Swami Sarvanand superspeciality physiotherapy Hospital

  • Home
  • Swami Sarvanand superspeciality physiotherapy Hospital

Swami Sarvanand superspeciality physiotherapy Hospital Team of expert Physiotherapists working here for the welfare of patients health using special and l

Free Camp on 09/04/23 Sunday...
08/04/2023

Free Camp on 09/04/23 Sunday...

Free camp
10/12/2021

Free camp

Free camp....
04/12/2021

Free camp....

Free camp in Swami sarvanand hospital on this Sunday 25/07/21
24/07/2021

Free camp in Swami sarvanand hospital on this Sunday 25/07/21

12/07/2021
01/07/2021
21/06/2021
18/06/2021
04/06/2021

ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે : કોરોનાની થાળે પડતી પરિસ્થિતીને જોઇને હવે રાજ્ય સરકાર દ્વારા સરકારી કામકાજ રાબેતા મુજબ શરૂ કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે હવે રાજ્ય સરકારની બધી કચેરીઓ શનિવાર 5 જૂનના રોજ ખુલ્લી રહેશે : સોમવાર 7 મી જૂનથી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે.
****
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસ સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસે કોરોના રસીની વૈશ્વિક ફાળવણીની અમેરિકાની યોજનાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાણકારી આપી હતી. કોરોના કાળમાં પ્રવાસી ભારતીયો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી મદદ માટે પ્રધાનમંત્રી મોદીએ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસનો આભાર વ્યકત કર્યો હતો.
****
અમેરિકાના રોજગારી માટેના ગ્રીન કાર્ડની દેશ-આધારિત મર્યાદા હટાવવાની જોગવાઇ ધરાવતા ખરડાને પ્રતિનિધિસભામાં રજૂ કરાયો છે, અમેરિકામાં જો આ ખરડો પસાર થયા બાદ કાયદો બને તો તેનો લાભ કાયમી રેસિડન્ટ કાર્ડ -ગ્રીનકાર્ડની રાહ જોઇ રહેલા આઇટી ક્ષેત્રમાંના ભારતના સેંકડો વ્યાવસાયિકોને થશે. અમેરિકાની હાલની ઇમિગ્રેશન સિસ્ટમમાં ગ્રીન કાર્ડ ફાળવવા માટે દેશ દીઠ સાત ટકાની મર્યાદા રાખવામાં આવી હોવાથી ભારત જેવા મોટી વસતિ ધરાવતા દેશના લોકોને અન્યાય થાય છે. ખરડામાં ફેમિલી-સ્પૉન્સર્ડ વિઝાની દેશ દીઠ મર્યાદા વધારીને ૧૫ ટકા કરવાની જોગવાઇ છે.
****
ગુજરાત ST નિગમ દ્વારા બનેલા 9 બસ સ્ટેશન અને ડેપો-વર્કશોપનું ઈ-લોકાર્પણ અને 5 બસ સ્ટેશન અને ડેપો-વર્કશોપનું ઈ-ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરાયુ : સાણંદ, લીંમડી, સંતરામપુર, પાલનપુર, પીપળાવ, વાઘોડિયા, ડેમાઇ, ભાવનગર, મોરબી, વાંકાનેર, વિરપુર, સરધાર અને દ્વારકામાં બસ સ્ટેશન ડેપો-વર્કશોપનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કરાયુ
****
સર્વોચ્ચ અદાલતે પત્રકાર વિનોદ દુઆ સામે હિમાચલ પ્રદેશના શિમલા ખાતે નોંધાયેલો રાજદ્રોહનો કેસ કાઢી નાખતા જણાવ્યું હતું કે દરેક પત્રકાર રક્ષણનો હકદાર છે. વિનોદ દુઆના યૂટ્યૂબ શોના સંબંધમાં તેમની સામે હિમાચલ પ્રદેશના એક સ્થાનિક નેતાએ કેસ કર્યો હતો.
****
ભારતના ભાગેડુ વેપારી મેહુલ ચોક્સીને ડોમિનિકાના મેજિસ્ટ્રેટ દ્વારા જામીન આપવાનો ઇનકાર કરાયા બાદ અને એન્ટિગુઆ અને બારબુડાની કેબિનેટ દ્વારા ચોક્સીને ડોમિનિકાથી સીધો ભારત મોકલવાની તરફેણમાં લેવામાં આવેલા નિર્ણય પછી ડોમિનિકાની કોર્ટે ગુરુવારે કેસની સુનાવણી મોકૂફ રાખી હતી. નવી સુનાવણી માટે કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી.
****
રાજકોટ જિલ્લાના વેજા ગામમાંથી એક જ પરિવારના ત્રણ સભ્યોની લાશ કૂવામાંથી મળી હતી. મૃત હાલતમાં મળેલા બે યુવક અને એક યુવતી પિતરાઈ છે. અને તેમની ઉંમર 16,17 અને 18 વર્ષની જ છે. પોલીસ તપાસમાં ત્રણેયે આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો છે.
****
વડોદરાના અનગઢ ગામમાં પત્નીના પ્રેમીની પતિ અને પત્નીએ હત્યા કરી : રાજુ ગોહિલના લગ્ન દોઢ વર્ષ અગાઉ આણંદના સામરખા ગામની શિવાની સાથે થયા છે પણ લગ્ન અગાઉ શિવાની અને ગામના યુવાન મિલન ઉર્ફ સંજય પરમાર સાથે ત્રણ વર્ષથી પ્રેમ સબંધ હોય શિવાનીએ લગ્ન બાદ પણ પ્રેમી સાથે સંપર્ક ચાલુ રાખતા પતિ રાજુએ પત્ની શિવાનીના આ પ્રેમીને ફોન કરીને અનગઢ પોતાના ઘરે બોલાવ્યો અને પ્રેમી સંજય પાસે પત્ની શિવાનીના ફોટા માંગતા બંને વચ્ચે બોલાચાલી થતા રાજુ ગોહિલે આવેશમાં આવી સંજયના માથામાં લાકડીનો ઘા કર્યો અને શિવાનીએ પ્રેમી સંજયને ઝેરી દવા પીવડાવી ઘરની બહાર કાઢી મુકયો હતો : સંજયને ગોત્રી હોસ્પિટલમાં લઇ જતાં તબીબોએ સંજયને મૃત જાહેર કર્યો હતો : પોલીસે દંપતી સામે હત્યાનો ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
****

