Kalpdrum ayurveda, naturopathy and yoga health centre

Kalpdrum ayurveda, naturopathy and yoga health centre We provide an authentic Ayurveda, lifestyle management Acupuncture, Acupressure, Cupping Therapy, Ph

⛈️પ્રકૃતિ આપણને અનેક તાજાં, રસદાર અને અનોખા ફળોની ભેટ આપે છે. આ 🍇ફળો માત્ર સ્વાદમાં જ અદ્ભુત નથી, પણ પોષક તત્ત્વોનો અખૂટ...
30/07/2025

⛈️પ્રકૃતિ આપણને અનેક તાજાં, રસદાર અને અનોખા ફળોની ભેટ આપે છે. આ 🍇ફળો માત્ર સ્વાદમાં જ અદ્ભુત નથી, પણ પોષક તત્ત્વોનો અખૂટ ભંડાર છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરને આખી સિઝન સ્વસ્થ અને સ્ફૂર્તિલું 🏋️રાખવામાં મદદ કરે છે.
આપણા સ્થાનિક ફળો વિદેશી ફળો કરતાં અનેક ગણા ચડિયાતા છે, કારણ કે તે તાજા હોય છે અને તેમનામાં કુદરતી પોષક તત્વો ભરપૂર હોય છે.

🫐જાંબુ: આ કાળા અને રસદાર ફળ ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક છે. તે વિટામિન C, આયર્ન અને એન્ટીઑકિસડન્ટ્સથી ભરપૂર છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને પાચન સુધારે છે.કફ અને પિત્ત દોષને શાંત કરે છે, જ્યારે વાયુ દોષને સહેજ વધારી શકે છે માટે મીઠા કે સંચળ સાથે ખાવા.

🍊કોઠુ : કપિત્થ નું કાચું ફળ: કફ દોષને શાંત કરે છે, જ્યારે વાયુ અને પિત્ત દોષને વધારી શકે છે.
પાકું ફળ: ત્રિદોષશામક (વાત, પિત્ત, કફ ત્રણેય દોષોને સંતુલિત કરે છે), ખાસ કરીને પિત્ત અને વાયુને શાંત કરે છે.ગણપતિજી નું પ્રિય ફળ.કોઠાની ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને પાચન સુધારે છે.આયુર્વેદમાં કોઠાને હૃદય માટે ટોનિક (હૃદય) માનવામાં આવે છે. તે હૃદયના સ્નાયુઓને મજબૂત બનાવવામાં અને રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે.

🍒જંગલ જલેબી /ગોરસ આંબલી : આ જલેબી જેવું અનોખું દેખાતું ફળ સ્વાદમાં મીઠું હોય છે અને પ્રોટીન, વિટામિન C, આયર્ન અને ફોસ્ફરસ જેવા પોષક તત્વોથી ભરપૂર છે. તે શરીરને ઊર્જા આપે છે. સૌરાષ્ટ માં બખાઈ આંબલી થી પણ ઓળખાય છે.

🍇કરમદા : નાના કદના અને ખાટા-મીઠા આ ફળમાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવા અને શરદી-ખાંસી જેવી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે.તેના કાચા ફળો નું અથાણું અથવા શાક કરી ખવાય છે.

તમને આમાંથી કયું ફળ🥝 સૌથી વધુ ભાવે છે અથવા તમે કયા બીજા સ્થાનિક ફળોનો આનંદ માણો છો? કોમેન્ટ્સમાં જણાવો.

આયુર્વેદ ચિકિત્સા વિજ્ઞાનના પિતામહ મહર્ષિ ચરકની જન્મજયંતિ પર તેમને કોટિ કોટિ પ્રણામ. તેમના દ્વારા રચિત "ચરક સંહિતા" જ્ઞા...
29/07/2025

આયુર્વેદ ચિકિત્સા વિજ્ઞાનના પિતામહ મહર્ષિ ચરકની જન્મજયંતિ પર તેમને કોટિ કોટિ પ્રણામ. તેમના દ્વારા રચિત "ચરક સંહિતા" જ્ઞાનનો અખૂટ ભંડાર છે, જે આજે પણ માનવજાતને સ્વાસ્થ્યનો માર્ગ બતાવે છે. ચાલો આપણે તેમના સિદ્ધાંતોને અપનાવીએ અને સ્વસ્થ જીવન જીવીએ.

આયુર્વેદ ચિકિત્સા વિજ્ઞાનના પિતામહ મહર્ષિ ચરકની જન્મજયંતિ પર તેમને કોટિ કોટિ પ્રણામ. તેમના દ્વારા રચિત "ચરક સંહિતા" જ્ઞા...
29/07/2025

આયુર્વેદ ચિકિત્સા વિજ્ઞાનના પિતામહ મહર્ષિ ચરકની જન્મજયંતિ પર તેમને કોટિ કોટિ પ્રણામ. તેમના દ્વારા રચિત "ચરક સંહિતા" જ્ઞાનનો અખૂટ ભંડાર છે, જે આજે પણ માનવજાતને સ્વાસ્થ્યનો માર્ગ બતાવે છે. ચાલો આપણે તેમના સિદ્ધાંતોને અપનાવીએ અને સ્વસ્થ જીવન જીવીએ.

