Dr.Kalpesh Joshi - physician, runner and a health educator.

  • Home
  • India
  • Valsad
  • Dr.Kalpesh Joshi - physician, runner and a health educator.

Dr.Kalpesh Joshi - physician, runner and a health educator. I m a physician at Lotus hospital, VALSAD . I am trying to become a good physician and a runner .

‘PULSE OF LOTUS’ - A MONTHLY HEALTH BULLETIN.April-25
17/04/2025

‘PULSE OF LOTUS’ - A MONTHLY HEALTH BULLETIN.April-25

28/03/2025

fans
તમે જોયું હશે કે , ઘણાં લોકો ઘણું વર્કઆઉટ- કસરત કરતાં હોય પણ એમની ફાંદ ઓછી ના થાય . એમનો ચહેરો બેસી જાય પણ , ‘પેટ ‘ મચક ના આપે. આની પાછળનાં ઘણાં કારણો છે , જેમાં ખોરાકમાં પ્રોટીનની માત્રા, સારી ઊંઘ , યોગ્ય BMR જેવાં ઘણાં પરિબળો ભાગ ભજવે પણ એક કારણ અન્ય છે , જે હું આજે જણાવીશ.
આપણે જ્યારે કોઈ પણ એરોબિક કસરત કરીએ ત્યારે આપણાં સ્નાયુ ને બળતર-fuel જોઈએ , જે શરૂમાં લોહીમાં રહેલ ગ્લુકોઝ પૂરું પડે , જે ઓછું થતાં શરીર ફેટ-ચરબી તોડી ગ્લુકોઝ બનાવે અથવા પ્રોટીન તોડી એમાંથી ગ્લુકોઝ બનાવે. આ તમે કેટલાં હાર્ટ રેટ પર કસરત કરો છે એના પર નિર્ભર છે . જો શરીર પ્રોટીન તોડી ગ્લુકોઝ વાપરશે તો તમારા સ્નાયુનો જથ્થો ગુમાવશો , જો ફેટ વાપરશે તો શરીરમાં ચરબીની માત્રા ઘટશે અને ફાંદ ઓછી થશે .
તો , ફેટ ઓછી કરવાં કેટલાં હાર્ટ રેટ ( HR) પર કસરત કરવી જોઈએ ?
-HRR ( Heart rate reserve) આધારિત ફેટ બર્નીંગ વર્કઆઉટ -
HRR= MHR( maximum heart rate) -RHR ( resting heart rate) .
દા.ત. , તમારી ઉંમર ૫૦ વર્ષ છે તો તમારો MHR,૨૨૦-૫૦ એટલે ૧૭૦/mt. તમારો RHR, એટલે કે તમે રાત્રે સૂઈ જાવ ત્યારે જે ઓછામાં ઓછો HR હોય એ , ધારી લઈ એ કે તમારો RHR ૫૦ છે. તો તમારો,
HRR, ૧૭૦-૪૫=૧૨૫ . ઉંમર પ્રમાણે જેટલો વધારે HRR એટલી વધારે તમારી ફિટનેસ.
વૈજ્ઞાનિક સંશોધનો મુજબ, જ્યારે HRR નાં ૪૦-૬૦ ટકા પ્લસ RHR ની રેન્જમાં એરોબિક કસરત થાય તો સૌથી વધું ફેટ બળે. મતલબ, તમારું HRR ૧૨૫ છે, તો એના ૪૦ ટકા પ્લસ RHR, એટલે ૫૦ +૪૫= ૯૫ . ૬૦ ટકા પ્લસ RHR, એટલે ૭૫+૪૫ = ૧૨૦ . મતલબ, આ વ્યક્તિ જો ૯૫ થી ૧૨૦ HR ની રેન્જ માં એરોબિક કસરત કરશે તો સૌથી વધું ફેટ બળશે. ૧૫૦-૧૬૦ HR સાથે એ વધુ પ્રોટીન તોડસે.
આ ઉપરાંત HIIT, high intensity interval training, પણ ફેટ બર્ન કરવામાં વધું અસરકારક છે . તો HRR આધારિત steady state cardio અને HIIT નું કૉમ્બિનેશન તમને સૌથી વધું ફેટ વાપરવામાં મદદરૂપ થઈ શકે. HIIT શું છે, કેવી રીતે કરાય, કેમ વધું અસરકારક છે એ અંગે વિગતવાર માહિતી બીજીવાર.. 😊😊.
- ડો. કલ્પેશ જોષી. ( લોટસ હોસ્પિટલ, વલસાડ)

26/03/2025

fans
તમે જોયું હશે કે , ઘણાં લોકો ઘણું વર્કઆઉટ- કસરત કરતાં હોય પણ એમની ફાંદ ઓછી ના થાય . એમનો ચહેરો બેસી જાય પણ , ‘પેટ ‘ મચક ના આપે. આની પાછળનાં ઘણાં કારણો છે , પણ એક કારણ વિષે ઘણાંને ઓછી જાણ હોય છે , જે અંગે હું ૧-૨ દિવસમાં જણાવીશ. તમારું શું માનવું છે ?

