Askdrsavaj

Askdrsavaj Dr.Suresh Savaj D.H.M.S, D.S.A, P.G.D.I.T , A doctor of Homoeopathic medicine, Herbal medicine

અહી જણાવેલ પ્રયોગો ડોકટર અથવા વૈદ્ય ની સલાહ અનુસાર જ કરવા .
(1)

મેથી વિશે જાણવા જેવુંકોઈ હેરાન કરતું હોય તો એવું કહેવાય કે મેથી મારે છે.બસમેથી ની કદર નથી કરતા આપણેબાકીસૌથી બેસ્ટ મેથી છ...
04/01/2026

મેથી વિશે જાણવા જેવું

કોઈ હેરાન કરતું હોય તો એવું કહેવાય કે મેથી મારે છે.
બસ
મેથી ની કદર નથી કરતા આપણે
બાકી
સૌથી બેસ્ટ મેથી છે

મેગ્નેશિયમ થી ભરપૂર..
કેલ્શિયમ થી ભરપૂર

1.મેથી ના પાન નો રસ કાઢી ને એમાં સાકર નાખી ને પીવાથી મરડા માં રાહત મળે છે

2. સૂકી મેથી શિયાળા માં લાડુ બનાવી ને ખાઈએ (અસેલિયો અને ગોળ વાળા લાડુ બનાવી ને) ખાવા થી હાથપગ માં કળતર રહેતી હોય, કમર નો દુખાવો થતો હોય તો રાહત થાય છે,

3.લોહી ના બગાડ માટે મેથી ની ભાજી નો રસ કાળી દ્રાક્ષ નાખી ને પીવો જોઈએ

4.વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો મેથી ની ભાજી નો રસ કાઢી ને એમાં થોડો કાથો અને સાકર નાખી ન પીવું

5. જે સ્ત્રી ને બાળક ને જન્મ આપ્યા પછી ધાવણ ન આવતું હોય તેમના માટે મેથી ના લોટ ને દૂધ માં પલાળી રાખી બીજે દિવસે ઘી નાખી ને શેકી લેવો પછી એમાં શેરડી નો રસ મેળવી 21 દિવસ સુધી આપવાથી ઉત્તમ પરિણામ મળશે

નોંધ :- અમે લીલી મેથી ના પાન ના ભજીયા ખાતા નથી પરન્તુ રોજે આખી મેથી નો બોળો (અથાણાં ) તો જોઈએ જ..(2 થી 3 ચમચી )

વિશેષ નોંધ :- મેથી સૂકી કરતાં પાણી માં પલાળેલી ઉત્તમ...એના કરતા પણ. તેલ માં પલાળેલી ઉત્તમ....અને એના કરતાં પણ ઘી માં પલાળેલી ઉત્તમ...જેટલો.વધુ સમય પલાળેલી હોય એટલી ઉત્તમોત્તમ...
ડો.સુરેશ સાવજ

મેથી ખાઓ તંદુરસ્ત રહો

ખપાટ ઉર્ફે કાંસકી ઉર્ફે અતિબલા ઉર્ફે ખરેટીતમારે બળવાન થવું છે?એનર્જી ઓછી રહે છે શરીર માં?થાક લાગ્યા કરે છે?તો અતિ બલવાન ...
03/01/2026

ખપાટ ઉર્ફે કાંસકી ઉર્ફે અતિબલા ઉર્ફે ખરેટી

તમારે બળવાન થવું છે?
એનર્જી ઓછી રહે છે શરીર માં?
થાક લાગ્યા કરે છે?
તો અતિ બલવાન બનાવતી વનસ્પતિ એટલે અતિબલા

ચોમાસામાં માં ઊગી નીકળતી આ વનસ્પતિ એક વર્ષ જેટલું આયુષ્ય ભોગવતી હોય છે.
પીળા રંગ ના ફૂલ થતા હોય છે જે બપોર પછી ખીલતાં હોય છે.
ફોટો માં જે ગોળ કાંસકી જેવા કાપા વાળા ફળ દેખાય છે તે પીળાશ પડતાં લીલા કલર ના હોય છે અને પાકે ત્યારે કથ્થઈ કલર ના થઇ જતાં હોય છે.

