Shree Clinic

Shree Clinic Shree Clinic established in the year 1999 with only one purpose to serve the patients satisfactorily.

02/09/2024

શ્રાવણી અમાસ ને સોમવાર
*कर्मणो ह्यपि बोद्धव्यं बौद्धव्यं च विकर्मण:।*
*अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गति:।।* ४/१७
કર્મનું સ્વરૂપ બુદ્ધિથી જાણવું જોઈએ, વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ તેમજ અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ કારણકે કર્મની ગતિ ગહન છે.કોઈ એને સમજી શક્યું નથી. કર્મ એટલે શાસ્ત્રવિહિત કર્તવ્ય, વિકર્મ એટલે નિષિદ્ધ કર્મો અને અકર્મ એટલે કશું ન કરવું.

01/09/2024

શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની ચૌદશ
*यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जन:*। ३/२१
શ્રેષ્ઠ પુરુષ જે જે આચરણ કરે છે જનસાધારણ માણસો પણ તેવું તેવું આચરણ કરે છે. જે કંઈ પ્રમાણ તેઓ કરી જાય છે બીજા મનુષ્ય તે પ્રમાણે જ તેમનું અનુસરણ કરે છે.
આમ શ્રેષ્ઠ માણસે એવું જ આચરણ કરવું જોઈએ કે જેનું અનુસરણ કરતાં સામાન્ય લોકો પણ અસતથી દૂર રહે અને સમાજહિતના સત્કાર્યો કરે.એ જ સાચા લોકસંગ્રાહક છે.

31/08/2024

શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની તેરસ
*कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादय:।* ३/२०
રાજા જનક જેવા અનેક મહાપુરુષો કર્મ દ્વારા જ પરમસિદ્ધિને પામ્યા હતા. ગીતાકાર રાજા જનકના આવા કાર્યોને લોકસંગ્રહ કહે છે. લોકમર્યાદા સુરક્ષિત રાખવા માટે લોકોને અસત એટલે કે જૂઠ થી વિમુખ કરીને સતની સન્મુખ કરવા માટે નિસ્વાર્થ ભાવપૂર્વક કર્મ કરવું એને લોક સંગ્રહ કહેવામાં આવે છે; અને આવા કર્મ કરનારને લોકસંગ્રાહક.
RSSના સ્થાપક ડો.કેશવરાવ હેડગેવારજી તથા ગુરુજી આવા શ્રેષ્ઠ લોક સંગ્રાહક હતા.

30/08/2024

શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની બારસ શુક્રવારના હર હર મહાદેવ!
*न आदत्ते कस्यचित्पापं न चैव सुकृतं विभु:।* ५/१५
ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ સ્વમુખે કહે છે કે, *સર્વવ્યાપી પરમેશ્વર ન તો કોઈના કુકર્મને કે ન તો કોઈના શુભકર્મને ગ્રહણ કરે છે.* એનો અર્થ એ થાય કે, ઈશ્વર પાપકર્મની સજા કરતો નથી કે શુભકર્મના ફળ આપતો નથી. સત્ય તો એ છે કે વ્યક્તિને પોતે કરેલા કર્મ પ્રમાણે ફળ મળે છે. એને કુદરતનો ન્યાય કહો કે ભાગ્યની બલિહારી!

29/08/2024

શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અગિયારસ,ગુરૂવાર
*पत्र पुष्पों फलों तोयं यो में भक्त्या प्रयच्छति।
तदहं भक्त्युपह्रतं अश्नामि प्रयतात्मन:।।* ९/२६
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, શુદ્ધ અંતઃકરણવાળા ભક્ત દ્વારા ભાવપૂર્વક અર્પણ કરાયેલ પત્ર,પુષ્પ,ફળ કે જળ જેવી નાનકડી ભેટ હું પ્રેમપૂર્વક સ્વીકારું છું.
ચાણક્ય પણ એ જ કહે છે કે, રાજાને મળવા જવાનું થાય ત્યારે કદી ખાલી હાથે ન જવું; કંઈક ભેટસોગાદ લઈને જ જવું.

