Roshni Eye Hospital

Roshni Eye Hospital Dr Rutvi Patel [ M.B.B.S. , DNB , Ophthal Surgeon ]
Subhadranagar | Patan - 384265

આંજણી બહુ સામાન્ય રીતે જોવા મળતો આંખનો રોગ છે. શુષ્ક ત્વચા, ખીલ, સ્વચ્છતાનો અભાવ, આંખનો મેકઅપ, માનસિક તણાવ તથા હોર્મોનલ ...
28/06/2024

આંજણી બહુ સામાન્ય રીતે જોવા મળતો આંખનો રોગ છે. શુષ્ક ત્વચા, ખીલ, સ્વચ્છતાનો અભાવ, આંખનો મેકઅપ, માનસિક તણાવ તથા હોર્મોનલ તકલીફોને લીધે આ રોગ થવાની શક્યતા વધુ રહે છે. આ રોગમાં પાંપણ ઉપર, અંદર કે બહારની તરફ દાણા જેવી ગાંઠ જોવા મળે છે જેને લીધે આંખમાં દુઃખાવો, સોજો,બળતરા, પાણી પડવું, રસી આવવી,.

ખંજવાળ આવવી, દૃષ્ટિમાં ઝાંખપ આવવી જેવા ચિહ્નો જોવા મળે છે. ઘરેલુ ઉપચારમાં ગરમ શેક કરવો તથા વારંવાર આંખો ચોખ્ખા પાણીથી સાફ કરવી. જો દુઃખાવો કે સોજો વધી જાય, રસી આવતી હોય, તાવ આવતો હોય, દૃષ્ટિમાં ઝાંખપ આવે તથા અવારનવાર આંજણી થતી હોય તો નિષ્ણાંત ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

❤️ ...

*આંખો આવવી* કન્જક્ટિવાઈટીસ (Conjunctivitis) શું છે?કન્જક્ટિવાઈટીસ એ અંગ્રેજી શબ્દ છે અને એને સામાન્ય ભાષામાં “આંખો આવવી”...
19/06/2024

*આંખો આવવી* કન્જક્ટિવાઈટીસ (Conjunctivitis) શું છે?

કન્જક્ટિવાઈટીસ એ અંગ્રેજી શબ્દ છે અને એને સામાન્ય ભાષામાં “આંખો આવવી” એમ કહેવામાં આવે છે. એ આંખની કીકીની ફરતે આવેલી પારદર્ષક ચામડીનો એક પ્રકારનો સોજો છે. તે એક આંખ અથવા બંને આંખમાં થાય છે.

*લક્ષણોઃ
આંખની લાલાશ
આંખમાંથી સ્રાવ
આંખ બળતી હોવાનો ભાસ
ખંજવાળ આવવી
પ્રકાશથી સંવેદનશીલતા*

*કન્જક્ટિવાઈટીસ કેમ થાય છે?*

>> કન્જક્ટિવાઈટીસ નું સૌથી સામાન્ય કારણ વાયરલ ચેપ છે. અન્ય કારણોમાં મોસમી એલર્જી, બેક્ટેરીયલ ચેપ અને આંખની દવાઓ પ્રત્યેની પ્રતિક્રિયાઓનો સમાવેશ થાય છે.

*કન્જક્ટિવાઈટીસ કેવી રીતે ફેલાય છે?*

>> વાઈરલ કન્જક્ટિવાઈટીસ (Viral Conjunctivitis)– એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિના સંપર્ક દ્વારા, ટુવાલ અથવા ઓશીકા ધ્વારા, ચહેરાના સંપર્ક, અથવા કોસ્મેટિક ધ્વારા ફેલાય છે.તે શરદી, શ્વાસ તથા ગળાના ચેપ પહેલાં,દરમિયાન કે પછી પણ થઈ શકે છે.