03/06/2021

ગુજરાતમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન VYOના ૯ એક્સિજન પ્લાન્ટના ઇ લોકાર્પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે કર્યા : આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની વિશેષ ઉપસ્થિતી હતી : તિલકવાડા-સાગબારા જેવા દુર્ગમ વિસ્તાર સહિત અમદાવાદ-સોલા-દસક્રોઇ-કાલાવાડ-કપડવંજ-મહેસાણા-ભાણવડ અને પોરબંદરમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ થયા :
વી.વાય.ઓ. એ ગુજરાતમાં રૂ. ૭ કરોડના ખર્ચે ર૯ ઓક્સિજન પ્લાન્ટ નિર્માણ કરી સમયની માંગ મુજબનું જન સેવાકાર્ય કર્યુ છે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગુજરાતમાં અત્યાર સુધીમાં ર૯ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરી કોરોનાની આ બીજી લહેરમાં જન સેવાનું ઉમદા કાર્ય થયું છે : ગૃહ મંત્રી અમિતભાઇ શાહ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વ્રજરાજ કુમારજી મહારાજની પ્રેરણાથી સમાજસેવા, રાષ્ટ્રભક્તિ અને હિન્દુ સંસ્કૃતિનું ગૌરવ થાય તેવા કાર્યો કરી રહ્યું છે તેને બિરદાવ્યા હતા.
આ પ્રસંગે શ્રી વ્રજરાજ કુમારજી મહારાજે આશીર્વચન આપતાં વૈષ્ણવ સંપ્રદાયની સેવા પરંપરા અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના યુવાઓની રાષ્ટ્રસેવા ભાવનાની વિસ્તૃત વિગતો આપી હતી. આઝાદીના ૭પ વર્ષમાં પહેલીવાર વી.વાય.ઓ.ના કાર્યક્રમમાં દેશના ગૃહ મંત્રી જેવા વરિષ્ઠ અગ્રણીની ઉપસ્થિતીનો તેમણે આનંદ વ્યકત કર્યો હતો.
****
મુંબઈ શેરબજારમાં ગુરૂવારે તેજી યથાવત્ : સેન્સેક્સ 245 પોઈન્ટના વધારા સાથે 52,095 ની સપાટી પર અને નિફ્ટી 76 પોઈન્ટના વધારા સાથે 15,652 ની સપાટી પર પહોંચ્યા છે
****
મધ્ય પ્રદેશમાં 3000 જેટલા જુનિયર ડોક્ટરોએ સામૂહિક રાજીનામા માટે નિર્ણય જાહેર કર્યો છે : વિવિધ માંગણીઓ માટે સરકાર તરફથી કોઈ પ્રતિસાદ નહીં મળતા વિવાદ થયો છે
****
ચીનમાં સતત ઘટી રહેલા વસ્તીવૃદ્ધિ દર અને વૃદ્ધોની વધી રહેલી વસ્તીને જોતા ચીનમાં હવે કોઈ પણ દંપતી ત્રણ બાળકો પેદા કરી શકશે : અગાઉ ચીનમાં બે બાળકો પેદા કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી : ચીન સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ પાછળ સૌથી મોટું કારણ, ગત વર્ષે વસ્તી વૃદ્ધિનો દર 1960ના દાયકા બાદ સૌથી ઓછો જોવા મળ્યો છે
****