૧. અયોગ્ય ખોરાક
૨. પેટની કસરતો-Abs workouts નો અભાવ .
૩. અપૂરતી ઊંઘ .
૪. અન્ય. 😊

03/03/2025
Second edition of Lotus health bulletin. fans
03/03/2025

Second edition of Lotus health bulletin. fans

24/01/2025

વીલ- વશિયતનામું કેટલાં આવે ? લિવિંગ વીલ/ મેડિકલ વીલ શું છે ? એ સમજો અને તમારું તથા તમારા પ્રિયજનોનું ભવિષ્ય સુરક્ષિત બનાવો :

દરેકનું મૃત્યુ નિશ્ચિત છે પણ આપણે ત્યાં , હયાતીમાં એની વાતો કરવાનું ટાળીએ છીએ . જ્યારે વશિયતનામાની વાત કરીએ એટલે આપણા પ્રિયજનો આવું અશુભ ના બોલાય એવું કહી વાત ટાળી દે છે. આજનાં અનિશ્ચિત જમાનામાં, કોઈ પણ ઉંમરની વ્યક્તિને કોઈ પણ સમયે કંઈ પણ થઈ શકે ત્યારે ભવિષ્યનું આગોતરું આયોજન કરવું એ દરેકની પોતાના અને પરિવાર પ્રત્યેની પ્રથમ ફરજ છે . એ માટે વશિયતનામાં -વીલ વિશે સમજવું અને એનું અમલીકરણ કરવું હિતાવહ છે .
બધાંને ખબર છે કે , એક મિલકત- સંપતિનું વસિયતનામું અને એના પાવર ઓફ એટર્ની આવે , જેમાં આપણે આપણાં મૃત્યુ બાદ આપણી સંપતિ કોને , કઈ રીતે વહેંચવી એની વિગત લખવામાં આવે , જેનું આપણાં દ્વારા નિયુક્ત વ્યક્તિ અમલીકરણ કરાવી શકે . મિલકતનું યોગ્ય વસિયતનામું ના કરવાને લીધે , મોટા ઉદ્યોગપતિઓથી માંડી નાના મધ્યમવર્ગ- ગરીબ ઘરોમાં ઘણાં નાના- મોટાં ઝઘડાઓ/મતભેદો / વર્ષો સુધી ચાલતા કોર્ટ કેસો થતાં જોયા છે , એ જોઈ કદાચ મરનાર વ્યક્તિ પરલોકમાં પણ દુઃખી થતો હશે!

