AARY Hospital

AARY Hospital complete solution of gynaecological problems and pregnancy associated problems under single roof

શું આપ નોર્મલ ડિલિવરી ઈચ્છો છો અને સાથે ડર પણ લાગે છે?પહેલી સગર્ભાવસ્થામાં  મહિલા ને પ્રસુતિ નો ,ડર રહે છે.....જે સામાન્...
02/05/2026

શું આપ નોર્મલ ડિલિવરી ઈચ્છો છો અને સાથે ડર પણ લાગે છે?
પહેલી સગર્ભાવસ્થામાં મહિલા ને પ્રસુતિ નો ,ડર રહે છે.....જે સામાન્ય બધા માં જોવા મળે છે.....

#આર્ય_હોસ્પિટલ માં ખાસ trained સ્ટાફ સાથે ડૉક્ટર નોર્મલ ડિલિવરી મુશ્કેલ સંજોગો કેમ કરવી તેમજ વેક્યુમ કે ફોરસેપ ડિલિવરી માં અદ્યતન તકનીક માટે ખાસ ટ્રેનિંગ લીધેલ છે....

નીચે દર્શાવેલ મશીન વેક્યુમ ડિલિવરી માં અદ્યતન મશીન છે જેના દ્વારા માતા તેમજ બાળક ને વેક્યુમ ડિલિવરી વખતે થોડી પણ ઇજા ના થાય એ રીતે બનાવેલ છે...

આર્ય હોસ્પિટલ માં ડૉક્ટર પોતે જ દર્દી જોડે પ્રસુતિ ની પલે પલે જોડે રહી એમાં પડતી મુશ્કેલી તેમજ ગેર સમજ દૂર કરે છે.....

તેમજ અહીં ખાસ C.T.G, MITYVAC વગેરે જેવા અત્યાધુનિક સાધનો દ્વારા ડિલિવરી નોર્મલ જ થાય એ પ્રયાસો કરવા માં આવે છે.....

નોંધ: બાળક કે માતા ને વધુ જોખમ જણાય ત્યારે જોખમી નોર્મલ ડિલિવરી કરતા સીજેરિયન વધુ ફાયદાકારક રહે છે...
આર્ય હોસ્પિટલ માં અત્યાધુનિક પદ્ધતિ તેમજ અત્યાધુનિક ઓપરેશન રૂમ ની સુવિધા નો હેઠળ સીજેરિયન ડિલિવરી કરવા માં આવે છે.....


#આર્ય_હોસ્પિટલ
#જ્યાં_આપની_ખુશી_જ_મહત્વ_ની_છે.

ADDRESS:
આર્ય હોસ્પિટલ
15-16 સાવસર પ્લોટ, દેરાસર મંદિર સામે, હનુમાનજી ના મંદિર પાસે,શનાળા રોડ, મોરબી
મો.8866424133, 9106890800

 #સફર ની શરૂઆત એક  #વિશ્વાસ થી,ને સફર આજે 8 વર્ષ સુધી પહોંચી, જેમાં પરમાત્મા, માતા_પિતા, પત્ની, પરિવાર, સંલગ્ન ડોક્ટર્સ ...
22/04/2026

#સફર ની શરૂઆત એક #વિશ્વાસ થી,
ને સફર આજે 8 વર્ષ સુધી પહોંચી,

જેમાં પરમાત્મા, માતા_પિતા, પત્ની, પરિવાર, સંલગ્ન ડોક્ટર્સ તેમજ સ્ટાફ, અને આખરે મારા પર આંખ બંધ કરી ને વિશ્વાસ કરતા મારા પરિવાર સમાન #દર્દીઓ નો #અતુલ્ય ફાળો છે...

આપ બધા ના સહયોગ અને સહકાર થી #આર્ય_હોસ્પિટલ ની સફર 8 વર્ષ બાદ પણ હજુ આજ રીતે વધુ ને વધુ #સેવામય અને લોકો માટે #મદદરૂપ રહે એવી પરમાત્મા ને પ્રાર્થના...

