Kishan medical,supper markets

Kishan medical,supper markets Well come if you need any type of medicine or any type of advise

29/09/2018

મોરબી : સ્વાઈન ફલૂ! કોઈને આ રોગ થયાનું સાંભળીને આપણા શરીરમાંથી ધ્રુજારીનું લખલખું પસાર થઈ જાય. તેનાં આભાસી લક્ષણો આપણામાં દેખાવા માંડે ને ઘડીભર બેચેન થઈ જવાય. થોડા સમય પછી એ વાત ભુલાઈ જાય એટલે પેલો રોગ પણ ગાયબ થઈ જાય ! ખાસ કરીને નબળા મનના લોકોમાં આવી આભાસી રોગ વધારે જોવા મળતો હોય છે. વાસ્તવમાં સ્વાઈન ફલૂ એટલો વ્યાપક નથી અને એટલો જીવલેણ પણ નથી. એમાંય તંદુરસ્ત લોકોને આ રોગ થવાની શક્યતા ખૂબ ઓછી છે. એટલે આ રોગોમાં ખોટો ડર નહિં. પણ કડક સાવચેતી રાખીએ એ વધારે યોગ્ય છે. તેમ ઓમ હોસ્પિટલના ડો. હિતેશ પટેલ અને ડૉ. નિલેશ પટેલે જણાવ્યું હતું.

-સ્વાઇન ફલૂ શુ છે?

મોસમમાં થતા ઇનફલૂએન્ઝાને સામાન્ય રીતે ફલૂ ક્હેવામાં આવે છે. જે ઈન્ફલ્યુએન્ઝા વાઈરસને કારણે થાય છે અને શ્વાસ માર્ગને રોગ લગાડે છે.

સ્વાઈન એટલે ભૂંડ. ભૂંડ દ્વારા ફેલાતો રોગ એટલે સ્વાઈન ફલૂ. H1N1 વાયરસને કારણે ભૂંડમાં ફ્લુની ગંભીર બીમારી થાય છે. તેના ઉય્છવાસથી આ રોગના જંતુઓ વાતાવરણમાં ભળે છે. એક સંશોધન મુજબ આ રોગમાં ભૂંડ, એવીંયન (પક્ષી) અને મનુષ્ય ઈન્ફલુએન્ઝાના વાયરસનું સંમિશ્નણ જોવા મળેલ છે. અન્ય ઈન્ફ્લુએન્ઝા વાયરસની માફક આ રોગ પણ ખાસ કરીને શ્વાસનાં બિંદુઓ મારફત વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે.

-લક્ષણો

સ્વાઈન ક્લૂનાં લક્ષણો હળવા પણ હોય છે અને તીવ્ર પણ હોય છે. સામાન્યથી ભારે તાવ (૧૦૧ થી ૧૦૪ ફે.), ઉદારસ, ગળામાં દુખવું, કળતર, અશક્તિ, માથું દુઃખવું, કાકડા પર સોજો, સ્નાયુ કે સાંધામાં દુખાવો, ઉબકા, ઉલ્ટી કે અતિસાર, થાક લાગવો, ગળફામાંથી લોહી પડવું, પેટમાં ગરબડ, ઠંડી લાગવી, શ્વાસ ચડવો, વગેરે સ્વાઈન ફ્લુના લક્ષણો છે.

-અસરો

અસ્થમા, ડાયાબિટીસ, દમ, હદય રોગ અને મેદસ્વિતાથી પીડાતા વયસ્કો તેમજ બાળકો અને સગર્ભામહીલાઓ વધારે ઝડપથી આ રોગની અસર હેઠળ આવી શકે છે. તેમનામાં આ રોગનાં લક્ષણો તીવ્રપણે જોવા મળે છે. ૭૦ ટકા જેટલા રોગીઓ એવા છે કે જેઓ ૫ વર્ષ કરતાં ઓછી અને ૬૫ વર્ષ કરતાં વધુ વયના હોય છે. તંદુરસ્ત લોકોને પણ આ રોગ થઈ શકે છે. પરંતુ એવા કિસ્સાઓ અપવાદ રૂપ હોય છે.