>> એલર્જીક કન્જક્ટિવાઈટીસ (Allergic Conjunctivitis)- તે સામાન્ય રીતે વસંત ૠતુ તથા ઉનાળામાં જોવા મળે છે અને ચેપી નથી. તેનું મુખ્ય લક્ષણ ખંજવાળ છે. તે પરાગરજ ની એલર્જીથી થાય છે.
>> બેક્ટેરિયલ કન્જક્ટિવાઈટીસ (Bacterial Conjunctivitis)-વાઈરલ કન્જક્ટિવાઈટીસની જેમ તે પણ ચેપી છે. તે મુખ્યત્વે શુષ્ક આંખો (Dry Eyes) તથા આંખની પાંપણોના સોજા (Blepharitis) સાથે વધુ જોવા મળે છે.

*કન્જક્ટિવાઈટીસમાં શું સાવચેતી લેવી જોઈએ?*

સૌથી મહત્વપૂર્ણ સાવચેતી હાથ ધોવાની છે. હંમેશા સાબુથી હાથ ધોવા જોઈએ ખાસ કરીને આંખોના સ્પર્શ પહેલાં અને આંખો સ્પર્શ પછી.
અન્ય લોકો સાથે કોઇ પણ પ્રકારનો ચહેરાનો સંપર્ક ટાળો.
અન્ય લોકો ને તમારી વ્યક્તિગત વસ્તુઅઓ જેવા કે ટુવાલ, ગાદલા, અથવા કોસ્મેટિક ઉપયોગ કરવા દેવા નહી.
તમે કોન્ટેક્ટ લેન્સની પહેરતા હોય તો તમારે મર્યાદીત સમય માટે એનો ઉપયોગ ટાળવો જોઈએ.
જે લોકો હેલ્થકેર, ખાદ્ય સેવાઓ તથા શિક્ષણ સાથે સંકળાયેલ છે તેમણે મર્યાદીત સમય માટે ફરજ પર રજા લેવી જોઈએ જેથી અન્ય લોકોને આ રોગ ફેલતો અટકાવી શકાય;

રોશની આંખ ની હોસ્પિટલ
ડો ઋત્વીબેન પટેલ [ M.B.B.S. | DNB | Ophthalmology | FIIOL [ ફેકો સર્જન ]
સુભદ્રાનગર , સ્ટેશન રોડ - પાટણ । 384265
સંપર્ક ફોન નંબર : 7736691172 - 9727000456
www.roshnieyehospital.in

❤️ ...

ખુબ ધૂળિયા પવન ઉડી રહ્યાં છે; આવા માં નાના બાળકો ની આંખો ની કાળજી કેવી રીતે લેવી જોઈએ; 1. બાળકો ને ધૂળ વાળા પવન માં બહાર...
15/06/2024

ખુબ ધૂળિયા પવન ઉડી રહ્યાં છે; આવા માં નાના બાળકો ની આંખો ની કાળજી કેવી રીતે લેવી જોઈએ;

1. બાળકો ને ધૂળ વાળા પવન માં બહાર રમવા કે ફરવા ના જવા દેવા; શાળા એ જવા આવા વાવાજોડા ની અસર માં ખાસ તકેદારી લેવી;

2. બાળકો ને કાન - નાક - ગળા કે આંખ માં ધૂળ ની અસર ના થાય તેવી રીતે ઇન્ડોર રમવા દેવા અને તેમની ખાસ કાળજી લેવી;

3. આંખ માં જો ધૂળ ને લીધે ઇન્ફેકશન થાય કે લાલ આંખ થાય તો તુરંત જ આંખ ના ડૉક્ટર ની સલાહ લેવી;

4. ધૂળ થી આંખ ને બહુ નુકસાન થાય છે; તેથી ઘર ની બહાર નીકળવા નું થાય તો મોં ઉપર કપડું બાંધી ને જ નીકળવું;

5. પવન - ધૂળ અને વીજળી ના ઝમકારા માં ઇલેક્ટ્રોનિક સાધનો કે પ્લગ થી બાળકો ને દૂર જ રાખવા;

❤️ ...

વેલ (Pterygium) શું છે? વેલ (Pterygium) એ માસ-પેશી નો વિકાસ છે જે તમારી આંખના સફેદ ભાગને કોર્નિયા (કીકી) ઉપર આવરી લે છે....
09/06/2024

વેલ (Pterygium) શું છે?

વેલ (Pterygium) એ માસ-પેશી નો વિકાસ છે જે તમારી આંખના સફેદ ભાગને કોર્નિયા (કીકી) ઉપર આવરી લે છે. કોર્નિયા એ આંખનું આગળનું પારદર્શક લેયર છે. વેલ (Pterygium) ની સામાન્ય રીતે સારવારની જરૂર નથી, પરંતુ જો તે વધતી હોય અને તમારી દ્રષ્ટિમાં દખલ કરે તો તેને દૂર કરવા ઓપરેશન જરુરી છે.

વેલ માટેના જવાબદાર કારણો :

અલ્ટ્રાવાયોલેટ (UV) સૂર્યપ્રકાશનો ખૂબ જ સંપર્ક.
જે લોકો ગરમ આબોહવામાં રહે છે અને સૂર્યપ્રકાશમાં બહાર ઘણો સમય વિતાવે છે.
જે લોકોની આંખો નિયમિતપણે અમુક તત્વોના સંપર્કમાં રહે છે જેમ કે pollen, રેતી, ધુમાડો, પવન..

વેલના લક્ષણો શું છે?

લાલ આંખ રહેવી
ઓછું દેખાવુ
આંખમાં બળતરા થવી
આંખમા કુચવુ
વેલને કેવી રીતે રોકી શકાય?

જવાબદાર તત્વોના સંપર્કને ટાળો જે વેલનું કારણ બની શકે છે.

તમારી આંખોને સૂર્યપ્રકાશ, પવન અને ધૂળથી બચાવવા માટે સનગ્લાસ અથવા ટોપી પહેરો.

વેલનું ઓપરેશન :

વેલના latest ઓપરેશનનુ નામ "Pterygium surgery with conjunctival Auto-graft using fibrin glue" છે. આ ટેકનીકથી વેલની પાછી વધવાની શકયતા ઘટે છે.

❤️ ...

01/06/2024

યુવાનો એ આંખ ની કાળજી કેવી રીતે લેવી જોઈએ;

>> આંખ માં લેન્સ નો ઉપયોગ માપસર કરવો; કોસ્મેટિક લેન્સ નો ઉપયોગ પણ સમજદારી પૂર્વક કરવો;
>> અભ્યાસ દરમિયાન આંખ ના નંબર સમયાંતરે ચેક કરાવી ને યોગ્ય ચશ્માં ની ફ્રેમ નો ઉપયોગ કરવો જોઈએ;
>> લાંબા સમય સુધી ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ નો ઉપયોગ ના કરવો;
>> જંક ફૂડ ને ઓછો કરી ને વિટામિન્સ ફાઇબર પ્રોટીન વાળો ખોરાક રોજિંદા જીવન માં ખાવો;
>> આંખને સાચવવા માટે સનગ્લાસિસ નો ઉપયોગ બહાર જતા કરવો; અને પૂરતી ઊંઘ લઇ ને આંખ ને આરામ આપવો;

રોશની આંખ ની હોસ્પિટલ । સુભદ્રાનગર , પાટણ;
ડો ઋત્વીબેન પટેલ । [ M.B.B.S. | DNB | Ophthalmology | FIIOL [ ફેકો સર્જન ]

www.roshnieyehospital.in | Phone : 7736691172 - 9727000456

❤️ ...

બાળકો ની આંખો ની કાળજી કેવી રીતે લેવી ?બાળકો ની આંખો એ અબોલ અને અણસમજ બાળકો ની એક અશ્ચ્રર્યજનક દુનિયા હોય છે; બાળકો નાના...
30/05/2024

બાળકો ની આંખો ની કાળજી કેવી રીતે લેવી ?

બાળકો ની આંખો એ અબોલ અને અણસમજ બાળકો ની એક અશ્ચ્રર્યજનક દુનિયા હોય છે; બાળકો નાના હોય છે ત્યારે આંખો ની જન્મથી જાળવણી અને સાચવણી કરવી એ માતા પિતા ની જવાબદારી છે; બાળકો ની આંખો આમ પણ દિવ્ય હોય છે; માસુમ અને સુંદર હોય છે; આજકાલ બાળકો ની આંખ ને સાચવવા માટે માતાપિતા ને અનોખી કવાયત કરવી પડે છે; આપણું જીવન બહુ બધા આધુનિક ઇલેક્ટ્રોનિક સાધનો થી ઘેરાયેલ છે;
આવા માં બાળકો ને સમજાવવા અને કેળવણી આપવા માટે એક પ્રકારની શિસ્ત માતા પિતા એ જ રાખવી પડે છે; માતા પિતા જ જો ફોન નો બેફામ ઉપયોગ કરે કે ટેલિવિઝન ની સામે વધુ પડતો સમય બગાડે તો બાળકો ને શું સમજાવવા ના છે?? આવા સમય માં માતા પિતા એ ખુદ પોતે જ જીવનશૈલી માં પરિવર્તન લાવવું પડે છે;

બાળકો ની આંખ ની કાળજી માટે નીચેના સામાન્ય પોઈન્ટ્સ છે તે ધ્યાન માં લેવા જોઈએ;

ટેલિવિઝન દૂરથી જોવા ની આદત પાડવી અને કમ્પ્યુટર ની સ્ક્રીન નો ઉપયોગ બહુ ના કરવા દેવો;
વિટામિન્સ + ફાઈબર + પ્રોટીન વાળા ખોરાક બાળકો ને પૂરતો આપવો;
પૂરતા ઓક્સીઝન વાળી જગ્યા એ બાળકો ને રમવા દેવા; વૃક્ષ અને ફૂલો વચ્ચે સમય પસાર કરવા દેવા;
બાળકો ને ફોન કે આઇપેડ ની જગ્યા એ ખુબ બધા રમકડાં ખરીદી આપવા;
માતા પિતા એ ખુબ સારી રીતે બાળકો સાથે ઇલેક્ટ્રોનિક વસ્તુ ઓ " ના " વાપરવા દેવા માટે સમજાવટ પૂર્વક કામ લેવું;

બાળકો ની આંખો ને બાળપણ થી જ સચવાઈ હોય તો યુવાની અને વૃદ્ધાવસ્થા માં આજ બાળકો આપણે શુભઆશિષ આપે છે;

❤️ ...

12/05/2024

Roshni Eye Hospital | Subhdranagar Patan
Contact Number : 7736691172

❤ ...

12/03/2024
13/02/2024

રોશની આંખની હોસ્પિટલ પાટણ
નીચે મુજબની કંપનીમાં કેસલેસ ફ્રી મોતિયા તથા વેલ ના ઓપરેશન થશે.
સંપર્ક માટે 7636691172.

SBI જનરલ ઇન્શ્યોરન્સ કંપની
મેડી આસિસ્ટ ટીપીએ
ઇફકો ટોકીયો જનરલ ઇન્શ્યોરન્સ
આદિત્ય બિરલા
કેર હેલ્થ ઇન્સ્યોરન્સ
પેરામાઉન્ટ ટીપીએ
બજાજ એલિયન્સ
HDFC અર્ગો
ICICI લોમ્બાર્ડ

Address

Subhdranagar
Patan
384265

Alerts

Be the first to know and let us send you an email when Roshni Eye Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Roshni Eye Hospital:

Share

Category