Dr GauRav Raiyani

Dr GauRav Raiyani MD General Medicine

કેન્સર જેવી ગંભીર બીમારીથી બચવા માટે કેટલાક ઉપાયો અપનાવી શકાય છે. ખાસ કરીને, સ્વસ્થ જીવનશૈલી અપનાવવાથી અને કેટલાક જોખમી ...
13/09/2025

કેન્સર જેવી ગંભીર બીમારીથી બચવા માટે કેટલાક ઉપાયો અપનાવી શકાય છે. ખાસ કરીને, સ્વસ્થ જીવનશૈલી અપનાવવાથી અને કેટલાક જોખમી પરિબળોથી દૂર રહેવાથી કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે.
કેન્સરથી બચવાના કેટલાક ઉપાયો:

ધૂમ્રપાન તથા અન્ય વ્યસન ટાળો: ધૂમ્રપાન એ કેન્સરનું એક મુખ્ય કારણ છે, ખાસ કરીને ફેફસાના કેન્સર માટે. જો તમે ધૂમ્રપાન કરતા હોવ, તો તેને છોડવું એ કેન્સરથી બચવા માટેનો સૌથી મહત્ત્વનો ઉપાય છે. તેમજ તંબાકુ મોઢાના કેન્સરનું કારણ છે.

સ્વસ્થ આહાર: ફળો, શાકભાજી અને આખા અનાજ (whole grains) જેવા પૌષ્ટિક આહાર પર ધ્યાન આપો. પ્રોસેસ્ડ ફૂડ, ટ્રાન્સ ફેટ્સ અને પ્રિઝર્વેટિવ્સવાળા ખોરાકને મર્યાદિત કરો.

વજન નિયંત્રણ: સ્વસ્થ વજન જાળવવું એ કેન્સર સહિત અનેક રોગોથી બચવા માટે જરૂરી છે. નિયમિત કસરત અને યોગ્ય આહાર દ્વારા વજનને નિયંત્રણમાં રાખો.

નિયમિત વ્યાયામ: નિયમિત શારીરિક પ્રવૃત્તિ કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. જો શક્ય હોય તો, રોજ થોડો સમય ચાલવા, સાઈકલ ચલાવવા અથવા અન્ય કોઈ કસરત માટે કાઢો.

વહેલું નિદાન: 40 વર્ષથી વધુ ઉંમરના લોકોએ શરીરમાં કોઈપણ અસામાન્ય લક્ષણો અથવા ફેરફારો પર ધ્યાન આપવું જોઈએ. વહેલું નિદાન અને સમયસર સારવાર, કેન્સરને મટાડવામાં મદદ કરી શકે છે. આ માટે નિયમિત બોડી હેલ્થ ચેકઅપ કરાવવું જરૂરી છે.

પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો: ગરમ ખોરાક માટે પ્લાસ્ટિકના કન્ટેનરનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે તે હાનિકારક રસાયણો છોડી શકે છે. તેના બદલે સ્ટીલ અથવા કાચના વાસણોનો ઉપયોગ કરો.

તબીબી સલાહ:
જો તમને કેન્સરના કોઈ પણ લક્ષણો જણાય, તો તરત જ ડૉક્ટરની સલાહ લો. નિયમિત તપાસથી પણ કેન્સરનું વહેલું નિદાન થઈ શકે છે.

Organ Donation
13/09/2025

Organ Donation

19/08/2025

20/06/2025

1) ડેન્ગ્યુ થયો હોય એ કેમ ખબર પડે અને કયાં લક્ષણો દેખાય તો હૉસ્પિટલમાં દાખલ થવું જોઈએ?

ગુજરાતમાં હાલના સમયમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળ્યો છે. ચોમાસા દરમિયાન ખાસ કરીને બાળકોમાં તાવનું પ્રમાણ વધી જતું હોય છે.
ડેન્ગ્યુના તાવમાં શરીરના સાંધા અને હાડકાં એટલા દુખે છે કે દર્દી માટે દુખાવો અસહ્ય બની જતો હોય છે. આથી તેને લોકભોગ્ય ભાષામાં 'હાડકાંતોડ' તાવ પણ કહે છે.

2) ડેન્ગ્યુ તાવનાં લક્ષણો કયાં છે?
- ચેપી મચ્છર માણસને કરડે તેના પછીના પાંચથી છ દિવસમાં માણસોમાં ડેન્ગ્યુ વાઇરસનાં લક્ષણો દેખાવાનું શરૂ થાય છે.
- છ થી સાત દિવસ સુધી સતત તાવ આવે છે, સતત માથું દુખે, શરીર તૂટે એટલે કે ખૂબ દુખાવો અનુભવાય, સાંધા દુખે અને જો ડેન્ગ્યુને કારણે શરીરમાં આંતરિક હાનિ પહોંચવાનું શરૂ થાય ત્યારે ઝાડાં ઊલટી શરૂ થાય છે. અને તે કાબુમાં નથી આવતા. કેટલાક કિસ્સામાં આંતરિક રક્તસ્ત્રાવને કારણે શરીર પર લાલ ચાઠાં પડે અને ખંજવાળ આવે છે.
ડેન્ગ્યુનાં લક્ષણો
* છ થી સાત દિવસ સુધી સતત તાવ
* માથું દુખવું
* શરીર તૂટવું
* સાંધા દુખવા
* ઝાડાં ઊલટી
* શરીર પર ચાઠાં પડે અને ખંજવાળ આવે