 #નસીબ_સમયસૂચકતાઆજે એક દર્દી 38 અઠવાડિયા ની  #પ્રેગ્નન્સી સાથે  #ઓપીડી માં બતાવવા આવ્યું....10 દિવસ પેહલા જ એ દર્દી આવ્ય...
25/03/2026

#નસીબ_સમયસૂચકતા

આજે એક દર્દી 38 અઠવાડિયા ની #પ્રેગ્નન્સી સાથે #ઓપીડી માં બતાવવા આવ્યું....10 દિવસ પેહલા જ એ દર્દી આવ્યું ત્યારે બધા રીપોર્ટસ #સોનોગ્રાફી નોર્મલ હતું...
પરંતુ આજે રૂટીન ચેકઅપ માટે આવ્યા...અને મેં અંદર થી ચેક કર્યું તો #લોહી ચાલુ હતું જે ગર્ભાશય નું મુખ બંધ હોવાથી ત્યાં ભેગું થયેલું હતું એટલે દર્દી ને #ખ્યાલ ના આવ્યો..પરંતુ તુરંત મને લાગ્યું કે આ કંઈક અસામાન્ય છે, બાળક ના #ધબકારા 120 થી 180 સુધી અનિયમિત હતા...દર્દી ને સરળ ભાષા માં બધું સમજાવી ને તત્કાલીન ઓપરેશન થી ડિલિવરી કરાવી...

સરસ ઢીંગલી નો જન્મ થયો, જે એકદમ તંદુરસ્ત આવી....પછી આ એકદમ થી લોહી આવાનું કારણ જોયું તો થયું કે દર્દી ના #નસીબ અતિશય સારા છે, અને સમયસર #નિદાન થી પકડાયું ...મેલી ની લોહી ની નળી મુખ પાસે હોય એ ફાટી ગઈ હતી(VASA PREVIA), જેથી બાળક ને પુરતુ #ઓક્સિજન મળતું બંધ થઈ ગયું હતું...પરંતુ #સમયસૂચકતા, દર્દી નો #આર્ય_હોસ્પિટલ પર નો #વિશ્વાસ અને ખાસ દર્દી ના સારા #નસીબ એ આર્ય હોસ્પિટલ ને #જશ અપાવ્યો...
#ગાયનેક બ્રાંચ માં હંમેશા મને એક જ વાત સમજાયું છે કે માત્ર #મહેનત કે #અનુભવ જ કામ નહી આવતો પરંતુ #સફળતા ત્યારે જ આવે જ્યારે #કુદરત નો સાથ, દર્દી અને એમના સગા નો #સહકાર અને #નસીબ નો સાથ મળે...

"કહેવાય છે ને કે માણસ ગમે એટલો આગળ વધે પરંતુ એક શક્તિ છે જે હંમેશા સર્વોપરી છે અને એ સનાતન સત્ય છે..."

DR.KRUSHNA A.CHAG
આર્ય હોસ્પિટલ
15-16 સાવસર પ્લોટ, દેરાસર મંદિર સામે, હનુમાનજી ના મંદિર પાસે,શનાળા રોડ, મોરબી
મો.91068 90800, 8866424133

 #કૃતજ્ઞતા:મેં મારી પ્રેક્ટિસ માં  #મુશ્કેલ_ડિલિવરી ઘણી બધી કરી હશે...પરંતુ જ્યારે  #દર્દી ડિલિવરી ના 10 દિવસ પછી જોખમી ...
23/03/2026

#કૃતજ્ઞતા:

મેં મારી પ્રેક્ટિસ માં #મુશ્કેલ_ડિલિવરી ઘણી બધી કરી હશે...પરંતુ જ્યારે #દર્દી ડિલિવરી ના 10 દિવસ પછી જોખમી ડિલિવરી કરી એ બદલ આભાર વ્યક્ત કરવા આવે અને સાથે એવી #ગિફ્ટ આપે કે જે #અમૂલ્ય હોય તો દિલ થી થાય કે ગાયનેક ડોક્ટર બન્યો એ સાર્થક થયું....
#આર્ય_હોસ્પિટલ પર વિશ્વાસ રાખવા બદલ #વિરલભાઈ તેમજ #ખુશ્બુબેન ખાખરીયા નો આર્ય હોસ્પિટલ દિલ થી આભાર માને છે...
આર્ય હોસ્પિટલ
"જ્યાં આપની ખુશી મહત્વ ની છે."