27/08/2024

જય શ્રી કૃષ્ણ!
તારા અસ્તિત્વ નો પરિચય. થઈ ગયો!
એટલા બધા દુષ્કૃત્યો થયા છે આ ધરતી પર કે તને રોકાઈ જવાનું કહેવા જીભ નથી ઉપડતી કે મન પ્રાર્થના ય નથી કરતું.... ક્યાં મોઢે કહું?
આ માણસે તને દુઃખ દેવામાં ક્યાં પાછું વળીને જોયું હતું?
તારા જન્મ સમયે મથુરામાં કેટ- કેટલા યે અંધકાર ઉભા કર્યા'તા આ જ માણસે ! એ સમયે ખીજાયેલા વરુણ દેવ આજ ફરી ખિજાયને ફરી સાંબેલાધાર વરસાદ આજ સમગ્ર ગુજરાત પર વરસાવે છે....
શહેરના રાજમાર્ગો એ યમુનાજીની નાનકડી ન્હેર જેવી નદીઓનું રૂપ ધારણ કર્યું છે.....
મેઘ વર્ષાના એકસરખા ધ્વનિતરંગો મલ્હાર કે કેદારો છે, એ નથી સમજાતું...તરંગોની તીવ્રતા ઓછી વધુ થાય...
કર્મેન્દ્રિયો તારા નિરાકાર સ્વરુપ ને જોઈ શૂન્ય થઈ ગઈ છે.
જ્ઞાનેન્દ્રિયો અને મન પણ હારી ગયું છે, વિવેકબુદ્ધિનું શરણ સ્વીકારી લીધું છે.
વીજળીના ચમકારા સમયાતંરે વાતાવરણ વધું ગંભીર બનાવે અને એ તેજ લીસોટા ની ભયંકરતા વધારતો એની પાછળ જ પડઘાતો, હાજા ગગડાવી દેતો કાનાની ગેડીદડાનો પાપી હ્રદયોને ચીરતો અવાજ...
ક્યુ દિવ્ય ચિત્રણ કરી રહ્યો છે તું?
ધીમે ધીમે દડદડતા દડાનો ઘનઘોર અવાજ... હમણાં જ માથા ઉપર પડશે....
તારી કૃપાથી આપણે તો સલામત અને સુરક્ષિત છીએ અત્યારે....
હે કૃષ્ણ! તારા સૌ ભક્તોને, તારા માટે રાતદિવસ ઝૂરતાં તારા પ્રિય ભક્તોને હેમખેમ રાખજે......
તને કશું કહેવાની આ અનધિકૃત ચેષ્ટા....
મારા સ્વભાવ ગુણદોષ છે, તને તો ખબર જ હોય ને!
જય શ્રી કૃષ્ણ

26/08/2024

*जय श्री कृष्ण !*
*माधव के प्राकट्य दिवस की बधाईयां।।*
*जगद्गुरु कृष्ण आज मनुष्य रुप में आयेंगे।अकेला नहि,एक सो दस करोड़ भक्तों को लेकर।*
હવે તો અધર્મનો પૂર્ણતઃ નાશ કરવા, વિશ્વભરમાંથી દુષ્ટોનો સંપૂર્ણ વિનાશ કરી ધર્મદંડની સ્થાપના કરવા આવું છું.સાધુઓ હવે સક્ષમ છે.વ્યષ્ટિ નહીં સમષ્ટિ રૂપે અગ્નિવીર સમો એક એક યુવાન હું જ છું.
*अभ्युत्थानम् अधर्मस्य*
*विनाशाय च दुष्कृताम् ।*
*धर्मसंस्थापनार्थाय*
*संभवामि युग युगे।।* ४/७-८

23/08/2024

શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી-પંચમી ને શુક્રવાર
*नियताहारा प्राणान्प्राणेषु जुह्यति। ४/३०*
નિયમિત આહાર વિહાર કરવા વાળા સાધકો જ પ્રાણોનો પ્રાણમાં હવન કરી શકે છે. વધારે કે બહુ જ ઓછું ભોજન કરવાવાળો અથવા બિલકુલ ભોજન ન કરવાવાળો આ પ્રાણાયામ નથી કરી શકતો. પ્રાણનો પ્રાણોમાં હવન કરવો અર્થાત ન શ્વાસ બહાર કાઢવો અને ન શ્વાસ અંદર લેવો. આને 'સ્તંભવૃત્તિ પ્રાણાયામ' પણ કહે છે. નિયત માત્રામાં આહાર એટલે ફક્ત ભોજન નહીં,આંખનો આહાર દર્શન, કાનનો આહાર શ્રવણ, નાકનો આહાર સૂંઘવું વગેરે પણ આવી જાય. આવી વ્યક્તિ જ શ્રેષ્ઠતમ ઉપલબ્ધિ પામી શકે.

13/11/2023

Respected Dr. Rashmi Upadhyay,
Thanks is a small word of 6 letters to express my feelings. You have always reminded me my precious memories of life.🙏🏻🙏🏻
Yes, it's a nice, auspicious and prosperous journey of SHREE CLINIC.
I give all credit of my successful journey of 24 years to Inaugurator, my mother & my first सारथि navigator(receptionist,case writer and assistant in my first few years of private practice.) Rupa, my life partner.🙏🏻🙏🏻

Happy Marriage Aniversary to PURVA-YASHESH
14/07/2023

Happy Marriage Aniversary to PURVA-YASHESH

ઋષિકેશ ગંગાકિનારેથી .....
03/09/2022

ઋષિકેશ ગંગાકિનારેથી .....

29/08/2022

Address

Rajkot

Opening Hours

Monday 9am - 1pm
5pm - 7pm
Tuesday 9am - 1pm
5pm - 7pm
Wednesday 9am - 1pm
5pm - 7pm
Thursday 9am - 1pm
5pm - 7pm
Friday 9am - 1pm
5pm - 7pm
Saturday 9am - 1pm

Telephone

9825289639

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Shree Clinic:

Share

Category