3) કયાં લક્ષણો દેખાય તો હૉસ્પિટલમાં દાખલ થવું જોઈએ?
- ડાયાબિટીસ, હૃદયની સમસ્યા હોય, કિડનીની સમસ્યા હોય તો એવા કિસ્સામાં ત્રાકકણ અને શ્વેતકણ ઘટતા સ્થિતિ જીવલેણ બની શકે છે.
- ડેન્ગ્યુ સમયે ડૉક્ટરના સંપર્કમાં રહો અને જો ડૉક્ટર કહે કે નિરીક્ષણ માટે દાખલ થવું પડશે તો દાખલ થવું જોઈએ. એનાથી કદાચ કોઈ રક્તસ્ત્રાવ થાય તો તાત્કાલિક ઇલાજ કરી શકાય.
- જેમનો ખોરાક અતિશય ઓછો છે અને જેઓ ખોરાક પાણી કે અન્ય પ્રવાહી ના લઈ શકે તેમણે, જેમને પેશાબ એકદમ પીળા રંગનો થાય કે જેમનો પેશાબ લાલ રંગનો થાય તો હૉસ્પિટલમાં દાખલ થવું પડે છે.
- જેમને ઊલટીઓ ખૂબ થઈ રહી હોય તેમને જેમને ઝાડા ખૂબ થઈ રહ્યા છે તેમના શરીરમાં પાણી ઘટી જતું હોય છે. આવા કિસ્સામાં હૉસ્પિટલમાં દાખલ થવું પડે છે.
- ઝાડામાં, પેશાબમાં કે નાકમાંથી લોહી નીકળતું હોય તો તે આંતરિક રક્તસ્ત્રાવનું સૂચક છે. આથી સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ થવું પડે.

4) ડેન્ગ્યુ થાય ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું?
- ડેન્ગ્યુ થયા પછી તેમાંથી સાજા થવાનો એક જ ઈલાજ છે આરામ અને પાણી.એવા લોકો જેઓ શરીરના વજનના અનુપાતમાં સાડા ત્રણથી ચાર લીટર પ્રવાહી શરીરમાં જાય તેવો પ્રયાસ કરવો જોઈએ. જેમાં સંતરા મોસંબીનો જ્યુસ, નાળિયેર પાણી, પીવાનું પાણી સહિતનાં પ્રવાહી લેવાં જોઈએ.
- નુસખાઓ કરવાનું ટાળો. જેમ કે કોઈ ઉકાળા, દ્રવ્યો વગેરે ના લેવા. કોઈ ઍન્ટિબાયોટિક પણ નથી લેવાની.

5) ડેન્ગ્યુ કયા કિસ્સામાં જોખમી બની શકે છે?
- આમ તો જેને ડેન્ગ્યુ થયો હોય તેવા દર્દીઓ એક થી બે અઠવાડિયાના સમયગાળામાં સાજા થઈ જતા હોય છે.
- છતાં કેટલીક વાર ત્પ્લેટલેટ એટલા ઘટે કે લીવરને નુકસાન કરી જાય લોહી એટલું પાતળું થઈ જાય કે એ બધેથી રિસવા લાગે તો તેને ડેન્ગ્યુ હૅમરેજીક ફીવર કહેવાય. ડેન્ગ્યુની આવી અસરોમાંથી પસાર થયા પછી દર્દી જ્યારે ઘરે હોય ત્યારે પણ ખાન-પાનથી લઈ ઘણી બાબતોની કાળજી રાખવી જરૂરી હોય છે.
- આની સાથે કેટલાકને ડેન્ગ્યુ શૉક થતો હોય છે. તેમાં દર્દીના શરીરમાંથી ઘણું લોહી વહી જાય છે. દર્દીનું બીપી ડાઉન થવા લાગે છે. આ સમયે દર્દીની તબીબી દેખરેખની જરૂર પડતી હોય છે.

6) ડેન્ગ્યુ મટી ગયા પછી શું ધ્યાન રાખવું?
- ડેન્ગ્યુમાંથી સાજા થયા પછી દર્દીને ઘણી નબળાઈ રહી જતી હોય છે. આવા સમયે તેમને થાક ખૂબ લાગતો હોય છે. તમારા તબીબના સંપર્કમાં રહો અને જો થાક કે નબળાઈની સમસ્યા વધારે હોય તો ડૉક્ટરના માર્ગદર્શન મુજબ દવા લો. જાતે જ પેઇનકિલર કે શક્તિની દવાઓ ના લેવી.
- વાળ ઊતરવાની સમસ્યા સામાન્ય રીતે આ પ્રકારના ભારે તાવ પછી ઘણા દર્દીઓને થતી હોય છે. આવા સમયે વાળ ખરતા રોકાય નહીં તો ડૉક્ટરને બતાવી દવા શરૂ કરો.
- આવી સમસ્યા ના થાય એ માટે પાણી પૂરતા પ્રમાણમાં પીવો, બહારનો ખોરાક ના ખાવ.