એડ્રેસ: આર્ય હોસ્પિટલ
15-16 સાવસર પ્લોટ, દેરાસર મંદિર સામે, હનુમાનજી ના મંદિર પાસે,શનાળા રોડ, મોરબી
મો.8866424133, 9106890800

 #દર્દી ની લાગણી અને  #કુદરત નો સાથ: #આર્ય_હોસ્પિટલ માં 3 વર્ષ પહેલા વંધ્યત્વ ની સારવાર માટે દર્દી આવેલ હતું...અને SEVER...
16/03/2026

#દર્દી ની લાગણી અને #કુદરત નો સાથ:

#આર્ય_હોસ્પિટલ માં 3 વર્ષ પહેલા વંધ્યત્વ ની સારવાર માટે દર્દી આવેલ હતું...અને SEVERE PCOS હતું, તો બધું સમજાવી દવા કરી અને એમને પ્રેગ્નન્સી રહી ગઈ, પરંતુ 3 મહિના ની #સોનોગ્રાફી માં #હૃદય ની મોટી #ખોડખાંપણ સાથે બાળક અંદર સુકાય ગયું હતું, તો એ પ્રેગ્નન્સી કાઢવી પડી....મને હતું કે દર્દી હવે કદાચ આવું બન્યા પછી મારા પર #વિશ્વાસ નહી કરે...પરંતુ દર્દી આભાર વ્યક્ત કરવા આવ્યું કે સમયસર ખોડખાંપણ પકડી અને મોટી મુશ્કેલી માંથી બહાર કાઢ્યા...હું એમની વાત થી #દંગ રહી ગયો...

ફરી એક વર્ષ બાદ પ્રેગ્નન્સી રાખવા માટે ની સારવાર માટે મારી પાસે આવ્યા...બવ બધા રિપોર્ટ કરાવ્યા તો રિપોર્ટ માં અજીબ વસ્તુ આવી ANA POSITIVE , મતલબ કે વારંવાર #કસુવાવડ થઈ શકે એમ હતું...પરંતુ દર્દી ને વિશ્વાસ હતો અને મારી પાસે સારવાર ચાલુ રાખી....

પ્રેગ્નન્સી આખરે રહી ગઈ...પરંતુ ફરી લડાઈ ચાલુ થઈ, જેમાં દર્દી ને પ્રેગ્નન્સી રહેતા ની સાથે જ #બીપી ની અસર આવી, ત્યાર બાદ 5 મહિના ની ખોડખાંપણ ની સોનોગ્રાફી માં બાળક ની બંને #કિડની પર થોડો સોજો આવ્યો....પરંતુ લડાઈ ચાલુ રાખી...7 મહિને બીપી તો હતું જ ને #અગ્નિ માં ઘી હોમાઈ એમ #ડાયાબિટીસ આવ્યું....

અને આખરે 34 અઠવાડિયે #સોનોગ્રાફી માં બાળક ની કિડની નો સોજો તો જતો રહ્યો પરંતુ સાથે બાળક ના મગજ ને #લોહી અને #ઓક્સિજન મળતું સાવ ઘટી ગયું હતું તો તાત્કાલિક #સીજેરિયન દ્વારા સરસ #તંદુરસ્ત દર્દી ને દીકરા નો જન્મ થયો....દર્દી તેમજ બધા સગા રડી પડ્યા... અને હર્ષ છવાય ગયો....