જેવું નામ એવા ગુણધર્મ

જાપાની તેલ માં બલા નું તેલ આવતું હોય છે..

અતિ બલા.. મતલબ ખૂબ બળવાન..
આ વનસ્પતિ વાજીકરણ એટલે કે સેક્સ ના રોગો જેમકે શીઘ્ર સ્ખલન જેવા રોગો માં અકસીર કામ આપે છે.
પુરુષો માં ધાતુ જવી , સેક્સ ની કમજોરી , અશક્તિ, નબળાઈ, જેવા કેસ માં બીજ નું ચૂર્ણ આપવાથી ફાયદો થાય છે
સ્ત્રીઓ માં વંધ્યત્વ ના કેસો માં સરસ પરિણામ આપે છે.

આ વનસ્પતિ પેશાબ માં બળતરા, પથરી, પેશાબ અટકી અટકી ને આવવો, પેશાબ ઓછો થવો તમે

ખપાટ ના મૂળ , પાન , ડાળી, ફૂલ અને ફળ નો મિક્ષ ઉકાળો બાળકો માં થતી સસણી જેવી બિમારીઓ માં ખૂબ સરસ કામ આપે છે.

પાન ની ભાજી ઘી માં બનાવી ખાવા થી દૂઝતા હરસ મટે છે.

મૂળ નું ચૂર્ણ સાંધા ના વા માં ફાયદારૂપ થાય છે.
મોઢા ની ગરમી માટે અતિબલા ના પાન ચાવી ને ખાવા થી ફયાદો થતો હોય છે.

ડો.સુરેશ સાવજ

https://youtu.be/vlG8lSB_Yq8

પીલુડી...એક સરસ મજાની કવિતા પીલુડી પર આવે છે તમને યાદ છે?
31/12/2025

પીલુડી...

એક સરસ મજાની કવિતા પીલુડી પર આવે છે તમને યાદ છે?

" હોમીઓપેથીક દવા Apocynum , sulphuric acid,  સલ્ફર દવા ઓ આલ્કોહોલ પીવા પ્રત્યે ની તીવ્ર ઈચ્છા થતી  તેમના માટે બેસ્ટ છે "...
31/12/2025

" હોમીઓપેથીક દવા Apocynum , sulphuric acid, સલ્ફર દવા ઓ આલ્કોહોલ પીવા પ્રત્યે ની તીવ્ર ઈચ્છા થતી તેમના માટે બેસ્ટ છે "
જે આલ્કોહોલ છોડાવી શકે છે ..
પરંતુ ડોક્ટર ની સલાહ સુચન અને તમારી તાસીદ પ્રમાણે લેવી ..

ડો.સુરેશ સાવજ

અશેળીયા ની ખીરઉષ્ણ , કડવો અને પુષ્ટીકારક..ચામડી ના રોગો માટે બેસ્ટવાયુ નાશકઅનેવારંવાર ગુમડા થતા હોય એમના માટે બેસ્ટ ઔષધિ...
30/12/2025

અશેળીયા ની ખીર

ઉષ્ણ , કડવો અને પુષ્ટીકારક..
ચામડી ના રોગો માટે બેસ્ટ
વાયુ નાશક
અને
વારંવાર ગુમડા થતા હોય એમના માટે બેસ્ટ ઔષધિ

સૌ પ્રથમ દૂધ ને ઉકાળી ને તેમાં અશેળિયો નાખવો અને તે ખીર જેવું થાય એટલે તેમાં સાકર અથવા ગોળ નાખી ને ખીર તૈયાર કરવી ..થોડું ટેસ્ટી બનાવવા માટે એલચી નો ભૂકો ઉમેરી શકાય
આ ખીર નું સેવન કરવાથી વાયુ નો નાશ થાય છે અને કમર ને ખૂબ તાકાત આપે છે તેમજ ધાતુપુષ્ટિ કરે છે.

સુવાવડી સ્ત્રી ને બે મહિના પછી ખવડાવવાથી એને ડિલિવરી પછી નો કમર નો દુઃખાવો રહેતો નથી

શિયાળા માં આ ખીર ખવાય જ
નોંધ :- આ તકમરિયા નથી.