અંગદાન મહાદાન🙏🏻
16/04/2025

અંગદાન મહાદાન🙏🏻

દર્દીના રીવ્યૂ🙏🏻
21/03/2025

દર્દીના રીવ્યૂ🙏🏻

02/11/2024
29/09/2024

ન્યૂઝ 18 ગુજરાતી ચેનલ પર ‘વર્લ્ડ હાર્ટ ડે’ નિમિત્તે ડો ગૌરવ રૈયાણી તરફથી એક વિશેષ સંદેશ

બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે ડોક્ટર દવાઓ આપે છે. પરંતુ આ માટે માત્ર દવા જ પૂરતી નથી. લાઇફસ્ટાઇલ અને ખાનપાનમાં સુધારો કર...
30/07/2024

બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે ડોક્ટર દવાઓ આપે છે. પરંતુ આ માટે માત્ર દવા જ પૂરતી નથી. લાઇફસ્ટાઇલ અને ખાનપાનમાં સુધારો કરીને હાઇ બીપીની સમસ્યાને સરળતાથી કંટ્રોલ કરી શકાય છે.

હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઈપરટેન્શન એ સાયલન્ટ કિલર જેવું છે. આ સમસ્યા ત્યારે થાય છે જ્યારે ધમનીઓમાં બ્લડ પ્રેશર વધી જાય છે. સૌથી મોટી ચિંતા એ છે કે તમે કોઈપણ લક્ષણો વિના વર્ષો સુધી હાઈ બ્લડ પ્રેશરથી પીડાઈ શકો છો. જેના કારણે ભવિષ્યમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થઈ શકે છે. આમાં હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાઓનો પણ સમાવેશ થાય છે. જો તમારું બીપી પણ હાઈ છે અને તમે તેને દવા વગર કંટ્રોલ કરવા માંગો છો તો તમે હેલ્ધી ડાયટ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવી શકો છો. આ સિવાય 5 ઉપાયો બીપીને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે તંદુરસ્ત જીવનશૈલી અને ખાનપાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. વધુ પડતા મીઠાનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે, તેથી ભોજનમાં મીઠું ઓછું રાખવું જોઈએ. ફળો, શાકભાજી, આખા અનાજ અને કઠોળ શક્ય તેટલું ખાવા જોઈએ. આ સિવાય પોટેશિયમથી ભરપૂર ફળો અને શાકભાજી હાઈપરટેન્શનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

વધારે વજન બ્લડ પ્રેશર વધારી શકે છે, તેથી વજન સંતુલિત રાખવું જોઈએ. શક્ય તેટલું વજન નિયંત્રિત કરો. વધારાની ચરબી ઓછી કરો. ખોરાકના ભાગોને નિયંત્રણમાં રાખીને, કસરતની મદદથી વજનને નિયંત્રિત કરી શકાય છે. તેનાથી હાઈ બીપીની સમસ્યા નહીં થાય.

નિયમિત વ્યાયામ કરવાથી સ્વાસ્થ્ય સુધારી શકાય છે. તેનાથી બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખી શકાય છે. વ્યાયામ શરીરને ફિટ અને રોગોથી દૂર રાખે છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા 5 દિવસ કસરત કરવી હાઈપરટેન્શન માટે સારી છે.

ધૂમ્રપાનની આદત બ્લડપ્રેશર વધારી શકે છે, તેથી બને તેટલી વહેલી તકે તેને છોડી દો. ધૂમ્રપાનમાં હાજર નિકોટિન હાયપરટેન્શન વધારી શકે છે. આનાથી અન્ય ઘણી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. જેના કારણે હૃદય રોગ, કેન્સર, ફેફસાના રોગ પણ થઈ શકે છે.

વધુ પડતો તણાવ પણ હાઈ બ્લડ પ્રેશરનું મુખ્ય કારણ હોઈ શકે છે. જેના કારણે શરીરમાં અનેક સમસ્યાઓ થઈ શકે છે. હૃદયની કાર્ય કરવાની ક્ષમતા પણ પ્રભાવિત થઈ શકે છે. તણાવથી બચવા માટે તમે યોગ અને ધ્યાનની મદદ લઈ શકો છો. રાત્રે સારી રીતે સૂવું જરૂરી છે.

ડો ગૌરવ રૈયાણી
એમ ડી મેડીસીન 🩺

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr GauRav Raiyani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr GauRav Raiyani:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category