એ જ રીતે , બીજું લિવિંગ વિલ એટલે કે મેડિકલ વિલ આવે . આપણે એની વાત કરીએ .
મારી ૨૫ વર્ષની આઈસીયુ પ્રેક્ટિસમાં, મેં જોયું છે કે અનેક વાર , જ્યારે દર્દી ગંભીર હોય , વેન્ટિલેટર પર કે લાઇફ સપોર્ટ પર હોય ત્યારે દર્દીના સગાઓમાં નિર્ણય અંગે અંદર અંદર મતભેદો હોય - જેમ કે , પુત્ર -વહું લાઇફ સપોર્ટ બંધ કરવાં પર હોય તો પત્ની - પુત્રીઓ ચાલું રાખવા પર હોય , ઊલટું પણ હોય શકે .બ્રેઇન ડેડ બાદ , કોઈ પ્રિયજન અંગ દાન અંગે ઉત્સુક હોય જ્યારે અન્યની ઈચ્છા ના હોય . ઘણી વાર વ્યક્તિ આર્થિક રીતે સક્ષમ હોવા છતાં, સગાઓ વધારે સુવિધાયુક્ત હોસ્પિટલો જેમાં વિદેશની હોસ્પિટલો પણ આવી શકે , ત્યાં લઈ જઈ પ્રયત્નો કરવાનું કોઈ કારણોસર ટાળતાં હોય .
આમાં દર્દીની ઈચ્છા શું હતી એ વાત જ દબાઈ જાય . હકીકતમાં તો દર્દી શું ઈચ્છે છે કે ઈચ્છતું હતું, એ અગત્યનું હોવું જોઈએ પણ , એ તો ઇચ્છા વ્યક્ત કરવાની સ્થિતિમાં જ હોતું નથી . કોઈ વ્યક્તિ એ જીવતે જીવ એવું વિચાર્યું હોય કે મારું મૃત્યુ મારા વર્ષોથી રહેતાં નિવાસસ્થાને થાય , તો કદાચ એ હોસ્પિટલનાં બિછાને , પ્રિયજનોને બદલે , ડોક્ટરો અને નર્સોની વચ્ચે અંતિમ શ્વાસ લે એવું પણ બની શકે .
જો તમે ઇચ્છતા હોય કે , આવી ગંભીર સ્થિતિમાં તમારી ઈચ્છાઓની ગરિમા જળવાય અને તમારાં અંગ દાન જેવાં ઉમદા વિચારો પૂર્ણ થાય તો , તમારે આજે જ તમારું મેડિકલ વીલ/ લિવિંગ વીલ કરી દેવું જોઈએ .
હવે જ્યારે આપણાં દેશમાં પણ , ઈચ્છા મૃત્યુ અંગે માનનીય સુપ્રીમ કોર્ટના હકારાત્મક ચુકાદાઓ આવ્યા છે, ત્યારે લિવિંગ વિલનું મહત્વ વધી જાય છે .
લિવિંગ વિલમાં વ્યક્તિ , પોતાની ગંભીર હાલતમાં, જો ડોક્ટરના મંતવ્ય મુજબ બચવાની શક્યતાઓ અત્યંત ઓછી કે ના હોય , એવાં સંજોગોમાં લાઇફ સપોર્ટ કેટલો રાખવો , ક્યાં સુધી ચાલુ રાખવો કે બંધ કરવો , એ અંગે લેખિતમાં વર્ણવી શકે . સંજોગો અનુકૂળ હોય તો કંઈ હોસ્પિટલમાં , કયાં ડૉક્ટર હેઠળ સારવાર લેવી છે , એ પણ લખી શકે . લાઇફ સપોર્ટ ચાલું રાખી , અંગો પ્રત્યારોપણની શક્યતા હોય તો તે કરવું કે નહીં ? ઉપરાંત પોતના મૃત્યુ બાદ , શક્ય હોય તો કયાં અંગો , દાન કરવાં એ પણ લખી શકે . વીલમાં પોતાની અન્ય ઇચ્છાઓ પણ લખી શકાય ,જેમ કે અંતિમ સંસ્કાર તથા ત્યારબાદની સામાજિક વિધિઓ અંગે પણ ઉલ્લેખ કરી શકે . ટૂંકમાં , પોતે નિર્ણય લેવા કે બોલવા સક્ષમ ના હોય એવાં સંજોગોમાં શું અને કેવી રીતે કરવું એ અંગે પોતે સક્ષમ હોય ત્યારે જ લખી જઈ શકે .

લિવિંગ વિલ કંઈ રીતે કરી શકાય ?
માનસિક રીતે સ્વસ્થ , કોઈ પણ પુખ્ત વ્યક્તિ આ વિલ કરી શકે .
સૌપ્રથમ તો શાંતિથી બેસી ,તમારી કેવી ઈચ્છાઓ છે એ અંગે વિચારો . તમને જરૂર લાગે તો તમારા ફેમિલી ડૉક્ટર / પરિવારજનો સાથે ચર્ચા કરી શકાય. કોઈ એક તમારું વિશ્વાસુ વ્યક્તિ જે પરિવારજન કે મિત્ર હોય શકે એને , આ વીલના અમલીકરણ અંગે નિયુક્ત કરો , એને આ અંગેની જાણ કરો. ત્યારબાદ , બધી ઈચ્છાઓ એક કાગળમાં સારા અક્ષરોમાં લખી કે ટાઇપ કરી લો .જેમાં તમે નિયુક્ત કરેલ અમલીકરણ કરાવનાર વ્યક્તિનો પણ ઉલ્લેખ કરો . તમારી સહી તથા સાક્ષીની સહી કરાવી આ વિલ , બંધ કવરમાં તમારા નિકટજન/પરિવારજનને આપી દો. આનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત/ મદદરૂપ છે કે નહીં એ અંગે , તેમજ આ બાબતોની કાયદેસરતા અંગે વકીલનો અભિપ્રાય લઈ લેવો હિતાવહ છે .
તમારું આ એક કદમ , તમારી અનિચ્છિય , ગંભીર હાલતમાં , તમારા પ્રિયજનોની તથા ડૉક્ટરની મૂંઝવણો /દુવિધાઓ દૂર કરી તમારી આલોકથી પરલોકમાં જવા સમયની ઈચ્છાઓ પૂર્ણ કરશે .

