
28/06/2024
આંજણી બહુ સામાન્ય રીતે જોવા મળતો આંખનો રોગ છે. શુષ્ક ત્વચા, ખીલ, સ્વચ્છતાનો અભાવ, આંખનો મેકઅપ, માનસિક તણાવ તથા હોર્મોનલ તકલીફોને લીધે આ રોગ થવાની શક્યતા વધુ રહે છે. આ રોગમાં પાંપણ ઉપર, અંદર કે બહારની તરફ દાણા જેવી ગાંઠ જોવા મળે છે જેને લીધે આંખમાં દુઃખાવો, સોજો,બળતરા, પાણી પડવું, રસી આવવી,.
ખંજવાળ આવવી, દૃષ્ટિમાં ઝાંખપ આવવી જેવા ચિહ્નો જોવા મળે છે. ઘરેલુ ઉપચારમાં ગરમ શેક કરવો તથા વારંવાર આંખો ચોખ્ખા પાણીથી સાફ કરવી. જો દુઃખાવો કે સોજો વધી જાય, રસી આવતી હોય, તાવ આવતો હોય, દૃષ્ટિમાં ઝાંખપ આવે તથા અવારનવાર આંજણી થતી હોય તો નિષ્ણાંત ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
❤️ ...