02/06/2021

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓની ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ્દ : કેન્દ્ર બાદ રાજ્ય સરકારે પણ નિર્ણય લીધો : પરિણામની માર્કશીટ કેન્દ્રની ફોર્મ્યુલા મુજબ અપાશે : ધોરણ-10 અને ધોરણ-12ની રિપીટરની પરીક્ષા માટે હવે પછી નક્કી કરાશે :
****
ધોરણ-12 સીબીએસઈ બોર્ડની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે : પરીક્ષા અંગેની મીટિંગમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની સુરક્ષા અને તેઓનું આરોગ્ય અમારી પ્રાથમિકતા છે.
****
માધ્યમિક શાળાઓમાં નવી નિમણૂંક પામેલા ર૯૩૮ શિક્ષણ સહાયકોને નિયુકિત પત્ર એનાયત કરતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાતમાં પાછલા ૧૦ વર્ષમાં શાળાઓમાં ૧૪ હજાર જેટલા શિક્ષકોની ભરતી સરકારે કરી છે
****
સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાંથી વીક એન્ડ અને જાહેર રજાના દિવસોમાં લગાવાયેલો કરફ્યૂ પ્રશાસને હટાવવાનો નિર્ણય લીધો : પ્રદેશમાં ઘટી રહેલા કોરોનાના કેસને જોતા લોકોને રાહત સ્વરૂપે વીક એન્ડ કરફ્યૂને હટાવવામાં આવ્યો : સવાર 6થી લઈ રાત્રે 10 વાગ્યા સુધી પોતાની દુકાનો અને ધંધારોજગાર ચાલુ રાખી શકશે : જ્યારે દીવ જિલ્લામાં કરફ્યૂમાંથી રાહત હજી સુધી આપવામાં આવી નથી
****
દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારે વિદેશી દારૂની હોમ ડિલિવરી કરવાની મંજૂરી આપી છે: ઘરેલુ દારૂ પહોંચાડવા માટે મોબાઈલ એપ અથવા ઓનલાઇન વેબ પોર્ટલ દ્વારા ઓર્ડર આપવાના રહેશે
****
૨૦૨૨માં પાંચ રાજ્યમાં સમયસર ચૂંટણી યોજવાનો વિશ્ર્વાસ મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ દર્શાવ્યો છે : માર્ચ ૨૦૨૨માં ચાર રાજ્ય - ગોવા, મણીપુર, પંજાબ અને ઉત્તરાખંડ તથા મે ૨૦૨૨માં ઉત્તર પ્રદેશમાં હાલની વિધાનસભાની પાંચ વર્ષની મુદત પૂરી થવાની છે
****
કોવિડની બીજી લહેરના સમયમાં મે મહિનામાં પેટ્રોલ, ડીઝલના વેચાણમાં એપ્રિલ મહિનાની સરખામણીમાં ૧૭ ટકાનો ઘટાડો નોંધાયો છે : પેટ્રોલના વેચાણમાં મે 2019ની સ્થિતિ સામે ૨૮ ટકા ઓછી માંગ રહી છે, અને ડિઝલમાં મે ૨૦૧૯ની સરખામણીમાં ૩૦ ટકા માંગ ઘટી છે. ટર્બાઈન ફ્યુઅલનું મે મહિનાનું વેચાણ આગલા એપ્રિલ મહિનાની તુલનામાં ૩૪ ટકા અને મે ૨૦૧૯ની તુલનામાં ૬૧.૩ ટકા ઘટયું છે : કૂકિંગ ગૅસ એલપીજીનું વેચાણ મે ૨૦૨૦ની તુલનામાં છ ટકા ઓછું થયું છે
****
વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ ભારતમાં સૌપ્રથમ જોવા મળેલા કોવિડ-૧૯ના બે પ્રકાર - બી.૧.૬૧૭.૧ને ‘કપ્પા’ અને બી.૧.૬૧૭.૨ને ‘ડેલ્ટા’ નામ આપ્યું છે
****
ટીવી અભિનેતા કરણ મેહરાની મુંબઈમાં આવેલા નિવાસસ્થાને પત્નીની કથિત મારપીટ બદલ ધરપકડ કરવામાં આવી : પોલીસને સોમવારે રાતે ૧૧ વાગ્યાની આસપાસ કન્ટ્રોલ રૂમ તરફથી બનાવની જાણ થઇ હતી : મોડી રાતે પોલીસ સ્ટેશનમાંથી કરણને જામીન પર છોડવામાં આવ્યો હતો : કરણની પત્ની નિશા રાવલ પણ ટીવી એક્ટ્રેસ છે : ટીવી સિરિયલ ‘યહ રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં પોતાની ભૂમિકા માટે કરણ જાણીતો છે અને આ દંપતી ડાન્સ રિયાલિટી શૉ ‘નચ બલિયે’ માં સાથે ભાગ લીધો હતો
****