ડો. સુરેશ સાવજ

કાચા પપૈયાં નું મોટું કાચું ફળ લઈ ને તેમાં ઊભા ચીરા કરીને એમાંથી નીકળતું ક્ષીર એકઠું કરી ને તડકા માં સૂકવી કાચ ની બોટલ મ...
29/12/2025

કાચા પપૈયાં નું મોટું કાચું ફળ લઈ ને તેમાં ઊભા ચીરા કરીને એમાંથી નીકળતું ક્ષીર એકઠું કરી ને તડકા માં સૂકવી કાચ ની બોટલ માં ભરી લેવું જે સફેદ પાવડર જેવું બની ગયું હશે
આ બન્યું તમારું પપૈયા નું પપૈન તત્વ

આ પાવડર થોડી માત્રા માં સાકર સાથે મિક્ષ કરી ને ખાવાથી અજીર્ણ, અપચો, આમવાત, બરોળ મોટી થઈ હોય, લિવર મોટું થયું હોય,કૃમિ હોય,તેમના માટે ખૂબ ઉતમ છે.

નોંધ:- કેરી પાકે એમ એમાં વિટામિન સી ઘટે. પરંતુ પપૈયું જેમ પાકે એમ તેમાં વિટામિન સી વધતું હોય છે.

ડો.સુરેશ સાવજ

ગોળ
28/12/2025

ગોળ

વાંચવા  જેવું
27/12/2025

વાંચવા જેવું

27/12/2025
જીરા ગોળી ઘરે બનાવો.૨૫૦ ગ્રામ દળેલું જીરું૩ મોટી ચમચી આમચૂર પાવડર૧ ચમચી સિંધવ મીઠું ૧ ચમચી કાળું મીઠું૮ ચમચી દળેલી ખાંડએ...
27/12/2025

જીરા ગોળી ઘરે બનાવો.

૨૫૦ ગ્રામ દળેલું જીરું
૩ મોટી ચમચી આમચૂર પાવડર
૧ ચમચી સિંધવ મીઠું
૧ ચમચી કાળું મીઠું
૮ ચમચી દળેલી ખાંડ
એક નાના લીંબુ નો રસ
એક ચમચી દળેલી શેકેલી વરિયાળી
અડધી નાની ચમચી દળેલા કાળા મરી
અડધી નાની ચમચી હિંગ

બનાવવાની રીત :

૧. એક વાસણ માં દળેલુ જીરું, આમચૂર પાવડર, કાળું મીઠું, સિંધવ મીઠું ખાંડ હિંગ વરિયાળી અને કાળા મરી મિક્સ કરી ને મિક્સર માં પીસી ને મિક્સ કરી લેવું.
ખાંડ ની અને મીઠા ની વધઘટ સ્વાદાનુસાર કરી લેવી
ત્યારબાદ લીંબુ નો રસ ઉમેરી ને મિક્સ કરી લોટ બાંધીએ એ પ્રમાણે બાંધી લેવું.
અને નાની ગોળીઓ બનાવી ને દળેલી ખાંડ (થોડી અલગ રાખી હોય એમાં) રગદોળી લેવી.
ત્યારબાદ એને એરટાઇટ ડબ્બા માં ભરી દેવી.એક વર્ષ સુધી સારી રહે છે.

જમ્યા પછી મુખવાસ તરીકે મસ્ત લાગે છે.
મુસાફરી વખતે ગાડી માં ઊલટી જેવું થતું હોય તો મુસાફરી વખતે મોઢા માં આ ટીકડી રાખવી

ડો.સુરેશ સાવજ
સુરત

Address

Surat

Opening Hours

Monday 10am - 12pm
5:30pm - 8pm
Tuesday 10am - 12pm
5:30pm - 8pm
Wednesday 10am - 12pm
5:30pm - 8pm
Thursday 10am - 12pm
5:30pm - 8pm
Friday 9am - 12pm
5:30pm - 5pm
Saturday 10am - 12pm
5:30pm - 8pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Askdrsavaj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram