04/01/2026
મેથી વિશે જાણવા જેવું
કોઈ હેરાન કરતું હોય તો એવું કહેવાય કે મેથી મારે છે.
બસ
મેથી ની કદર નથી કરતા આપણે
બાકી
સૌથી બેસ્ટ મેથી છે
મેગ્નેશિયમ થી ભરપૂર..
કેલ્શિયમ થી ભરપૂર
1.મેથી ના પાન નો રસ કાઢી ને એમાં સાકર નાખી ને પીવાથી મરડા માં રાહત મળે છે
2. સૂકી મેથી શિયાળા માં લાડુ બનાવી ને ખાઈએ (અસેલિયો અને ગોળ વાળા લાડુ બનાવી ને) ખાવા થી હાથપગ માં કળતર રહેતી હોય, કમર નો દુખાવો થતો હોય તો રાહત થાય છે,
3.લોહી ના બગાડ માટે મેથી ની ભાજી નો રસ કાળી દ્રાક્ષ નાખી ને પીવો જોઈએ
4.વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો મેથી ની ભાજી નો રસ કાઢી ને એમાં થોડો કાથો અને સાકર નાખી ન પીવું
5. જે સ્ત્રી ને બાળક ને જન્મ આપ્યા પછી ધાવણ ન આવતું હોય તેમના માટે મેથી ના લોટ ને દૂધ માં પલાળી રાખી બીજે દિવસે ઘી નાખી ને શેકી લેવો પછી એમાં શેરડી નો રસ મેળવી 21 દિવસ સુધી આપવાથી ઉત્તમ પરિણામ મળશે
નોંધ :- અમે લીલી મેથી ના પાન ના ભજીયા ખાતા નથી પરન્તુ રોજે આખી મેથી નો બોળો (અથાણાં ) તો જોઈએ જ..(2 થી 3 ચમચી )
વિશેષ નોંધ :- મેથી સૂકી કરતાં પાણી માં પલાળેલી ઉત્તમ...એના કરતા પણ. તેલ માં પલાળેલી ઉત્તમ....અને એના કરતાં પણ ઘી માં પલાળેલી ઉત્તમ...જેટલો.વધુ સમય પલાળેલી હોય એટલી ઉત્તમોત્તમ...
ડો.સુરેશ સાવજ
મેથી ખાઓ તંદુરસ્ત રહો