31/05/2021

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું કામ રોકવા વાળી અરજી પર દિલ્હી હાઈકોર્ટે કામ ચાલું રાખવાનો આદેશ કરી અરજદારને ૧ લાખનો દંડ કર્યો છે
****
બ્રિટિશ વડા પ્રધાન બોરીસ જૉન્સન લંડનમાં પોતાની વાગ્દત્તા કેરી સાઇમન્ડ્સને પરણ્યા : બોરીસ જૉન્સન છેલ્લા લગભગ ૨૦૦ વર્ષમાં સત્તા પર હોય ત્યારે લગ્ન કરનારા પ્રથમ બ્રિટિશ વડા પ્રધાન બન્યા છે : ૩૩ વર્ષીય કેરી સાઇમન્ડ્સના આ પહેલા અને ૫૬ વર્ષીય વડા પ્રધાનના ત્રીજા લગ્ન છે : અગાઉ, આ દંપતીએ ૨૦૨૦ના ફેબ્રુઆરીમાં સગાઇની અને કેરી સાઇમન્ડ્સ ગર્ભવતી હોવાની જાહેરાત કરી હતી
****
ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના કેસ સાથે સંબંધિત ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરોએ મુંબઈમાં સુશાંતસિંહના બે ભૂતપૂર્વ નોકરની પૂછપરછ કરી : સુશાંતસિંહના રૂમમેટ સિદ્ધાર્થ પિઠાનીની હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવ્યા બાદ બંને નોકર નીરજ અને કેશવ એનસીબીના રડારમાં આવ્યા હતા
****
મુંબઈમાં મેટ્રો થેટર પાસે ર્જીણોદ્ધાર કરીને નવેસરથી ઊભા કરવામાં આવેલા ‘ફિટ્ઝગેરાલ્ડ લાઈટ અને ફુવારા’નું લગભગ ૬૦ વર્ષે ફરી તેના સ્થાન પર અનાવરણ કરવામાં આવ્યું : લગભગ ૧૫૩ વર્ષ જૂના અને મિશ્ર ધાતુ સહિત લોખંડમાં નક્ષીકામ કરીને બનાવવામાં ફિટ્ઝગેેરાલ્ડ લાઈટ અને ફુવારની શિલ્પકૃતિનું મુંબઈ મહાનગર પાલિકાના પુરાતત્વ વિભાગના પ્રયાસથી સંવર્ધન અને સુશોભિકરણ કરવામાં આવ્યું
****
મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યમાં બ્રેક ધ ચેન હેઠળ લાદવામાં આવેલા નિયંત્રણોને ૧૫ જૂન સુધી લંબાવવામાં આવ્યા : આખા રાજ્ય માટે નિયંત્રણો લાગુ કરવાને બદલે જે-તે મહાનગરપાલિકા વિસ્તાર અને જિલ્લામાં પ્રવર્તી રહેલી પરિસ્થિતિને આધારે નિર્ણય લેવાની છૂટ આપવાનો નિર્ણય લીધો છે
****

Address


Telephone

982464234

Website

Alerts

Be the first to know and let us send you an email when Swami Sarvanand superspeciality physiotherapy Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your practice to be the top-listed Clinic?

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram