Ashtang ayurved dham talaja

Ashtang ayurved dham talaja Ashtang ayurved dham-Talaja ayurved

22/08/2025

*મઘા નક્ષત્રનું પાણી રૂપી અમૃત*

*વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા*
*અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા ભાવનગર*

*ચરક સંહિતા,સુશ્રુત સંહિતા , અષ્ટાંગ હૃદય, # ભાવપ્રકાશ આદિ પ્રાચીન આયુર્વેદ શાસ્ત્રની અંદર અંતરિક્ષ જળને એટલે કે વરસાદના જળ ને ગંગા જળની સમાન ગણવામાં આવ્યું છે. જે આરોગ્ય માટે પરમ હિતકારી છે.*

*વિશ્વ અને રાષ્ટ્રમાં રહેલા જળસંકટ ને જળસંગ્રહથી ઓછું કરી શકાય...*
*
*આ વર્ષે મઘા નક્ષત્ર માં સૂર્ય નું ભ્રમણ 17/08/2025 એ સાંજે 07:54 થી 29/08/2025 એ બપોરના ના 04:56 સુધી મઘા નક્ષત્ર માં રેહશે*

*તો આ 13 દિવસ માં જેટલો પણ વરસાદ વરસે અને આપ જેટલું પણ વરસાદી પાણી નો સંગ્રહ કરી શકતા હોવ તેટલો કરી લેજો. આ 14 દિવસ દરમિયાન અગાસીમાં કે ખુલ્લા મેદાનમાં તાંબા, પિત્તળ, કાંસા અથવા તો સ્ટીલ ના* *બેડલા-માટલા એવી રીતે મુકો કે આ મઘા નો મોઘો વરસાદ સીધો જ આપના મુકેલ જે-તે પાત્રો માં સીધો જ ભરાઈ જાય**

*આ પાણી નો ઉપયોગ શું શું કરી શકાય ..?*

*આંખોના કોઈપણ રોગમાં આખો માં બે બે ટીપા નાખી શકાય.*

*પેટના કોઈ પણ દર્દ માં આ મઘાનું પાણી પીવું ઉત્તમ છે*

*જો આપ કોઈ આયુર્વેદિક દવા લેતા હોવ તો તે આ મઘાના પાણી સાથે લેવાથી તેનો લાભ અતિ વધી જવા પામે છે*

*આ ગંગાજળ સમાન.પાણીથી આપના ગૃહ ની કોઈ પણ રસોઈને રાંધવી પણ ઉત્તમ છે*

*અને.. હા એક વખત મઘા ના વરસાદના પાણીની ખીચડી, અથવા રસોઈ બનાવી તેમાં દેશી ગાયનું શુદ્ધ ઘી નાખીને ટેસ્ટ તો કરજો..*👍🏻👍🏻..

*ખાસ નોંધ*

*ગયા વર્ષે ઓગસ્ટમાં આ નક્ષત્રમાં ખૂબ એટલે ખૂબ વરસાદ આવ્યો હતો.. માટે જો વરસાદના પાણીનો ઉપયોગ કરતા હો તો જ્યારે મઘા નક્ષત્રમાં વરસાદ આવે ત્યારથી સંગ્રહ ચાલુ કરી દેવો જોઈએ. જે લોકો સંગ્રહ કરે છે તેઓએ પણ પોતાનો ટાંકો ભરી લેવો જોઈએ*

**તમારા તમામ ગ્રુપમાં મોકલી લોકોના આરોગ્યની અભિવૃદ્ધિ કરવા નિમિત બનજો **

🙏🏻 *જય આયુર્વેદ* 🙏🏻

🌱 *અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજામાં* હાલમાં મેડિકલ ઓફિસર તરીકે કાર્યરત *વૈદ્ય આશિષભાઈ પટેલિયા* ને પોતાના *"અભયા આયુર્વેદ ...
01/08/2025

🌱 *અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજામાં* હાલમાં મેડિકલ ઓફિસર તરીકે કાર્યરત *વૈદ્ય આશિષભાઈ પટેલિયા* ને પોતાના *"અભયા આયુર્વેદ કૃષિ કેન્દ્ર - વાળુકડ"* માં આયુર્વેદ કૃષિ ☘️ દ્વારા ઉત્તમ ઔષધિ ઉગાડવાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ *RCFC* દ્વારા ગુજરાતના સર્વોચ્ચ 5 વ્યક્તિઓમાં સ્થાન આપીને આગામી સ્વતંત્રતા દિવસ 2025 નિમિત્તે યોજાનાર સેરેમનીમાં *મુખ્ય મહેમાન* તરીકે આમંત્રિત કરવામાં આવેલ છે.તે બદલ અષ્ટાંગ આયુર્વેદ ધામ પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને ગૌરવ અનુભવીએ છીએ. આપ, આવી જ રીતે આયુર્વેદ કૃષિ ક્ષેત્રમાં ઔષધીય વાવેતર અને સંવર્ધન 🌿🍃કરીને ઉત્તરોતર પ્રગતી કરતા રહો તેવી ભગવાન ધન્વંતરીને અભ્યર્થના 🙏.

આજના આ ખાસ વિડિયોમાં આપણે વાત કરીશું એક પ્રાચીન આયુર્વેદિક ઠંડક આપનાર સ્વાદિષ્ટ પીણું એટલે કે "ધાન્યક હિમ" 🥂આ ધાન્યક હિમ...
23/04/2025

આજના આ ખાસ વિડિયોમાં આપણે વાત કરીશું એક પ્રાચીન આયુર્વેદિક ઠંડક આપનાર સ્વાદિષ્ટ પીણું એટલે કે "ધાન્યક હિમ" 🥂

આ ધાન્યક હિમ કઈ રીતે બનાવવામાં આવે છે??? તેના ફાયદા શુ છે?? બધું જ સચોટ શાસ્ત્રોક્ત રેફરન્સ સાથે જાણો આ વિડિઓમાં... જય આયુર્વેદ જય ધન્વંતરિ ભગવાન🙏

આવી જ આયુર્વેદ તથા સ્વાસ્થ્યને લગતી માહિતી જાણવા અમારી ચેનલ સાથે જોડાયેલા રહો... આભાર..🙏🌱

🌿 " आयुर्वेद अमृतानाम् " 🌱🌿 અષ્ટાંગ આયુર્વેદ ધામ ~ તળાજા, ગુજરાત 🌱 Helpline - 7284828282આજના આ ખાસ વિડિયોમાં આપણે વાત કરીશું એક પ....

https://youtu.be/1jNXwV-YFgk?si=VXqxpYOG47zbWoEfલિંબડા ના મોર નું કઈ rite સેવન કરવું વગેરે સંપૂર્ણ માહિતી વૈદ્ય મહેન્દ્ર...
08/04/2025

https://youtu.be/1jNXwV-YFgk?si=VXqxpYOG47zbWoEf
લિંબડા ના મોર નું કઈ rite સેવન કરવું વગેરે સંપૂર્ણ માહિતી વૈદ્ય મહેન્દ્રસિંહ ના મુખે થી…….

આયુર્વેદ ના માધ્યમ થી સમાજ માં સ્વાસ્થ્ય પ્રાપ્તિ નો જ્ઞાન યજ્ઞ એટલે આયુર્વેદ કથા  ધોળકા માં આયોજન થઈ રહ્યું છે         ...
15/03/2025

આયુર્વેદ ના માધ્યમ થી સમાજ માં સ્વાસ્થ્ય પ્રાપ્તિ નો જ્ઞાન યજ્ઞ એટલે આયુર્વેદ કથા ધોળકા માં આયોજન થઈ રહ્યું છે #આયુર્વેદકથા

27/02/2025

🌼 *અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા દ્વારા જુના દર્દીઓ માટે કુરિયર સુવિધાનો પ્રારંભ* 📦🌿🌼

☘️ *અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા* ખાતે સારવાર અર્થે આવતા જુના દર્દીઓની આવવા - જવાની અગવડતાઓના પરિણામે ઔષધો નો પૂર્ણતઃ કોર્ષ પૂર્ણ ના કરી શકતા હોવાના સૂચનોને ધ્યાનમાં રાખીને *અષ્ટાંગ આયુર્વેદ ધામ મેનેજમેન્ટ* દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે *બે કે બે થી વધુ વખત બતાવવા માટે આવી ચૂકેલ જુના દર્દીઓ* માટે *કુરિયર સર્વિસ* શરૂ કરવામાં આવેલ છે. તો, જુના દર્દીઓ કે જેમની હાલમાં નિયમિત સારવાર શરૂ હોય અને અંગત કારણોસર અથવા અગવડતાઓના લીધે બતાવવા માટે ના આવી શકે તેમ હોય તેઓ *કુરિયર દ્વારા પોતાની ચાલુ દવાઓ* મંગાવી શકે છે.

👉 કુરિયર દ્વારા દવાઓ મંગાવવા માટે *કુરિયર હેલ્પલાઇન નંબર* 72 84 82 80 80 ઉપર *whatsapp માં* નીચેની માહિતી મોકલવાની રહેશે -
1) *જુના દર્દીનું કેસ કાર્ડ*
2) *દવાની ચીઠ્ઠી અને જે દવા મંગાવવાની હોય તેની યાદી*
3) *નામ સરનામું પીનકોડ નંબર અને મોબાઈલ નંબર વ્યવસ્થિત રીતે લખીને મોકલવું.*

👉 આપે મંગાવેલ *દવાઓનું બિલ* (કુરિયર ચાર્જ સાથે) બન્યા બાદ આપને *whatsapp માં* મોકલી આપવામાં આવશે અને સાથે *QR કોડ* મોકલવામાં આવશે જેને *સ્કેન કરીને આપે પેમેન્ટ* કરવાનું રહેશે અને તેનો *સ્ક્રીનશોટ* કુરિયર હેલ્પલાઇન નંબર 72 84 82 80 80 ઉપર whatsapp માં મોકલી આપવાનો રહેશે.

🔴 *નોંધ* - *આયુર્વેદિક ઔષધિઓ દર્દીની પ્રકૃતિ અને તાસીરને અનુરૂપ કામ કરતી હોય છે. તો, આયુર્વેદ ચિકિત્સક ની દેખરેખ હેઠળ રૂબરૂ નિયમિત સારવાર ચાલુ રાખવી હિતાવહ છે.*

*જય ધન્વંતરી ભગવાન 🙏*
*જય આયુર્વેદ 🙏*

02/11/2024

🌿 *નવા વર્ષની દરેકને ખુબ ખુબ શુભકામનાઓ* 🌿
🌼 *નવા વર્ષે નવા સંકલ્પ સાથે શરૂઆત કરીએ* -🙏🙏🙏
👉 *વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા*
📍 *અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા*
🌻આજથી સંકલ્પ લઈએ કે 24 કલાકમાંથી આપણે ઓછામાં ઓછી 24 મિનિટ ધ્યાન, પ્રાણાયામ, સાધના અને આપણા માટે ફાળવીએ.
🌻બીજો સંકલ્પ લઈએ કે આપણા પરિવાર માટે કે પરિવારમાં વધારેમાં વધારે સનાતન સંસ્કૃતિનું આચરણ કરાવીએ.
🌻ત્રીજો સંકલ્પ રાષ્ટ્રધર્મ માટે - સ્વદેશી ચિકિત્સા આયુર્વેદ, સ્વદેશી કૃષિ પ્રાકૃતિક ખેતી અને સ્વદેશી થી સ્વાવલંબી અને સમૃદ્ધ ભારત માતાના નિર્માણ માટે પ્રયાસ - પ્રયત્ન કરીએ.
🌻ચોથો સંકલ્પ પ્રકૃતિ ધર્મ માટે - પ્રકૃતિની સુરક્ષા કરીએ, વધારેમાં વધારે આયુર્વેદ વૃક્ષોનું વાવેતર કરીએ અને પર્યાવરણની સુરક્ષા કરીએ.
🌿એ જ પ્રાર્થના સાથે આપ સૌ લોકોને ફરીથી નવા વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ 🌿
🙏🕉🙏

28/10/2024

🍀 *આવતી તારીખ 30/10/2024 ને બુધવારે ધનતેરસ પર્વ નિમિત્તે ભગવાન ધન્વંતરી નો સ્વાસ્થ્ય અને શુભ લક્ષ્મી માં અભિવૃદ્ધિ કરનાર સિદ્ધ તારક મંત્ર " ૐ શ્રી ધં ધનવંતરયે નમો નમઃ " નો 108 વાર અવશ્ય જાપ કરો.* 🌿

22/08/2024

☘️ *मघा नक्षत्र का पानी पृथ्वी पर का अमृत है🍀। ३१अगस्त तक बारिश के रुप में अमृत 🌿 बरसने वाला है। तो,उसका संग्रह करें। ये पानी का आयुर्वेदिक महत्व वैध श्री महेंद्रसिंह सरवैया के मुख से सुनिए और ज्यादा से ज्यादा लोगों तक ये विडियो पहोंचाये और इसके बारे में जागृत करे। 🌿🌿 #

મેરા દેશ બદલ રહા હે ,આયુર્વેદ કી ઔર બઢ રહા હે, આયુર્વેદ કથા ના પ્રસાદ માં ચા રૂપીવ્યસન ની જગ્યાએ મેથી ની કોફી અને દિવ્ય ...
15/03/2024

મેરા દેશ બદલ રહા હે ,આયુર્વેદ કી ઔર બઢ રહા હે,
આયુર્વેદ કથા ના પ્રસાદ માં ચા રૂપીવ્યસન ની જગ્યાએ મેથી ની કોફી અને દિવ્ય ઔષધિ ગળો નું વિતરણ …સૌ સાથે મળી આયુર્વેદ થકી ભારતમાતા ને વિશ્વગુરુ બનાવીએ🙏🌿🙏🕉🙏

ગઢડા (સ્વામી) ખાતે🌿 આયુર્વેદ કથા 🎙વક્તા :- વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા( અષ્ટાંગ આયુર્વેદ ધામ ~ તળાજા , ભાવનગર )તારીખ :...
14/03/2024

ગઢડા (સ્વામી) ખાતે
🌿 આયુર્વેદ કથા 🎙
વક્તા :- વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા
( અષ્ટાંગ આયુર્વેદ ધામ ~ તળાજા , ભાવનગર )
તારીખ :- 17/03/2024 ને રવિવાર
🕐 સમય :- સાંજે 8:00 થી 11:00
🏢 સ્થળ :- પટેલ સમાજની વાડી, બોટાદ રોડ, ગઢડા (સ્વામી)

👉🏻 નમ્ર નિવેદન :- ગઢડા (સ્વામી) આસપાસ ના લોકો જીવનભર તંદુરસ્ત રહી શકે તે હેતુસર આયોજીત કરેલ આયુર્વેદ કથાનો લાભ વધુમાં વધુ લોકો મેળવી શકે તેવો સંદેશો ગઢડા (સ્વામી) અને તેના આસપાસ ના વિસ્તારની દરેક આયુર્વેદપ્રેમી જનતા સુધી અવશ્ય પહોંચાડવા નમ્ર નિવેદન.

📱હેલ્પલાઇન નં :-

આયોજક હેલ્પ લાઈન :- 8160754977, 9724449743

📍 કથા સ્થળની લોકેશન લિંક
XHCH+X48, Unnamed Road, Gadhada, Gujarat 364750

https://maps.app.goo.gl/WAiXrWhGA391gXXP7

અષ્ટાંગ આયુર્વેદ ધામ હેલ્પલાઇન :- 7284828282

📲અષ્ટાંગ આયુર્વેદ ધામ વિશે માહિતી મેળવવા અને વોટ્સએપગ્રુપ માં જોડાવા માટે નીચે દીધેલ લિંક પર દબાવો(ક્લિક)કરો.
https://chat.whatsapp.com/J16a125YRXTCgvclfSMvSM

Address

NH 51
Talaja
364140

Opening Hours

Wednesday 6am - 11am
Thursday 6am - 11am
Friday 6am - 11am
Saturday 6am - 11am
Sunday 6am - 11am

Telephone

+917284828282

Website

Alerts

Be the first to know and let us send you an email when Ashtang ayurved dham talaja posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Ashtang ayurved dham talaja:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category