નવનીતં ગુરુ સ્નિગ્ધં સંગ્રાહિ કફકૃદ્ ગુણમ્।મધુરં વાતપિત્તઘ્નં બલ્યં વર્ણ્યં રુચિપ્રદમ્।।"અર્થઘટન: * નવનીતં: માખણ (તાજું ...
28/07/2025

નવનીતં ગુરુ સ્નિગ્ધં સંગ્રાહિ કફકૃદ્ ગુણમ્।
મધુરં વાતપિત્તઘ્નં બલ્યં વર્ણ્યં રુચિપ્રદમ્।।"
અર્થઘટન:
* નવનીતં: માખણ (તાજું માખણ).
* ગુરુ: પચવામાં ભારે. (નોંધ: આ તાજા માખણ માટે છે, જે દહીંમાંથી બનતું હોય.)
* સ્નિગ્ધં: ચીકણું, પોષણ આપનારું, લુબ્રિકેટિંગ.
* સંગ્રાહિ: મળને બાંધનારું, અતિસાર (ઝાડા) માં ફાયદાકારક.
* કફકૃદ્ ગુણમ્: કફ વધારનારું ગુણ ધરાવે છે. (આથી, કફ પ્રકૃતિના લોકોએ સાવચેતી રાખવી.)
* મધુરં: સ્વાદમાં મીઠું.
* વાતપિત્તઘ્નં: વાત અને પિત્ત દોષને શાંત કરનારું.
* બલ્યં: બળ પ્રદાન કરનારું, શક્તિવર્ધક.
* વર્ણ્યં: રંગ સુધારનારું, ત્વચાને તેજસ્વી બનાવનારું.
* રુચિપ્રદમ્: ભૂખ લગાડનારું, રુચિ વધારનારું.

* જો તમે બેઠાડુ જીવનશૈલી જીવતા હોવ, નિયમિતપણે તૈલી ખોરાક લેતા હોવ અથવા વધુ વજન ધરાવતા હોવ, તો માખણનું સેવન મર્યાદિત કરવું જોઈએ, કારણ કે તે કફ દોષ વધારી શકે છે, જે આખરે મેદ (ચરબી) માં વધારો કરી શકે છે.

આ માખણ ના ફાયદા જોઈ બહાર થી પેકેજ માખણ લાવી ખાવા લાગવું નહીં.ઘરે તાજુ માખણ બનાવી બાળકો ને ભરપુર ખવડાવો.તમારા બાળકો ને બુદ્ધિશાળી બનાવો.

04/05/2025

અમારી પાસે આવતા માતા પિતા ને એક પ્રશ્ન ખાસ હોય કે અમારું બાળક ખાતું નથી બરાબર જોવો ને કેટલું નબળું છે.કોઈ દવા હોય તો આપો ને કે વાટકા ભરી ને ખાય.
બાળક ખાતું નથી કે નબળું છે એના ઘણા બધા કારણો છે.પહેલા તો એ સમજવું પડે કે ક્યાં પરિપેક્ષમાં માતા પિતા સમજે છે કે બાળક ખાતું નથી.
બાળક ની ઉંમર પ્રમાણે , ઋતુ પ્રમાણે બાળક નો ખોરાક ન પ્રમાણ માં ફરક પડે, બાળક માંદુ પડ્યું હોય કે માંદગી માંથી સાજુ થયું હોય તો પણ ખોરાક ના પ્રમાણ માં ફરક પડે, બાળક ને ભાવતો સ્વાદ, ભોજન , ભોજન ના સમય પણ ફરક પડે..

બાળક 6 મહિના નું થાય પછી જ્યારે માતાના દૂધ સિવાય બીજો આહાર શરૂ કરીએ ત્યારે જો વિશેષ ધ્યાન આપીએ તો બાળક ને ભોજન માટે ગણું જાગૃત કરી શકીએ છીએ.

1. બાળક નો ભોજન પોષક યુક્ત હોવું જોઈએ જેમકે બાળક નું પેટ 2 બિસ્કિટ થી પણ ભરાઈ શકે કે 1 ઘઉં ના લાડુ થી પણ..પણ બિસ્કિટ ન પ્રમાણ માં ઘઉં ના લાડુ માં વધુ પોષણ જરૂરી તત્વો મળી શકે કેમકે બાળક ને ફેટ અને કાર્બ ખૂબ જરૂરી હોય છે.
2. બાળક ને ભૂખ ના હોય તો ટીવી કે મોબાઈલ ચાલુ કરી ફટાફટ જમાડી દઈ ખુશ થવાને બદલે એને સાચી ભૂખ ની પરખ કરાવી શકાય.

3. બાળક ને ભોજન હાથ થી અડકી, શરીરે લગાડી, જમીન પર થી ઉઠાવી ને ખાવું હોય કેમકે એનાથી ભોજન સાથે વધુ સારી રીતે જોડાઈ શકે.