હોસ્પિટલ માંથી રજા થઈ એટલે દરેક #સ્ટાફ ને ગિફ્ટ આપી અને હોસ્પિટલ નો #આભાર વ્યક્ત કર્યો....

આખરે #વિશ્વાસ ની જીત થઈ....

* #વંધ્યત્વ!!!!!(infertility)બવ જ ડરાવતો શબ્દ....આજકાલ લગભગ યુગલો આ વંધ્યત્વથી એક કે બીજી રીતે હેરાન થઈ રહ્યા હોય છે.......
01/02/2026

* #વંધ્યત્વ!!!!!(infertility)

બવ જ ડરાવતો શબ્દ....
આજકાલ લગભગ યુગલો આ વંધ્યત્વથી એક કે બીજી રીતે હેરાન થઈ રહ્યા હોય છે....
તો ચાલો આજે #આર્ય_હોસ્પિટલ ના ડોક્ટર ની કલમે આ અમુક વિશેષ બાબતો ની ચર્ચા કરીએ:

જો તમે #સગર્ભા થવાની રાહ જોઈ રહ્યા હોવ અને મુંઝવણમાં ખોવાય ગયા હોવ કે તેનો સૌથી શ્રેષ્ટ સમય કયો છે તો ચિંતા ન કરશો, તમે એકલા નથી! ઘણા અન્ય યુગલો પણ આ જ સ્થિતિમાં હોય છે. શું કરવું તે ખબર નથી હોતી અને આ જ મુંઝવણના કારણે તેઓ નિરાશ થઇ જાય છે.
આ ઉપરાંત, વધુ ગૂંચવણમાં નાખે છે માદા પ્રજનન તંત્ર કારણ તેઓ જટિલ હોય છે. આ કારણે, ઘણા શિક્ષિત લોકો પણ વડીલો, સાથીદારો અને ઇન્ટરનેટ જેવા વિવિધ સ્રોતોનો સહારો લે છે.

#સગર્ભા_થવું_કેમ_છે_મુશ્કેલ?

સગર્ભા થવામાં અક્ષમ હોવા બદલ બદલાતી #જીવનશૈલીનો દોષ છે. ઘણા લોકો ખુબ તણાવ, વિલંબિત લગ્ન, અસ્વસ્થ આહારની આદતો, લગ્નમાં નિરાશા વગેરે.. અનુભવે છે.

ચાલો હવે થોડું વિશેષ કારણો જાણીએ:

#નર( MALE FACTOR):

*ઈરેકશન તકલીફો
*૩૦ વર્ષથી વધુ ઉમર
*તણાવ
*સ્પર્મ્સની ગુણવત્તા અને સંખ્યા ઓછી હોવ
* વ્યસન(તમાકુ કે આલ્કોહોલ)

#માદા(FEMALE FACTOR):

*અનિયમિત માસિક
*પી.સી.ઓ.ડી
*માસિકનો અભાવ
*હોર્મોનલ અસંતુલન
*થાઇરોડ
*બ્લોક ફેલોપીઅન ટ્યૂબ
*વ્યસન(તમાકુ કે આલ્કોહોલ)
*વારંવાર કસુવાવડ

#સ્થિતિઓ અને #સમયનું ખુબ મહત્વ છે:

જોકે આ એક જૂની કેહવત છે કે સંભોગની પોઝિશન, ગર્ભવતી થવા માટે ખુબ મહત્વની હોય છે. આ ઘણી સ્ત્રીઓ માટે કામ કર્યું છે એટલે વિવિધ સ્થિતો અપનાવા માટે કોઈ હાનિ નથી, જ્યાં સુધી તમને આનંદ મળે છે. ફક્ત યાદ રાખો કે તમે પીઠ પર સૂઈ પછી પ્રયાસ કરો કારણ તેથી યોની નીચેની તરફ નહિ ઢળે. તમારા પગને એલિવેટેડ રાખવાથી વીર્ય ની ગતિશીલતા ની પ્રક્રિયામાં મદદ મળે છે.

