Mind Roots

Mind Roots Mental health and wellness
Remedial Educator with acedamic learning
Parenting coach

*બાળક માટે ઘર એ જ પાઠશાળા : આપણું વર્તન એ જ તેનો અભ્યાસક્રમ..!*ડૉ.કૃણાલ પંચાલ*ક્ષણે ક્ષણ શિક્ષણ**માનવીય સંબંધો, કાર્ય પ્...
27/05/2025

*બાળક માટે ઘર એ જ પાઠશાળા : આપણું વર્તન એ જ તેનો અભ્યાસક્રમ..!*

ડૉ.કૃણાલ પંચાલ
*ક્ષણે ક્ષણ શિક્ષણ*

*માનવીય સંબંધો, કાર્ય પ્રત્યેની નિષ્ઠા, જીવન પ્રત્યેનો અભિગમ, મહેનતનું મહત્વ, વ્યવહારની કુશળતા, સચ્ચાઈ અને પ્રામાણિકતાના મૂલ્યો બાળક છ વર્ષ સુધીમાં ઘરમાંથી જેવુ વાતાવરણ મળે તે માંથી જ શીખી જતું હોય છે. આ સમય વીતી જાય તો પછી બાળકને મૂલ્ય શીખવાડવું બહુ દોહલ્યુ છે..!*

પુસ્તક વાંચીને તરવાની રીત શીખી ન શકાય, તરવા માટે તો નદી કે સરોવરમાં ઝંપલાવાવું જ પડે..! એ જ રીતે બાળઉછેર એ પ્રાયોગિક પ્રક્રિયા હોવાથી તેના વિશેના માત્ર પુસ્તકોના વાંચનથી શ્રેષ્ઠ બાળઉછેર શક્ય નથી. અહીં જરૂર છે તેના અમલીકરણની.. મોટાભાગે જીવનમાં પણ એવું જ બનતું હોય છે કે આપણે કથાઓ અને વ્યાખ્યાનો ખૂબ સાંભળીએ પરંતુ તેનો અમલ ન થવાના કારણે અંતે તો ત્યાંના ત્યાં જ રહીએ છીએ..!

બાળકનું પ્રત્યેક વર્તન આપણા વર્તનનું પ્રતિબિંબ હોય છે. કેમ કે બાળક બધું જ જોઈને શીખે છે. બાળકના વર્તનને સમજવા માટે એક વાસ્તવિક ઘટના મારે આપ સૌને કહેવી છે. એક દિવસ બાળમંદિરમાં ચાર વર્ષનો દીકરો જ્યારે શિક્ષિકા તેમને પ્રવૃત્તિ કરાવી રહી હતી ત્યારે કોઈ વાતે પણ ગમો થતાં અચાનક ચિલ્લાઈને બોલ્યો, 'એક ઝાપટ આપી દઈશ..!' હંમેશા ખૂબ ડાહ્યો અને પ્રસન્ન રહેતો આ બાળક અચાનક ગુસ્સાથી લાલ થઈને આવા શબ્દો બોલે એ શિક્ષિકા માટે વજ્રઘાત સમાન હતું. પ્રથમ દૃષ્ટિએ શિક્ષિકાએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ આજના દિવસે તેનું સમગ્ર વર્તન કંઈક જુદું જ હતું.

શાળામાં રજા પડી અને જ્યારે બાળકના મમ્મી તેને તેડવા માટે આવ્યા ત્યારે શિક્ષિકાએ પૂછ્યું કાલે ઘરમાં કોઈ ઝઘડો થયો હતો..? પેલા બહેને સહેજ અંચકાઈને સામો પ્રશ્ન પૂછ્યો, શું થયું ? કેમ આવો પ્રશ્ન પૂછો છો ? શિક્ષિકાએ પુનઃ પૂછ્યું, 'ઘરે કોઈના વચ્ચે ઝઘડો થયો હતો ?' જવાબમાં માતાએ સઘળી હકીકત જણાવતા કહ્યું કે બહેન છેલ્લા કેટલાક દિવસથી અમારા બંને જણાં વચ્ચે ખૂબ ઝઘડો ચાલી રહ્યો છે. તેના પપ્પાએ મારા પર હાથ પણ ઉપાડ્યો છે..! મને વારંવાર ઝાપટ મારવાની અને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકીઓ મળે છે..! શિક્ષિકાને સઘળી બાબત સમજાઈ ગઈ. તેની શંકા સાચી પડી. બીજા દિવસે માતા-પિતાને બોલાવી તેમના વર્તનની દીકરા પરની અસર ગંભીરતાથી સમજાવી. આ ઘટના પછી બાળક પર ઝઘડાની અસર દૂર કરવામાં શાળાને બહુ સમય લાગ્યો..! ખૂબ વ્યક્તિગત ધ્યાન આપવું પડ્યું..મિત્રો, પ્રશ્ન એ છે કે શું દરેક બાળકને આવા શિક્ષિકા કે શાળા મળે છે ? અને જો નથી મળતા તો તેણે અનુભવેલા ઝઘડાના મૂળ તેને ક્યારેક જેલ સુધી લઈ જઈ શકે છે..!

ઉપરોક્ત ઘટના પરથી કહી શકાય કે, ઘરમાં બનતી તમામ ઘટનાઓ બાળકના ઉછેર ને બહુ ગાઢ અસર કરે છે. આવા સમયે આપણી ફરજ બને છે કે બાળકને ઉત્તમ વાતાવરણ આપીએ. માનવીય સંબંધો, કાર્ય પ્રત્યેની નિષ્ઠા, જીવન પ્રત્યેનો અભિગમ, મહેનતનું મહત્વ, વ્યવહારની કુશળતા, સચ્ચાઈ અને પ્રામાણિકતાના મૂલ્યો બાળક છ વર્ષ સુધીમાં જ શીખી જતું હોય છે. આ સમય વીતી જાય તો પછી બાળકને શીખવાડવું બહુ દોહલ્યું છે..!

જેવી રીતે બાવળ વાવીને મીઠી કેરીની અપેક્ષા ન રાખી શકાય તેવી જ રીતે ઘરમાં ખરાબ અનુભવો આપીને ઉત્તમ મનુષ્ય નિર્માણની અપેક્ષા કદી ન રાખી શકાય..! બાળકના ઉત્તમ ઉછેર માટે તેની સાથે બાળક થવું અને તેના ઘડવૈયા બનીને વર્તન કરવું ખૂબ અનિવાર્ય છે. જેવી રીતે માટલું ઘડતી વખતે કુંભાર અંદરથી ટેકો આપે છે અને ઉપરથી ટાપલી મારે છે. આ જ પ્રક્રિયા બાળઉછેરમાં પણ અનુસરવા જેવી છે..!

બાળક સાથેનો સંવાદ મીઠાશવાળો, પ્રેમાળ અને ઋજુ હોય એ ખૂબ આવશ્યક છે. કારણ કે કડક કે કઠોર વચનોથી બાળકના મનને આઘાત થાય છે. જેની અસર આજીવન તેના વ્યક્તિત્વમાં જોવા મળે છે. બાળકને ક્યારેય ડરાવું ન જોઈએ. ઘણીવાર માતા-પિતા વાઘ ઉપાડી જશે. પોલીસ લઈ જશે. બાવો ઉપાડી જશે. આવા વાક્યો બોલે છે જે બાળકને આજીવન ડરપોક બનાવવા માટે પૂરતા હોય છે.

ઘરમાં વારંવાર જૂઠું બોલવા ટેવાઈ ગયેલા માતા-પિતાએ પણ ચેતવાની જરૂર છે. બાળકની સામે ઘરે બેઠા હોવા છતાં ફોનમાં એવું કહીએ કે, 'હું બહાર છું થોડીવાર પછી આવું છું..!' આવું કહેનાર માતા-પિતા બાળક પાસે સત્ય બોલવાની અપેક્ષા રાખે એ કેટલું વાજબી ?

બાળ કેળવણીના બ્રહ્મા શ્રી ગિજુભાઈ બધેકા 'મા બાપોને' પુસ્તકમાં લખે છે કે, "બાળકનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારી મોટા લોકોને જેમ જ તેની સાથે વર્તન કરવું હિતાવહ છે." આ વાત માત્ર માતા-પિતાને નહીં પરંતુ શિક્ષકોને પણ એટલી જ લાગુ પડે છે કારણ કે વર્ગખંડના પ્રત્યેક બાળક સામે શિક્ષક શ્રેષ્ઠ વર્તન કરશે તો જ સાચા અર્થમાં તેજસ્વી બાળકથી તેજસ્વી ભારતનું નિર્માણ શક્ય બનશે..!

*શીખવા જેવું :* બાળક સાથે બાળક બની રહીએ. પ્રેમપૂર્વક સંવાદ કરીએ. બાળકને ક્યારેય ડરાવીએ નહીં. મૂલ્ય જીવી બતાવીએ. મૂલ્યની વાતો ન હોય..!

(લેખક ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં અધ્યાપક છે.)
મો: 9429297737

બાળકોમાં ડિસ્લેક્સીયા : લર્નિંગ ડિસેબિલિટી કે ડિફિકલ્ટી ?પ્રત્યેક બાળક અનન્ય અને અજોડ છે ત્યારે આપણે તેને સમજી શકતા નથી ...
20/05/2025

બાળકોમાં ડિસ્લેક્સીયા : લર્નિંગ ડિસેબિલિટી કે ડિફિકલ્ટી ?

પ્રત્યેક બાળક અનન્ય અને અજોડ છે ત્યારે આપણે તેને સમજી શકતા નથી એ અજ્ઞાનતાને આપણે બાળકની નબળાઈમા ખપાવી દઈએ છીએ.

વર્ષો પહેલા તત્વચિંતક સોક્રેટિસે એથેન્સના લોકોને બાળકોના ઉછેર સંબંધિત ખૂબ અગત્યની ટકોર કરી હતી કે, શા માટે તમે પૈસા એકઠા કરવા આટલી બધી તકલીફ ઉઠાવો છો ? જેમના માટે આ બધું છોડીને એક દિવસ જવાનો છે એવા બાળકોનું ધ્યાન રાખવામાં સમય કેમ નથી આપતા ? ઈશ્વરે પ્રત્યેક બાળકને અનન્ય બનાવ્યું છે. તેનામાં રહેલા બીજને વટવૃક્ષ બનાવવા માટેની માવજત આપણે કરવાની છે.

બાળક માટે બહુ બધા રૂપકો પ્રયોજાયા છે પરંતુ તેની અનન્યતાને પામવા માટે એવું કહી શકાય કે, ઈશ્વરના વિકલ્પે પૂજી શકાય તેવું પાત્ર એટલે બાળક. અહીં બાળકમાં રહેલા ઉત્તમ અંશને પારખવા માટે દ્રષ્ટિ હોવી અનિવાર્ય બને છે. સમગ્ર જગતમાં જન્મતા બાળકો પૈકી 10 થી 20 ટકા બાળકોને આપણે સમજી શકતા નથી. અહીં આપણી સમસ્યાને આપણે બાળકોની સમસ્યા તરીકે ગણાવીએ છીએ.

જો કોઈ બાળક તેની સાથેના અન્ય બાળકોની સરખામણીએ વાચન, લેખન કે ગણનમાં સારો દેખાવ ન કરી શકે તો આપણે તેને ડિસ્લેક્સિયા છે તેવું માનીએ છીએ. ડિસ્લેક્સીયા એક એવી સ્થિતિ છે કે જેમા બાળકની વાચન, જોડણી અને લેખનની ક્ષમતા ખોરવાય છે. ઘણા લોકો માટે આ એક સામાન્ય લર્નિંગ ડિફિકલ્ટી હોઈ શકે છે જ્યારે કેટલાક તેને લર્નિંગ ડિસેબિલિટી તરીકે ઓળખે છે. આવા બાળકો બીજા ઘણા બધા ક્ષેત્રોમાં નિપુણ હોય છે પરંતુ તેની સમયસર ઓળખ કરવામાં આવે અને શિક્ષણ આપવામાં આવે તો ધાર્યું પરિણામ મળે છે.