4. બાળક જમે નહીં તો જબરદસ્તી ભોજન ખવડાવું , બંને પગ વચ્ચે દબાવી ને મોઢા માં ભોજન નાખવું, બાવા કે કોઈ થી ડરાવી ભોજન કરાવવું નહીં.

5. બાળક ને ભોજન ની આદતો પાડવા માટે માતા પિતા કે ઘર ના સભ્યો પોતાની આદતો બદલે તો બાળક એમને જોઈ પોતે પણ એમની જેમ ખાવા લાગશે..જેમકે જમવા બેસો ત્યારે તમારી સાથે જ બાળક ને જમવા બેસાડો તમારી થાળી જોઈ એ પણ એની થાળી માં તમે જે ખાશો એ જ ખાશે..

6. બાળક જ્યારે કોઈ unhealthy food ની માંગ કરે તો પહેલા તો ઘર માં જ એ વસ્તુ લાવી નહીં, બીજું જો ઘરે એનો ચોખ્ખા પદાર્થો થી બની શકે તો બનાવી આપવાનો પ્રયત્ન કરવો.જેમકે બાળક આઈસ્ક્રીમ ખાવાની જીદ કરે તો ઘરે શ્રીખંડ, કે કુલ્ફી આઈસ્ક્રીમ બનાવી આપી શકાય, બહાર ન વેફર પડીકા ની જગ્યા એ ઘરે જ નાસ્તો બનાવી આપી શકાય.

7. બાળક જમે નહીં તો દૂધ ભરી ભરી આપી દેવાનું.બાળક ને દૂધ જરૂરી છે પણ ભોજન ખાતું નથી માટે દિવસ માં જ્યારે ભૂખ્યું થયું દૂધ આપી દીધું , તો એ બાળક બીજું કઈ જમશે નહીં..મારી પાસે એક માતા આવેલી જે બાળક કઈ ખાતું નથી, ઘણી દવા કરી ફેર જ નથી પડતો.જ્યારે મેં એના ખોરાક નું માહિતી પૂછી ત્યારે ખબર પડી કે 3 વર્ષ નું બાળક આખા દિવસ માં 2 લિટર જેટલું દૂધ પી જતું હતું.જો બાળક નું પેટ દૂધ થી ભરાઈ જશે તો એને ભૂખ જ કેમ લાગે..એમાં દવા નહીં પણ ભોજન ની આદત સુધારવાની છે.

કદાચ કોઈ આની સાથે સહમત ના હોય કે બાળક ને બધું પચી જાય એને કઈ ન થાય બધું અપાય.હા બાળક નો અગ્નિ ખૂબ હોય એટલે પચી જાય પણ એ પચેલા કલર, પ્રિજરવેટીવ, બ્રેન ને ઉંકસાવતા કેમિકલ જે એને બહાર ના ભોજન નું એડિક્શન કરે છે એ આગળ જતા બહુ મોટી બીમારી લાવી શકે છે.

રહી વાત બાળક નબળું દેખાવા ની તો બાળક ને કૃમિ એટલે કે પેટ માં જીવડા હોય અથવા બાળક એક્ટિવ હોય , પિત્ત કે વાયુ પ્રધાન પ્રકૃતિ વાળું હોય તો બાળક દેખાવે પાતળું લાગશે પણ રોગપ્રતિકારક શક્તિ સારી હશે.જો કૃમિ ન કારણે નબળું હોય, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, ભોજન લેતું ના હોય તો એની સારવાર લેવાથી સારું થઈ શકે છે.

Lip balm & lip tint made from Shea butter, coconut oil, vit e , natural bees wax and herbs like lovender, ratanjot, manj...
24/05/2024

Lip balm & lip tint made from Shea butter, coconut oil, vit e , natural bees wax and herbs like lovender, ratanjot, manjista,

❓Why should we include soups in our diet?❓  🍀It Can Help Lose Weight  🍀It Keeps You Satiated  🍀It’s Good For Digestion  ...
20/09/2023

❓Why should we include soups in our diet?❓

🍀It Can Help Lose Weight
🍀It Keeps You Satiated
🍀It’s Good For Digestion
🍀It’s Power Packed With Nutrients
🍀The Vitamins and Minerals Stay Intact
🍀It reduces Aches and Pains during flu and fever

Address

Shop No. C-202 (second Floor), Savan Surface Commercial Complex, Near Saraza Bakery, Raiya Road,
Rajkot
360007

Opening Hours

Monday 10:30am - 1pm
5:30pm - 8:30pm
Tuesday 10:30am - 1pm
5:30pm - 8:30pm
Wednesday 10:30am - 1pm
5:30pm - 8:30pm
Thursday 10:30am - 1pm
5:30pm - 8:30pm
Friday 10:30am - 1pm
5:30pm - 8:30pm
Saturday 10:30am - 1pm
5:30pm - 8:30pm

Telephone

09974843584

Website

Alerts

Be the first to know and let us send you an email when Kalpdrum ayurveda, naturopathy and yoga health centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Kalpdrum ayurveda, naturopathy and yoga health centre:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category