ખાસ નોંધ - આ લખનાર ભારતીય કાયદાઓનાં કે વશિયતનામાંના નિષ્ણાત નથી , કાયદાકીય જાણકારી/ સ્પષ્ટીકરણ માટે વકીલનો સંપર્ક જરૂરી . આ પોસ્ટનો હેતું ફકત અને ફક્ત , લોકોને આ વિષય પર જાગૃત કરવાનો છે .

- ડો. કલ્પેશ જોષી. લોટસ હોસ્પિટલ , વલસાડ

પંચાવનમી વર્ષગાંઠ નિમિત્તે મિત્રોની લાગણીમય શુભેચ્છાઓ બદલ અત્યંત આભારની લાગણી અનુભવું છું .આમ તો સફેદ રંગ મને અત્યંત પ્ર...
11/01/2025

પંચાવનમી વર્ષગાંઠ નિમિત્તે મિત્રોની લાગણીમય શુભેચ્છાઓ બદલ અત્યંત આભારની લાગણી અનુભવું છું .
આમ તો સફેદ રંગ મને અત્યંત પ્રિય પણ , આજથી હું , ત્રણ સફેદ રંગની ખાદ્ય વસ્તુઓ બંધ કરવા કે અત્યંત ઓછી કરવાં પ્રતિબદ્ધ છું - ખાંડ, મીઠું ( નમક) અને મેંદો . કેમકે આ ત્રણ સફેદ ખાદ્ય પદાર્થો તમારી સુખાકારી માટે કાળા સાબિત થઈ શકે .
ખાંડ- બ્લડ સુગરમાં વધારો કરી , વજન વધારવામાં કારણભૂત બની , ડાયાબિટીસ જેવાં રોગો નોતરી શકે અને અકાળે વૃદ્ધત્વ લાવી શકે .
મીઠું- બ્લડ પ્રેશર વધારવામાં કારણભૂત બની , કિડનીનાં રોગો , હૃદયરોગો, ધમનીનાં રોગો નોતરી શકે .
મેંદો- શરીરમાં ઇન્ફ્લેમેશન વધારી , આંતરડાંના રોગો નોતરી , વજન વધારો , ડાયાબિટીસ વગેરે લાવી શકે .
જેમને ડાયાબિટીસ , બ્લડપ્રેશર , જાડાપણું , હાઇ કોલેસ્ટ્રોલ હશે એમને તો , આ સંયમ ફાયદો કરશે જ પરંતુ સામાન્ય તંદુરસ્ત વ્યક્તિ પણ , આ ત્રણ પદાર્થો સંયમિત કરવાથી અનેક ભવિષ્યની તકલીફોથી બચી શકશે.
હું આશા રાખું કે , મારી સાથે આમાં જોડાવ અને પોતાને તંદુરસ્ત રાખી , સમાજ -દેશને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ થાવ.
ફરી એકવાર, મારી વર્ષગાંઠને , તમારી શુભેચ્છાઓ દ્વારા યાદગાર બનાવવા બદલ દિલપૂર્વક આભાર ! ❤️

10/01/2025

જેટ લેગને લીધે આપણાં વિદેશ પ્રવાસનાં શરૂઆતનાં 2-3 દિવસ બગડી શકે , અમુક કાળજીઓ રાખવામાં આવે તો એને ઓછું કરી શકાય .

જેટ લેગને લીધે આપણાં વિદેશ પ્રવાસનાં શરૂઆતનાં 2-3 દિવસ બગડી શકે , અમુક કાળજીઓ રાખવામાં આવે તો એને ઓછું કરી શકાય . Listen...
06/05/2024

જેટ લેગને લીધે આપણાં વિદેશ પ્રવાસનાં શરૂઆતનાં 2-3 દિવસ બગડી શકે , અમુક કાળજીઓ રાખવામાં આવે તો એને ઓછું કરી શકાય .

Listen to the most recent episode of my podcast: JET LAG શું છે? કંઈ રીતે ઘટાડી શકાય ?

જેટ લેગને લીધે આપણાં વિદેશ પ્રવાસનાં શરૂઆતનાં 2-3 દિવસ બગડી શકે , અમુક કાળજીઓ રાખવામાં આવે તો એને ઓછું કરી શકાય .

Address

Lotus Hospital
Valsad
396001

Alerts

Be the first to know and let us send you an email when Dr.Kalpesh Joshi - physician, runner and a health educator. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr.Kalpesh Joshi - physician, runner and a health educator.:

Share