*લુબ્રિકેશન (ઉંજણ) ન વાપરો:

ઘણા લોકો ઊંજણ નો ઉપયોગ કરે છે, કારણ તેથી સ્પર્મ્સને મદદ મળે છે એવું માનવામાં આવે છે. જો કે, તે સાચું નથી. વાસ્તવમાં તે તમારા યોનિની કુદરતી પીએચમાં અવરોધે છે અને વીર્યની ગતિશીલતા ઘટાડે છે.

આ ઉપરાંત, #કસરત અને #મેડિટેશન કરવું અનિવાર્ય છે. જો તમે ખરેખર સગર્ભા થવાનો પ્રયાસ કરી રહ્યા હોવ, તો અસરકારક પરિણામો માટે #ધુમ્રપાન અને #દારૂ પીવાનું બંધ કરો!

હવે તમે જાણો છો બાળક ન થવાના કારણો, તેથી આજે અમે તમને ગર્ભવતી થવાની શ્રેષ્ઠ અને સૌથી સરળ રીત કહીશું:

*જાણો કે ક્યારે છે તમારો #ઓવ્યુલેશન નો સમય:

સરેરાશ, એક તંદુરસ્ત સ્ત્રી ઓવ્યુલેશન દરમિયાન સરળતાથી સગર્ભા થઇ શકે છે. સામાન્યતઃ #માસિક_ચક્ર ૨૮ દિવસે આવે છે અને ઓવ્યુલેશન આશરે ચક્રના ૧૪ મા દિવસે શરૂ થાય છે. અંડાશય દ્વારા બહાર કાઢવામાં આવેલા ઇંડા ફેલોપિયન ટ્યુબની ગરણી જેવા ભાગ(fimbria)થી શોષાય છે અને જો તે ફેર્ટીલાઇઝ થઇ જાય છે તો તે ગર્ભાશયની દીવાલ માં રોપાય છે અને #બસ!! તમારી અંદર એક બાળક આવી ગયું.

મતલબ #માસિક ના 10 થી 18 ના ગાળા માં પ્રયત્ન કરવા થી બાળક આસાની થી રહી જાય છે...(જો માતા અને પતિ ના બધા જ પરિબળો નોર્મલ હોય)

આ બાબતો ધ્યાન માં રાખવી અને #માતૃત્વ ની આહ્લાદક પળો આપના જીવન માં જલ્દી થી આવે અને #વંધ્યત્વ આપના થી દુર રહે એવી ઈશ્વર ને પ્રાર્થના....

#ડો_કૃષ્ણ_એ_ચગ
સ્ત્રી રોગ અને પ્રસુતિ રોગ નિષ્ણાત
વંધ્યત્વ અને વારંવાર થતી કસુવાવડ ના નિષ્ણાત
જોખમી પ્રસૂતિ ના નિષ્ણાત

#આર્ય_હોસ્પિટલ
જ્યાં આપની ખુશી જ મહત્વ ની છે
#મો:૮૮૬૬૪૨૪૧૩૩

આર્ય હોસ્પિટલ
15-16 સાવસર પ્લોટ, દેરાસર મંદિર સામે, હનુમાનજી ના મંદિર પાસે,શનાળા રોડ, મોરબી

 #ગર્ભાશય_ની_કોથળી કાઢવાનું દૂરબીન દ્વારા બે દર્દી જેમણે ખૂબ જ માસિક આવતા હતા એ આર્ય હોસ્પિટલ ખાતે સફળતા પૂર્વક કરવા માં...
20/01/2026

#ગર્ભાશય_ની_કોથળી કાઢવાનું દૂરબીન દ્વારા બે દર્દી જેમણે ખૂબ જ માસિક આવતા હતા એ આર્ય હોસ્પિટલ ખાતે સફળતા પૂર્વક કરવા માં આવ્યું..
દૂરબીન થી થતા સ્ત્રી રોગ ના બધા જ ઓપરેશન આર્ય હોસ્પિટલ ખાતે રાહત દરે કરવા માં આવે છે...

special thanks to
Dr.Nilay Trivedi
Dr.Rajendra Loriya
Rajakbhai
& All Aary hospital Staffs...

 #બાળક નું  #જન્મ પછી નું તરત  #રુદન,એક  #સ્ત્રી_રોગ_નિષ્ણાત માટે સૌથી મધુર  #સંગીત હોય છે...આજે  #બ્લડ_પ્રેશર, ગર્ભાશય ...
06/01/2026

#બાળક નું #જન્મ પછી નું તરત #રુદન,
એક #સ્ત્રી_રોગ_નિષ્ણાત માટે સૌથી મધુર #સંગીત હોય છે...
આજે #બ્લડ_પ્રેશર, ગર્ભાશય માં મોટી #રસોળી ની ગાંઠ અને પુરા મહિના ની પ્રેગ્નન્સી સાથે દર્દી ઓપીડી માં બતાવવા માટે આવ્યું, બાળક નો CTG કર્યો તો એમાં બાળક ને #ઑક્સિજન બહુ જ ઓછો મળતો હોય એવું આવ્યું....દર્દી ને સમજાવ્યું અને તરત જ ઓપરેશન કરવા માટે લીધું,
ઓપરેશન માં મોટી રસોળી હોવા છતાં સાચવી ને બાળક ની ડિલિવરી કરાવી અને તંદુરસ્ત #કાનુડો આવ્યો, બાળક તરત રડ્યું, પણ #નાળ જોઈ બાળક ની તો એમાં #ગાંઠ પડેલી હતી, જે સંપૂર્ણ #કુદરતી ઘટના છે, જેમ બાળક ને ગમે ત્યારે #ઓક્સિજન મળતો #સંપૂર્ણ બંધ થઈ જાય, પણ #સમસૂચકતા થી ડિલિવરી થઈ એટલે બાળક એકદમ સ્વસ્થ આવ્યું,અને દર્દી ના કુટુંબી જનો ખૂબ ખૂબ ખુશ થયા...
દર્દીનો ડોક્ટર પર નો #વિશ્વાસ જ ઘણી વખત સમયસૂચકતા સાથે કામ કરવા પ્રેરણા આપે છે..

https://youtu.be/JP-JiEurmd0::DIWALI DOSE::LIKE SHARE AND SUBSCRIBE
20/10/2025

https://youtu.be/JP-JiEurmd0

::DIWALI DOSE::

LIKE SHARE AND SUBSCRIBE

, ટચૂકડી વાતો 66, #બુરાઈ_એક_આશીર્વાદ #

 #માનસિક_આરોગ્ય???આજે દરેક લોકો  #શારીરિક તકલીફો પાછળ સારવાર કરાવવા માટે ભાગદોડ માં રહે છે, પરંતુ ક્યારેય વિચાર્યું કે મ...
10/10/2025

#માનસિક_આરોગ્ય???
આજે દરેક લોકો #શારીરિક તકલીફો પાછળ સારવાર કરાવવા માટે ભાગદોડ માં રહે છે, પરંતુ ક્યારેય વિચાર્યું કે મહત્તમ શારીરિક તકલીફો પાછળ #ઊંડાણ માં માનસિક પરિસ્થિતિ જ જવાબદાર હોય છે....
આપણી આજુ બાજુ આપના મિત્રો, સગા તેમજ સહકર્મી ઘણા હશે જે ડિપ્રેશન ,સ્ટ્રેસ, મેનીઆ,ચિંતા વગેરે થી પીડાતા હશે...ઘણા લોકો એવા પણ હશે કે આ બધા સંજોગો માં માનસિક રીતે એટલા પડી ભાંગે છે કે #આત્મહત્યા કરવા સુધી પહોંચી જાય છે....
ચાલો આજે ભેગા મળી ને #સંકલ્પ લઈએ કે એક #માણસ તરીકે આ પૃથ્વી પર આવ્યા છીએ તો બીજા માણસ ને માત્ર માનસિક રીતે મજબૂત કરી ને મદદ કરી ને #ખુશહાલ જીવન બને એમાં #ભાગીદાર બનીએ...કેમ કે #સુવાસ ફેલાવિશું તો પેહલા સુવાસ આપણી પાસે જ આવશે...
#વિશ્વ_માનસિક_સ્વાસ્થ્ય દિવસ પર આપ સૌ ખુશ રહો અને દુનિયા ની બધી #ચિંતા ને એક #જીવન નો ભાગ સમજી ને આગળ વધતા રહો એવી #આર્ય_હોસ્પિટલ પરિવાર દ્વારા #ઈશ્વર ને પ્રાર્થના..

 #ડોક્ટર માટે સૌથી વધુ હર્ષ ની પળ કઈ છે, ખબર છે???જ્યારે દર્દી રજા થાય  #હોસ્પિટલ માંથી અને ડોક્ટર પર ખૂબ જ  #કૃતજ્ઞતા ભ...
08/10/2025

#ડોક્ટર માટે સૌથી વધુ હર્ષ ની પળ કઈ છે, ખબર છે???
જ્યારે દર્દી રજા થાય #હોસ્પિટલ માંથી અને ડોક્ટર પર ખૂબ જ #કૃતજ્ઞતા ભાવ દર્શાવે, તો એમ લાગે કે જાણે ડોક્ટર બન્યા એ #સાર્થક છે....
આવા દર્દીઓ ની ડોક્ટર પ્રત્યે ની લાગણી ના લીધે ખૂબ #મહેનત થી કામ કરવા માટે પ્રેરણા મળે છે...
એ જ દિવસે રાતે #ઈમરજન્સી માં બીજું દર્દી આવ્યું...પેહલા એમને #સિજેરિયન હતું સાથે ડિલિવરી નો દુખાવો અને #મેલી_ફાટી(ABRUPTIO PLACENTAE) ગઈ હતી...સાથે #બ્લડ_પ્રેશર તો હતું જ....પેટ ખોલતા જ #લોહી જ લોહી, બાળક ની ફટાફટ ડિલિવરી કરાવી, સરસ 3 કિલો નો #બાબો જન્મ્યો, પછી મેલી ની નાળ જોઈ તો એમાં #ગાંઠ પળેલી હતી, જેના લીધે બાળક ને ગમે ત્યારે લોહી મળતું બંધ થઈ શકે, પણ #નસીબ દર્દી અને મારા બંને ના સારા અને બાળક સંપૂર્ણ સ્વસ્થ આવ્યું,
પછી જોયું તો #આંતરડા, #પેશાબ ની #કોથળી બધું જ #ગર્ભાશય સાથે ચોંટેલું અને દર્દી પણ વજન વધુ ધરાવતું હોવાથી #ચરબી વધુ હતી....બસ શાંતિ થી #પરમાત્મા નું નામ લઈ કામ ચાલુ રાખ્યું અને આખરે સરસ મજા નું કાર્ય પૂર્ણ થયું...

આર્ય હોસ્પિટલ
પ્રસૂતિ તેમજ સ્ત્રી રોગ હોસ્પિટલ
15-16 સાવસર પ્લોટ,જૈન દેરાસર સામે,
કોટક બેંક ની પાછળ, હનુમાનજી ના મંદિર
પાસે, શનાળા રોડ મોરબી
મો.8866424133

Address

" AARY HOSPITAL", OPP. JAIN DERASAR TEMPLE, 15-16 SAVSAR PLOT, NEAR HANUMAN TEMMPLE, SHANALA Road , MORBI . . MO. 8866424133, 02822232495
Morbi
363641

Telephone

+918866424133

Website

Alerts

Be the first to know and let us send you an email when AARY Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to AARY Hospital:

Share

Category