સૌ પ્રથમ એક વાત સ્પષ્ટ સમજી લઈએ કે, ડિસ્લેક્સીયા કોઈ રોગ કે માનસિક બીમારી નથી. તે મગજના બંધારણ અને કાર્ય કરવાની રીતમાં તફાવતને કારણે ઉદ્ભવતી એક ન્યુરોલોજીકલ સ્થિતિ છે. સામાન્ય જન સમુદાયમાં ડિસ્લેક્સીયાને બીમારી તરીકે જોવામાં આવે છે. ડિસ્લેક્સીયા ધરાવતા બાળકો સામાન્ય અથવા તો સરેરાશથી વધુ બુદ્ધિ ધરાવતા હોઈ શકે છે, પરંતુ તેમને ભાષાને લગતી માહિતીને ઓળખવા કે તેનું આકલન કરવામાં મુશ્કેલી પડે છે. ખાસ કરીને જ્યારે તે વાંચન અને લેખન સાથે સંબંધિત હોય છે.

આ તબક્કે શિક્ષક તરીકેની કારકિર્દીમાં બનેલો એક પ્રસંગ યાદ આવે છે. એક વખત પરીક્ષા શરૂ થવાની તૈયારી હતી. વિદ્યાર્થીઓને ઉત્તરવહી આપી. પ્રશ્નપત્રો આપવાના બાકી હતા. એટલામાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની ઉત્તરવહી લઈને કશુક લખવાનું શરૂ કર્યું. હજી તો પ્રશ્નપત્ર પણ નથી આપ્યું અને ચોરી શરૂ કરી દીધી ? મે પૂછ્યું. શું લખે છે ? ત્યારે પહેલા વિદ્યાર્થીએ સહજ રીતે જવાબ આપેલો કે નામ લખવા માટે ઉત્તરવહી લીધી હતી. કેટલા સરળ શબ્દોમાં આ બાળકે પોતાની અક્ષમતા છુપાવ્યા વગર કહી દીધું..! ત્યારબાદ તેની ઉત્તરવહી જોઈ તો ખબર પડી કે આ બાળકે પાછળ બેસેલા વિદ્યાર્થીનું નામ જ પોતાના નામ તરીકે લખ્યું હતું. આગળ જતા આ બાળક પોતાના પિતાની દુકાનમાં ખૂબ સારા વેપારી તરીકે કામ કરતો જોવા મળ્યો હતો.

આપણે આવા વિદ્યાર્થીઓને નબળા, આળસુ કે ઠોઠ તરીકે ખપાવીએ છીએ પરંતુ ખરેખર આ બાળકો વિશિષ્ટ હોય છે. એક વખત નવમા ધોરણના એક વિદ્યાર્થીને પૂછ્યું કે તને શું આવડે છે ?ત્યારે તેણે આપેલો જવાબ લાજવાબ હતો. તેણે કહ્યું હતું કે, વાંચતા લખતા ન આવડે બાકી બધું જ આવડે..!

ઘણા નિષ્ણાતો ડિસ્લેક્સીયાને લર્નિંગ ડિસેબિલિટી તરીકે વર્ગીકૃત કરે છે કારણ કે સંશોધનો દર્શાવે છે કે, ડિસ્લેક્સીયા મગજના ચોક્કસ ભાગોમાં કાર્યકારી તફાવતો સાથે સંકળાયેલું છે. જે ભાષા પ્રક્રિયા માટે જવાબદાર છે. યોગ્ય શિક્ષણ અને સહાયતાથી ડિસ્લેક્સીયા ધરાવતા બાળકો શીખી શકે છે, પરંતુ તેમની કેટલીક મુશ્કેલીઓ જીવનભર સંપૂર્ણપણે દૂર થતી નથી.