-સારવાર

આ રોગમાં લક્ષણો જણાય તો તરત જ નજીકના નિષ્ણાત ડોકટરની સલાહ લઈ ઓસેલ્ટામિવીર કે ઝાનામિવીર દવાઓ શરૂ કરવી. તીવ્ર લક્ષણો ધરાવતા દર્દીએ નાક કે ગળાની પેશીના સ્વાબનું પરીક્ષણ કરાવવુ. લોહીનો રિપોર્ટ કરાવવો અને છાતીનો એક્સ રે પણ કરાવી લેવો પણ જરૂરી છે. તેઓએ હોસ્પિટલમાં દાખલ થઈ જવું હિતાવહ છે.

-સાવચેતીના પગલાં

સ્વાઇનફ્લુથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે. પ્રત્યેક વર્ષે તેની રસી લેવી. આ રસી ૬૦ થી ૭૦ ટકા રક્ષણ આપે છે.

-સ્વયં લેવા જેવી કાળજી

(૧) પાણી વઘારે પીવું, પૂરતી ઊંઘ લેવી… પૌષ્ટિક આહાર લેવો અને ગંદકીથી દૂર રહેવું.

(૨) ઉધરસ કે છીક આવે ત્યારે મોઢુ અને નાક રૂમાલ ડે કપડાંથી ઢાંક્વું.

(૩) આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરતાં પહેલાં અને પછી હાથ સાબુથી ધોવા.

(૪) શકય હોય ત્યાં સુધી હાથ મિલાવવાનું ટાળવું.

(પ) ભીડભાડવાળી જગ્યાએ જવું નહી. મેળા, મંદિરે, થિયેટરમાં અને અન્ય એવા કાર્યક્રમો કે જેમાં વધારે લોકો ભેગા થતા હોય તેવી જગ્યાએ આ રોગચાળો ફેલાય છે ત્યાં સુધી જવાનું ટાળવું.

(9) બીમાર લોકોની નજીક જવું નહિ. જવું પડૅ એમ જ હોય તો માસ્ક પહેંરૅલો રાખવો.

(૭) ઘરમાં કોઈને ભારે શરદી કે ઉધરસ થયા હોય તો તેમને માસ્ક પહેરાવવાનોં આગ્રહ રાખો.

(૮) આ રોગનાં લક્ષણો ધરાવતા દર્દીઓને કામ પર કે શાળાએ મોકલવા નહિ.

(૯) ડોકટરની સલાહ વગર જાતે કોઇ એલોપેથી દવા લેવી નહિ.

28/06/2018
16/04/2018

આયુર્વેદમાં એવું એક સુત્ર લખ્યું છે કે શરીરને ભોજનમાંથી મળવા વાળી જે સાકર છે, તે ઝડપથી પેટ માં પચે તેમાં રસ્તામાં કોઈ ખલેલ ન પડે. એવી કોઈ વસ્તુ ભોજનમાં નાં હોવી જોઈએ જે પાચન ક્રિયા ને રોકે.

હવે આ વાત તેમણે સાડા ત્રણ હજાર વર્ષ પહેલા કહી હતી. તમે જુઓ કે મહાન લોકો આપણા દેશમાં થઇ ગયા જેઓ સાડા ત્રણ હજાર વર્ષ પહેલા કહી રહ્યા હતા કે ભોજનના રૂપમાં જે સાકર તમને મળવાની છે, તે ઝડપથી પચાવી જોઈએ અને વચ્ચે પચવા માં કોઈ અડચણ આવે એવી કોઈ વસ્તુ ભોજનમાં ન ખાઓ.

રાજીવભાઈ એ આજના આધુનિક વિજ્ઞાન પ્રમાણે સંશોધન કરવાનું શરુ કર્યું છે કે આજના ભોજનમાં એવી કઈ કઈ વસ્તુઓ છે જે ભોજનમાં રહેલા નેચરલ શુગરને મદદરૂપ થવામાં અડચણ ઉભી કરે છે. તો પરિણામ ચોકાવનારું છે.
આપણા દેશમાં એક ખુબ જ મોટી લેબોરેટરી છે જેનું નામ CDRI (CENTRAL Drug research institute)છે.

