ ઓપરેશન કરાવવું ના પડે.

જયારે પિત ચામડી ની નીચે લોહી માં ભળી લોહી ના કણો ને વધુ પ્રમાણ માં તોડે છે, ત્યારે જે કમળો થાય છે તે *કોષ્ઠાશ્રીત છે*. તેમાં લોહી ઘટે છે અને દર્દી જયારે વધુ પ્રમાણ માં ગરમ, તીખા ખોરાક ખાય છે ત્યારે આવું થાય છે.

-ડો.હાર્દિક પટેલ
ડો.હાર્દિક આયુર્વેદ હોસ્પિટલ

5 વર્ષ જૂની "ગેસ-એસીડીટી-બળતરા" "ડો.હાર્દિક આયુર્વેદ" દ્વારા માત્ર 6 મહિનામાં જ મૂળમાંથી મટી ગઈ તેનો દર્દી નો અનુભવ
22/09/2021

5 વર્ષ જૂની "ગેસ-એસીડીટી-બળતરા" "ડો.હાર્દિક આયુર્વેદ" દ્વારા માત્ર 6 મહિનામાં જ મૂળમાંથી મટી ગઈ તેનો દર્દી નો અનુભવ

*“પાંડુ”...... લોહી ઓછું થઇ જવું*  એ શું છે...,,?તમને વિટામીન બી ૧૨, ડી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ ની જરૂર છે, મિનરલ ની જર...
22/09/2021

*“પાંડુ”...... લોહી ઓછું થઇ જવું* એ શું છે...,,?

તમને વિટામીન બી ૧૨, ડી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ ની જરૂર છે, મિનરલ ની જરૂર છે આવું બધું તબીબ રીપોર્ટ કે લક્ષણો થી કહે પરંતુ સામાન્ય માણસ તો આ બધું કેવી રીતે સમજે? લોહી ઓછું થાય તો તે તરત સમજે. ........હા.... શ્વાસ ચડે, થાક લાગે, ભય લાગે, હૃદય ના ધબકારા વધી જાય, અશક્તિ લાગે, ચહેરા ઉપર ફિકાશ જોવા મળે, ચહેરા ઉપર સફેદ છાપ – ઝાંય દેખાય, ખંજવાળ આવે, ચક્કર આવે, તાવ- તરસ વધુ લાગે, આંખ ની નીચે સોજા- થેથર થઈ આવે, કામ માં આળસ આવે, વારંવાર થૂંકવા નું મન થાય કે તરત સમજી જવાય કે લોહી ઘટ્યું છે.

લોહી તો જીવન છે. શરીર માં સાત ધાતુઓ છે. રસ, લોહી, માંસ, ચરબી, અસ્થિ, મજ્જા અને શુક્ર. બધી જ ધાતુઓ ની અગત્યતા છે. બધી જ ધાતુઓ સંપૂર્ણ શરીર માં રહેલી છે દરેક નું પોતપોતાનું કાર્યક્ષેત્ર છે. છતાં પણ લોહી એ જીવન છે કારણકે શરીર ના પ્રત્યેક અંગ ને જરૂરી પ્રાણવાયુ અને ધાતુ પહોચાડવાનું કામ – ટ્રાન્સપોર્ટેશન નું કામ લોહી કરેછે. તેથી લોહી ની યોગ્ય માત્રા ની સાથે શુદ્ધતા ની પણ ખૂબજ જરૂરી છે. આજે લોહી નો વિચાર ખૂબજ થયો છે પણ લોહી ની શુદ્ધતા ના વિષય માં આયુર્વેદ નું જ્ઞાન ઘણુંજ ઊંડું અને બહોળું છે.

દૂધ સાથે ખટાશ કે નમક, ફ્રુટ ખાવાથી લોહી બગડે છે અને તેના કારણે ચામડી ના રોગો, ખોડો, ખજવાળ, મોઢા ના ચાંદા, ગાંઠિયો વા, શ્વાસ ના રોગો, નપુસંકતા, ગર્ભાશય માં ચાંદા, શ્વેતપ્રદર, સોજા, હૃદય ના રોગો, વાળ ના રોગો આ બધા જ લોહી ના બગાડ થી થાયછે.

લોહી ઓછું થાય એટલે ફિકાશ આવે, ચામડી નો રંગ પાંડુ રંગ થાય. અહી આદ્ય શંકરાચાર્ય યાદ આવેછે. પંઢરપુર માં ભીમાનદી ના કિનારે પ્રભુ પાંડુરંગ નું મંદિર છે. આ જોઈને શંકરાચાર્ય એ કહ્યું કે અહી પ્રભુ કર્તુત્વ ની પ્રેરણા આપેછે. સાંજ ના ગાયો ના ધણ પાછા વળવા ના - ગોધૂલી સમયે ઉડતી ધૂળ થી રંગાયેલો ભગવાન છે તેથી તે પાંડુરંગ કહેવાયછે.

અપચો, ઝાડા, કૃમિ, તાવ, રક્તપિત (એટલેકે *શરીર માંથી કોઇપણ માર્ગ- મોઢામાં થી, દાંત માંથી, પેશાબ કે યોની માંથી, ગુદા માર્ગ થી કે તિર્યક- ચામડી માંથી લોહી પડે તેને રક્તપિત કહેછે*) ના કારણે અને તે તે દર્દો ને યોગ્ય રીતે ના મટાડવા થી અને ભૂખ લાગ્યા વિના અત્યંત ખાટા અને ખારા પદાર્થો નું ભોજન કરવાથી કે પચવા માં ભારે ખોરાક ખાવાથી, વધુ પ્રમાણ માં જાતીય સંબધ રાખવાથી, દિવસે ઊંઘવાથી, માટી ખાવાથી એટલેકે વાસી, અસ્વસ્છ- બજારુ ગંદા ખોરાક ખાવાથી લોહી બગડે છે, લોહી ઓછું થાયછે.

લોહી ઓછું હોય ને જો તીખું, તળેલું ખાવામાં આવે, ચિંતા, ઉજાગરા થાય તો કમળો થતા સમય ના લાગે, લીવર ને બરોળ ઉપર સોજા થઈ આવે, પેટ માં પાણી પણ ભરાઈ જાય, કીડની ખરાબ થઈ શકે, બી.પી ઓછું કે વધી શકે અને અન્ય શારીરિક, માનસિક રોગો થઈ શકેછે.

આજના હિમેટોલોજી વિભાગે જે હજુ નથી વિચાર્યું તેથીય ઘણું આગળ નું આયુર્વેદે વિચારી ને સંપૂર્ણ સારવાર આપી છે. જે દર્દી ને દર દસ દિવસે બબ્બે બોટલ લોહી ની ચડાવવામાં આવે છતાં ૫ ગ્રામ થી લોહી વધે નહિ તેવા દર્દી ને સાથે મધુમેહ, લીવર, બરોળ નો ખુબજ સોજો હોય તો પણ આયુર્વેદ સારવાર થી નવ-દસ ગ્રામ લોહી બની રહે, લોહી બબ્બે વર્ષ સુધી ચડાવવું ના પડે.. તેવી જ રીતે સગર્ભા બેન ને છેલ્લા ત્રણ મહિના માં ત્રણ ગ્રામ લોહી ગર્ભને જોઈએ તેવા સમયે આયુર્વેદ થી જરૂર કરતા પણ અધિક દર મહીને સાડાત્રણ ગ્રામ લોહી વધારી શકાય છે.

*ઘરેલું ઉપચાર:* આમળા, દાડમ, ગુડુચી- ગળો, સાટોડી અને તેનાથી સિદ્ધ કરેલું ગાય નું ઘી અમે વૈદ્યો આપીને લોહી વધારીએ છીએ. દ્રાક્ષ, મગ, ચણા, હરડે, ગોમૂત્ર ભાવિત હરડે જેવા ઔષધો અને પાલક, તાદલજો, મેથી ની ભાજી, આમળા, સફરજન, મોસંબી, સંતરા, દાડમ, થી પણ લોહી વધે.

*આપણી આજુબાજુ માં રહેલા ઔષધો ને ઓળખો, અને નીરોગી રહો.*

Note :- Self Medication is a very dangerous to Health.....

ડો.હાર્દિક પટેલ
ડો.હાર્દિક આયુર્વેદ હોસ્પિટલ
હીંમતનગર
Mob- 94092 60998

21/09/2021

Address

Mehsana
384002

Opening Hours

11am - 3pm

Telephone

+919409260998

Alerts

Be the first to know and let us send you an email when Dr-Hardik Ayurveda Mehsana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr-Hardik Ayurveda Mehsana:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category