ડિસ્લેક્સીયા ધરાવતા બાળકની શૈક્ષણિક સફળતા, આત્મસન્માન અને સામાજિક જીવન પર નોંધપાત્ર અસર કરે છે. જો તેનું યોગ્ય સમયે નિદાન અને સંચાલન ન કરવામાં આવે તો તે ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

ડિસ્લેક્સીયા ધરાવતા બાળકોને તેમની જરૂરિયાતો અનુસાર વિશિષ્ટ શિક્ષણ પદ્ધતિઓ અને સહાયતાની જરૂર પડે છે. જે સામાન્ય રીતે લર્નિંગ ડિસેબિલિટીમાં જરૂરી હોય છે. કેટલાક લોકો ડિસ્લેક્સીયાને લર્નિંગ ડિફિકલ્ટી તરીકે પણ જુએ છે કારણ કે, ડિસ્લેક્સીયા ધરાવતા મોટાભાગના બાળકોની બુદ્ધિ સામાન્ય હોય છે. તેમની શીખવાની ક્ષમતા અન્ય ક્ષેત્રોમાં સારી હોઈ શકે છે. તેમની મુશ્કેલી ફક્ત ભાષા આધારિત કાર્યોમાં જ જોવા મળે છે. યોગ્ય અને વ્યક્તિગત શિક્ષણ પદ્ધતિઓ અને સાધનો દ્વારા ડિસ્લેક્સીયા ધરાવતા બાળકો નોંધપાત્ર સુધારો લાવી શકે છે અને સફળતાપૂર્વક શીખી શકે છે.

ડિસ્લેક્સીયાની તીવ્રતા દરેક બાળકમાં અલગ અલગ હોઈ શકે છે. કેટલાક બાળકોને થોડી મુશ્કેલીઓ હોય છે, જ્યારે કેટલાકને વધુ પડતી. ભલે ડિસ્લેક્સીયાને લર્નિંગ ડિસેબિલિટી તરીકે ગણવામાં આવે કે લર્નિંગ ડિફિકલ્ટી તરીકે, સૌથી મહત્વની બાબત એ છે કે આ સ્થિતિ ધરાવતા બાળકોને ઓળખવા, તેમની જરૂરિયાતોને સમજવી અને તેમને યોગ્ય શિક્ષણ અને સહાયતા પૂરી પાડવી આપણી ફરજ છે. ડિસ્લેક્સીયા કોઈ અવરોધ નથી, પરંતુ શીખવાની એક અલગ રીત છે. યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહનથી ડિસ્લેક્સીયા ધરાવતા બાળકો પણ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે અને પોતાની પ્રતિભાને ઉજાગર કરી શકે છે. માતા-પિતા કે શિક્ષક તરીકે આપણી ફરજ છે કે આપણે આવા બાળકોને સ્વીકારીએ અને તેમને તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવામાં મદદ કરીએ.

શીખવા જેવું : વાચન, લેખન કે ગણન ન આવડતું હોય તેવા બહુ બધા લોકોએ દુનિયામાં ડંકો વગાડ્યો છે. બસ આપણે તેમને લેબલ આપવાનું બંધ કરીએ તો ઘણું..!

Admissions Open for the New Session 2025-26 at Mind Roots 🌾Give your child the best start with a learning journey that’s...
01/04/2025

Admissions Open for the New Session 2025-26 at Mind Roots 🌾

Give your child the best start with a learning journey that’s fun, engaging, and enriching! At Young & Pro, we offer a variety of programs tailored for kids of all age groups:

✨ REMEDIAL EDUCATION (worksheet based learning) – Personalized learning support for daily tutoring
🔤 Jolly Phonics & Jolly Grammar –
# special support for Gujarati and Hindi subject
🎨 Art & Craft – Creative expression and skill-building
and so much more!
💢Special batch for Mandal art therapy for kids ( helps in focus and cornsontraion)

We nurture Roots With a nurturing environment, expert guidance, and innovative learning methods, your child will learn, grow, and thrive with us! 🌱

DM us for inquiries or visit us to enroll today!

📍: Mind Roots
142, The galleria Shoping hub Nr sanjeevkumar Auditorium Road, Pal , Surat
Contact us : +917990673463


Improvementworkshop

19/11/2024
જીવનમાં હંમેશા સકારાત્મકતાના દિવા પ્રજ્વલિત થતા રહે....પરિવર્તનશીલ પરિસ્થિતિ ઓનો સ્વીકાર કરતા રહીએ...ચિરાગ ની જેમ આપ સૌન...
31/10/2024

જીવનમાં હંમેશા સકારાત્મકતાના દિવા પ્રજ્વલિત થતા રહે....પરિવર્તનશીલ પરિસ્થિતિ ઓનો સ્વીકાર કરતા રહીએ...ચિરાગ ની જેમ આપ સૌની દિવાળી તેમજ જીવન હંમેશા ઝગમગતું રહે.....

સંતોષયુક્ત જીવનનો અનુભવ રહે એજ પ્રભુ ને પ્રાર્થના...

દીપાવલીની અનંત શુભકામનાઓ🪔

રૂપા શાહ
Mind Roots.

આજ- રવિવાર ની સવાર બા દાદા સાથે ભરતેશ્વરમહાદેવ મંદિર..મહાદેવ ના દર્શન ....5004 જ્યોતિર્લિંગ ના દર્શન ભજન અને નાસ્તો...શે...
01/09/2024

આજ- રવિવાર ની સવાર બા દાદા સાથે ભરતેશ્વરમહાદેવ મંદિર..મહાદેવ ના દર્શન ....5004 જ્યોતિર્લિંગ ના દર્શન ભજન અને નાસ્તો...

શેટલેર હોમ ના બા દાદા ની ઈચ્છા ને માન આપી ને આજે સવારે ગાડીઓ દ્વારા સભ્યો ની મદદ થી બા દાદા ને દર્શન માટે લઈ ગયા હતા...એમની ખુશી અને આશીર્વાદ નો વરસાદ આજે અનુભવ્યો..

તન મન ધન થી સપોર્ટ કરનાર દરેક સભ્યો નો દિલથી આભાર.

Helping Hands Foundation Surat Gujarat
Sonal Sheth
Roopa Shah

Bhatar Surat Bajaj
Vinod Dadhich Vinod Dadhich
Esshani Sheth




Tarun Mishra

*Session on Leadership*Thank you Universe for all kind of support.શાળા નંબર 318...અદ્દભૂત વિચારસરણી અને અનોખી રીતે બાળકો...
07/08/2024

*Session on Leadership*

Thank you Universe for all kind of support.

શાળા નંબર 318...અદ્દભૂત વિચારસરણી અને અનોખી રીતે બાળકો ના ઉછેર માં ઉત્તમ વિચારો નું સિંચન કરતી એક માત્ર શાળા માં જવાનો મને મોકો મળ્યો.

Drawing and coloring always improve your mental health 🤩🥰
07/08/2024

Drawing and coloring always improve your mental health 🤩🥰

With Parenting for Peace – I just got recognised as one of their top fans! 🎉
27/07/2024

With Parenting for Peace – I just got recognised as one of their top fans! 🎉

02/07/2024

👉🏻 क्या आपको लगता है, "मैं ऐसा क्यों हूँ? - मैं दूसरों जैसा क्यों नहीं हूँ?" 🤔

👉🏻 क्या आपको भी लगता है, कि "मेरे पास सब कुछ है, फिर भी मैं खुश क्यों नहीं हूँ?" 😔

👉🏻 क्या आपको भी लगता है, कि "मैं जैसा चाहता हूँ, वैसा क्यों नहीं होता है?" 😩

अगर आप भी इन सवालों से परेशान हैं, तो Coach For Life आपके लिए लाया है, 🥳

✨ जीवन-परिवर्तनकारी Personality Awareness Workshop ✨

इस FREE वर्कशॉप में भाग लेकर आप ख़ुद के साथ और अपने नज़दीकी लोगों के साथ के रिश्तों में अकल्पनीय बदलाव पाएंगे और प्यार बढ़ेगा। 💖

PAW शनिवार 13th July 2024 से शुरू हो रहा है। 📅

🕰️ 8:25 PM to 10:45 PM IST
💻 Online (Zoom & YouTube)

यह वर्कशॉप टोटल चार सेशन का है। 📚

रजिस्ट्रेशन फॉर्म लिंक:
https://coachforlife.in/personality-awareness-workshop-paw/?utm_source=org-igfbthreads

आइए, और इस जीवन-परिवर्तनकारी सेशन का हिस्सा बनें! 🚀

Address

Gaurav Path Pal
Surat
395009

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6:30pm
Sunday 10am - 2pm

Telephone

+917990673463

Alerts

Be the first to know and let us send you an email when Mind Roots posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Mind Roots:

Share

Category