રાજીવભાઈ ત્યાં ગયા અને ઘણા વેજ્ઞાનિકો સાથે આના વિષે વાત કરી કે તમે જણાવો કે આપણા ભોજનમાં એવી કઈ કઈ વસ્તુ છે જે આપણા ભોજનની કુદરતી સાકર ને શરીર માટે મદદરૂપ થવામાં અડચણ રૂપ થાય છે તો બધા વેજ્ઞાનિકો એ એક જ અવાજે જે વસ્તુનું નામ લીધું હતું, તેનું નામ ખાંડ હતું, હા એ ખાંડ જે તમે ચા માં નાખીને પીઓ છો.

હવે તમે કહેશો તો પછી તેની જગ્યાએ શું ખઈએ. તો જવાબ એ છે કે ગોળ ખાઓ. તમે કહેશો ગોળ અને ખાંડમાં શું ફરક છે. આ બન્નેમાં ઘણો ફરક છે ખાંડ બનાવવા માટે શેરડીના રસમાં ૨૩ ઝેર (કેમિકલ) ભેળવવા પડે છે. અને તે બધા તે ઝેર છે જે શરીરની અંદર તો જાય છે પરંતુ બહાર નથી નીકળી શકતા.

અને ગોળ એક જ એવો છે કોઈ પણ ઝેર ભળ્યા સિવાય સીધે સીધો બને છે શેરડીના રસને ગરમ કરતા જાઓ, ગોળ બની જાય છે. તેમાં કઈ પણ ભેળવવું પડતું નથી. માત્ર તેમાં દૂધ ભેળવવાનું છે બીજું કઈ ભેળવવાનું નથી.

ગોળ થી પણ એક સારી વસ્તુ છે જે તમે ખાઈ શકો છો તેનું નામ છે કાકવી. જો તમે ક્યારેય ગોળ બનવતા જોયું હશે તો તમને તેની પણ ખબર પડી જશે. આ કાકવી ગોળ થી પણ સારી છે, ગોળ તો સારો છે જ પરંતુ ગોળ થી પણ સારી જો કોઈ વસ્તુ છે તો તે છે કાકવી છે.

એક કામ કરો કાક્વીને ડોલમાં ભરીને રાખો તે ખરાબ થતી નથી.૧ વર્ષ આરામથી રાખી શકો છો. કાક્વીનો ભાવ પણ ગોળ જેટલો જ હોય છે. હવે તમે યા તો કાકવી ખાવ નહી તો ગોળ ખાવ. જો તમને કાકવી મળી રહે છે તો સમજી લો કે તમે રાજા છો, જો કાકવી ન મળે તો ગોળ મળી રહ્યો છે તો નાના રાજા છો.

અત્યાર સુધી તમે એવું વિચારી રહ્યા હશો કે આ કાકવી શી હોય છે,તમને તે પણ જણાવી દઈએ છીએ. કાકવી નો મતલબ શેરડીના રસને જયારે આપણે ગરમ કરવાનું શરુ કરીએ છીએ તો ગરમ કરતા કરતા ગોળ બનતા પહેલા અને તેનો રસ ગરમ થયા પછી એક લીક્વીડ બને છે તે લીકવીડને કાકવી કહે છે. જ્યાં પણ ગોળ બને છે ત્યાં કાકવી જરૂર મળશે.

તમને મારી એક નાની એવી વિનંતી છે કે તમારા ઘરમાંથી આ ખાંડ દૂર કરો. ખાંડે આખી દુનિયાનો સત્યાનાશ કરી નાખ્યો છે. શુગર મિલ વાળાઓનું પણ બીપી હાઈ છે. રાજીવભાઈ આખા દેશમાં પ્રવાસ કરતા હતા, તે શુગર મિલ વાળાને મળતા હતા ત્યારે તેઓ કહેતા હતા કે રાજીવભાઈ અમે પણ ખુબ તકલીફમાં છીએ, જ્યારથી ખાંડ બનાવવાનું અને ખાવાનું શરુ કર્યું છે, ત્યારથી શરીરની હાલત ખરાબ છે.

કરોડો રૂપિયા તો શુગરની મિલ બનાવવામાં થાય છે કરોડો શેરડીના રસને ખાંડ બનાવવામાં લાગે છે. તેનાથી સારું તો સસ્તામાં ગોળ બનાવવો છે, પ્રોસેસ પણ લાંબી છે. ખુબ જ સસ્તામાં કાકવી બને છે, સીધો ગોળ બનાવીને વેચવો, કે કાકવી બનાવીને વેચો.

હવે રસપ્રદ જાણકારી તમને આપું છું કે ભારત ને છોડી ને દુનિયાના દેશોમાં ગોળ અને કાકવી ની ખુબ જ માંગ છે. કેમ કે ખાંડ થી બનેલી મીઠાઈ જલ્દી ખરાબ થઇ જાય છે અને તેમાં ગુણવત્તા હોતી નથી,પરંતુ ગોળ માંથી બનેલી મીઠાઈ ઘણા મહિના સુધી બગડતી નથી અને સારી ક્વોલેટી ની હોય છે.

તમને સાંભળીને નવાઈ લાગશે કે ગામમાં ગોળ નો ભાવ ૨૦-૩૦ રૂપિયા કિલો હોય છે.પરંતુ ઇજરાયલ માં ગોળનો ભાવ 170 રૂપિયા કિલો વેચાય છે. ઇજરાયલ એક નાનો દેશ છે, જો તમે ગોળ ત્યાં વેચવા માંગો છો તો ૧૭૦ રૂપિયા કિલો વેચાય છે. જર્મની માં ગોળનો ભાવ ૨૧૦ રૂપિયા કિલો છે, કેનેડામાં ભારતના રૂપિયાના હિસાબે ગોળનો ભાવ ૩૩૦ રૂપિયા કિલો છે. આ બધા દેશોમાં ગોળ ની ખુબ જ માગ છે . આ ખાંડ ત્યાં સસ્તી છે. કેમ કે તેમણે ખબર છે કે ખાંડ ઝેર છે અને ગોળ અમૃત છે.

ગોળ અને ખાંડ ની હમેશા એક જ વાત યાદ રાખો બીજું યાદ રાખો કે ન રાખો. જો ખાંડ તમે ખાધી તો તેને પચાવવી પડે છે અને તેમાં એટલા નુકશાનકારક તત્વો હોય છે કે આસાની થી પચતા નથી. અને જો તમે ગોળ ખાશો તો ગોળ એટલી સરસ જાત છે કે જે પણ ગોળ સાથે તમે ખાધું છે, તેને ગોળ પચાવી દે છે.

ખાંડ ને પચાવવી પડે છે તેમાં ૬-૭ કલાક લાગે છે અને ગોળ જે કઈ પણ ખાઓ તેને માત્ર ૪ કલાક ૪૦ મીનીટમાં પચાવી દે છે. એટલા માટે ભોજન સાથે ગોળ જરૂર ખાવ અને ખાંડ બિલકુલ ન ખાઓ.

જો તમે આ સુત્રનું પાલન કરશો તો ડાયાબિટીસ,આર્થરાઈટીસ,અસ્થમા,ઓસ્તીમાલીસીસ જેવી ૧૪૮ ગંભીર બીમારીઓ તમારી જીંદગીમાં ક્યારેય નહિ આવે. તમે તમારી જીંદગીમાં થી આ ખાંડ ને કાઢી નાખો કેમ કે આપણે જે કુદરતી ખાંડ ફળ માંથી કે બીજી વસ્તુઓમાંથી મળી રહે છે, આ ખાંડ તમને પચવા ના રસ્તામાં મોટી અડચણ છે.

તમે એક વાત યાદ રાખો જો ત્યાગવાની કોઈ વસ્તુ છે તો જેને સૌથી વધુ નફરત કરવી છે તો તે ખાંડથી કરો. ગોળ ખાઓ કાકવી ખાઓ.

12/12/2017

Dear all
Important , 04 kidney available. Due to mr.sudhir and his wife met an accident yesterday, doctor declaired brain dead Mr.sudhir is B+ and his wife O+ , his family want to donate their kidney for humanity .plz circulate. Contact 9837285283

22/04/2017
11/04/2017

🎯
એક દવાખાને લખેલી લાઈન
*"દવામાં કંઈ મજા નથી"*
અને
*"મજા જેવી કોઈ દવા નથી"*

G⭕⭕👌 Ⓜ⭕®🎵📍🎵❡.

GOOD 〽⭕➰N❗NG
😊 *જય શ્રી કૃષ્ણ* 😊

02/04/2017

ઉનાળે કેરી ને આમળા ભલા
શિયાળે સુંઠ અને તલ ભલા,
ચોમાસે અજમો, લસણ ભલા
પણ, બારે માસ ત્રિફલા ભલા.
ખાય જે બાજરી ના રોટલા અને મૂળા ના પાન,
શાકાઆહારને લીધે , તે ઘરડા પણ થાય જવાન.
રોટલા, કઠોળ અને ભાજી, -- તે ખાનારની તબીઅત
તાજી,
મૂળો, મોગરી, ગાજર ને બોર, જે ખાય રાતે તે રહે ન રાજી.
હિંગ, મરચું અને આમલી, સોપારી અને તેલ,
શોખ હોય તો પણ, સ્વાસ્થ્ય માટે પાંચે વસ્તુ મેલ.
આદુ રસ ને મધ મેળવી, ચાટે જો પરમ ચતુર,
શ્વાસ, શરદી, અને વેદના, ભાગે તેના જરૂર.
ખાંડ, મીઠું અને સોડા, એ ત્રણ સફેદ ઝેર કહેવાય,
નિત ખાવા-પીવામાં એ વિવેકબુદ્ધિથી જ વપરાય.
ફણગાવેલા કઠોળ જે ખાય, તે લાંબો, પોહળો અને તગડો થાય
દૂધ-સાકર, એલચી, વરીયાળી અને દ્રાક્ષ, એ ગાનારા સૌ ખાય
લીંબુ કહે: હું ગોળ ગોળ, ભલે રસ છે મારો ખાટો,
સેવન કરો જો મારું તો, પિત્ત ને મારું હું લાતો.
ચણો કહે: હું ખરબચડો, પીળો પીળો રંગ જણાય,
ચણા દાળ ને ગોળ જે ખાય, તે ઘોડા જેવો થાય.
મગ કહે: હું લીલો દાણો અને મારે માથે ચાંદુ,
જો બે ચાર મહીના ખાય તો માણસ ઉઠાડું માંદુ
કારેલું કહે: કડવો, કડવો હું અને મારે માથે ચોટલી,
રસ જો પીએ મારો, ડાયાબીટીસની બાંધુ ચોટલી
આમલી કહે: મારામાં ગુણ એક જ, પણ અવગુણ છે પુરા ત્રીસ
લીંબુ કહે: મારામાં અવગુણ એક નહીં, પણ ગુણ છે પુરા વીસ
ઉનાળો જોગીનો, શિયાળો ભોગીનો ને ચોમાસુ
રોગીનું,
શાકાઆહારી જે જન રહે, દર્દ નામ કદી ન લે એ જોગીનું.

21/02/2017
27/01/2017

*AIMS Hospital, નારાયણ નગર રોડ, પાલડી, અમદાવાદ દ્વારા આયોજીત*

*ફ્કત કેન્સર પીડિત પેશન્ટો માટે– ફ્રી કન્સ્લ્ટેશન*

*તારીખ :- ૩૦, ૩૧ જાન્યુઆરી- ૧ ફેબ્રુઆરી,૨૦૧૭*

*સમય :- સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી*

ચીનના ખ્યાતનામ કેન્સર નિષ્ણાત ડૉ. નૂ લીચર–રોબોટિક સજૅરીના સ્પેશ્યાલીસ્ટ, દ્વારા કેન્સરના દર્દી માટે ફ્રી નિદાન અને સલાહ આપવામાં આવશે, સાથે સાથે કેન્સરની બિમારી સામે કેવી રીતે લડવું તેના વિશે માહિતગાર કરશે. તો આ મેસેજ ને વધુ માં વધુ આગળ મોક્લવા નમ્ર વિનંતી. વધુ માહિતી માટે નીચે ના નંબર પર સંપકૅ કરવા વિનંતી.

ફોન:- +૯૧ ૭૮૭૮૭૯૭૮૧૯,ni +૯૧૩૨૪૨૩૨૪૨, +૯૧ ૮૬૫૫૧૧૩૯૬૧.

*આ એક મેસેજ કેન્સર પીડિત વ્યક્તિનુ જીવન બદલી નાખશે.*

Address

Supper Market, Sanala Road. Near New Busstop, Morbi
Morbi
241124

Telephone

+919427513707

Website

Alerts

Be the first to know and let us send you an email when Kishan medical,supper markets posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram